26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(9 intermediate revisions by the same user not shown) | |||
Line 2,176: | Line 2,176: | ||
}} | }} | ||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>કવિતા અને કલ્પનાના સામ્રાજ્યમાંથી | |||
ચાલો પાછા વાસ્તવિકતામાં. | |||
૧૯૩૦ના અંતમાં પ્રથમ ગોળમેજી પરિષદમાં જવા માટે ગાંધીજીને નિમંત્રણ મળ્યું હતું | |||
જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો | |||
કારણ કે તેમણે મૂકેલી શરતો મંજૂર થઈ ન હતી.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>જેને કોઈ પણ જાતના ભય વિના | |||
બોલતી બંધ કરી દેવામાં આવી હોય | |||
અને જેની ચેતનાને કચડીને નાંખવામાં | |||
કોઈ જ ક્ષોભ અનુભવાયો ન હોય | |||
એવી પ્રજાના પ્રતિનિધિને | |||
ગોળમેજી પરિષદમાં આમંત્રણ મળે | |||
એવી પરિસ્થિતિની કલ્પના કરવી પણ | |||
અડધી સદી પહેલાં શક્ય ન હતું. | |||
એના દેખીતા હેતુની સફળતા વિશે ગાંધીજીને શંકા હોઈ શકે પણ એમણે સ્વીકારવું જ રહ્યું કે | |||
એમાં રહેલા મૂળભૂત નૈતિક સિદ્ધાંતનું પ્રતિપાદન | |||
તેઓ જ તેમના દેશવાસીઓ વતી | |||
સ્વરાજના પ્રયાસોમાં કરતા આવ્યા છે. | |||
આ પરિષદ દ્વારા | |||
અંગ્રેજ રાજકારણીઓ સાથે સહકાર સાધવાની તક | |||
પ્રાપ્ત થઈ શકે છે તે વાત સાચી હોવા છતાં | |||
તેમાં તેની સાચી મહત્તા નથી. | |||
તેની મહત્તા જગતની આત્મશક્તિમાં છે. | |||
આપણે સમજવું જોઈએ કે | |||
આ પરિષદની બેઠક જગતના ન્યાયપંચ સમક્ષ મળશે | |||
અને તેની સંમતિની આતુરતાપૂર્વક અપેક્ષા રખાશે. | |||
આજે જ્યારે આ કિનારે પોલીસની લાઠીઓ | |||
આપણા પ્રતિકારવિહીન માથાં તોડવામાં વ્યસ્ત છે | |||
અને સત્તાધારીઓ | |||
આ કરૂણ દૃશ્યથી દમામપૂર્વક અળગા રહી શકે છે | |||
ત્યારે બીજા કિનારેથી | |||
કેળવણીથી અનાવૃત્ત અને નિ:શસ્ત્ર ભારતીય પ્રજાને | |||
આ પરિષદના આમંત્રણ દ્વારા એક ઈશારો કરવામાં આવ્યો છે. | |||
હું નથી જાણતો કે | |||
આ ઈશારો નાનો કે બિનઅસરકારક છે કે કેમ | |||
પણ તે એક નૈતિક ઈશારો છે | |||
જેની જરૂરિયાત રાજકીય કારણોસર ઊભી થઈ નથી | |||
પણ આંતરરાષ્ટ્રીય સંમતિની અપેક્ષાથી ઊભી થઈ છે. | |||
હું માનું છું કે તેમને મળેલું આમંત્રણ | |||
તેમણે કોઈ પણ જાતની દ્વિધા અનુભવ્યા વિના | |||
સ્વીકારવું જોઈતું હતું – | |||
ભલે તેમને બધી જ પ્રસ્તુત શરતો મંજૂર ન હોય! | |||
સદીઓથી આત્મવિશ્વાસ અને આત્મશક્તિના અભાવને કારણે જેણે પાશવી અને કપટી જુલમ સહન કર્યો છે | |||
તેવી ભારતની મૂક સમષ્ટિમાં આ હિંમતનો સંચાર | |||
મહાત્મા ગાંધીના મહાન વ્યક્તિત્વને કારણે જ થયો છે. | |||
કેળવણીના દીર્ઘ દુકાળથી સૂકાઈ ગયેલા મગજમાં | |||
અચાનક થયેલા ચેતનાના સંચરની શક્યતા અંગે | |||
હું પણ શંકા સેવતો હતો. | |||
પણ મહાત્માની અંગત અણનમ પ્રાણશક્તિ | |||
અને તેમના માનવીની પ્રકૃતિમાં રાખેલા વિશ્વાસના જાદુઈ સ્પર્શ દ્વારા એક ચમત્કાર થયો છે. | |||
આ અનુભવ પછી | |||
તેમના શાણપણ અંગે શંકા સેવવાનું કારણ નથી. | |||
મારે મારી શંકાઓ બાજુ પર મૂકીને | |||
તેમના અડગ વલણમાં વિશ્વાસ રાખવો જોઈએ.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>સપ્ટેમ્બર ૧૯૩૨માં ગાંધીજી પૂનામાં કારાગારમાં હતા. | |||
અંગ્રેજ સરકારે હરિજનો માટે | |||
અલાયદું મતદારમંડળ કરવાનું વિચાર્યું હતું. | |||
ગાંધીજીને તે અસ્વીકાર્ય હતું | |||
અને તેમણે આમરણાંત ઉપવાસ પર જવાનું નક્કી કર્યું હતું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>(તારથી) ભારતની એકતા અને ઈમાનદારી માટે | |||
મૂલ્યવાન જીવનનું બલિદાન આપવું યોગ્ય તો કહેવાય. પૂર્ણવિરામ. આપણા શાસકો ઉપર તેની શું અસર પડશે | |||
તે કહેવું મુશ્કેલ છે કારણ કે તેઓ | |||
આપણી પ્રજા માટે તેની અગત્યતા કેટલી છે તે સમજતા નથી પણ આવા આત્મસમર્પણની અપીલ | |||
આપણા દેશવાસીઓના અંતરાત્મા પર જરૂર પડશે. પૂર્ણવિરામ. મારી તીવ્ર આશા છે કે આપણે નિષ્ક્રિયતાથી | |||
આવી રાષ્ટ્રીય કરૂણાંતિકાને | |||
તેના અંત સુધી પહોંચવા નહીં દઈએ. પૂર્ણવિરામ. | |||
અમારાં ખેદપૂર્ણ હૃદયો | |||
તમારી ઉદાત્ત તપસ્યાને સન્માન અને પ્રેમ સહિત અનુસરશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આ તાર ગાંધીજીને પહોંચે તે પહેલાં તેમણે લખ્યું હતું,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
અત્યારે મંગળવારની સવારના ત્રણ વાગ્યા છે. | |||
હું મધ્યાહ્ને અગ્નિદ્વારમાં પ્રવેશ કરીશ. | |||
તમે જો મારા પ્રયાસને આશીર્વાદ આપતા હો | |||
તો મને તેની જરૂર છે. | |||
તમે તમારા વિચારો મુક્ત મને વ્યક્ત કરો છો | |||
અને તેથી મારા સાચા અને સ્પષ્ટવક્તા મિત્ર છો. | |||
મેં તમારા દૃઢ અભિપ્રાયની અપેક્ષા રાખી હતી, | |||
પછી ભલે તે મારી તરફેણમાં હોય કે નહીં. | |||
પણ તમે ટીકા કરવાનું ઉચિત નથી માન્યું. | |||
હવે તો તે મારા ઉપવાસ દરમિયાન જ થઈ શકે | |||
પણ જો તમારું મન મારા પગલાંને ભૂલભરેલું માનતું હોય તો તમારી ટીકા મારો પુરસ્કાર બની રહેશે. | |||
જો મને મારી ભૂલ લાગશે તો | |||
મારી ભૂલનો ખુલ્લો એકરાર ન કરવા જેટલો | |||
હું અભિમાની નથી, | |||
પછી ભલે તે એકરારની | |||
ગમે તેટલી મોટી કિંમત મારે ચૂકવવી પડે. | |||
જો તમને મારું પગલું વ્યાજબી લાગતું હોય | |||
તો મારે તમારા આશીર્વાદ જોઈએ છેે. | |||
તે મારા વિશ્વાસને ટકાવી રાખવામાં મદદગાર થઈ પડશે. | |||
આશા રાખું છું કે | |||
હું મારા વિચારોને સ્પષ્ટપણે વ્યક્ત કરી શક્યો છું. | |||
સપ્રેમ, | |||
સુપરીન્ટેન્ડન્ટને આ પત્ર આપતો જ હતો | |||
ત્યાં મને તમારો પ્રેમપૂર્ણ અને ઉમદા તાર મળ્યો. | |||
જે ઝંઝાવાતમાં હું પ્રવેશ કરવાની તૈયારીમાં છું | |||
તેમાં મને મોટો ટેકો મળશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>બીજા જ દિવસે,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગ્રહણગ્રસ્ત સૂર્યથી પડતા પડછાયા જેવો વિશાળ પડછાયો | |||
આજે ભારતના આકાશને ઘેરું બનાવી રહ્યો છે. | |||
નિષ્ઠા અને સેવામય જીવનથી | |||
જેમણે ભારતને પોતાના સત્ય તરીકે સ્વીકાર્યું છે | |||
તેવા મહાત્માજીએ આજે | |||
પોતાના આત્મસમર્પણની પ્રતિજ્ઞાના પાલનનો આરંભ કર્યો છે. | |||
મહાત્માજીની તપસ્યા માત્ર ક્રિયાકાંડનો અંશ નથી, | |||
તેમાં તો ભારત અને જગત માટે એક સંદેશ છે. | |||
તેમના સંદેશના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. | |||
માનવ ઇતિહાસના આરંભથી જ | |||
સમાજના વિવિધ વર્ગો વચ્ચેની ખાઈનું અસ્તિત્વ | |||
દેખાતું આવ્યું છે. | |||
જેઓ સંજોગોના કૃપાપાત્ર છે | |||
તેઓ બીજાની નબળાઈનું શોષણ કરતા આવ્યા છે | |||
અને તેમને હલકા પાડીને | |||
પોતે શ્રેષ્ઠતમ છે એવા અહંકારનું પોષણ કરતા આવ્યા છે. | |||
આ પ્રથા લાંબા સમયથી ચાલી આવતી હોવા છતાં | |||
તે માનવતાના સિદ્ધાંતની વિરૂદ્ધ છે. | |||
ભારતમાં આપણે પોતાના અનેક સહોદરોને | |||
આપણી વચ્ચેથી તડીપાર કરીને | |||
