ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(9 intermediate revisions by the same user not shown)
Line 2,176: Line 2,176:
}}
}}


{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story


|story = <poem>કવિતા અને કલ્પનાના સામ્રાજ્યમાંથી
ચાલો પાછા વાસ્તવિકતામાં.
૧૯૩૦ના અંતમાં પ્રથમ ગોળમેજી પરિષદમાં જવા માટે ગાંધીજીને નિમંત્રણ મળ્યું હતું
જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો
કારણ કે તેમણે મૂકેલી શરતો મંજૂર થઈ ન હતી.</poem>
}}


{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story


|story = <poem>જેને કોઈ પણ જાતના ભય વિના
બોલતી બંધ કરી દેવામાં આવી હોય
અને જેની ચેતનાને કચડીને નાંખવામાં
કોઈ જ ક્ષોભ અનુભવાયો ન હોય
એવી પ્રજાના પ્રતિનિધિને
ગોળમેજી પરિષદમાં આમંત્રણ મળે
એવી પરિસ્થિતિની કલ્પના કરવી પણ
અડધી સદી પહેલાં શક્ય ન હતું.
એના દેખીતા હેતુની સફળતા વિશે ગાંધીજીને શંકા હોઈ શકે પણ એમણે સ્વીકારવું જ રહ્યું કે
એમાં રહેલા મૂળભૂત નૈતિક સિદ્ધાંતનું પ્રતિપાદન
તેઓ જ તેમના દેશવાસીઓ વતી
સ્વરાજના પ્રયાસોમાં કરતા આવ્યા છે.
આ પરિષદ દ્વારા
અંગ્રેજ રાજકારણીઓ સાથે સહકાર સાધવાની તક
પ્રાપ્ત થઈ શકે છે તે વાત સાચી હોવા છતાં
તેમાં તેની સાચી મહત્તા નથી.
તેની મહત્તા જગતની આત્મશક્તિમાં છે.
આપણે સમજવું જોઈએ કે
આ પરિષદની બેઠક જગતના ન્યાયપંચ સમક્ષ મળશે
અને તેની સંમતિની આતુરતાપૂર્વક અપેક્ષા રખાશે.
આજે જ્યારે આ કિનારે પોલીસની લાઠીઓ
આપણા પ્રતિકારવિહીન માથાં તોડવામાં વ્યસ્ત છે
અને સત્તાધારીઓ
આ કરૂણ દૃશ્યથી દમામપૂર્વક અળગા રહી શકે છે
ત્યારે બીજા કિનારેથી
કેળવણીથી અનાવૃત્ત અને નિ:શસ્ત્ર ભારતીય પ્રજાને
આ પરિષદના આમંત્રણ દ્વારા એક ઈશારો કરવામાં આવ્યો છે.
હું નથી જાણતો કે
આ ઈશારો નાનો કે બિનઅસરકારક છે કે કેમ
પણ તે એક નૈતિક ઈશારો છે
જેની જરૂરિયાત રાજકીય કારણોસર ઊભી થઈ નથી
પણ આંતરરાષ્ટ્રીય સંમતિની અપેક્ષાથી ઊભી થઈ છે.
હું માનું છું કે તેમને મળેલું આમંત્રણ
તેમણે કોઈ પણ જાતની દ્વિધા અનુભવ્યા વિના
સ્વીકારવું જોઈતું હતું –
ભલે તેમને બધી જ પ્રસ્તુત શરતો મંજૂર ન હોય!
સદીઓથી આત્મવિશ્વાસ અને આત્મશક્તિના અભાવને કારણે જેણે પાશવી અને કપટી જુલમ સહન કર્યો છે
તેવી ભારતની મૂક સમષ્ટિમાં આ હિંમતનો સંચાર
મહાત્મા ગાંધીના મહાન વ્યક્તિત્વને કારણે જ થયો છે.
કેળવણીના દીર્ઘ દુકાળથી સૂકાઈ ગયેલા મગજમાં
અચાનક થયેલા ચેતનાના સંચરની શક્યતા અંગે
હું પણ શંકા સેવતો હતો.
પણ મહાત્માની અંગત અણનમ પ્રાણશક્તિ
અને તેમના માનવીની પ્રકૃતિમાં રાખેલા વિશ્વાસના જાદુઈ સ્પર્શ દ્વારા એક ચમત્કાર થયો છે.
આ અનુભવ પછી
તેમના શાણપણ અંગે શંકા સેવવાનું કારણ નથી.
મારે મારી શંકાઓ બાજુ પર મૂકીને
તેમના અડગ વલણમાં વિશ્વાસ રાખવો જોઈએ.</poem>
}}


{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story


|story = <poem>સપ્ટેમ્બર ૧૯૩૨માં ગાંધીજી પૂનામાં કારાગારમાં હતા.
અંગ્રેજ સરકારે હરિજનો માટે
અલાયદું મતદારમંડળ કરવાનું વિચાર્યું હતું.
ગાંધીજીને તે અસ્વીકાર્ય હતું
અને તેમણે આમરણાંત ઉપવાસ પર જવાનું નક્કી કર્યું હતું.</poem>
}}


{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story


|story = <poem>(તારથી) ભારતની એકતા અને ઈમાનદારી માટે
મૂલ્યવાન જીવનનું બલિદાન આપવું યોગ્ય તો કહેવાય. પૂર્ણવિરામ. આપણા શાસકો ઉપર તેની શું અસર પડશે
તે કહેવું મુશ્કેલ છે કારણ કે તેઓ
આપણી પ્રજા માટે તેની અગત્યતા કેટલી છે તે સમજતા નથી પણ આવા આત્મસમર્પણની અપીલ
આપણા દેશવાસીઓના અંતરાત્મા પર જરૂર પડશે. પૂર્ણવિરામ. મારી તીવ્ર આશા છે કે આપણે નિષ્ક્રિયતાથી
આવી રાષ્ટ્રીય કરૂણાંતિકાને
તેના અંત સુધી પહોંચવા નહીં દઈએ. પૂર્ણવિરામ.
અમારાં ખેદપૂર્ણ હૃદયો
તમારી ઉદાત્ત તપસ્યાને સન્માન અને પ્રેમ સહિત અનુસરશે.</poem>
}}


{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story


|story = <poem>આ તાર ગાંધીજીને પહોંચે તે પહેલાં તેમણે લખ્યું હતું,</poem>
}}


{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story


|story = <poem>પ્રિય ગુરુદેવ,
અત્યારે મંગળવારની સવારના ત્રણ વાગ્યા છે.
હું મધ્યાહ્ને અગ્નિદ્વારમાં પ્રવેશ કરીશ.
તમે જો મારા પ્રયાસને આશીર્વાદ આપતા હો
તો મને તેની જરૂર છે.
તમે તમારા વિચારો મુક્ત મને વ્યક્ત કરો છો
અને તેથી મારા સાચા અને સ્પષ્ટવક્તા મિત્ર છો.
મેં તમારા દૃઢ અભિપ્રાયની અપેક્ષા રાખી હતી,
પછી ભલે તે મારી તરફેણમાં હોય કે નહીં.
પણ તમે ટીકા કરવાનું ઉચિત નથી માન્યું.
હવે તો તે મારા ઉપવાસ દરમિયાન જ થઈ શકે
પણ જો તમારું મન મારા પગલાંને ભૂલભરેલું માનતું હોય તો તમારી ટીકા મારો પુરસ્કાર બની રહેશે.
જો મને મારી ભૂલ લાગશે તો
મારી ભૂલનો ખુલ્લો એકરાર ન કરવા જેટલો
હું અભિમાની નથી,
પછી ભલે તે એકરારની
ગમે તેટલી મોટી કિંમત મારે ચૂકવવી પડે.
જો તમને મારું પગલું વ્યાજબી લાગતું હોય
તો મારે તમારા આશીર્વાદ જોઈએ છેે.
તે મારા વિશ્વાસને ટકાવી રાખવામાં મદદગાર થઈ પડશે.
આશા રાખું છું કે
હું મારા વિચારોને સ્પષ્ટપણે વ્યક્ત કરી શક્યો છું.
સપ્રેમ,
સુપરીન્ટેન્ડન્ટને આ પત્ર આપતો જ હતો
ત્યાં મને તમારો પ્રેમપૂર્ણ અને ઉમદા તાર મળ્યો.
જે ઝંઝાવાતમાં હું પ્રવેશ કરવાની તૈયારીમાં છું
તેમાં મને મોટો ટેકો મળશે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>બીજા જ દિવસે,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>ગ્રહણગ્રસ્ત સૂર્યથી પડતા પડછાયા જેવો વિશાળ પડછાયો
આજે ભારતના આકાશને ઘેરું બનાવી રહ્યો છે.
નિષ્ઠા અને સેવામય જીવનથી
જેમણે ભારતને પોતાના સત્ય તરીકે સ્વીકાર્યું છે
તેવા મહાત્માજીએ આજે
પોતાના આત્મસમર્પણની પ્રતિજ્ઞાના પાલનનો આરંભ કર્યો છે.
મહાત્માજીની તપસ્યા માત્ર ક્રિયાકાંડનો અંશ નથી,
તેમાં તો ભારત અને જગત માટે એક સંદેશ છે.
તેમના સંદેશના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ.
માનવ ઇતિહાસના આરંભથી જ
સમાજના વિવિધ વર્ગો વચ્ચેની ખાઈનું અસ્તિત્વ
દેખાતું આવ્યું છે.
જેઓ સંજોગોના કૃપાપાત્ર છે
તેઓ બીજાની નબળાઈનું શોષણ કરતા આવ્યા છે
અને તેમને હલકા પાડીને
પોતે શ્રેષ્ઠતમ છે એવા અહંકારનું પોષણ કરતા આવ્યા છે.
આ પ્રથા લાંબા સમયથી ચાલી આવતી હોવા છતાં
તે માનવતાના સિદ્ધાંતની વિરૂદ્ધ છે.
ભારતમાં આપણે પોતાના અનેક સહોદરોને
આપણી વચ્ચેથી તડીપાર કરીને
અપમાનના સંકુચિત વાડામાં પૂરી દીધા છે
અને તેમને કાયમી લાંછનના ડામ દીધા છે.
બંદીખાનું માત્ર ઈંટ અને સિમેન્ટનું જ નથી હોતું.