અપમાનના સંકુચિત વાડામાં પૂરી દીધા છે | |||
અને તેમને કાયમી લાંછનના ડામ દીધા છે. | |||
બંદીખાનું માત્ર ઈંટ અને સિમેન્ટનું જ નથી હોતું. | |||
માણસના આત્મસન્માનને સંકુચિત સીમાઓમાં પૂરી દેવાથી | |||
ઊભું થતું નૈતિક કારાગાર | |||
ભોગવનાર માટે ભૌતિક કારાગાર કરતાં પણ વધુ ક્રૂર હોય છે. તેને નિષ્ક્રિયતાપૂર્વક કે પછી કર્તવ્યનિષ્ઠ ઉત્સાહથી | |||
ઉત્તેજન આપનારા માટે ચરિત્રહીનતાનો માર્ગ બની રહે છે. | |||
વ્યક્તિ અને પ્રજાની વચ્ચેની અસમાનતાને | |||
અવગણાય તો નહીં જ | |||
પણ તેનો સંપૂર્ણ સ્વીકાર કરીને | |||
લોકોને તેમના માનવીય હકોથી અને બિરાદરીથી વંચિત રાખવા એ તો એક ઘૃણાસ્પદ સામાજિક અપરાધ છે. | |||
આપણા દેશમાં થયેલા | |||
માનવતાના અપમાન સમા આ વિભાજન પ્રતિ | |||
મહાત્માજીએ વારંવાર આપણું ધ્યાન ખેંચ્યું છે | |||
પરંતુ તેમાંથી છૂટકારો મેળવવાની અગત્યતાને | |||
ખાદી જેટલું મહત્વ અપાયું નથી. | |||
હવે આપણા સમાજમાં જડ નાંખી બેઠેલી આ બદી સામે મહાત્માજીએ આખરીનામું જાહેર કર્યું છે. | |||
આ રણભૂમિમાં આપણે તેમને ગુમાવી બેસીએ એવી શક્યતા છે. | |||
તે સંજોગોમાં આ લડત | |||
આપણે સૌએ ઉપાડી લઈને તેના અંત સુધી લઈ જવી પડશે. | |||
આ લડતનો ઉપહાર તે આપણને ધરી રહ્યા છે, | |||
જો આપણે તેને | |||
નમ્રતા અને ગૌરવપૂર્ણ નિર્ધારથી સ્વીકારીએ નહીં | |||
કે પછી રૂઢિગત ક્રિયાકાંડપૂર્વક વિખેરી નાંખીએ | |||
અને આ ઉદાત્ત જીવનના બલિદાનને એળે જવા દઈએ | |||
તો તેમના સંદેશનો અર્થ ન રહે. | |||
પછી આપણી પ્રજા નિષ્ક્રિયતાથી અધોગતિના માર્ગે | |||
નરી વ્યર્થતાના અવકાશ પ્રતિ પ્રયાણ કરશે. | |||
વાણી અને કર્મ દ્વારા વારંવાર વ્યક્ત થયેલા અહિંસાના સંદેશની એક મહાન ભાષામાં આ અંતિમ અભિવ્યક્તિ છે | |||
જેને સમજવી અત્યંત સહેલી છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>થોડા જ દિવસોમાં ગાંધીજીનું સ્વાસ્થ્ય બગડતું ચાલ્યું. | |||
ચિંતાગ્રસ્ત કવિ શાંતિનિકેતનથી પૂના જવા નીકળ્યા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આશાભર્યા અમે નીકળ્યા પૂના તરફ | |||
જો કે વાતાવરણ અપશુકનિયાળ હોવાનાં બધાં જ એંધાણ હતા. | |||
દરેક મોટા સ્ટેશને મારા સાથીદારો છાપું લઈ આવતા – | |||
સમાચાર આનંદના ન હતા. | |||
ડૉક્ટરોના મત મુજબ મહાત્માજી માટે | |||
હવેનો સમય જોખમકારક હતો. | |||
માત્ર દૃઢ સંકલ્પથી શારીરિક વ્યથા અને માનસિક દબાવને કાબૂમાં રાખીને મહાત્માજીનો વિજય થયો હતો. | |||
આશા અને ભય વચ્ચે ઝોલા ખાતાં | |||
અમે ૨૬મી સપ્ટેમ્બરે કલ્યાણ પહોંચ્યા. | |||
જરાય સમય બગાડ્યા વિના અમારા યજમાને મોકલેલી ગાડીમાં અમે પુના પ્રતિ પ્રયાણ કર્યું. | |||
પુનામાં પ્રવેશતાં જ શસ્ત્રસજ્જ ગાડીઓ | |||
અને મશીનગનો મિલિટરીના મેદાનમાં ફરતી દેખાઈ. | |||
શહેરના રસ્તાઓ પર સૈનિકો ફરી રહ્યા હતા. | |||
ઉતારે પહોંચતાં જ વાતાવરણમાં વ્યાકુળતા લાગી. | |||
ઉચાટની છાયા દરેક ચહેરા પર દેખાતી હતી. | |||
પૂછતાં ખબર પડી કે મહાત્માજીની પરિસ્થિતિ જોખમકારક છે. | |||
એ મહાત્માજીના મૌનનો દિવસ હતો. | |||
તેમણે ઇચ્છા પ્રગટ કરી હતી કે તેઓ એક વાગ્યે મૌન છોડે | |||
તે સમયે મારે તેમની પાસેે હાજર રહેવું. | |||
યરવડા જેલના રસ્તે, દરવાજાથી થોેડે દૂર | |||
અમારી ગાડીને રોકવામાં આવી. | |||
બીજો હુકમ ન મળે ત્યાં સુધી | |||
કોઈ પણ ગાડીને ન જવા દેવાનો સંત્રીને આદેશ હતો. | |||
હું તો માનતો હતો કે | |||
આજકાલ ભારતમાં જેલમાં જતો રસ્તો ખુલ્લો જ રહેતો હતો! | |||
અમારામાંથી એક ભાઈ | |||
જેલના ઉપરી પાસેથી રજા મેળવવા જઈ રહ્યા હતા | |||
ત્યાં શ્રીયુત દેવદાસ જેલની પરવાનગી લઈને | |||
ગાડીમાં આવી પહોંચ્યા. | |||
મને પછીથી ખબર પડી કે મહાત્માજીને લાગ્યું હતું કે | |||
અમારી ગાડીને રસ્તામાં કોઈએ રોકી રાખી છે | |||
તેથી તેમણે તેમના દીકરાને અમને લેવા મોકલ્યા હતા. | |||
એક પછી એક વિશાળ લોખંડી દરવાજા | |||
ખુલીને અમારી પાછળ બંધ થતા હતા. | |||
અમારી સામે હતી ઊંચી ઉદ્ધત દીવાલો અને કેદ થયેલું આકાશ, | |||
પથરાયો હતો સીધો ડામરનો રસ્તો અને થોડાં વૃક્ષો. | |||
બે મહાન અનુભવો મારા જીવનમાં મોડેથી મને થયા છે. | |||
હમણાં જ મેં યુનિવર્સિટીનો ઊંબરો પાર કર્યો હતો | |||
અને થોડાક અવરોધ પછી | |||
આ હું આવીને ઊભો એક સામાન્ય કારાગારની અંદર!</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આ ગંભીર પરિસ્થિતિમાં પણ સંભળાય છે ને | |||
એક વિચક્ષણ કથાકારનો અવાજ અને ગૌરવપૂર્ણ વિનોદવૃત્તિ?</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>આંગણાની વચ્ચે એક આંબાની નીચે | |||
મહાત્માજી તેમના ખાટલામાં સૂતા હતા. | |||
મને તેમની નજીક ખેંચીને તે બોલ્યા,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>તમને જોઈને કેટલો આનંદ થયો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>સારા સમાચારની પાછળ આવવા માટે | |||
હું મારી જાતને નસીબદાર માનું છું. | |||
લગભગ દોઢ વાગવા આવ્યો હતો. | |||
મેં સાંભળ્યું હતું કે | |||
પુનામાં દસેક વાગ્યે સત્તાવાર સમાચાર આવ્યા હતા. | |||
આવા ક્રૂર વિલંબથી આશ્ચર્ય થતું હતું. | |||
જેમનો પ્રાણ દરેક કલાકે ક્ષીણ થઈ રહ્યો હતો | |||
તેમને બચાવવાની કોઈને ઉતાવળ હોય તેમ લાગતું ન હતું. | |||
ચારે તરફ મિત્રો હતા. | |||
તેમાં હું મહાદેવ, વલ્લભભાઈ, રાજગોપાલાચારી, રાજેન્દ્રપ્રસાદ, શ્રીમતી કસ્તુરીબાઈ, સરોજિની, | |||
અને જવાહરલાલની પત્ની કમલાને ઓળખી શક્યો. | |||
મહાત્માજીનું પાતળું શરીર કૃશ થઈ ગયું હતું. | |||
એમનો અવાજ માંડ સાંભળી શકાતો હતો. | |||
તેમના તબીબોની જવાબદારી ગંભીર હતી. | |||
છતાં તેમનો આંતરિક ઉત્સાહ ઘટ્યો ન હતો, | |||
મગજ જાગૃત અને સાબદું હતું, | |||
તેમનું તેજસ્વી વ્યક્તિત્વ સદાના જેવું જ તાજગીભર્યું હતું. | |||
બધાં જાણે છે તેમ ઉપવાસ દરમિયાન | |||
વિવિધ પક્ષોના અધિકાર અને કોલાહલમાંથી | |||
તે બચી શકે તેમ ન હતું. | |||
છતાં માનસિક થાકનાં કોઈ ચિન્હો દેખાતાં ન હતાં, | |||
તેમની સ્પષ્ટ વિચારશ્રેણીને અવરોધતી | |||
કોઈ પણ છાયાનો અણસાર પણ આવતો ન હતો. | |||
તેમની શારીરિક વ્યથાને અતિક્રમીને | |||
તેમના અજેય આત્માનું સાચું સ્વરૂપ દેખાઈ રહ્યું હતું | |||
જેને સન્માન ધરવા આપણે તત્પર છીએ. | |||
હું જો તેમની પાસે આ સમયે ન આવ્યો હોત | |||
તો આ અશક્ત માણસની મહાન શક્તિનો | |||
મને ખ્યાલ જ ન આવત. | |||
આજે ભારતના કરોડો હૃદયોમાં | |||
મોતની વેદીના છાયામાં આરામ કરતી | |||
આ અમર ચેતનાનો સંદેશ પહોંચ્યો છે. | |||
સદીઓ પુરાણી નિષ્ક્રિયતાનો અવરોધ આજે ધૂળભેગો થઈ ગયો છે. | |||
બપોરનો તડકો | |||
ઊંચી, વેરાન દીવાલો ઉપર થઈને આવતો હતો. | |||
સફેદ ખાદીમાં સજ્જ સ્ત્રી પુરૂષો શાંતિથી ચર્ચા કરી રહ્યાં હતાં. | |||
જેલની અંદર ભેગી થયેલી આ મેદનીનું શિસ્ત ઉદાહરણીય હતું. | |||
ચરિત્રની આ શક્તિ વિશ્વસનીય બની રહે છે. | |||