માણસના આત્મસન્માનને સંકુચિત સીમાઓમાં પૂરી દેવાથી
ઊભું થતું નૈતિક કારાગાર
ભોગવનાર માટે ભૌતિક કારાગાર કરતાં પણ વધુ ક્રૂર હોય છે. તેને નિષ્ક્રિયતાપૂર્વક કે પછી કર્તવ્યનિષ્ઠ ઉત્સાહથી
ઉત્તેજન આપનારા માટે ચરિત્રહીનતાનો માર્ગ બની રહે છે.
વ્યક્તિ અને પ્રજાની વચ્ચેની અસમાનતાને
અવગણાય તો નહીં જ
પણ તેનો સંપૂર્ણ સ્વીકાર કરીને
લોકોને તેમના માનવીય હકોથી અને બિરાદરીથી વંચિત રાખવા એ તો એક ઘૃણાસ્પદ સામાજિક અપરાધ છે.
આપણા દેશમાં થયેલા
માનવતાના અપમાન સમા આ વિભાજન પ્રતિ
મહાત્માજીએ વારંવાર આપણું ધ્યાન ખેંચ્યું છે
પરંતુ તેમાંથી છૂટકારો મેળવવાની અગત્યતાને
ખાદી જેટલું મહત્વ અપાયું નથી.
હવે આપણા સમાજમાં જડ નાંખી બેઠેલી આ બદી સામે મહાત્માજીએ આખરીનામું જાહેર કર્યું છે.
આ રણભૂમિમાં આપણે તેમને ગુમાવી બેસીએ એવી શક્યતા છે.
તે સંજોગોમાં આ લડત
આપણે સૌએ ઉપાડી લઈને તેના અંત સુધી લઈ જવી પડશે.
આ લડતનો ઉપહાર તે આપણને ધરી રહ્યા છે,
જો આપણે તેને
નમ્રતા અને ગૌરવપૂર્ણ નિર્ધારથી સ્વીકારીએ નહીં
કે પછી રૂઢિગત ક્રિયાકાંડપૂર્વક વિખેરી નાંખીએ
અને આ ઉદાત્ત જીવનના બલિદાનને એળે જવા દઈએ
તો તેમના સંદેશનો અર્થ ન રહે.
પછી આપણી પ્રજા નિષ્ક્રિયતાથી અધોગતિના માર્ગે
નરી વ્યર્થતાના અવકાશ પ્રતિ પ્રયાણ કરશે.
વાણી અને કર્મ દ્વારા વારંવાર વ્યક્ત થયેલા અહિંસાના સંદેશની એક મહાન ભાષામાં આ અંતિમ અભિવ્યક્તિ છે
જેને સમજવી અત્યંત સહેલી છે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>થોડા જ દિવસોમાં ગાંધીજીનું સ્વાસ્થ્ય બગડતું ચાલ્યું.
ચિંતાગ્રસ્ત કવિ શાંતિનિકેતનથી પૂના જવા નીકળ્યા.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>આશાભર્યા અમે નીકળ્યા પૂના તરફ
જો કે વાતાવરણ અપશુકનિયાળ હોવાનાં બધાં જ એંધાણ હતા.
દરેક મોટા સ્ટેશને મારા સાથીદારો છાપું લઈ આવતા –
સમાચાર આનંદના ન હતા.
ડૉક્ટરોના મત મુજબ મહાત્માજી માટે
હવેનો સમય જોખમકારક હતો.
માત્ર દૃઢ સંકલ્પથી શારીરિક વ્યથા અને માનસિક દબાવને કાબૂમાં રાખીને મહાત્માજીનો વિજય થયો હતો.
આશા અને ભય વચ્ચે ઝોલા ખાતાં
અમે ૨૬મી સપ્ટેમ્બરે કલ્યાણ પહોંચ્યા.
જરાય સમય બગાડ્યા વિના અમારા યજમાને મોકલેલી ગાડીમાં અમે પુના પ્રતિ પ્રયાણ કર્યું.
પુનામાં પ્રવેશતાં જ શસ્ત્રસજ્જ ગાડીઓ
અને મશીનગનો મિલિટરીના મેદાનમાં ફરતી દેખાઈ.
શહેરના રસ્તાઓ પર સૈનિકો ફરી રહ્યા હતા.
ઉતારે પહોંચતાં જ વાતાવરણમાં વ્યાકુળતા લાગી.
ઉચાટની છાયા દરેક ચહેરા પર દેખાતી હતી.
પૂછતાં ખબર પડી કે મહાત્માજીની પરિસ્થિતિ જોખમકારક છે.
એ મહાત્માજીના મૌનનો દિવસ હતો.
તેમણે ઇચ્છા પ્રગટ કરી હતી કે તેઓ એક વાગ્યે મૌન છોડે
તે સમયે મારે તેમની પાસેે હાજર રહેવું.
યરવડા જેલના રસ્તે, દરવાજાથી થોેડે દૂર
અમારી ગાડીને રોકવામાં આવી.
બીજો હુકમ ન મળે ત્યાં સુધી
કોઈ પણ ગાડીને ન જવા દેવાનો સંત્રીને આદેશ હતો.
હું તો માનતો હતો કે
આજકાલ ભારતમાં જેલમાં જતો રસ્તો ખુલ્લો જ રહેતો હતો!
અમારામાંથી એક ભાઈ
જેલના ઉપરી પાસેથી રજા મેળવવા જઈ રહ્યા હતા
ત્યાં શ્રીયુત દેવદાસ જેલની પરવાનગી લઈને
ગાડીમાં આવી પહોંચ્યા.
મને પછીથી ખબર પડી કે મહાત્માજીને લાગ્યું હતું કે
અમારી ગાડીને રસ્તામાં કોઈએ રોકી રાખી છે
તેથી તેમણે તેમના દીકરાને અમને લેવા મોકલ્યા હતા.
એક પછી એક વિશાળ લોખંડી દરવાજા
ખુલીને અમારી પાછળ બંધ થતા હતા.
અમારી સામે હતી ઊંચી ઉદ્ધત દીવાલો અને કેદ થયેલું આકાશ,
પથરાયો હતો સીધો ડામરનો રસ્તો અને થોડાં વૃક્ષો.
બે મહાન અનુભવો મારા જીવનમાં મોડેથી મને થયા છે.
હમણાં જ મેં યુનિવર્સિટીનો ઊંબરો પાર કર્યો હતો
અને થોડાક અવરોધ પછી
આ હું આવીને ઊભો એક સામાન્ય કારાગારની અંદર!</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>આ ગંભીર પરિસ્થિતિમાં પણ સંભળાય છે ને
એક વિચક્ષણ કથાકારનો અવાજ અને ગૌરવપૂર્ણ વિનોદવૃત્તિ?</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>આંગણાની વચ્ચે એક આંબાની નીચે
મહાત્માજી તેમના ખાટલામાં સૂતા હતા.
મને તેમની નજીક ખેંચીને તે બોલ્યા,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
|story = <poem>તમને જોઈને કેટલો આનંદ થયો.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>સારા સમાચારની પાછળ આવવા માટે
હું મારી જાતને નસીબદાર માનું છું.
લગભગ દોઢ વાગવા આવ્યો હતો.
મેં સાંભળ્યું હતું કે
પુનામાં દસેક વાગ્યે સત્તાવાર સમાચાર આવ્યા હતા.
આવા ક્રૂર વિલંબથી આશ્ચર્ય થતું હતું.
જેમનો પ્રાણ દરેક કલાકે ક્ષીણ થઈ રહ્યો હતો
તેમને બચાવવાની કોઈને ઉતાવળ હોય તેમ લાગતું ન હતું.
ચારે તરફ મિત્રો હતા.
તેમાં હું મહાદેવ, વલ્લભભાઈ, રાજગોપાલાચારી, રાજેન્દ્રપ્રસાદ, શ્રીમતી કસ્તુરીબાઈ, સરોજિની,
અને જવાહરલાલની પત્ની કમલાને ઓળખી શક્યો.
મહાત્માજીનું પાતળું શરીર કૃશ થઈ ગયું હતું.
એમનો અવાજ માંડ સાંભળી શકાતો હતો.
તેમના તબીબોની જવાબદારી ગંભીર હતી.
છતાં તેમનો આંતરિક ઉત્સાહ ઘટ્યો ન હતો,
મગજ જાગૃત અને સાબદું હતું,
તેમનું તેજસ્વી વ્યક્તિત્વ સદાના જેવું જ તાજગીભર્યું હતું.
બધાં જાણે છે તેમ ઉપવાસ દરમિયાન
વિવિધ પક્ષોના અધિકાર અને કોલાહલમાંથી
તે બચી શકે તેમ ન હતું.
છતાં માનસિક થાકનાં કોઈ ચિન્હો દેખાતાં ન હતાં,
તેમની સ્પષ્ટ વિચારશ્રેણીને અવરોધતી
કોઈ પણ છાયાનો અણસાર પણ આવતો ન હતો.
તેમની શારીરિક વ્યથાને અતિક્રમીને
તેમના અજેય આત્માનું સાચું સ્વરૂપ દેખાઈ રહ્યું હતું
જેને સન્માન ધરવા આપણે તત્પર છીએ.
હું જો તેમની પાસે આ સમયે ન આવ્યો હોત
તો આ અશક્ત માણસની મહાન શક્તિનો
મને ખ્યાલ જ ન આવત.
આજે ભારતના કરોડો હૃદયોમાં
મોતની વેદીના છાયામાં આરામ કરતી
આ અમર ચેતનાનો સંદેશ પહોંચ્યો છે.
સદીઓ પુરાણી નિષ્ક્રિયતાનો અવરોધ આજે ધૂળભેગો થઈ ગયો છે.
બપોરનો તડકો
ઊંચી, વેરાન દીવાલો ઉપર થઈને આવતો હતો.
સફેદ ખાદીમાં સજ્જ સ્ત્રી પુરૂષો શાંતિથી ચર્ચા કરી રહ્યાં હતાં.
જેલની અંદર ભેગી થયેલી આ મેદનીનું શિસ્ત ઉદાહરણીય હતું.
ચરિત્રની આ શક્તિ વિશ્વસનીય બની રહે છે.
તેમનામાં સહજ આત્મસન્માનનું ગૌરવ દેખાય છે;
સત્યની એકનિષ્ઠ સેવા પર અવલંબિત સ્વરાજ માટે
તેમનામાં મૂકેલી જવાબદારી તેઓ બરાબર નીભાવશે
એવો વિશ્વાસ સહજ રીતે પેદા થાય છે.
આખરે સરકારના લાલ સીલવાળું પરબીડિયું લઈને
જેલના ઈન્સ્પેક્ટર જનરલ આવી પહોંચ્યા.