તેમનામાં સહજ આત્મસન્માનનું ગૌરવ દેખાય છે; | |||
સત્યની એકનિષ્ઠ સેવા પર અવલંબિત સ્વરાજ માટે | |||
તેમનામાં મૂકેલી જવાબદારી તેઓ બરાબર નીભાવશે | |||
એવો વિશ્વાસ સહજ રીતે પેદા થાય છે. | |||
આખરે સરકારના લાલ સીલવાળું પરબીડિયું લઈને | |||
જેલના ઈન્સ્પેક્ટર જનરલ આવી પહોંચ્યા. | |||
તેઓ વાંચી રહ્યા એટલે | |||
મહાત્માજીએ તેમના મિત્રોને ચર્ચા માટે બોલાવ્યા. | |||
એમ લાગતું હતું કે મહાત્માજીની ઇચ્છાને માન અપાયું હતું. | |||
ઉપવાસની મહાન તપસ્યાનો અંત આવ્યો હતો. | |||
શ્રીમતી કમલા નહેરૂએ લીંબુનો રસ કાઢ્યો. | |||
જેલના ઈન્સ્પેક્ટર જનરલની વિનંતી હતી કે | |||
શ્રીમતી કસ્તુરીબાઈ તે મહાત્માજીને આપેે. | |||
મહાદેવે મને જણાવ્યું કે ગીતાંજલિનું કરૂણા ધારાએ એશો, મહાત્માજીને અત્યંત પ્રિય છે. | |||
તેના સૂર મને યાદ ન હતા. | |||
જે સૂઝ્યા તે નવા જ સૂરમાં મેં તે ગીત ગાયું. | |||
પંડિત શ્યામ શાસ્ત્રીએ વેદિક પાઠ કર્યા. | |||
શ્રીમતી કસ્તુરીબાઈએ ફળના રસનો ગ્લાસ | |||
મહાત્માજીને આપ્યો અને તેમણે ધીરેથી તે પીધો. | |||
સાબરમતી આશ્રમના અંતેવાસીઓ | |||
અને બીજાઓએ વૈષ્ણવજન તો ગાયું. | |||
માનવીના ઇતિહાસમાં આવો પ્રસંગ બન્યો નથી. | |||
જેલની અંદર એક યજ્ઞનું પ્રતિષ્ઠાન થયું હતું | |||
અને ત્યાં જ એની સંપૂર્ણતામાં પૂર્ણાહૂતિ થઈ. | |||
એક વિશાળ ફલક પર | |||
તેમનું મહાન જીવન ઝળહળી રહ્યું છે. | |||
માનવતામાં થતા મહામાનવના દર્શનનો સંદેશ | |||
તેણે આપણા સુધી પહોંચાડ્યો છે. | |||
આશા રાખું કે આ સંદેશ પરિપૂર્ણ થાય. | |||
માનવીના ઐક્યમાં જ સાચા પથનું સ્વરૂપ દૃષ્ટિગોચર થાય છે. | |||
આપણી પ્રજામાં વિભાજન કરતાં સંપ્રદાયો અને વાડાઓ આપણી રાજકીય પરતંત્રતાને પોષણ આપે છે. | |||
યુગોનાં બંધન તોડીને, માનવ સંસ્કૃતિએ | |||
શ્રદ્ધા અને પ્રેમ પર અવલંબિત સમજુતી પ્રતિ | |||
પ્રયાણ કરવાનો સમય આવી</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગુરુદેવ, | |||
તમે જાણો છો કે તમે એ દિવસે ગાયેલા ભજનથી | |||
એ ભજન ગવાતું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મહાત્માજી, આ થોડા દિવસોમાં | |||
અશક્યને શક્ય થતું જોઈને | |||
આપણી પ્રજા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. | |||
તમારા પ્રાણની રક્ષાથી | |||
એક મોટી નિરાંતની લાગણી સર્વત્ર ફેલાયેલી છે. | |||
તમારા તરફથી આદેશની આ એક સવેળાની તક છે. | |||
હિંદુ સમાજને મુસલમાનોને પોતાના પક્ષમાં લેવા માટે | |||
અથાગ પ્રયત્ન કરવાનું કહો | |||
જેથી આપણા સહિયારા ઉદ્દેશમાં મદદ થાય. | |||
તમારી અસ્પૃશ્યતાની લડત કરતાં | |||
આ લડત જીતવી વધારે મુશ્કેલ છે | |||
કારણ કે આપણી પ્રજાના મનમાં | |||
મુસ્લિમો પ્રત્યે તીવ્ર અણગમો ઊંડી જડ ઘાલીને બેઠો છે | |||
અને તેમને પણ આપણા માટે ખાસ પ્રેમભાવ નથી. | |||
પણ તમને દુરાગ્રહી અને જિદ્દી હૃદયોને જીતી લેતાં આવડે છે અને તમારો ધૈર્યપૂર્ણ પ્રેમ | |||
સદીઓથી એકત્ર થયેલા દ્વેશને મહાત કરી શકશે. | |||
તમને સલાહ આપવાનું કામ મારું નથી | |||
અને શું માર્ગ લેવો તે અંગેના તમારા નિર્ણય ઉપર | |||
મને સંપૂર્ણ વિશ્વાસ છે. | |||
સન્માનીય પ્રેમ સાથે, સદા તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
તમારો સુંદર પત્ર મળ્યો છે. | |||
હું રોજ પ્રકાશને ખોળી રહ્યો છું. | |||
હિંદુ મુસ્લિમ એકતા એ પણ મારા જીવનનું ધ્યેય છે. | |||
પણ મને પણ અવરોધો નડે છે. | |||
હું જાણું છું કે જ્યારે મને પ્રકાશ મળશે | |||
ત્યારે તે અવરોધોને વીંધીને આવશે. | |||
ત્યાં સુધી હું પ્રાર્થના કરું છું, હજી ઉપવાસ પર ઊતર્યો નથી. | |||
સપ્રેમ, તમારો, | |||
કવિના પ્રેમની વર્ષાથી | |||
હું એટલો આનંદવિભોર થઈ ગયો હતો કે | |||
મેં ચાર્લીને લખ્યું, | |||
ગુરુદેવ તો હજીય તેમ જ છે. | |||
આ નાનકડા ઉપવાસથી મને ઘણા ખજાના મળ્યા છે | |||
પણ તેમાં ગુરુદેવ સર્વશ્રેષ્ઠ રત્ન છે. | |||
કોઈએ કહ્યું હોત કે ગુરુદેવને મેળવવા ઉપવાસ કરો | |||
તો મેં વગર વિચારે તેમ કર્યું હોત. | |||
તેમના હૃદયમાં સ્થાન મેળવવા હું અત્યંત ઉત્સુક હતો. | |||
ઈશ્વરનો આભાર કે ઉપવાસ દ્વારા હું તે મેળવી શક્યો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>૧૯૩૩માં ગાંધીજીએ ફરીથી ઉપવાસ આદરવાનું નક્કી કર્યું. | |||
એકવીસ દિવસના આ ઉપવાસ આત્મશુદ્ધિ માટે હતા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
અત્યારે રાત્રે પોણા બે વાગ્યા છે | |||
અને મને તમે અને બીજા મિત્રો યાદ આવે છે. | |||
જો તમે મારા ઉપવાસ સાથે સંમત થતા હો | |||
તો મારે ફરીથી તમારા આશીર્વાદ જોઈએ છે. | |||
પ્રેમ અને સન્માન સહિત, તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story =<poem>શારીરિક કે નૈતિક રીતે મૃત્યુ જો અનિવાર્ય જ હોય | |||
તો તેને સહન કરવું જ રહ્યું. | |||
પણ આપણને તેની સાથે સંવનન કરવાની છૂટ નથી, | |||
સિવાય કે જીવનના પરમ હેતુની અભિવ્યક્તિ | |||
તેના દ્વારા થતી હોય. | |||
તમારી હાલની પ્રતિજ્ઞાની અનિવાર્ય જરૂરિયાત અંગે | |||
તમારી ભૂલ થતી હોવાની સંભાવના નકારી શકાય નહીં. | |||
તેના જીવલેણ અંતના ગંભીર જોખમનો વિચાર આવતાં | |||
અમે ધ્રૂજી ઊઠીએ છીએ | |||
કારણ કે આ ભયાનક ભૂલને સુધારવાની તક મળવાની નથી. | |||
ઈશ્વરને તેમણે રચેલા સંસાર માટે | |||
આવું ઈન્દ્રીયદમનનું આખરીનામું ન આપવા | |||
હું તમને આજીજી કરું છું. | |||
આમ કરીને માનવતાનું સમર્થન કરતા | |||
પૂર્ણતાના આદર્શને આખરી ક્ષણ સુધી જાળવી રાખતા જીવનના મહાન ઉપહારની તમે અવગણના કરી રહ્યા છો. | |||
છતાં મારે કબૂલ કરવું જ રહ્યું કે | |||
તમારી સમક્ષ જે દર્શન છે તે મારી સમક્ષ નથી | |||
અને જે અવાજ માત્ર તમને જ સંભળાયો છે | |||
તેનો સંપૂર્ણ અર્થ હું પામી શક્યો નથી. | |||
તેથી કોઈ પણ સંજોગોમાં હું માનવાનો પ્રયત્ન કરીશ | |||
કે તમે તમારા નિર્ધારમાં સાચા છો | |||
અને મારી શંકા મારી કાયરતા કે મારા અજ્ઞાનનું પરિણામ છે. | |||
પ્રેમ અને સન્માન સહ, તમારો, | |||
બે દિવસ બાદ મેં ફરીથી લખ્યું, | |||
તમારા ઉદાહરણને જો તર્કસંગત દૃષ્ટિથી અનુસરવામાં આવે તો આખા જગતમાંથી બધા જ ઉમદા આત્માઓનો નાશ થાય અને બાકી રહે નૈતિક નબળાઈ ધરાવતી કચડાયેલી સમષ્ટિ | |||
જે અજ્ઞાન અને અન્યાયના અતલ ઊંડાણમાં ડૂબી જશે. | |||
તપસ્યાની આ પદ્ધતિ | |||
માત્ર તમારા અંગત પ્રયાસ દ્વારા જ ફળદાયી થશે | |||
અને બીજા માટે તેનો કોઈ જ અર્થ નથી | |||
એમ કહેવાનો તમને કોઈ જ હક નથી. | |||
એ જો સાચું હોય તો તમારે આ તપસ્યા | |||
જે માત્ર તમારું જ બલિદાન માંગે છે | |||
તેને ખાસ રહસ્યમય ક્રિયા તરીકે | |||
એકદમ ગુપ્તતા રાખીને કરવી જોઈએ. | |||
તમે બીજાઓને ક્રિયાશીલ રહીને | |||
રાષ્ટ્રીય જીવનને ગૂંગળાવતા શેતાનને હઠાવવા કહો છો | |||
અને પોતે આવો નિષ્ક્રિય બલિદાનનોે માર્ગ અપનાવો છો. | |||
આને કારણે તમારાથી નાના માણસોને માટે | |||
ફરજનો એક સહેલો અને વ્યર્થ પથ ખુલી જશે | |||