તેઓ વાંચી રહ્યા એટલે
મહાત્માજીએ તેમના મિત્રોને ચર્ચા માટે બોલાવ્યા.
એમ લાગતું હતું કે મહાત્માજીની ઇચ્છાને માન અપાયું હતું.
ઉપવાસની મહાન તપસ્યાનો અંત આવ્યો હતો.
શ્રીમતી કમલા નહેરૂએ લીંબુનો રસ કાઢ્યો.
જેલના ઈન્સ્પેક્ટર જનરલની વિનંતી હતી કે
શ્રીમતી કસ્તુરીબાઈ તે મહાત્માજીને આપેે.
મહાદેવે મને જણાવ્યું કે ગીતાંજલિનું કરૂણા ધારાએ એશો, મહાત્માજીને અત્યંત પ્રિય છે.
તેના સૂર મને યાદ ન હતા.
જે સૂઝ્યા તે નવા જ સૂરમાં મેં તે ગીત ગાયું.
પંડિત શ્યામ શાસ્ત્રીએ વેદિક પાઠ કર્યા.
શ્રીમતી કસ્તુરીબાઈએ ફળના રસનો ગ્લાસ
મહાત્માજીને આપ્યો અને તેમણે ધીરેથી તે પીધો.
સાબરમતી આશ્રમના અંતેવાસીઓ
અને બીજાઓએ વૈષ્ણવજન તો ગાયું.
માનવીના ઇતિહાસમાં આવો પ્રસંગ બન્યો નથી.
જેલની અંદર એક યજ્ઞનું પ્રતિષ્ઠાન થયું હતું
અને ત્યાં જ એની સંપૂર્ણતામાં પૂર્ણાહૂતિ થઈ.
એક વિશાળ ફલક પર
તેમનું મહાન જીવન ઝળહળી રહ્યું છે.
માનવતામાં થતા મહામાનવના દર્શનનો સંદેશ
તેણે આપણા સુધી પહોંચાડ્યો છે.
આશા રાખું કે આ સંદેશ પરિપૂર્ણ થાય.
માનવીના ઐક્યમાં જ સાચા પથનું સ્વરૂપ દૃષ્ટિગોચર થાય છે.
આપણી પ્રજામાં વિભાજન કરતાં સંપ્રદાયો અને વાડાઓ આપણી રાજકીય પરતંત્રતાને પોષણ આપે છે.
યુગોનાં બંધન તોડીને, માનવ સંસ્કૃતિએ
શ્રદ્ધા અને પ્રેમ પર અવલંબિત સમજુતી પ્રતિ
પ્રયાણ કરવાનો સમય આવી</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>ગુરુદેવ,
તમે જાણો છો કે તમે એ દિવસે ગાયેલા ભજનથી
એ ભજન ગવાતું.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>મહાત્માજી, આ થોડા દિવસોમાં
અશક્યને શક્ય થતું જોઈને
આપણી પ્રજા આશ્ચર્યચકિત થઈ ગઈ છે.
તમારા પ્રાણની રક્ષાથી
એક મોટી નિરાંતની લાગણી સર્વત્ર ફેલાયેલી છે.
તમારા તરફથી આદેશની આ એક સવેળાની તક છે.
હિંદુ સમાજને મુસલમાનોને પોતાના પક્ષમાં લેવા માટે
અથાગ પ્રયત્ન કરવાનું કહો
જેથી આપણા સહિયારા ઉદ્દેશમાં મદદ થાય.
તમારી અસ્પૃશ્યતાની લડત કરતાં
આ લડત જીતવી વધારે મુશ્કેલ છે
કારણ કે આપણી પ્રજાના મનમાં
મુસ્લિમો પ્રત્યે તીવ્ર અણગમો ઊંડી જડ ઘાલીને બેઠો છે
અને તેમને પણ આપણા માટે ખાસ પ્રેમભાવ નથી.
પણ તમને દુરાગ્રહી અને જિદ્દી હૃદયોને જીતી લેતાં આવડે છે અને તમારો ધૈર્યપૂર્ણ પ્રેમ
સદીઓથી એકત્ર થયેલા દ્વેશને મહાત કરી શકશે.
તમને સલાહ આપવાનું કામ મારું નથી
અને શું માર્ગ લેવો તે અંગેના તમારા નિર્ણય ઉપર
મને સંપૂર્ણ વિશ્વાસ છે.
સન્માનીય પ્રેમ સાથે, સદા તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
તમારો સુંદર પત્ર મળ્યો છે.
હું રોજ પ્રકાશને ખોળી રહ્યો છું.
હિંદુ મુસ્લિમ એકતા એ પણ મારા જીવનનું ધ્યેય છે.
પણ મને પણ અવરોધો નડે છે.
હું જાણું છું કે જ્યારે મને પ્રકાશ મળશે
ત્યારે તે અવરોધોને વીંધીને આવશે.
ત્યાં સુધી હું પ્રાર્થના કરું છું, હજી ઉપવાસ પર ઊતર્યો નથી.
સપ્રેમ, તમારો,
કવિના પ્રેમની વર્ષાથી
હું એટલો આનંદવિભોર થઈ ગયો હતો કે
મેં ચાર્લીને લખ્યું,
ગુરુદેવ તો હજીય તેમ જ છે.
આ નાનકડા ઉપવાસથી મને ઘણા ખજાના મળ્યા છે
પણ તેમાં ગુરુદેવ સર્વશ્રેષ્ઠ રત્ન છે.
કોઈએ કહ્યું હોત કે ગુરુદેવને મેળવવા ઉપવાસ કરો
તો મેં વગર વિચારે તેમ કર્યું હોત.
તેમના હૃદયમાં સ્થાન મેળવવા હું અત્યંત ઉત્સુક હતો.
ઈશ્વરનો આભાર કે ઉપવાસ દ્વારા હું તે મેળવી શક્યો.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>૧૯૩૩માં ગાંધીજીએ ફરીથી ઉપવાસ આદરવાનું નક્કી કર્યું.
એકવીસ દિવસના આ ઉપવાસ આત્મશુદ્ધિ માટે હતા.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
અત્યારે રાત્રે પોણા બે વાગ્યા છે
અને મને તમે અને બીજા મિત્રો યાદ આવે છે.
જો તમે મારા ઉપવાસ સાથે સંમત થતા હો
તો મારે ફરીથી તમારા આશીર્વાદ જોઈએ છે.
પ્રેમ અને સન્માન સહિત, તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story =<poem>શારીરિક કે નૈતિક રીતે મૃત્યુ જો અનિવાર્ય જ હોય
તો તેને સહન કરવું જ રહ્યું.
પણ આપણને તેની સાથે સંવનન કરવાની છૂટ નથી,
સિવાય કે જીવનના પરમ હેતુની અભિવ્યક્તિ
તેના દ્વારા થતી હોય.
તમારી હાલની પ્રતિજ્ઞાની અનિવાર્ય જરૂરિયાત અંગે
તમારી ભૂલ થતી હોવાની સંભાવના નકારી શકાય નહીં.
તેના જીવલેણ અંતના ગંભીર જોખમનો વિચાર આવતાં
અમે ધ્રૂજી ઊઠીએ છીએ
કારણ કે આ ભયાનક ભૂલને સુધારવાની તક મળવાની નથી.
ઈશ્વરને તેમણે રચેલા સંસાર માટે
આવું ઈન્દ્રીયદમનનું આખરીનામું ન આપવા
હું તમને આજીજી કરું છું.
આમ કરીને માનવતાનું સમર્થન કરતા
પૂર્ણતાના આદર્શને આખરી ક્ષણ સુધી જાળવી રાખતા જીવનના મહાન ઉપહારની તમે અવગણના કરી રહ્યા છો.
છતાં મારે કબૂલ કરવું જ રહ્યું કે
તમારી સમક્ષ જે દર્શન છે તે મારી સમક્ષ નથી
અને જે અવાજ માત્ર તમને જ સંભળાયો છે
તેનો સંપૂર્ણ અર્થ હું પામી શક્યો નથી.
તેથી કોઈ પણ સંજોગોમાં હું માનવાનો પ્રયત્ન કરીશ
કે તમે તમારા નિર્ધારમાં સાચા છો
અને મારી શંકા મારી કાયરતા કે મારા અજ્ઞાનનું પરિણામ છે.
પ્રેમ અને સન્માન સહ, તમારો,
બે દિવસ બાદ મેં ફરીથી લખ્યું,
તમારા ઉદાહરણને જો તર્કસંગત દૃષ્ટિથી અનુસરવામાં આવે તો આખા જગતમાંથી બધા જ ઉમદા આત્માઓનો નાશ થાય અને બાકી રહે નૈતિક નબળાઈ ધરાવતી કચડાયેલી સમષ્ટિ
જે અજ્ઞાન અને અન્યાયના અતલ ઊંડાણમાં ડૂબી જશે.
તપસ્યાની આ પદ્ધતિ
માત્ર તમારા અંગત પ્રયાસ દ્વારા જ ફળદાયી થશે
અને બીજા માટે તેનો કોઈ જ અર્થ નથી
એમ કહેવાનો તમને કોઈ જ હક નથી.
એ જો સાચું હોય તો તમારે આ તપસ્યા
જે માત્ર તમારું જ બલિદાન માંગે છે
તેને ખાસ રહસ્યમય ક્રિયા તરીકે
એકદમ ગુપ્તતા રાખીને કરવી જોઈએ.
તમે બીજાઓને ક્રિયાશીલ રહીને
રાષ્ટ્રીય જીવનને ગૂંગળાવતા શેતાનને હઠાવવા કહો છો
અને પોતે આવો નિષ્ક્રિય બલિદાનનોે માર્ગ અપનાવો છો.
આને કારણે તમારાથી નાના માણસોને માટે
ફરજનો એક સહેલો અને વ્યર્થ પથ ખુલી જશે
જે તેમને ઈન્દ્રીયદમનની ઊંડી ખીણમાં ઝંપલાવવા માટે લલચાવશે.
તમારી આ આગવી શુદ્ધિની પદ્ધતિને
જો તેઓ દેશ માટે અપનાવશે તો તેમને દોષ નહીં દેવાય
કારણ કે જો કોઈ સંદેશ સર્વસામાન્ય ન હોય
તો તેનું પ્રતિપાદન થવું જ ન જોઈએ.