જે તેમને ઈન્દ્રીયદમનની ઊંડી ખીણમાં ઝંપલાવવા માટે લલચાવશે. | |||
તમારી આ આગવી શુદ્ધિની પદ્ધતિને | |||
જો તેઓ દેશ માટે અપનાવશે તો તેમને દોષ નહીં દેવાય | |||
કારણ કે જો કોઈ સંદેશ સર્વસામાન્ય ન હોય | |||
તો તેનું પ્રતિપાદન થવું જ ન જોઈએ. | |||
તમારી પ્રતિજ્ઞાથી મને થયેલા દુ:ખને કારણે | |||
મને આમ લખવાની ફરજ પડે છે | |||
કારણ કે એક ઉદાત્ત કારકિર્દીને | |||
અનુચિત અંત પ્રતિ પ્રયાણ કરતી હું જોઈ નથી શકતો. | |||
તમારા વ્યક્તિત્વમાં મૂર્તિમંત થતા | |||
આપણા દેશના ગૌરવને ખાતર | |||
અને તમારા જીવંત સ્પર્શ અને સહાયની જેમને જરૂર છે | |||
તેવા આપણા કરોડો દેશવાસીઓને ખાતર | |||
હું ફરી એકવાર વિનંતી કરું છું કે | |||
એવું કોઈ પણ કામ કરતાં અટકી જાઓ | |||
જે તમને માત્ર તમારે માટે યોગ્ય લાગતું હોય | |||
પણ બાકીની પ્રજાને માટે નહીં. | |||
અત્યંત દુ:ખ અને પ્રેમ સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story =<poem>થોડા સમય પછી રવીન્દ્રનાથને લાગ્યું | |||
કે પૂનામાં થયેલા કરારમાં બંગાળને અન્યાય થયો છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મારે પ્રેસમાં નિવેદન આપવું પડ્યું. | |||
મને યાદ છે કે મેં વડાપ્રધાનને તાર કર્યો હતો કે | |||
શ્રી ગાંધીએ તેમને મોકલેલી કોમી એવૉર્ડની દરખાસ્ત સ્વીકારવામાં વિલંબ ન કરવો જોઈએ. | |||
તે સમયે અત્યંત વેદનાદાયક પરિસ્થિતિ હોઈ | |||
શાંત ચિત્તે પૂના કરારનાં પરિણામો વિશે | |||
વિચારવાનો અવકાશ રહ્યો ન હતો. | |||
તદુપરાંત તે પરિષદમાં | |||
બંગાળના કોઈ જવાબદાર પ્રતિનિધિએ પણ | |||
ભાગ લીધો ન હતો. | |||
આ પ્રશ્નના નિરાકરણ ઉપર | |||
શ્રી ગાંધીના જીવનનો આધાર હતો | |||
અને આવી કટોકટીથી ઊભી થતી અસહ્ય વ્યાકુળતાને કારણે એવો નિર્ણય લેવાઈ ગયો | |||
જેે વધુ વિચારતાં | |||
આપણા દેશના લાંબા ગાળાના લાભમાં નથી લાગતો. | |||
શ્રી ગાંધી માટેના અગાધ પ્રેમ | |||
અને તેમની ભારતીય રાજકારણની સમજમાં | |||
સંપૂર્ણ શ્રદ્ધા હોવાથી | |||
તેમ જ મારા રાજકારણના બિનઅનુભવને કારણે | |||
હું વધુ વિચાર કરવા બેઠો નહીં | |||
અને હવે મને લાગે છે કે | |||
કમનસીબે બંગાળને ભાગે ન્યાયનો ભોગ આવ્યોે છે. | |||
શ્વેતપત્રમાંની બીજી બધી દરખાસ્તો પર | |||
ફેરવિચારણા થઈ રહી છે | |||
જ્યારે અંગ્રેજ સરકાર અમારે માટે અગત્યના વિષય પર ફરીથી વિચાર કરવાનું ઉચિત નથી માનતી | |||
તેનાથી મને આશ્ચર્ય કે દુ:ખ નથી થતું | |||
પણ પરિષદના અન્ય પ્રાંતના ભારતીય સભ્યો | |||
બંગાળના બદ્નસીબ પ્રત્યે માત્ર ઉદાસીન જ નથી | |||
પણ તેને સક્રિય સમર્થન આપે છે | |||
જે આપણા ભાવિ માટે અમંગળ એંધાણ આપે છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poe,>પ્રિય ગુરુદેવ, | |||
બંગાળને સ્પર્શતા યરવડા કરાર અંગેનું | |||
તમારું પ્રેસમાં આપેલું નિવેદન મારા ધ્યાનમાં આવ્યું છે. | |||
બંગાળને અન્યાય કરતા કરારને સંમતિ આપવામાં | |||
તમે તમારા મારા પ્રત્યેના પ્રેમ અને વિશ્વાસને કારણે ભૂલ કરી બેઠા તે જાણીને મને અત્યંત દુ:ખ થયું છે. | |||
પણ હું દૃઢતાપૂર્વક માનું છું કે કાંઈ પણ ભૂલ થઈ નથી. | |||
મેં પોતે વિચાર કર્યો અને | |||
માહિતગાર મિત્રો સાથે પણ ચર્ચા કરી. | |||
ત્યાર પછી પણ મને લાગતું નથી કે | |||
બંગાળને અન્યાય થયો છે. | |||
જો મને લાગે કે ભૂલભર્યો નિર્ણય લેવાયો છે | |||
તો તે ભૂલ સુધારવા માટે | |||
હું મારાથી બનતું બધું જ કરી છૂટતે. | |||
નિષ્ઠાપૂર્વક તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય મહાત્માજી, | |||
મને ખાતરી છે કે | |||
જો પુના કરારને ફેરવિચારણા વિના સ્વીકારવામાં આવશે | |||
તો તેનાથી અમારા પ્રાંતમાં કોમી ઇર્ષ્યાનાં મૂળ નંખાશે | |||
અને અંતે શાંતિમાં સતત ખલેલ પડશે | |||
તેમ જ પરસ્પર સહકારના વાતાવરણમાં | |||
જીવલેણ અવરોધ ઊભો થશે. | |||
સન્માન અને પ્રેમ સહિત, | |||
થોડા દિવસ પછી એક આખરી પત્ર, | |||
પ્રિય મહાત્માજી, | |||
આ બેચેનીની ક્ષણોમાં તમને સંપૂર્ણ આરામની જરૂર છે | |||
તે હું સમજું છું | |||
અને શારીરિક તેમ જ માનસિક શ્રમના દિવસો પછી | |||
મારે તમને પુના કરારની વિગતવાર ચર્ચા કરીને | |||
ખલેલ નથી પહોંચાડવી. | |||
તમને સંતોષ છે કે બંગાળને અન્યાય નથી થયો. | |||
જો આ કરારમાં સુધારો કરવામાં નહીં આવે | |||
તો બંગાળના સામાજિક અને રાજકીય જીવનને | |||
ગંભીર હાનિ પહોંચશે એમાં કોઈ શંકાને સ્થાન નથી | |||
એ જાણ્યા પછી | |||
મારે માટે તમારું મંતવ્ય ચુપચાપ સ્વીકારી લેવાનું શક્ય નથી. | |||
સત્યનું એક અગત્યનું સ્વરૂપ છે ન્યાય. | |||
તાત્કાલિક શાંતિ કે ઉતાવળમાં | |||
કોઈ રાજકીય ગૂંચ ઉકેલવા માટે જો તેને અવગણવામાં આવે તો લાંબા ગાળે જેમને તેનાથી લાભ થયો હોય | |||
તેમણે તેનો પ્રત્યાઘાત ભોગવવો જ પડશે | |||
અને સહેલાઈથી મળેલા લાભની | |||
ભારે કિંમત ચૂકવવાની રહેશે. | |||
હું રાજદ્વારી માણસ નથી | |||
અને આ બાબતને માનવતાના દૃષ્ટિબિંદુથી જોઉં છું. | |||
જ્યારે ન્યાયની બાબતમાં માનવતાને અવગણવામાં આવે છે ત્યારે તેને ક્રૂર હાનિ થાય છે. | |||
ગંભીર વિચારણા પછી જે અભિપ્રાય પર હું આવ્યો છું | |||
તે આ પત્રમાં મેં પ્રસ્તુત કર્યો છે. | |||
તેના જવાબની હું કોઈ જ જરૂરિયાત જોતો નથી. | |||
પ્રેમ અને સન્માન સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>૧૯૩૪માં બિહારમાં ધરતીકંપ થયો હતો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રેસના હેવાલ મુજબ | |||
તમે તાજેતરમાં બિહારના ધરતીકંપ અંગે | |||
એક ભાષણમાં નીચે મુજબ કહ્યું હતું, | |||
હરિજનો સામેના આપણા પાપની સજા | |||
કુદરતે ધરતીકંપથી આપી છે | |||
એમ માનવા જેટલા વહેમી મારી જેમ થશો | |||
એવી હું આશા રાખું છું. | |||
હું આ માની નથી શકતો. | |||
પણ જો તમે સાચે જ આમ માનતા હો | |||
તો મારે તેનો વિરોધ કરવો જ રહ્યો. | |||
આ સાથે મારો પ્રત્યુત્તર મોકલું છું. | |||
જો પ્રેસનો હેવાલ સાચો હોય તો | |||
તમે આને પણ પ્રેસમાં મોકલશો? | |||
મહાત્માજીએ ઉદારતાથી મારો પ્રત્યુત્તર હરિજનમાં છપાવ્યો. | |||
જેઓ વગર વિચારે પોતાની સામાજિક રૂઢિ પ્રમાણે અસ્પૃશ્યતાની પ્રણાલી જાળવી રાખે છે | |||
તેમના પર મહાત્માજીનો આક્ષેપ છે કે | |||
ઈશ્વરે તેમના પર વેર લેવા બિહારના કેટલાક ભાગ પર પોતાની નારાજગી પ્રદર્શિત કરતી પાયમાલી વરસાવી છે. | |||
આવો વિજ્ઞાનથી વિપરીત દૃષ્ટિકોણ | |||
મોટા ભાગના આપણા દેશવાસીઓ સ્વીકારી લે છે | |||
તે વધારે કમનસીબીની વાત છે. | |||
ભૌતિક આપત્તિઓનું મૂળ અનિવાર્યપણે | |||
ભૌતિક સત્યોના એકત્રિત જૂથમાં રહેલું છે | |||
એ સત્ય ઉચ્ચારતાં મહાત્માજીના વિધાનમાં રહેલી | |||
તાર્કિક વિસંગતતા વધુ ઉપસી આવે છે. | |||
ઈશ્વર પણ જેમાં દખલગીરી નથી કરતો | |||
એવા કુદરતના નિષ્ઠુર નિયમોમાં | |||
આપણે જો ન માનતા હોઈએ | |||
તો આવી ભીષણ આપત્તિના સમયે | |||
ઈશ્વરની કામ કરવાની રીતનેે વ્યાજબી ઠરાવવી અસંભવ છે. | |||