તમારી પ્રતિજ્ઞાથી મને થયેલા દુ:ખને કારણે
મને આમ લખવાની ફરજ પડે છે
કારણ કે એક ઉદાત્ત કારકિર્દીને
અનુચિત અંત પ્રતિ પ્રયાણ કરતી હું જોઈ નથી શકતો.
તમારા વ્યક્તિત્વમાં મૂર્તિમંત થતા
આપણા દેશના ગૌરવને ખાતર
અને તમારા જીવંત સ્પર્શ અને સહાયની જેમને જરૂર છે
તેવા આપણા કરોડો દેશવાસીઓને ખાતર
હું ફરી એકવાર વિનંતી કરું છું કે
એવું કોઈ પણ કામ કરતાં અટકી જાઓ
જે તમને માત્ર તમારે માટે યોગ્ય લાગતું હોય
પણ બાકીની પ્રજાને માટે નહીં.
અત્યંત દુ:ખ અને પ્રેમ સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story =<poem>થોડા સમય પછી રવીન્દ્રનાથને લાગ્યું
કે પૂનામાં થયેલા કરારમાં બંગાળને અન્યાય થયો છે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>મારે પ્રેસમાં નિવેદન આપવું પડ્યું.
મને યાદ છે કે મેં વડાપ્રધાનને તાર કર્યો હતો કે
શ્રી ગાંધીએ તેમને મોકલેલી કોમી એવૉર્ડની દરખાસ્ત સ્વીકારવામાં વિલંબ ન કરવો જોઈએ.
તે સમયે અત્યંત વેદનાદાયક પરિસ્થિતિ હોઈ
શાંત ચિત્તે પૂના કરારનાં પરિણામો વિશે
વિચારવાનો અવકાશ રહ્યો ન હતો.
તદુપરાંત તે પરિષદમાં
બંગાળના કોઈ જવાબદાર પ્રતિનિધિએ પણ
ભાગ લીધો ન હતો.
આ પ્રશ્નના નિરાકરણ ઉપર
શ્રી ગાંધીના જીવનનો આધાર હતો
અને આવી કટોકટીથી ઊભી થતી અસહ્ય વ્યાકુળતાને કારણે એવો નિર્ણય લેવાઈ ગયો
જેે વધુ વિચારતાં
આપણા દેશના લાંબા ગાળાના લાભમાં નથી લાગતો.
શ્રી ગાંધી માટેના અગાધ પ્રેમ
અને તેમની ભારતીય રાજકારણની સમજમાં
સંપૂર્ણ શ્રદ્ધા હોવાથી
તેમ જ મારા રાજકારણના બિનઅનુભવને કારણે
હું વધુ વિચાર કરવા બેઠો નહીં
અને હવે મને લાગે છે કે
કમનસીબે બંગાળને ભાગે ન્યાયનો ભોગ આવ્યોે છે.
શ્વેતપત્રમાંની બીજી બધી દરખાસ્તો પર
ફેરવિચારણા થઈ રહી છે
જ્યારે અંગ્રેજ સરકાર અમારે માટે અગત્યના વિષય પર ફરીથી વિચાર કરવાનું ઉચિત નથી માનતી
તેનાથી મને આશ્ચર્ય કે દુ:ખ નથી થતું
પણ પરિષદના અન્ય પ્રાંતના ભારતીય સભ્યો
બંગાળના બદ્‌નસીબ પ્રત્યે માત્ર ઉદાસીન જ નથી
પણ તેને સક્રિય સમર્થન આપે છે
જે આપણા ભાવિ માટે અમંગળ એંધાણ આપે છે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poe,>પ્રિય ગુરુદેવ,
બંગાળને સ્પર્શતા યરવડા કરાર અંગેનું
તમારું પ્રેસમાં આપેલું નિવેદન મારા ધ્યાનમાં આવ્યું છે.
બંગાળને અન્યાય કરતા કરારને સંમતિ આપવામાં
તમે તમારા મારા પ્રત્યેના પ્રેમ અને વિશ્વાસને કારણે ભૂલ કરી બેઠા તે જાણીને મને અત્યંત દુ:ખ થયું છે.
પણ હું દૃઢતાપૂર્વક માનું છું કે કાંઈ પણ ભૂલ થઈ નથી.
મેં પોતે વિચાર કર્યો અને
માહિતગાર મિત્રો સાથે પણ ચર્ચા કરી.
ત્યાર પછી પણ મને લાગતું નથી કે
બંગાળને અન્યાય થયો છે.
જો મને લાગે કે ભૂલભર્યો નિર્ણય લેવાયો છે
તો તે ભૂલ સુધારવા માટે
હું મારાથી બનતું બધું જ કરી છૂટતે.
નિષ્ઠાપૂર્વક તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>પ્રિય મહાત્માજી,
મને ખાતરી છે કે
જો પુના કરારને ફેરવિચારણા વિના સ્વીકારવામાં આવશે
તો તેનાથી અમારા પ્રાંતમાં કોમી ઇર્ષ્યાનાં મૂળ નંખાશે
અને અંતે શાંતિમાં સતત ખલેલ પડશે
તેમ જ પરસ્પર સહકારના વાતાવરણમાં
જીવલેણ અવરોધ ઊભો થશે.
સન્માન અને પ્રેમ સહિત,
થોડા દિવસ પછી એક આખરી પત્ર,
પ્રિય મહાત્માજી,
આ બેચેનીની ક્ષણોમાં તમને સંપૂર્ણ આરામની જરૂર છે
તે હું સમજું છું
અને શારીરિક તેમ જ માનસિક શ્રમના દિવસો પછી
મારે તમને પુના કરારની વિગતવાર ચર્ચા કરીને
ખલેલ નથી પહોંચાડવી.
તમને સંતોષ છે કે બંગાળને અન્યાય નથી થયો.
જો આ કરારમાં સુધારો કરવામાં નહીં આવે
તો બંગાળના સામાજિક અને રાજકીય જીવનને
ગંભીર હાનિ પહોંચશે એમાં કોઈ શંકાને સ્થાન નથી
એ જાણ્યા પછી
મારે માટે તમારું મંતવ્ય ચુપચાપ સ્વીકારી લેવાનું શક્ય નથી.
સત્યનું એક અગત્યનું સ્વરૂપ છે ન્યાય.
તાત્કાલિક શાંતિ કે ઉતાવળમાં
કોઈ રાજકીય ગૂંચ ઉકેલવા માટે જો તેને અવગણવામાં આવે તો લાંબા ગાળે જેમને તેનાથી લાભ થયો હોય
તેમણે તેનો પ્રત્યાઘાત ભોગવવો જ પડશે
અને સહેલાઈથી મળેલા લાભની
ભારે કિંમત ચૂકવવાની રહેશે.
હું રાજદ્વારી માણસ નથી
અને આ બાબતને માનવતાના દૃષ્ટિબિંદુથી જોઉં છું.
જ્યારે ન્યાયની બાબતમાં માનવતાને અવગણવામાં આવે છે ત્યારે તેને ક્રૂર હાનિ થાય છે.
ગંભીર વિચારણા પછી જે અભિપ્રાય પર હું આવ્યો છું
તે આ પત્રમાં મેં પ્રસ્તુત કર્યો છે.
તેના જવાબની હું કોઈ જ જરૂરિયાત જોતો નથી.
પ્રેમ અને સન્માન સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>૧૯૩૪માં બિહારમાં ધરતીકંપ થયો હતો.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>પ્રેસના હેવાલ મુજબ
તમે તાજેતરમાં બિહારના ધરતીકંપ અંગે
એક ભાષણમાં નીચે મુજબ કહ્યું હતું,
હરિજનો સામેના આપણા પાપની સજા
કુદરતે ધરતીકંપથી આપી છે
એમ માનવા જેટલા વહેમી મારી જેમ થશો
એવી હું આશા રાખું છું.
હું આ માની નથી શકતો.
પણ જો તમે સાચે જ આમ માનતા હો
તો મારે તેનો વિરોધ કરવો જ રહ્યો.
આ સાથે મારો પ્રત્યુત્તર મોકલું છું.
જો પ્રેસનો હેવાલ સાચો હોય તો
તમે આને પણ પ્રેસમાં મોકલશો?
મહાત્માજીએ ઉદારતાથી મારો પ્રત્યુત્તર હરિજનમાં છપાવ્યો.
જેઓ વગર વિચારે પોતાની સામાજિક રૂઢિ પ્રમાણે અસ્પૃશ્યતાની પ્રણાલી જાળવી રાખે છે
તેમના પર મહાત્માજીનો આક્ષેપ છે કે
ઈશ્વરે તેમના પર વેર લેવા બિહારના કેટલાક ભાગ પર પોતાની નારાજગી પ્રદર્શિત કરતી પાયમાલી વરસાવી છે.
આવો વિજ્ઞાનથી વિપરીત દૃષ્ટિકોણ
મોટા ભાગના આપણા દેશવાસીઓ સ્વીકારી લે છે
તે વધારે કમનસીબીની વાત છે.
ભૌતિક આપત્તિઓનું મૂળ અનિવાર્યપણે
ભૌતિક સત્યોના એકત્રિત જૂથમાં રહેલું છે
એ સત્ય ઉચ્ચારતાં મહાત્માજીના વિધાનમાં રહેલી
તાર્કિક વિસંગતતા વધુ ઉપસી આવે છે.
ઈશ્વર પણ જેમાં દખલગીરી નથી કરતો
એવા કુદરતના નિષ્ઠુર નિયમોમાં
આપણે જો ન માનતા હોઈએ
તો આવી ભીષણ આપત્તિના સમયે
ઈશ્વરની કામ કરવાની રીતનેે વ્યાજબી ઠરાવવી અસંભવ છે.
જો આપણે નૈતિક સિદ્ધાંતોને
વૈશ્વિક ઘટના સાથે સાંકળી લઈએ
તો આપણે સ્વીકારવું પડે કે
માણસની પ્રકૃતિ નૈતિક દૃષ્ટિએ
ઈશ્વર કરતાં ચડિયાતી છે
કારણ ઈશ્વર સારી વર્તણૂંકનો બોધપાઠ
નિમ્નતમ વર્તણૂંકના વ્યભિચાર દ્વારા આપે છે.
આપણે ક્યારેય
કોઈ એવા સંસ્કૃત શાસકની કલ્પના કરી શકીએ
જે દૂર વસતા અને કઠોર શિક્ષાને પાત્ર લોકો પર
દાખલો બેસાડવા માટે
નાના બાળકો અને અસ્પૃશ્યોને શિકાર બનાવે?
દુ:ખદ વાત તો એ છે કે
આવી વૈશ્વિક દુર્ઘટનાનો ગેરલાભ લેતી દલીલ
મહાત્માજી કરતાં એમના વિરોધીઓના માનસને
વધુ શોભે તેવી છે.
તેઓ જો મહાત્માજી અને એમના અનુયાયીઓને
આ દિવ્ય પ્રકોપ માટે જવાબદાર ગણતા હોત
તો મને જરાય આશ્ચર્ય ન થાત.
અમને તો સંપૂર્ણ વિશ્વાસ છે કે
અમારા પાપ અને ક્ષતિઓ ગમે તેટલાં મહાકાય હોય, તેમનામાં સૃષ્ટિના સર્જનને
વિલયના માર્ગે દોરી જવાની શક્તિ નથી.
દેશવાસીઓના મગજમાં
નિર્ભયતા અને આશ્ચર્યપૂર્ણ પ્રેરણાનું સિંચન કરવા માટે
મહાત્માજીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
પણ જ્યારે તેમના જ શબ્દો
એ જ મગજમાં તર્કથી વિસંગત વિચારોનું નિરૂપણ કરે છે ત્યારે અમેે અત્યંત ખેદપૂર્ણ લાગણી અનુભવીએ છીએ.
મુક્તિ અને આત્મસન્માનનો વિરોધ કરતા
બધા જ અંધ પરિબળોના સ્રોતનું મૂળ છે તર્કથી વિસંગતતા.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
|story = <poem>તેમના મહાન સંસ્થાનના રહેવાસીઓની જેમ જ
શાંતિનિકેતનના મહાકવિ મારે માટે પણ ગુરુદેવ જ છે.
અમારા બેની વચ્ચેના મતભેદોની જાણ
અમને ઘણા સમય પહેલાં થયેલી છે.
બિહારની આપત્તિને મેં
અસ્પૃશ્યતાના પાપ સાથે સાંકળી લીધી
તેની સામેના તેમના તાજેતરનાં વક્તવ્યથી
તેમાં કોઈ વધારો થતો નથી.
તેમને જ્યારે પણ મારી ભૂલ દેખાય
ત્યારે મારો વિરોધ કરવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે.
તેમના પ્રત્યેના મારા પ્રગાઢ આદરને કારણે
હું બીજા કોઈપણ ટીકાકાર કરતાં તેમને
વધુ ધ્યાનપૂર્વક સાંભળીશ.
તેમનું નિવેદન ત્રણ વાર વાંચ્યા પછી પણ
આ કટારમાં વ્યક્ત થયેલા મારા મતને હું વળગી રહું છું.
હું હંમેશા માનતો આવ્યો છું કે ભૌતિક ઘટનાઓના ભૌતિક તેમ જ આધ્યાત્મિક પરિણામો હોય છે.
તેનાથી વિરૂદ્ધ પણ એટલું જ સાચું છે એમ હું માનું છું.
મારે માટે ધરતીકંપ ઈશ્વરની સ્વચ્છંદી પ્રકૃતિનું ઉદાહરણ કે અંધ પરિબળોનું પરિણામ નથી.
ઈશ્વરના બધાજ નિયમો
કે તેના નિયમન વિશે આપણે જાણતા નથી.
દુકાળ, પૂર, ધરતીકંપ ઇત્યાદિ
કુદરતી આફતોનું મૂળ ભૌતિક લાગતું હોવા છતાં
મારે માટે કોઈ અગમ્ય કારણસર
તે માણસની નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે.
તેથી મને સહજભાવે જ લાગ્યું કે
ધરતીકંપ અસ્પૃશ્યતાના પાપની કુદરતે કરેલી સજા છે.
સનાતનીઓ જરૂર કહી શકે છે કે
તે મારી અસ્પૃશ્યતા વિરોધી ઝુંબેશના ગુનાની સજા છે. જેમ ઈશ્વરના અસ્તિત્વની સાબિતી
ન માનનારને આપવી અસંભવ હોવા છતાં
મારે માટે ઈશ્વરમાં ન માનવું અશક્ય છે,
તેમ જ અસ્પૃશ્યતાના પાપ
અને બિહારની કુદરતી આફત વચ્ચેનો સંબંધ
હું સાબિત ન કરી શકતો હોવા છતાં
તેને હું સહજપણે અનુભવું છું.
અમારા પાપ અને ક્ષતિઓ ગમે તેટલાં મહાકાય હોય,
તેમનામાં સૃષ્ટિના સર્જનને
વિલયના માર્ગે દોરી જવાની શક્તિ નથી,
આવો ગુરુદેવ જેવો વિશ્વાસ મને નથી.
હું તો એમ માનું છું કે કોઈ પણ ભૌતિક ઘટના કરતાં સર્જનનો વિનાશ કરવાની વધુ શક્તિ આપણા પાપમાં છે.
પદાર્થ અને ચેતના વચ્ચે એક અતૂટ બંધન છે.
આપણા અજ્ઞાનને કારણે
આ બંધનનાં પરિણામો રહસ્યમય છે
અને આપણામાં આદરપૂર્ણ ભય પ્રેરે છે
પણ આપણે બંધનને છોડી શકતા નથી.
મારે માટે
વૈશ્વિક ઘટના અને માનવીના આચરણ વચ્ચેની કડી
એક જીવંત શ્રદ્ધા છે જે મને નમ્ર બનાવે છે,
ઈશ્વરની વધુ નજીક લઈ જાય છે
અને તેની સમક્ષ આવવા તૈયાર કરે છે.
જો હું અજ્ઞાનતાપૂર્વક આવી માન્યતાનો ઉપયોગ
મારા વિરોધીઓનો ઉધડો લેવા માટે કરું
તો તેને નિમ્નતમ વહેમ જ કહેવો પડે. </poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર: }}
}}
{{Story
|story = <poem>એક વર્ષ પછી.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>પ્રિય મહાત્માજી,
ત્રીસથી વધારે વર્ષોથી મેં મારું સર્વસ્વ
મારા જીવનના લક્ષ્યને અર્પણ કર્યું છે.
બધી જ મુશ્કેલીઓનો પ્રતિકાર મેં એકલે હાથે કર્યો છે.
મારી અથાગ જહેમત દ્વારા
સંસ્થાનો વિવિધ સ્વરૂપમાં વિકાસ થયો છે.
હવે જ્યારે હું પંચોતેરનો થયો છું
ત્યારે મને મારી જવાબદારીઓનો બોજો
મારે માટે અત્યંત ભારે લાગે છે.
ઝોળી ફેલાવીને થતા અવિરત પ્રવાસો
અને તેના હાસ્યાસ્પદ અને ક્ષુલ્લક પરિણામોએ
મારી રોજિંદી ચિંતામાં વધારો કર્યો છે
અને હવે હું થાકની પરાકાષ્ટા પર પહોંચી ગયો છું.
હું બીજા કોઈને જાણતો નથી
જે મને મારા જીવન અને સ્વાસ્થ્યની ઢળતી સાંજે
આ સદાકાળની ચિંતામાંથી મુક્તિ અપાવી શકે.
ઊંડા પ્રેમ સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
જોઈતા પૈસા મેળવવા માટે હું બધો જ પ્રયત્ન કરીશ
તે માટે તમે બેફિકર રહેજો.
હું રસ્તો શોધી રહ્યો છું.
મારી શોધનાં પરિણામ તમને જણાવવામાં
થોડો સમય લાગશે.
તમારી વયે
તમારે ઝોળી ફેલાવીને પ્રવાસ કરવો પડે
તેનો વિચાર માત્ર અસ્વીકાર્ય છે.
તમારા શાંતિનિકેતનની બહાર નીકળ્યા વિના
જરૂરી ભંડોળ તમારી પાસે પહોંચી જ જવું જોઈએ.
સન્માનીય પ્રેમ સહિત, તમારો,
થોડાક માસ પછી
ગુરુદેવ જ્યારે તેમના શાંતિનિકેતનની નાટકમંડળી સાથે દિલ્હીમાં હતા ત્યારે મેં લખ્યું,
પ્રિય ગુરુદેવ,
મારા નબળા પ્રયાસને ઈશ્વરના આશીર્વાદ મળ્યા છે.
આ સાથે પૈસા મોકલાવું છું.
ઈશ્વર તમને લાંબા સમય સુધી સલામત રાખે,
સપ્રેમ તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>સાથે એક પત્ર હતો, તેમાં લખ્યું હતું,
આ સાથે રૂ. ૬૦,૦૦૦/-નો ડ્રાફ્ટ બીડ્યો છે
જે શાંતિનિકેતનના ખર્ચમાં ખૂટતી રકમ છે
અને તે ભેગી કરવા
આપ આપની કલાનું પ્રદર્શન વિવિધ સ્થળે કરો છો.
આ સાંભળતા અમે શરમિંદા થઈ ગયા હતા.
અમે માનીએ છીએ કે આપની વયે
અને આપના કથળતા સ્વાસ્થ્ય સાથે
આપને આવા શ્રમદાયક પ્રવાસો ન કરવા જોઈએ.
આપ માત્ર ભારતના જ શ્રેષ્ઠ કવિ નથી,
આપ તો માનવતાના કવિ છો.
આપનાં કાવ્યો વાંચતાં પ્રાચીન ઋષિઓની ઋચા યાદ આવે છે. અમને લાગે છે કે
ઈશ્વરે જેમને સમૃદ્ધિના આશીર્વાદ આપ્યા છે
તેમણે તમને તમારી સંસ્થા માટે જરૂરી ભંડોળ
ભેગું કરવાની જવાબદારીમાંથી મુક્ત કરવા જોઈએ.
એ દિશામાં આ અમારું નમ્ર પ્રદાન છે.
અમે અમારું નામ જાહેર કરવા માંગતા નથી
તેમ જ તેના કારણો આપવાની જરૂર જોતા નથી.
અમે આશા રાખીએ છીએ કે
હવે આપ ઉપર જણાવેલ રકમ ઉઘરાવવા માટે
ગોઠવેલાં બધાં જ રોકાણો રદ કરશો.
આપણા દેશની સેવામાં સમર્પિત
આપના દીર્ઘ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.
અમે છીએ, આપના નમ્ર દેશવાસીઓ,
૧૯૩૭ના આરંભમાં,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>મારા પ્રિય મહાત્માજી,
મેં તમને આપણી વિશ્વ ભારતીના આજીવન ટ્રસ્ટી તરીકે નિમવાની ધૃષ્ટતા કરી છે.