જો આપણે નૈતિક સિદ્ધાંતોને | |||
વૈશ્વિક ઘટના સાથે સાંકળી લઈએ | |||
તો આપણે સ્વીકારવું પડે કે | |||
માણસની પ્રકૃતિ નૈતિક દૃષ્ટિએ | |||
ઈશ્વર કરતાં ચડિયાતી છે | |||
કારણ ઈશ્વર સારી વર્તણૂંકનો બોધપાઠ | |||
નિમ્નતમ વર્તણૂંકના વ્યભિચાર દ્વારા આપે છે. | |||
આપણે ક્યારેય | |||
કોઈ એવા સંસ્કૃત શાસકની કલ્પના કરી શકીએ | |||
જે દૂર વસતા અને કઠોર શિક્ષાને પાત્ર લોકો પર | |||
દાખલો બેસાડવા માટે | |||
નાના બાળકો અને અસ્પૃશ્યોને શિકાર બનાવે? | |||
દુ:ખદ વાત તો એ છે કે | |||
આવી વૈશ્વિક દુર્ઘટનાનો ગેરલાભ લેતી દલીલ | |||
મહાત્માજી કરતાં એમના વિરોધીઓના માનસને | |||
વધુ શોભે તેવી છે. | |||
તેઓ જો મહાત્માજી અને એમના અનુયાયીઓને | |||
આ દિવ્ય પ્રકોપ માટે જવાબદાર ગણતા હોત | |||
તો મને જરાય આશ્ચર્ય ન થાત. | |||
અમને તો સંપૂર્ણ વિશ્વાસ છે કે | |||
અમારા પાપ અને ક્ષતિઓ ગમે તેટલાં મહાકાય હોય, તેમનામાં સૃષ્ટિના સર્જનને | |||
વિલયના માર્ગે દોરી જવાની શક્તિ નથી. | |||
દેશવાસીઓના મગજમાં | |||
નિર્ભયતા અને આશ્ચર્યપૂર્ણ પ્રેરણાનું સિંચન કરવા માટે | |||
મહાત્માજીનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. | |||
પણ જ્યારે તેમના જ શબ્દો | |||
એ જ મગજમાં તર્કથી વિસંગત વિચારોનું નિરૂપણ કરે છે ત્યારે અમેે અત્યંત ખેદપૂર્ણ લાગણી અનુભવીએ છીએ. | |||
મુક્તિ અને આત્મસન્માનનો વિરોધ કરતા | |||
બધા જ અંધ પરિબળોના સ્રોતનું મૂળ છે તર્કથી વિસંગતતા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>તેમના મહાન સંસ્થાનના રહેવાસીઓની જેમ જ | |||
શાંતિનિકેતનના મહાકવિ મારે માટે પણ ગુરુદેવ જ છે. | |||
અમારા બેની વચ્ચેના મતભેદોની જાણ | |||
અમને ઘણા સમય પહેલાં થયેલી છે. | |||
બિહારની આપત્તિને મેં | |||
અસ્પૃશ્યતાના પાપ સાથે સાંકળી લીધી | |||
તેની સામેના તેમના તાજેતરનાં વક્તવ્યથી | |||
તેમાં કોઈ વધારો થતો નથી. | |||
તેમને જ્યારે પણ મારી ભૂલ દેખાય | |||
ત્યારે મારો વિરોધ કરવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે. | |||
તેમના પ્રત્યેના મારા પ્રગાઢ આદરને કારણે | |||
હું બીજા કોઈપણ ટીકાકાર કરતાં તેમને | |||
વધુ ધ્યાનપૂર્વક સાંભળીશ. | |||
તેમનું નિવેદન ત્રણ વાર વાંચ્યા પછી પણ | |||
આ કટારમાં વ્યક્ત થયેલા મારા મતને હું વળગી રહું છું. | |||
હું હંમેશા માનતો આવ્યો છું કે ભૌતિક ઘટનાઓના ભૌતિક તેમ જ આધ્યાત્મિક પરિણામો હોય છે. | |||
તેનાથી વિરૂદ્ધ પણ એટલું જ સાચું છે એમ હું માનું છું. | |||
મારે માટે ધરતીકંપ ઈશ્વરની સ્વચ્છંદી પ્રકૃતિનું ઉદાહરણ કે અંધ પરિબળોનું પરિણામ નથી. | |||
ઈશ્વરના બધાજ નિયમો | |||
કે તેના નિયમન વિશે આપણે જાણતા નથી. | |||
દુકાળ, પૂર, ધરતીકંપ ઇત્યાદિ | |||
કુદરતી આફતોનું મૂળ ભૌતિક લાગતું હોવા છતાં | |||
મારે માટે કોઈ અગમ્ય કારણસર | |||
તે માણસની નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. | |||
તેથી મને સહજભાવે જ લાગ્યું કે | |||
ધરતીકંપ અસ્પૃશ્યતાના પાપની કુદરતે કરેલી સજા છે. | |||
સનાતનીઓ જરૂર કહી શકે છે કે | |||
તે મારી અસ્પૃશ્યતા વિરોધી ઝુંબેશના ગુનાની સજા છે. જેમ ઈશ્વરના અસ્તિત્વની સાબિતી | |||
ન માનનારને આપવી અસંભવ હોવા છતાં | |||
મારે માટે ઈશ્વરમાં ન માનવું અશક્ય છે, | |||
તેમ જ અસ્પૃશ્યતાના પાપ | |||
અને બિહારની કુદરતી આફત વચ્ચેનો સંબંધ | |||
હું સાબિત ન કરી શકતો હોવા છતાં | |||
તેને હું સહજપણે અનુભવું છું. | |||
અમારા પાપ અને ક્ષતિઓ ગમે તેટલાં મહાકાય હોય, | |||
તેમનામાં સૃષ્ટિના સર્જનને | |||
વિલયના માર્ગે દોરી જવાની શક્તિ નથી, | |||
આવો ગુરુદેવ જેવો વિશ્વાસ મને નથી. | |||
હું તો એમ માનું છું કે કોઈ પણ ભૌતિક ઘટના કરતાં સર્જનનો વિનાશ કરવાની વધુ શક્તિ આપણા પાપમાં છે. | |||
પદાર્થ અને ચેતના વચ્ચે એક અતૂટ બંધન છે. | |||
આપણા અજ્ઞાનને કારણે | |||
આ બંધનનાં પરિણામો રહસ્યમય છે | |||
અને આપણામાં આદરપૂર્ણ ભય પ્રેરે છે | |||
પણ આપણે બંધનને છોડી શકતા નથી. | |||
મારે માટે | |||
વૈશ્વિક ઘટના અને માનવીના આચરણ વચ્ચેની કડી | |||
એક જીવંત શ્રદ્ધા છે જે મને નમ્ર બનાવે છે, | |||
ઈશ્વરની વધુ નજીક લઈ જાય છે | |||
અને તેની સમક્ષ આવવા તૈયાર કરે છે. | |||
જો હું અજ્ઞાનતાપૂર્વક આવી માન્યતાનો ઉપયોગ | |||
મારા વિરોધીઓનો ઉધડો લેવા માટે કરું | |||
તો તેને નિમ્નતમ વહેમ જ કહેવો પડે. </poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>એક વર્ષ પછી.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય મહાત્માજી, | |||
ત્રીસથી વધારે વર્ષોથી મેં મારું સર્વસ્વ | |||
મારા જીવનના લક્ષ્યને અર્પણ કર્યું છે. | |||
બધી જ મુશ્કેલીઓનો પ્રતિકાર મેં એકલે હાથે કર્યો છે. | |||
મારી અથાગ જહેમત દ્વારા | |||
સંસ્થાનો વિવિધ સ્વરૂપમાં વિકાસ થયો છે. | |||
હવે જ્યારે હું પંચોતેરનો થયો છું | |||
ત્યારે મને મારી જવાબદારીઓનો બોજો | |||
મારે માટે અત્યંત ભારે લાગે છે. | |||
ઝોળી ફેલાવીને થતા અવિરત પ્રવાસો | |||
અને તેના હાસ્યાસ્પદ અને ક્ષુલ્લક પરિણામોએ | |||
મારી રોજિંદી ચિંતામાં વધારો કર્યો છે | |||
અને હવે હું થાકની પરાકાષ્ટા પર પહોંચી ગયો છું. | |||
હું બીજા કોઈને જાણતો નથી | |||
જે મને મારા જીવન અને સ્વાસ્થ્યની ઢળતી સાંજે | |||
આ સદાકાળની ચિંતામાંથી મુક્તિ અપાવી શકે. | |||
ઊંડા પ્રેમ સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
જોઈતા પૈસા મેળવવા માટે હું બધો જ પ્રયત્ન કરીશ | |||
તે માટે તમે બેફિકર રહેજો. | |||
હું રસ્તો શોધી રહ્યો છું. | |||
મારી શોધનાં પરિણામ તમને જણાવવામાં | |||
થોડો સમય લાગશે. | |||
તમારી વયે | |||
તમારે ઝોળી ફેલાવીને પ્રવાસ કરવો પડે | |||
તેનો વિચાર માત્ર અસ્વીકાર્ય છે. | |||
તમારા શાંતિનિકેતનની બહાર નીકળ્યા વિના | |||
જરૂરી ભંડોળ તમારી પાસે પહોંચી જ જવું જોઈએ. | |||
સન્માનીય પ્રેમ સહિત, તમારો, | |||
થોડાક માસ પછી | |||
ગુરુદેવ જ્યારે તેમના શાંતિનિકેતનની નાટકમંડળી સાથે દિલ્હીમાં હતા ત્યારે મેં લખ્યું, | |||
પ્રિય ગુરુદેવ, | |||
મારા નબળા પ્રયાસને ઈશ્વરના આશીર્વાદ મળ્યા છે. | |||
આ સાથે પૈસા મોકલાવું છું. | |||
ઈશ્વર તમને લાંબા સમય સુધી સલામત રાખે, | |||
સપ્રેમ તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>સાથે એક પત્ર હતો, તેમાં લખ્યું હતું, | |||
આ સાથે રૂ. ૬૦,૦૦૦/-નો ડ્રાફ્ટ બીડ્યો છે | |||
જે શાંતિનિકેતનના ખર્ચમાં ખૂટતી રકમ છે | |||
અને તે ભેગી કરવા | |||
આપ આપની કલાનું પ્રદર્શન વિવિધ સ્થળે કરો છો. | |||
આ સાંભળતા અમે શરમિંદા થઈ ગયા હતા. | |||
અમે માનીએ છીએ કે આપની વયે | |||
અને આપના કથળતા સ્વાસ્થ્ય સાથે | |||
આપને આવા શ્રમદાયક પ્રવાસો ન કરવા જોઈએ. | |||
આપ માત્ર ભારતના જ શ્રેષ્ઠ કવિ નથી, | |||
આપ તો માનવતાના કવિ છો. | |||
આપનાં કાવ્યો વાંચતાં પ્રાચીન ઋષિઓની ઋચા યાદ આવે છે. અમને લાગે છે કે | |||