જે સંસ્થાને મેં મારા જીવનનું સર્વશ્રેષ્ઠ અર્પણ કર્યું છે
તેના એક વાલી તરીકે તમે છો એ જાણીને
મારા અંતિમ વર્ષોમાં મને સાંત્વન મળશે.
જુદા પરબીડિયામાં મોકલાઈ રહેલી
કાયદા અને નિયમોની પત્રિકામાંથી તમે જોઈ શકશો કે અવારનવાર સલાહ આપવા સિવાય
તેમ જ સંસ્થાની નાણાંકીય સલામતી અંગે
નિર્ણય લેવા સિવાય
બીજા કોઈ કામનો બોજો તમારે માથે નહીં આવી પડે.
મારી જવાબદારી તમારી સાથે વહેંચવામાં
મને કાંઈ અનુચિત નથી લાગતું.
હું જાણું છું કે
આપણી પ્રવૃત્તિના ક્ષેત્રમાં રહેલા મતભેદોને કારણે
આપણી વચ્ચેના
પરસ્પર પ્રેમ અને સમાન આકાંક્ષાનું બંધન ઢીલું નહીં થાય.
હું આશા રાખું છું કે
તમે મને આ વિશિષ્ટ અધિકાર આપશો.
સસ્નેહ તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
તમારો ૧૦મીનો પત્ર મને પાંચ દિવસ પહેલાં મળ્યો હતો.
મારા પ્રત્યેનો તમારો પ્રેમ અને વિશ્વાસ
તેની દરેક પંક્તિમાં દેખાઈ આવે છે
પણ મારી પોતાની મર્યાદાઓનું શું?
મારા પર તમે લાદવા ધારેલો બોજો વહન કરવો
મારા ગજા બહારની વાત છે.
તમારા પ્રત્યેનો આદર મને એક દિશામાં ખેંચી જાય છે અને મારી મર્યાદાઓનો વિચાર સામેની દિશામાં.
આવા મુદ્દામાં લાગણીને તાબે થવું
મારે માટે મૂર્ખામી કહેવાય.
હું સમજું છું કે જો હું જવાબદારી સ્વીકારું
તો મારે વહીવટી વિગતોમાં ઉતરવાની જરૂર નહીં પડે પણ તેમાં સંસ્થાને જરૂરી નાણાંકીય સાધનો ઊભા કરવાની જવાબદારીનો પરોક્ષ સ્વીકાર થાય છે.
બે દિવસ પહેલાં મેં જે સાંભળ્યું
તેનાથી મારી અનિચ્છામાં ઉમેરો થયો છે.
મને કહેવામાં આવ્યું છે કે
મને દિલ્હીમાં આપેલા વચનનો અનાદર કરીને
તમે ફરી એકવાર ઝોળી ફેલાવવા અમદાવાદ જવાના છો.
મને સાંભળીને દુ:ખ થયું અને હું પગે પડીને
તમને વિનંતી કરું છું કે તમારો પ્રવાસ રદ કરો.
અને મારી ટ્રસ્ટી તરીકેની નિમણૂંક
તો પાછી ખેંચી જ લેશો.
પ્રેમ અને સન્માન સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>પ્રિય મહાત્માજી,
તમે મને સમજવામાં ગંભીર ભૂલ કરી છે,
માત્ર એક શંકાને કારણે!
તમારા ઉદાત્ત અને ઉદાર સ્વભાવથી આ કેટલું જુદું છે!
હું વેદનાપૂર્ણ આશ્ચર્યથી હેબતાઈ ગયો છું.
શરમજનક છે કે મારે કહેવું પડે કે
તમને વિશ્વ ભારતીના ટ્રસ્ટી બનાવીને
તમારા નામનો દુરુપયોગ કરીને
નાણાંકીય સહાય મેળવવાનો મારો ઈરાદો ન હતો.
મને લાગે છે કે કોઈ પણ કારણસર
જો એ મારી ભૂલ હોય તો
હું મારી વિનંતી પાછી ખેંચું છું અને તમારી ક્ષમા માંગું છું.
તમારા પત્રમાં તમે મારા ઉપર
દિલ્હીમાં આપેલા વચનનો ભંગ કરીને
ભંડોળ ભેગું કરવા અમદાવાદ જવાનો
વિચિત્ર આક્ષેપ મૂક્યો છે.
તમને ખરી હકીકતની જાણ ન હતી
અને તેથી મારા પર આવો આક્ષેપ મૂકવાનું
બિલકુલ ઉચિત ન કહેવાય.
જવાબમાં મને સ્પષ્ટતા પૂર્વક કહેવા દો કે
જેને હું મારું કર્તવ્ય માનું છું
તેનું ગૌરવ સમજવામાં તમને તમારો સ્વભાવ આડે આવે છે.
મારું કર્તવ્ય માત્ર ભારતના આર્થિક પ્રશ્નો કે
તેના સાંપ્રદાયિક ધર્મો પૂરતું સીમિત નથી
પરંતુ માનવીના મગજની સંસ્કૃતિને
તેના વ્યાપક અર્થમાં સમજવાનો પ્રયત્ન કરે છે.
જેમાં સૌંદર્યના શાશ્વત મૂલ્યો સમાયાં છે
તેવાં મારા કાવ્યમય સર્જનોને જનતા સમક્ષ મૂકવાની
મારી ઇચ્છા થાય ત્યારે તેના બદલામાં
પ્રતિભાવ આપવા જેટલા સંવેદનશીલ માણસો પાસેથી
હું દાન કે કૃપાની નહીં
પણ મારી કલાને કૃતજ્ઞ અંજલિની અપેક્ષા રાખું છું.
અને જો મારે પ્રેક્ષકો પાસેથી પ્રવેશ ફી તરીકે
કોઈ પ્રદાન મેળવવું પડે
તો તેમની સમક્ષ પ્રસ્તુત થતા વિરલ લાભના બદલામાં
તે મને મળવું જોઈએ તેના કરતાં ઘણું ઓછું છે.
તેથી તમારો ઝોળી ફેલાવવાનો શબ્દપ્રયોગ
જે તમારી કલમની સ્પષ્ટ કે ચોક્કસ અભિવ્યક્તિ નથી
અને તેને શોભતી પણ નથી
તેનો હું ધરાર અસ્વીકાર કરું છું.
અસ્તિત્વના આનંદમાં ઉમેરો કરવામાં
સર્જકને સહયોગ આપવાનું તેનું કર્તવ્ય સમજવું
અને પોતાના કર્તવ્યમાં ગંભીર શ્રદ્ધા રાખવી
એ કવિના ધર્મનો એક અંશ છે.
જ્યારે મેં કેળવેલા કલાકારો
મારા સૌંદર્યના સ્વપ્નની અભિવ્યક્તિ
તેમની તાલબદ્ધ અંગભંગી અને અવાજથી આપી રહ્યા હોય ત્યારે તેમની બાજુમાં બેસીને
તેમને કહેવું કે તેઓ સુંદર કામ કરી રહ્યા છે
તેનાથી વધારે મને કાંઈ જ ગમતું નથી
એ મારે સ્વીકારવું જ જોઈએ.
નિષ્ઠાપૂર્વક તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
તમારા પત્રથી મને અત્યંત માનસિક પીડા થઈ છે.
પ્રેમ અને સન્માનપૂર્વક લખાયેલો એક પત્ર
આટલી બધી ગેરસમજુતી ઊભી કરી શકે
તે એક આશ્ચર્યજનક ઘટના છે.
શંકાનો કોઈ પ્રશ્ન જ ન હતો
અને માટે તમને સમજવામાં ભૂલ કરવાનો પણ
પ્રશ્ન ન જ ઊભો થાય.
ટ્રસ્ટી તરીકે રહેવામાં રહેલી જવાબદારીઓ
હું જે રીતે સમજ્યો છું તે તમારી સમક્ષ રજુ કરું છું.
હું બીજી સંસ્થાઓમાં ટ્રસ્ટી રહી ચૂકેલો છું
અને તેમની નાણાંકીય જરૂરિયાતો યોગ્ય રીતે સચવાય
તે જોવામાં મેં મારી જાતને ઘસી નાંખી છે.
જો હું વિશ્વ ભારતીનો બોજો સ્વીકારું
તો મારે ઓછામાં ઓછો
તેનો નાણાંકીય ભાર તો વહેવો જ પડે.
વચનભંગની વાતમાં તો હું એમ માનું છું કે
આપણે એકબીજાની એટલા નજીક છીએ કે
ગંમતમાં હું તમારા પર વચનભંગનો આક્ષેપ મૂકી શકું.
મારો હેતુ સાવ સીધોસાદો હતો.
યેન કેન પ્રકારેણ
મારે તમારા ઝોળી ફેલાવવાના પ્રવાસો ટાળવા હતા.
આ શબ્દપ્રયોગ તો આપણે દિલ્હીમાં
એકથી વધારે વાર વાપરેલો છે.
તમે આપી શકો તેટલું આપો, તે અમને ગમશે
પણ તમારી જનતા સમક્ષની અભિવ્યક્તિમાં
ક્યારેય વિશ્વભારતી માટે ભંડોળ ભેગું કરવાનો
ભાર ન હોવો જોઈએ.
આશા રાખું છું કે આ પત્રથી
મારા આગળના પત્રથી થયેલું દુ:ખ ઓછું થશે.
પ્રેમ અને સન્માન સહિત, તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>: સપ્ટેમ્બર ૧૦, ૧૯૩૭. અચાનક કવિ માંદા પડ્યા.
તે કલકત્તામાં હતા અને શાંતિનિકેતન પાછા ફર્યા
તે જ રાત્રે તે બેભાન થઈ ગયા.
તાર ઑફિસ બંધ હોવાથી રેલ્વેમાંથી રાત્રે એક વાગ્યે
કલકત્તા સંદેશો પહોંચાડવામાં આવ્યો કે
સવારની ટ્રેનની રાહ જોયા વિના
ડૉક્ટરોને તરત જ શાંતિનિકેતન મોકલવામાં આવે.
રાત્રે બે વાગ્યે
ડૉ. નીલરતન સરકાર ગાડીમાં શાંતિનિકેતન આવવા નીકળ્યા અને સવારે ત્યાં પહોંચી ગયા.
ત્યારે કવિ બેભાન હતા
અને સ્થાનિક ડૉક્ટરો માનતા હતા કે
તેમને પક્ષઘાતનો હુમલો થયો છે.