ઈશ્વરે જેમને સમૃદ્ધિના આશીર્વાદ આપ્યા છે | |||
તેમણે તમને તમારી સંસ્થા માટે જરૂરી ભંડોળ | |||
ભેગું કરવાની જવાબદારીમાંથી મુક્ત કરવા જોઈએ. | |||
એ દિશામાં આ અમારું નમ્ર પ્રદાન છે. | |||
અમે અમારું નામ જાહેર કરવા માંગતા નથી | |||
તેમ જ તેના કારણો આપવાની જરૂર જોતા નથી. | |||
અમે આશા રાખીએ છીએ કે | |||
હવે આપ ઉપર જણાવેલ રકમ ઉઘરાવવા માટે | |||
ગોઠવેલાં બધાં જ રોકાણો રદ કરશો. | |||
આપણા દેશની સેવામાં સમર્પિત | |||
આપના દીર્ઘ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. | |||
અમે છીએ, આપના નમ્ર દેશવાસીઓ, | |||
૧૯૩૭ના આરંભમાં,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મારા પ્રિય મહાત્માજી, | |||
મેં તમને આપણી વિશ્વ ભારતીના આજીવન ટ્રસ્ટી તરીકે નિમવાની ધૃષ્ટતા કરી છે. | |||
જે સંસ્થાને મેં મારા જીવનનું સર્વશ્રેષ્ઠ અર્પણ કર્યું છે | |||
તેના એક વાલી તરીકે તમે છો એ જાણીને | |||
મારા અંતિમ વર્ષોમાં મને સાંત્વન મળશે. | |||
જુદા પરબીડિયામાં મોકલાઈ રહેલી | |||
કાયદા અને નિયમોની પત્રિકામાંથી તમે જોઈ શકશો કે અવારનવાર સલાહ આપવા સિવાય | |||
તેમ જ સંસ્થાની નાણાંકીય સલામતી અંગે | |||
નિર્ણય લેવા સિવાય | |||
બીજા કોઈ કામનો બોજો તમારે માથે નહીં આવી પડે. | |||
મારી જવાબદારી તમારી સાથે વહેંચવામાં | |||
મને કાંઈ અનુચિત નથી લાગતું. | |||
હું જાણું છું કે | |||
આપણી પ્રવૃત્તિના ક્ષેત્રમાં રહેલા મતભેદોને કારણે | |||
આપણી વચ્ચેના | |||
પરસ્પર પ્રેમ અને સમાન આકાંક્ષાનું બંધન ઢીલું નહીં થાય. | |||
હું આશા રાખું છું કે | |||
તમે મને આ વિશિષ્ટ અધિકાર આપશો. | |||
સસ્નેહ તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
તમારો ૧૦મીનો પત્ર મને પાંચ દિવસ પહેલાં મળ્યો હતો. | |||
મારા પ્રત્યેનો તમારો પ્રેમ અને વિશ્વાસ | |||
તેની દરેક પંક્તિમાં દેખાઈ આવે છે | |||
પણ મારી પોતાની મર્યાદાઓનું શું? | |||
મારા પર તમે લાદવા ધારેલો બોજો વહન કરવો | |||
મારા ગજા બહારની વાત છે. | |||
તમારા પ્રત્યેનો આદર મને એક દિશામાં ખેંચી જાય છે અને મારી મર્યાદાઓનો વિચાર સામેની દિશામાં. | |||
આવા મુદ્દામાં લાગણીને તાબે થવું | |||
મારે માટે મૂર્ખામી કહેવાય. | |||
હું સમજું છું કે જો હું જવાબદારી સ્વીકારું | |||
તો મારે વહીવટી વિગતોમાં ઉતરવાની જરૂર નહીં પડે પણ તેમાં સંસ્થાને જરૂરી નાણાંકીય સાધનો ઊભા કરવાની જવાબદારીનો પરોક્ષ સ્વીકાર થાય છે. | |||
બે દિવસ પહેલાં મેં જે સાંભળ્યું | |||
તેનાથી મારી અનિચ્છામાં ઉમેરો થયો છે. | |||
મને કહેવામાં આવ્યું છે કે | |||
મને દિલ્હીમાં આપેલા વચનનો અનાદર કરીને | |||
તમે ફરી એકવાર ઝોળી ફેલાવવા અમદાવાદ જવાના છો. | |||
મને સાંભળીને દુ:ખ થયું અને હું પગે પડીને | |||
તમને વિનંતી કરું છું કે તમારો પ્રવાસ રદ કરો. | |||
અને મારી ટ્રસ્ટી તરીકેની નિમણૂંક | |||
તો પાછી ખેંચી જ લેશો. | |||
પ્રેમ અને સન્માન સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય મહાત્માજી, | |||
તમે મને સમજવામાં ગંભીર ભૂલ કરી છે, | |||
માત્ર એક શંકાને કારણે! | |||
તમારા ઉદાત્ત અને ઉદાર સ્વભાવથી આ કેટલું જુદું છે! | |||
હું વેદનાપૂર્ણ આશ્ચર્યથી હેબતાઈ ગયો છું. | |||
શરમજનક છે કે મારે કહેવું પડે કે | |||
તમને વિશ્વ ભારતીના ટ્રસ્ટી બનાવીને | |||
તમારા નામનો દુરુપયોગ કરીને | |||
નાણાંકીય સહાય મેળવવાનો મારો ઈરાદો ન હતો. | |||
મને લાગે છે કે કોઈ પણ કારણસર | |||
જો એ મારી ભૂલ હોય તો | |||
હું મારી વિનંતી પાછી ખેંચું છું અને તમારી ક્ષમા માંગું છું. | |||
તમારા પત્રમાં તમે મારા ઉપર | |||
દિલ્હીમાં આપેલા વચનનો ભંગ કરીને | |||
ભંડોળ ભેગું કરવા અમદાવાદ જવાનો | |||
વિચિત્ર આક્ષેપ મૂક્યો છે. | |||
તમને ખરી હકીકતની જાણ ન હતી | |||
અને તેથી મારા પર આવો આક્ષેપ મૂકવાનું | |||
બિલકુલ ઉચિત ન કહેવાય. | |||
જવાબમાં મને સ્પષ્ટતા પૂર્વક કહેવા દો કે | |||
જેને હું મારું કર્તવ્ય માનું છું | |||
તેનું ગૌરવ સમજવામાં તમને તમારો સ્વભાવ આડે આવે છે. | |||
મારું કર્તવ્ય માત્ર ભારતના આર્થિક પ્રશ્નો કે | |||
તેના સાંપ્રદાયિક ધર્મો પૂરતું સીમિત નથી | |||
પરંતુ માનવીના મગજની સંસ્કૃતિને | |||
તેના વ્યાપક અર્થમાં સમજવાનો પ્રયત્ન કરે છે. | |||
જેમાં સૌંદર્યના શાશ્વત મૂલ્યો સમાયાં છે | |||
તેવાં મારા કાવ્યમય સર્જનોને જનતા સમક્ષ મૂકવાની | |||
મારી ઇચ્છા થાય ત્યારે તેના બદલામાં | |||
પ્રતિભાવ આપવા જેટલા સંવેદનશીલ માણસો પાસેથી | |||
હું દાન કે કૃપાની નહીં | |||
પણ મારી કલાને કૃતજ્ઞ અંજલિની અપેક્ષા રાખું છું. | |||
અને જો મારે પ્રેક્ષકો પાસેથી પ્રવેશ ફી તરીકે | |||
કોઈ પ્રદાન મેળવવું પડે | |||
તો તેમની સમક્ષ પ્રસ્તુત થતા વિરલ લાભના બદલામાં | |||
તે મને મળવું જોઈએ તેના કરતાં ઘણું ઓછું છે. | |||
તેથી તમારો ઝોળી ફેલાવવાનો શબ્દપ્રયોગ | |||
જે તમારી કલમની સ્પષ્ટ કે ચોક્કસ અભિવ્યક્તિ નથી | |||
અને તેને શોભતી પણ નથી | |||
તેનો હું ધરાર અસ્વીકાર કરું છું. | |||
અસ્તિત્વના આનંદમાં ઉમેરો કરવામાં | |||
સર્જકને સહયોગ આપવાનું તેનું કર્તવ્ય સમજવું | |||
અને પોતાના કર્તવ્યમાં ગંભીર શ્રદ્ધા રાખવી | |||
એ કવિના ધર્મનો એક અંશ છે. | |||
જ્યારે મેં કેળવેલા કલાકારો | |||
મારા સૌંદર્યના સ્વપ્નની અભિવ્યક્તિ | |||
તેમની તાલબદ્ધ અંગભંગી અને અવાજથી આપી રહ્યા હોય ત્યારે તેમની બાજુમાં બેસીને | |||
તેમને કહેવું કે તેઓ સુંદર કામ કરી રહ્યા છે | |||
તેનાથી વધારે મને કાંઈ જ ગમતું નથી | |||
એ મારે સ્વીકારવું જ જોઈએ. | |||
નિષ્ઠાપૂર્વક તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
તમારા પત્રથી મને અત્યંત માનસિક પીડા થઈ છે. | |||
પ્રેમ અને સન્માનપૂર્વક લખાયેલો એક પત્ર | |||
આટલી બધી ગેરસમજુતી ઊભી કરી શકે | |||
તે એક આશ્ચર્યજનક ઘટના છે. | |||
શંકાનો કોઈ પ્રશ્ન જ ન હતો | |||
અને માટે તમને સમજવામાં ભૂલ કરવાનો પણ | |||
પ્રશ્ન ન જ ઊભો થાય. | |||
ટ્રસ્ટી તરીકે રહેવામાં રહેલી જવાબદારીઓ | |||
હું જે રીતે સમજ્યો છું તે તમારી સમક્ષ રજુ કરું છું. | |||
હું બીજી સંસ્થાઓમાં ટ્રસ્ટી રહી ચૂકેલો છું | |||
અને તેમની નાણાંકીય જરૂરિયાતો યોગ્ય રીતે સચવાય | |||
તે જોવામાં મેં મારી જાતને ઘસી નાંખી છે. | |||
જો હું વિશ્વ ભારતીનો બોજો સ્વીકારું | |||
તો મારે ઓછામાં ઓછો | |||
તેનો નાણાંકીય ભાર તો વહેવો જ પડે. | |||
વચનભંગની વાતમાં તો હું એમ માનું છું કે | |||
આપણે એકબીજાની એટલા નજીક છીએ કે | |||
ગંમતમાં હું તમારા પર વચનભંગનો આક્ષેપ મૂકી શકું. | |||
મારો હેતુ સાવ સીધોસાદો હતો. | |||
યેન કેન પ્રકારેણ | |||
મારે તમારા ઝોળી ફેલાવવાના પ્રવાસો ટાળવા હતા. | |||
આ શબ્દપ્રયોગ તો આપણે દિલ્હીમાં | |||
એકથી વધારે વાર વાપરેલો છે. | |||
તમે આપી શકો તેટલું આપો, તે અમને ગમશે | |||
પણ તમારી જનતા સમક્ષની અભિવ્યક્તિમાં | |||
ક્યારેય વિશ્વભારતી માટે ભંડોળ ભેગું કરવાનો | |||
ભાર ન હોવો જોઈએ. | |||
આશા રાખું છું કે આ પત્રથી | |||
મારા આગળના પત્રથી થયેલું દુ:ખ ઓછું થશે. | |||
પ્રેમ અને સન્માન સહિત, તમારો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>: સપ્ટેમ્બર ૧૦, ૧૯૩૭. અચાનક કવિ માંદા પડ્યા. | |||
તે કલકત્તામાં હતા અને શાંતિનિકેતન પાછા ફર્યા | |||
તે જ રાત્રે તે બેભાન થઈ ગયા. | |||
તાર ઑફિસ બંધ હોવાથી રેલ્વેમાંથી રાત્રે એક વાગ્યે | |||
કલકત્તા સંદેશો પહોંચાડવામાં આવ્યો કે | |||
સવારની ટ્રેનની રાહ જોયા વિના | |||
ડૉક્ટરોને તરત જ શાંતિનિકેતન મોકલવામાં આવે. | |||
રાત્રે બે વાગ્યે | |||
ડૉ. નીલરતન સરકાર ગાડીમાં શાંતિનિકેતન આવવા નીકળ્યા અને સવારે ત્યાં પહોંચી ગયા. | |||
ત્યારે કવિ બેભાન હતા | |||
અને સ્થાનિક ડૉક્ટરો માનતા હતા કે | |||
તેમને પક્ષઘાતનો હુમલો થયો છે. | |||
કલકત્તાના ડોક્ટરોએ કહ્યું કે | |||
તે તો એરીસિપેલાનો ગંભીર હુમલો હતો | |||
અને તે મૂત્રાશયની સમસ્યાથી વધુ ગૂંચવાડો ઊભો થયો હતો. | |||
કોઈ જ આશા રહી ન હતી | |||
અને તે બાસઠ કલાક બેભાન રહ્યા હતા. | |||
પણ એક વાર ભાન આવ્યું પછી તે જલદી સાજા થઈ ગયા. બોલવા માંડતા તરત જ તેમને કાવ્ય લખવું હતું | |||
કે ચિત્ર દોરવું હતું. | |||
કાવ્ય લખવામાં વધુ શ્રમ પડે માટે | |||
તેમણે રંગ અને પીંછી મંગાવ્યાં. | |||
થોડાક જ કલાકમાં એમણે એક ખાસું મોટું ચિત્ર દોર્યું. | |||
આગળના ભાગમાં | |||
ઘેરા રંગમાં અસ્પષ્ટ વનની ઝાંખી થાય છે | |||
અને વચ્ચે સોનેરી પ્રકાશનું ઉષ્માભર્યું પૂર ધસી આવે છે | |||
અને પાછળનું દૃશ્ય દેખાય છે. | |||
તેમની ખબર પૂછતો ગાંધીજીનો સંદેશ જોતાં જ | |||
૧૯મી તારીખે તેમણે જવાબ આપ્યો,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય મહાત્માજી, | |||
બેભાન અવસ્થામાંથી જીવંત જગતમાં પાછાં ફરતાં | |||
મારું પ્રથમ સ્વાગત કર્યું | |||
સ્નેહસભર વ્યાકુળતાથી છલકાતા તમારા પત્રે. | |||
મને લાગ્યું કે દીર્ઘકાળ સુધી | |||
સતત થયેલી વેદના અને વ્યથાનું મૂલ્ય ચૂકવાઈ ગયું હતું. | |||
કૃતજ્ઞ પ્રેમ સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
તમારો કિંમતી પત્ર મારી સામે છે. | |||
તમે મારી અપેક્ષા રાખી હતી. | |||
સર નીલરતનનો હિંમત આપતો તાર આવ્યા પછી | |||
મારે તરત જ લખવું હતું. | |||
પણ મારા જમણા હાથને આરામની જરૂર છે | |||
અને મારે લખાવવું ન હતું. ડાબો હાથ ધીરે કામ કરે છે. અમારામાંના કેટલાકને તમારા માટે કેટલો પ્રેમ છે | |||
તેનું આ દૃષ્ટાંત છે. | |||
હું ચોક્કસ માનું છું કે | |||
તમારા પ્રશંસકોની હાર્દિક પ્રાર્થના સંભળાતાં | |||
તમે આજે અમારી સાથે છો. | |||
તમે માત્ર જગતના ગાયક નથી. | |||
તમારો જીવંત શબ્દ હજારોને માટે | |||
પથદર્શક અને પ્રેરણાદાયક છે. | |||
આશા રાખું કે તમે બીજા ઘણા વર્ષો સુધી | |||
અમારી સાથે રહો. | |||
અત્યંત પ્રેમ સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>બે માસ પછી બિરલા બ્રધર્સે | |||
ઈન્ડોલોજી અને કલા વિભાગ | |||
જ્યાં સુધી સંતોષકારક કામ કરતાં રહે | |||
ત્યાં સુધી તેમને મહિને રૂ. ૧૦૦૦/- આપવાનું વચન આપ્યું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>: પ્રિય મહાત્માજી, | |||
મારે માટેનો તમારો પ્રેમ મારી અપેક્ષાને આંબી જાય છે. | |||
તમે મને આપેલો ઉપહાર એ અગાધ શાંતિનો | |||
અને મારી શક્તિનો ધ્વંસ કરતી | |||
રોજિંદી ચિંતામાંથી મુક્તિનો ઉપહાર છે. | |||
લગભગ ચાળીસ વર્ષ સુધી મેં એકલા હાથે | |||
એક એવા સિદ્ધાંત માટે જહેમત ઊઠાવી છે | |||
જેને આસપાસના ઈર્ષાળુ વિરોધના વાતાવરણમાંથી | |||
સહાય નથી મળી. | |||
હવે જ્યારે હું મારી મુસાફરીના અંતની પાસે છું | |||
ત્યારે અચાનક મને મળેલા | |||
ઉદારતાથી ભરપૂર સહાનુભૂતિના આશીર્વાદથી | |||
મારું તૃષાર્ત હૃદય આનંદથી ઊભરાઈ જાય છે. | |||
મારી પાસે બીજા શબ્દો નથી. | |||
ઈશ્વર તમને સુખી રાખે. | |||
સપ્રેમ,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
તમારો માણસ તમારો કિંમતી પત્ર અને રસીદ આપી ગયો છે. મેં કાંઈ જ કર્યું નથી. આ તો ઈશ્વરપ્રેરિત છે. | |||
તમારી જહેમત અને તમારી પ્રાર્થના સફળ થયાં છે. | |||
નાણાંકીય મુશ્કેલીઓની ચિંતામાંથી | |||
તમને સંપૂર્ણ મુક્તિ મળે એવી શુભેચ્છા. | |||
પ્રેમ,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>૧૯૩૮/૩૯માં રવીન્દ્રનાથે ગાંધીજીની ભવ્ય પ્રશંસા કરી.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પોતે એક સંયમી તપસ્વી હોઈને પણ | |||
તેઓ બીજાના આનંદમાં દોષ નથી જોતા | |||
એટલું જ નહીં પણ | |||
તેમના અસ્તિત્વમાં પ્રાણ પૂરવા દિવસ રાત કામ કરે છે. પોતાના જીવનમાં દારિદ્રને મહત્તા આપે છે | |||
પણ ભારતની પ્રજાના ભૌતિક કલ્યાણ માટે | |||
કોઈએ તેમનાથી વધુ જહેમત ઊઠાવી નથી. | |||
તેઓ એક ક્રાંતિકારીને શોભે તેવા ઉત્સાહી સુધારક છે | |||
અને જે આવેશને પોતે જાગ્રત કરે છે | |||
તેના પર સખત સંયમ પણ લાદે છે. | |||
તેઓ મૂર્તિપૂજક પણ છે અને મૂર્તિભંજક પણ છે. | |||
પુરાતન ભગવાનોને તેમના ધૂળિયા ગોખલામાં રહેવા દઈને તેઓ જૂની પ્રાર્થનાનો ઉપયોગ | |||
વધુ સારા માનવતાવાદી હેતુ માટે કરે છે. | |||
તેઓ વર્ણ પ્રથાને વળગી રહીને | |||
તેના સૌથી વધુ શક્તિશાળી સંત્રી જ્યાં છે | |||
ત્યાં જ તેના પર પ્રહાર કરે છે | |||
અને છતાંય તેમનેે તેમનાથી ઊતરતા લોકોએ વહોરેલી લોકપ્રિય નારાજગી નથી વરી. | |||
તેઓ પોતાના અનુયાયીઓને સલાહ આપે છે કે | |||
દૂષણમાં દોષ જુઓ, દોષીમાં નહીં. | |||
આ એક અશક્ય આદેશ લાગે છે | |||
પણ તેમણે પોતાના જીવનમાં | |||
તેને શક્ય હોય તેટલો અપનાવ્યો છે. | |||
તે મહાન છે એક રાજદ્વારી પુરુષ તરીકે, | |||
એક વ્યવસ્થાપક તરીકે, એક નેતા તરીકે, | |||
એક નૈતિક સુધારક તરીકે પણ આ બધાંથી વધુ, | |||
તે મહાન છે એક માનવી તરીકે. | |||
કારણ કે આ બધાં જ સ્વરૂપો કે પ્રવૃત્તિઓ | |||
તેમની માનવતાને સીમિત નથી બનાવતાં. | |||
એક દૃઢ આદર્શવાદી હોઈને પણ | |||
તેઓ દરેક આચારશ્રેણીને | |||
પોતાના આગવા નુસખાથી ચકાસે છે. | |||
ખાસ કરીને તે ચાહે છે માનવીને અને નહીં કે વિભાવનાને. | |||
તે જો સમાજને માટે કોઈ અખતરાનું સૂચન કરે | |||
તો પહેલાં જાતે તેની કસોટીમાંથી પસાર થશે. | |||
તે જો કોઈ બલિદાનની હાકલ પાડે | |||
તો પહેલાં પોતે તેની કિંમત ચૂકવશે. | |||
તેના સદ્ગુણો મહાન હોઈને પણ | |||
આ માણસ તેના સદ્ગુણોથી પણ મહાન હોય તેમ લાગે છે. | |||
તેમણે પ્રસ્તુત કરેલા કોઈ પણ સુધારાની વિભાવના | |||
તેમની પોતાની ન હોઈને પણ | |||
એ સ્વીકારવું જ પડશે કે | |||
આ કોઈ પણ સુધારામાં એવી શક્તિ ન હતી | |||
કે જે તેમના આવ્યા પછી દેખાઈ રહી છે. | |||
કારણ કે હવે | |||
તેમનામાં એક સંપૂર્ણ માનવીની ચેતનાએ પ્રાણ રેડ્યો છે | |||
જે પોતાની વિભાવના સાથે એકરૂપ છે, | |||