કલકત્તાના ડોક્ટરોએ કહ્યું કે
તે તો એરીસિપેલાનો ગંભીર હુમલો હતો
અને તે મૂત્રાશયની સમસ્યાથી વધુ ગૂંચવાડો ઊભો થયો હતો.
કોઈ જ આશા રહી ન હતી
અને તે બાસઠ કલાક બેભાન રહ્યા હતા.
પણ એક વાર ભાન આવ્યું પછી તે જલદી સાજા થઈ ગયા. બોલવા માંડતા તરત જ તેમને કાવ્ય લખવું હતું
કે ચિત્ર દોરવું હતું.
કાવ્ય લખવામાં વધુ શ્રમ પડે માટે
તેમણે રંગ અને પીંછી મંગાવ્યાં.
થોડાક જ કલાકમાં એમણે એક ખાસું મોટું ચિત્ર દોર્યું.
આગળના ભાગમાં
ઘેરા રંગમાં અસ્પષ્ટ વનની ઝાંખી થાય છે
અને વચ્ચે સોનેરી પ્રકાશનું ઉષ્માભર્યું પૂર ધસી આવે છે
અને પાછળનું દૃશ્ય દેખાય છે.
તેમની ખબર પૂછતો ગાંધીજીનો સંદેશ જોતાં જ
૧૯મી તારીખે તેમણે જવાબ આપ્યો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>પ્રિય મહાત્માજી,
બેભાન અવસ્થામાંથી જીવંત જગતમાં પાછાં ફરતાં
મારું પ્રથમ સ્વાગત કર્યું
સ્નેહસભર વ્યાકુળતાથી છલકાતા તમારા પત્રે.
મને લાગ્યું કે દીર્ઘકાળ સુધી
સતત થયેલી વેદના અને વ્યથાનું મૂલ્ય ચૂકવાઈ ગયું હતું.
કૃતજ્ઞ પ્રેમ સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
તમારો કિંમતી પત્ર મારી સામે છે.
તમે મારી અપેક્ષા રાખી હતી.
સર નીલરતનનો હિંમત આપતો તાર આવ્યા પછી
મારે તરત જ લખવું હતું.
પણ મારા જમણા હાથને આરામની જરૂર છે
અને મારે લખાવવું ન હતું. ડાબો હાથ ધીરે કામ કરે છે. અમારામાંના કેટલાકને તમારા માટે કેટલો પ્રેમ છે
તેનું આ દૃષ્ટાંત છે.
હું ચોક્કસ માનું છું કે
તમારા પ્રશંસકોની હાર્દિક પ્રાર્થના સંભળાતાં
તમે આજે અમારી સાથે છો.
તમે માત્ર જગતના ગાયક નથી.
તમારો જીવંત શબ્દ હજારોને માટે
પથદર્શક અને પ્રેરણાદાયક છે.
આશા રાખું કે તમે બીજા ઘણા વર્ષો સુધી
અમારી સાથે રહો.
અત્યંત પ્રેમ સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>બે માસ પછી બિરલા બ્રધર્સે
ઈન્ડોલોજી અને કલા વિભાગ
જ્યાં સુધી સંતોષકારક કામ કરતાં રહે
ત્યાં સુધી તેમને મહિને રૂ. ૧૦૦૦/- આપવાનું વચન આપ્યું.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>: પ્રિય મહાત્માજી,
મારે માટેનો તમારો પ્રેમ મારી અપેક્ષાને આંબી જાય છે.
તમે મને આપેલો ઉપહાર એ અગાધ શાંતિનો
અને મારી શક્તિનો ધ્વંસ કરતી
રોજિંદી ચિંતામાંથી મુક્તિનો ઉપહાર છે.
લગભગ ચાળીસ વર્ષ સુધી મેં એકલા હાથે
એક એવા સિદ્ધાંત માટે જહેમત ઊઠાવી છે
જેને આસપાસના ઈર્ષાળુ વિરોધના વાતાવરણમાંથી
સહાય નથી મળી.
હવે જ્યારે હું મારી મુસાફરીના અંતની પાસે છું
ત્યારે અચાનક મને મળેલા
ઉદારતાથી ભરપૂર સહાનુભૂતિના આશીર્વાદથી
મારું તૃષાર્ત હૃદય આનંદથી ઊભરાઈ જાય છે.
મારી પાસે બીજા શબ્દો નથી.
ઈશ્વર તમને સુખી રાખે.
સપ્રેમ,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
તમારો માણસ તમારો કિંમતી પત્ર અને રસીદ આપી ગયો છે. મેં કાંઈ જ કર્યું નથી. આ તો ઈશ્વરપ્રેરિત છે.
તમારી જહેમત અને તમારી પ્રાર્થના સફળ થયાં છે.
નાણાંકીય મુશ્કેલીઓની ચિંતામાંથી
તમને સંપૂર્ણ મુક્તિ મળે એવી શુભેચ્છા.
પ્રેમ,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>૧૯૩૮/૩૯માં રવીન્દ્રનાથે ગાંધીજીની ભવ્ય પ્રશંસા કરી.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>પોતે એક સંયમી તપસ્વી હોઈને પણ
તેઓ બીજાના આનંદમાં દોષ નથી જોતા
એટલું જ નહીં પણ
તેમના અસ્તિત્વમાં પ્રાણ પૂરવા દિવસ રાત કામ કરે છે. પોતાના જીવનમાં દારિદ્રને મહત્તા આપે છે
પણ ભારતની પ્રજાના ભૌતિક કલ્યાણ માટે
કોઈએ તેમનાથી વધુ જહેમત ઊઠાવી નથી.
તેઓ એક ક્રાંતિકારીને શોભે તેવા ઉત્સાહી સુધારક છે
અને જે આવેશને પોતે જાગ્રત કરે છે
તેના પર સખત સંયમ પણ લાદે છે.
તેઓ મૂર્તિપૂજક પણ છે અને મૂર્તિભંજક પણ છે.
પુરાતન ભગવાનોને તેમના ધૂળિયા ગોખલામાં રહેવા દઈને તેઓ જૂની પ્રાર્થનાનો ઉપયોગ
વધુ સારા માનવતાવાદી હેતુ માટે કરે છે.
તેઓ વર્ણ પ્રથાને વળગી રહીને
તેના સૌથી વધુ શક્તિશાળી સંત્રી જ્યાં છે
ત્યાં જ તેના પર પ્રહાર કરે છે
અને છતાંય તેમનેે તેમનાથી ઊતરતા લોકોએ વહોરેલી લોકપ્રિય નારાજગી નથી વરી.
તેઓ પોતાના અનુયાયીઓને સલાહ આપે છે કે
દૂષણમાં દોષ જુઓ, દોષીમાં નહીં.
આ એક અશક્ય આદેશ લાગે છે
પણ તેમણે પોતાના જીવનમાં
તેને શક્ય હોય તેટલો અપનાવ્યો છે.
તે મહાન છે એક રાજદ્વારી પુરુષ તરીકે,
એક વ્યવસ્થાપક તરીકે, એક નેતા તરીકે,
એક નૈતિક સુધારક તરીકે પણ આ બધાંથી વધુ,
તે મહાન છે એક માનવી તરીકે.
કારણ કે આ બધાં જ સ્વરૂપો કે પ્રવૃત્તિઓ
તેમની માનવતાને સીમિત નથી બનાવતાં.
એક દૃઢ આદર્શવાદી હોઈને પણ
તેઓ દરેક આચારશ્રેણીને
પોતાના આગવા નુસખાથી ચકાસે છે.
ખાસ કરીને તે ચાહે છે માનવીને અને નહીં કે વિભાવનાને.
તે જો સમાજને માટે કોઈ અખતરાનું સૂચન કરે
તો પહેલાં જાતે તેની કસોટીમાંથી પસાર થશે.
તે જો કોઈ બલિદાનની હાકલ પાડે
તો પહેલાં પોતે તેની કિંમત ચૂકવશે.
તેના સદ્‌ગુણો મહાન હોઈને પણ
આ માણસ તેના સદ્‌ગુણોથી પણ મહાન હોય તેમ લાગે છે.
તેમણે પ્રસ્તુત કરેલા કોઈ પણ સુધારાની વિભાવના
તેમની પોતાની ન હોઈને પણ
એ સ્વીકારવું જ પડશે કે
આ કોઈ પણ સુધારામાં એવી શક્તિ ન હતી
કે જે તેમના આવ્યા પછી દેખાઈ રહી છે.
કારણ કે હવે
તેમનામાં એક સંપૂર્ણ માનવીની ચેતનાએ પ્રાણ રેડ્યો છે
જે પોતાની વિભાવના સાથે એકરૂપ છે,
જેનું દર્શન પોતાના સમગ્ર વ્યક્તિત્વ સાથે
સંપૂર્ણપણે ભળી ગયું છે.
તે ભાર મૂકે છે સત્ય અને સાધનશુદ્ધિ ઉપર
જેમાંથી ઉદ્‌ભવ્યો છે તેમનો અહિંસાનો સિદ્ધાંત
જે તેમની ઊંડી માનવતાનું બીજું પાસું છે.
તેઓ યાદ રહેશે એક એવા માણસ તરીકે
જેનું જીવન જ આવનારી પેઢીઓ માટે
એક ઉદાહરણ બની રહેશે.
ક્યારેક રાજકારણના પ્રાંગણમાં આવી ચડે છે
ઇતિહાસના સર્જકો,
જેમની માનસિક ઊંચાઈ માનવતાના સામાન્ય સ્તર કરતાં
વધુ હોય છે.
તેમના હાથમાં હોય છે શક્તિનું એક એવું સાધન
જેનું બળ ભૌતિક સાધનો જેવું જ નિર્દય હોય છે.
તે ઉપયોગ કરે છે માનવ સ્વભાવની ક્ષતિઓનો–
લોભ, ભય, અહંકાર ઈત્યાદિ.
મહાત્મા ગાંધીએ આવીને
જ્યારે ભારતના સ્વરાજના પથનું ઉદ્‌ઘાટન કર્યું,
ત્યારે તેમના હાથમાં શક્તિનું કોઈ સાધન ન હતું
કે કોઈ જુલમી સત્તા ન હતી.
તેમના વ્યક્તિત્વમાંથી ઉદ્‌ભવતી અસર
સંગીત અને સૌંદર્યની જેમ અવર્ણનીય હતી.
તે બીજા ઉપર અધિકાર જમાવતા
પોતાના અંતરમાંથી પ્રગટ થતી આત્મસમર્પણની ભાવનાથી.
આ જ કારણે આપણી પ્રજાએ
તેમણે સ્વભાવગત ચતુરાઈથી કરેલા જટિલ હકીકતોના ઉપયોગને જરાય મહત્વ નથી આપ્યું. 
તેમણે તો જોયું છે
તેમના ચરિત્રની સ્પષ્ટ સાદગીમાં ઝળહળતું સત્ય.
તેથી જ તેમની પ્રવૃત્તિઓનું સામ્રાજ્ય
વ્યવહારિક રાજકારણમાં વિસ્તર્યુુંં હોવા છતાં
જનતાના મનમાં તેમનું પ્રસ્થાપન મહાન ગુરુ તરીકે થયેલું છે.
તેમની આધ્યાત્મિક આકાંક્ષાઓ
માનવતાના સમગ્ર સ્વરૂપને સમજીને અતિક્રમે છે
અને જ્ઞાનના શાશ્વત સ્રોતમાંથી આવતા પ્રકાશમાં દુનિયાદારીના ચહેરાને જુએ છે.
મારે સ્વીકારવું જોઈએ કે
હું હંમેશા મહાત્માજી સાથે સંમત નથી થતો
એટલે કે જો મારામાં એમના ચરિત્રની શક્તિ હોત
તો મારી કામ કરવાની રીત તેમનાથી જુદી હોત.
મારી પાસે કલ્પનાશક્તિ છે પરંતુ કાર્યશક્તિ નથી.
જગતમાં જૂજ માણસો પાસે તે શક્તિ હોય છે.
આવા માણસે સદ્‌ભાગ્યે આપણા દેશમાં જન્મ લીધો છે
અને તેમની પ્રગતિનો માર્ગ ખુલ્લો રાખવો જોઈએ.
હું ચોક્કસ તેમાં અવરોધ ઊભો કરવાનું ન વિચારું. </poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>૧૯૪૦માં ગાંધીજીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી.
તેમના આગમનની બપોરે આમ્રકુંજમાં
એક નાના સ્વાગતસમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
કવિને ગમતા ઉપનિષદના શ્લોકથી સમારંભનો આરંભ થયો,
જે તેને જાણે છે તે અમરત્વ પામે </poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>અમારા આશ્રમમાં આપનું સ્વાગત કરતાં
હું આશા રાખું છું કે
આપણી અભિવ્યક્તિ વાણીવિલાસમાં ખેંચાઈ ન જઈને
પ્રેમ અને સન્માનના હાર્દિક શબ્દોમાં સીમિત રહે.
મહાન વ્યક્તિઓનો સત્કાર
સાદગીની ભાષાના સ્વરૂપમાંજ શોભે
અને અમે આપને થોડા જ શબ્દોમાં જણાવવા ચાહીએ છીએ કે
અમે આપને અમારામાંના એક તરીકે સ્વીકારીએ છીએ
અને સમગ્ર માનવતાના પ્રતિનિધિ માનીએ છીએ.
આપણે જાણીએ છીએ તેમ
આ ક્ષણે આપણી નિયતિ પર સમસ્યાની ઘેરી છાયા ફરી વળી છે. આપના પથ પર તેનો અવરોધ છવાયો છે
અને અમે પણ તેના હુમલામાંથી બાકાત નથી.
થોડા સમય માટે આપણે આ કોલાહલની સીમા પાર કરીને આપણા મિલનને હાર્દિક મિલન થવા દઈએ
જે આ દિશાહીન રાજકારણની
નૈતિક અંધાધૂધીની અસર ઓછી થતાં
આપણા સત્યના પ્રયાસોના
શાશ્વત મૂલ્યો પ્રગટ થયા પછી પણ યાદ રહે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>હું મારી શાંતિનિકેતનની આ મુલાકાતને
એક યાત્રા માનું છું.
આ વખતે શાંતિનિકેતન સાચે જ મારે માટે
શાંતિનો આવાસ છે.
રાજકારણની બધી જ જંજાળ હું પાછળ મૂકીનેે
અહીં આવ્યો છું ગુરુદેવના દર્શન કરવા
અને તેમના આશીર્વાદ મેળવવા.
મેં મારી જાતને ઘણી વાર
કુશળ ભિક્ષુક તરીકે વર્ણવી છે.
પણ મારી ઝોળીમાં
ગુરુદેવના આજના આશીર્વાદથી વધુ મૂલ્યવાન ભેટ
ક્યારેય નથી પડી.
હું જાણું છું કે તેમના આશીર્વાદ
સદાય મારી સાથે જ હોય છે.
પણ આજે તે પ્રત્યક્ષ મેળવીને હું ધન્ય થયો છું.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>ગાંધીજી વિદાય લેતા હતા
ત્યારે રવીન્દ્રનાથે તેમના હાથમાં એક પત્ર મૂક્યો.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>: પ્રિય મહાત્માજી,
અમારા વિશ્વ ભારતીની પ્રવૃત્તિઓનું
તમે હમણાં જ વિહંગાવલોકન કર્યું.
હું નથી જાણતો કે તમે તેની ગુણવત્તા અંગે
શું અભિપ્રાય બાંધ્યો.
તમે જાણો છો કે આ સંસ્થા રાષ્ટ્રીય હોવા છતાં
તેનો આત્મા આંતરરાષ્ટ્રીય છે.
અહીં અમારા સાધનોથી પર્યાપ્ત ભારતીય સંસ્કૃતિ
અમે જગતને ધરીએ છીએ.
તેની કટોકટીના સમયે તમે તેને બચાવી લીધી હતી.
તમારી એ મૈત્રીપૂર્ણ ચેષ્ટા માટે
અમે તમારા સદા ઋણી રહીશું.
હવે તમે શાંતિનિકેતનની વિદાય લો તે પહેલાં
હું તમને આજીજી કરું છું કે
જો તમે તેને રાષ્ટ્રીય થાપણ માનતા હો
તો આ સંસ્થાને તમે તમારું સંરક્ષણ આપીને
તેને સ્થાયી સ્વરૂપ આપો.
વિશ્વ ભારતીમાં મારા જીવનની શ્રેષ્ઠ સમૃદ્ધિનો સંચય થયો છે અને તેની સુરક્ષા માટે
મારા દેશવાસીઓ તેની ખાસ સંભાળ લેવા તૈયાર થશે
તેવી મને આશા છે. </poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
આપણે છૂટા પડ્યા ત્યારે તમે મારા હાથમાં મૂકેલો હૃદયસ્પર્શી પત્ર સીધો મારા હાર્દમાં સ્થાન પામ્યો છે.
વિશ્વ ભારતી રાષ્ટ્રીય સંસ્થા છે એ નિ:શંક છે.
તે ચોક્કસ આંતરરાષ્ટ્રીય પણ છે.
તેને સ્થાયી સ્વરૂપ આપવા માટે
હું બધું જ બનતું કરી છૂટીશ
તેને માટે તમે નિશ્ચિંત રહેજો.
રોજ દિવસમાં એક કલાક આરામ કરવાનું રાખશો
એ વચનનું પાલન કરશો.
મેં શાંતિનિકેતનને હંમેશા મારું બીજું ઘર જ માન્યું છે છતાં આ મુલાકાતમાં હું તેની વધારે નજીક આવ્યો છું.
સન્માન અને પ્રેમ સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>તેમના અંતિમ દિવસોમાં બંને અત્યંત એકાકી અને શ્રાંત હતા.
રવીન્દ્રનાથે વર્ષો પહેલાં ગાયેલું ગીત,
તારી હાક સુણી જો કોઈ ના આવે, તો તું એકલો જાને રે
ગાંધીજી પોતાના અંતિમ દિવસોમાં વારંવાર સાંભળતા.
૧૯૪૧ના એપ્રિલની ૧૩મીએ રવીન્દ્રનાથને ૮૦ વર્ષ પૂરા થયા.
ગાંધીજીએ તાર કર્યો.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>ચાર વીસુ ઓછા છે પાંચ પૂરા કરવા શુભેચ્છા.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>સંદેશા માટે આભાર ચાર વીસુ અવિનય પાંચ અસહ્ય.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>તેમના અંતિમ જન્મદિને રવીન્દ્રનાથે અંતિમ સંદેશ આપ્યો – સભ્યતાનું સંકટ.
અત્યંત અશક્ત અવસ્થામાં
તે પોતાનું વક્તવ્ય વાંચી પણ ન શક્યા.
ક્ષિતિમોહન સેને વાંચ્યું,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>: પશ્ચિમના માનસમાં સુષૂપ્ત પડેલ
હિંસાની ચિનગારી આખરે ભડકી ઊઠી છે
અને માનવીની ચેતનાને અભડાવે છે.
મેં એક વખત આશા રાખી હતી કે
સંસ્કૃતિનો સ્રોત યરોપના હાર્દમાંથી ઉદ્‌ભવશે.
પણ આજે હું જ્યારે જગતમાંથી વિદાય લેવાની તૈયારીમાં છું ત્યારે એ શ્રદ્ધા એળે ગઈ હોય તેમ લાગે છે.
ચારે તરફ હું જોઈ રહ્યો છું
વ્યર્થ ઢગલાની જેમ પડેલા
એક ગૌરવશાળી સંસ્કૃતિના ખંડેર સમા અવશેષ.
અને છતાં માનવીમાંથી શ્રદ્ધા અને વિશ્વાસ ગુમાવવાનું
ઘોર પાપ હું નહીં આચરું.
કદાચ પરોઢ આ દિશામાંથી આવશે,
પૂર્વમાંથી, જ્યાંથી સૂર્ય ઊગે છે.
એક દિવસ એવો આવશે
જ્યારે અપરાજિત માનવી
પોતાના વિજયપથ પર ફરી વિચરશે
બધા જ અવરોધોને અવગણીને, અતિક્રમીને,
હારેલો માનવતાનો વારસો ફરીથી જીતવા.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>ગુરુદેવ, આ બધામાં તો હું તમારી સાથે સંમત છું.
ચાલો આપણે સાથે વાંચીએ.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>મહાત્માજી, માત્ર વાંચીએ જ નહીં, સાથે પ્રચાર કરીએ.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ}} અને  {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>'''ઘમંડી અને ઉદ્ધત સત્તાના ભયસ્થાનોના આજે આપણે સાક્ષી છીએ;'''
'''ઋષિઓ જે કહી ગયા છે તેનું સત્ય એક દિવસ''' </poem>
}}
{{Playend}}
{{Playend}}
<br>
{{HeaderNav2
|previous = પ્રાસ્તાવિક
|next = પરિશિષ્ટ૧
}}
26,604

edits