જેનું દર્શન પોતાના સમગ્ર વ્યક્તિત્વ સાથે | |||
સંપૂર્ણપણે ભળી ગયું છે. | |||
તે ભાર મૂકે છે સત્ય અને સાધનશુદ્ધિ ઉપર | |||
જેમાંથી ઉદ્ભવ્યો છે તેમનો અહિંસાનો સિદ્ધાંત | |||
જે તેમની ઊંડી માનવતાનું બીજું પાસું છે. | |||
તેઓ યાદ રહેશે એક એવા માણસ તરીકે | |||
જેનું જીવન જ આવનારી પેઢીઓ માટે | |||
એક ઉદાહરણ બની રહેશે. | |||
ક્યારેક રાજકારણના પ્રાંગણમાં આવી ચડે છે | |||
ઇતિહાસના સર્જકો, | |||
જેમની માનસિક ઊંચાઈ માનવતાના સામાન્ય સ્તર કરતાં | |||
વધુ હોય છે. | |||
તેમના હાથમાં હોય છે શક્તિનું એક એવું સાધન | |||
જેનું બળ ભૌતિક સાધનો જેવું જ નિર્દય હોય છે. | |||
તે ઉપયોગ કરે છે માનવ સ્વભાવની ક્ષતિઓનો– | |||
લોભ, ભય, અહંકાર ઈત્યાદિ. | |||
મહાત્મા ગાંધીએ આવીને | |||
જ્યારે ભારતના સ્વરાજના પથનું ઉદ્ઘાટન કર્યું, | |||
ત્યારે તેમના હાથમાં શક્તિનું કોઈ સાધન ન હતું | |||
કે કોઈ જુલમી સત્તા ન હતી. | |||
તેમના વ્યક્તિત્વમાંથી ઉદ્ભવતી અસર | |||
સંગીત અને સૌંદર્યની જેમ અવર્ણનીય હતી. | |||
તે બીજા ઉપર અધિકાર જમાવતા | |||
પોતાના અંતરમાંથી પ્રગટ થતી આત્મસમર્પણની ભાવનાથી. | |||
આ જ કારણે આપણી પ્રજાએ | |||
તેમણે સ્વભાવગત ચતુરાઈથી કરેલા જટિલ હકીકતોના ઉપયોગને જરાય મહત્વ નથી આપ્યું. | |||
તેમણે તો જોયું છે | |||
તેમના ચરિત્રની સ્પષ્ટ સાદગીમાં ઝળહળતું સત્ય. | |||
તેથી જ તેમની પ્રવૃત્તિઓનું સામ્રાજ્ય | |||
વ્યવહારિક રાજકારણમાં વિસ્તર્યુુંં હોવા છતાં | |||
જનતાના મનમાં તેમનું પ્રસ્થાપન મહાન ગુરુ તરીકે થયેલું છે. | |||
તેમની આધ્યાત્મિક આકાંક્ષાઓ | |||
માનવતાના સમગ્ર સ્વરૂપને સમજીને અતિક્રમે છે | |||
અને જ્ઞાનના શાશ્વત સ્રોતમાંથી આવતા પ્રકાશમાં દુનિયાદારીના ચહેરાને જુએ છે. | |||
મારે સ્વીકારવું જોઈએ કે | |||
હું હંમેશા મહાત્માજી સાથે સંમત નથી થતો | |||
એટલે કે જો મારામાં એમના ચરિત્રની શક્તિ હોત | |||
તો મારી કામ કરવાની રીત તેમનાથી જુદી હોત. | |||
મારી પાસે કલ્પનાશક્તિ છે પરંતુ કાર્યશક્તિ નથી. | |||
જગતમાં જૂજ માણસો પાસે તે શક્તિ હોય છે. | |||
આવા માણસે સદ્ભાગ્યે આપણા દેશમાં જન્મ લીધો છે | |||
અને તેમની પ્રગતિનો માર્ગ ખુલ્લો રાખવો જોઈએ. | |||
હું ચોક્કસ તેમાં અવરોધ ઊભો કરવાનું ન વિચારું. </poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>૧૯૪૦માં ગાંધીજીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી. | |||
તેમના આગમનની બપોરે આમ્રકુંજમાં | |||
એક નાના સ્વાગતસમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. | |||
કવિને ગમતા ઉપનિષદના શ્લોકથી સમારંભનો આરંભ થયો, | |||
જે તેને જાણે છે તે અમરત્વ પામે </poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>અમારા આશ્રમમાં આપનું સ્વાગત કરતાં | |||
હું આશા રાખું છું કે | |||
આપણી અભિવ્યક્તિ વાણીવિલાસમાં ખેંચાઈ ન જઈને | |||
પ્રેમ અને સન્માનના હાર્દિક શબ્દોમાં સીમિત રહે. | |||
મહાન વ્યક્તિઓનો સત્કાર | |||
સાદગીની ભાષાના સ્વરૂપમાંજ શોભે | |||
અને અમે આપને થોડા જ શબ્દોમાં જણાવવા ચાહીએ છીએ કે | |||
અમે આપને અમારામાંના એક તરીકે સ્વીકારીએ છીએ | |||
અને સમગ્ર માનવતાના પ્રતિનિધિ માનીએ છીએ. | |||
આપણે જાણીએ છીએ તેમ | |||
આ ક્ષણે આપણી નિયતિ પર સમસ્યાની ઘેરી છાયા ફરી વળી છે. આપના પથ પર તેનો અવરોધ છવાયો છે | |||
અને અમે પણ તેના હુમલામાંથી બાકાત નથી. | |||
થોડા સમય માટે આપણે આ કોલાહલની સીમા પાર કરીને આપણા મિલનને હાર્દિક મિલન થવા દઈએ | |||
જે આ દિશાહીન રાજકારણની | |||
નૈતિક અંધાધૂધીની અસર ઓછી થતાં | |||
આપણા સત્યના પ્રયાસોના | |||
શાશ્વત મૂલ્યો પ્રગટ થયા પછી પણ યાદ રહે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>હું મારી શાંતિનિકેતનની આ મુલાકાતને | |||
એક યાત્રા માનું છું. | |||
આ વખતે શાંતિનિકેતન સાચે જ મારે માટે | |||
શાંતિનો આવાસ છે. | |||
રાજકારણની બધી જ જંજાળ હું પાછળ મૂકીનેે | |||
અહીં આવ્યો છું ગુરુદેવના દર્શન કરવા | |||
અને તેમના આશીર્વાદ મેળવવા. | |||
મેં મારી જાતને ઘણી વાર | |||
કુશળ ભિક્ષુક તરીકે વર્ણવી છે. | |||
પણ મારી ઝોળીમાં | |||
ગુરુદેવના આજના આશીર્વાદથી વધુ મૂલ્યવાન ભેટ | |||
ક્યારેય નથી પડી. | |||
હું જાણું છું કે તેમના આશીર્વાદ | |||
સદાય મારી સાથે જ હોય છે. | |||
પણ આજે તે પ્રત્યક્ષ મેળવીને હું ધન્ય થયો છું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગાંધીજી વિદાય લેતા હતા | |||
ત્યારે રવીન્દ્રનાથે તેમના હાથમાં એક પત્ર મૂક્યો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>: પ્રિય મહાત્માજી, | |||
અમારા વિશ્વ ભારતીની પ્રવૃત્તિઓનું | |||
તમે હમણાં જ વિહંગાવલોકન કર્યું. | |||
હું નથી જાણતો કે તમે તેની ગુણવત્તા અંગે | |||
શું અભિપ્રાય બાંધ્યો. | |||
તમે જાણો છો કે આ સંસ્થા રાષ્ટ્રીય હોવા છતાં | |||
તેનો આત્મા આંતરરાષ્ટ્રીય છે. | |||
અહીં અમારા સાધનોથી પર્યાપ્ત ભારતીય સંસ્કૃતિ | |||
અમે જગતને ધરીએ છીએ. | |||
તેની કટોકટીના સમયે તમે તેને બચાવી લીધી હતી. | |||
તમારી એ મૈત્રીપૂર્ણ ચેષ્ટા માટે | |||
અમે તમારા સદા ઋણી રહીશું. | |||
હવે તમે શાંતિનિકેતનની વિદાય લો તે પહેલાં | |||
હું તમને આજીજી કરું છું કે | |||
જો તમે તેને રાષ્ટ્રીય થાપણ માનતા હો | |||
તો આ સંસ્થાને તમે તમારું સંરક્ષણ આપીને | |||
તેને સ્થાયી સ્વરૂપ આપો. | |||
વિશ્વ ભારતીમાં મારા જીવનની શ્રેષ્ઠ સમૃદ્ધિનો સંચય થયો છે અને તેની સુરક્ષા માટે | |||
મારા દેશવાસીઓ તેની ખાસ સંભાળ લેવા તૈયાર થશે | |||
તેવી મને આશા છે. </poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>પ્રિય ગુરુદેવ, | |||
આપણે છૂટા પડ્યા ત્યારે તમે મારા હાથમાં મૂકેલો હૃદયસ્પર્શી પત્ર સીધો મારા હાર્દમાં સ્થાન પામ્યો છે. | |||
વિશ્વ ભારતી રાષ્ટ્રીય સંસ્થા છે એ નિ:શંક છે. | |||
તે ચોક્કસ આંતરરાષ્ટ્રીય પણ છે. | |||
તેને સ્થાયી સ્વરૂપ આપવા માટે | |||
હું બધું જ બનતું કરી છૂટીશ | |||
તેને માટે તમે નિશ્ચિંત રહેજો. | |||
રોજ દિવસમાં એક કલાક આરામ કરવાનું રાખશો | |||
એ વચનનું પાલન કરશો. | |||
મેં શાંતિનિકેતનને હંમેશા મારું બીજું ઘર જ માન્યું છે છતાં આ મુલાકાતમાં હું તેની વધારે નજીક આવ્યો છું. | |||
સન્માન અને પ્રેમ સહિત,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>તેમના અંતિમ દિવસોમાં બંને અત્યંત એકાકી અને શ્રાંત હતા. | |||
રવીન્દ્રનાથે વર્ષો પહેલાં ગાયેલું ગીત, | |||
તારી હાક સુણી જો કોઈ ના આવે, તો તું એકલો જાને રે | |||
ગાંધીજી પોતાના અંતિમ દિવસોમાં વારંવાર સાંભળતા. | |||
૧૯૪૧ના એપ્રિલની ૧૩મીએ રવીન્દ્રનાથને ૮૦ વર્ષ પૂરા થયા. | |||
ગાંધીજીએ તાર કર્યો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ચાર વીસુ ઓછા છે પાંચ પૂરા કરવા શુભેચ્છા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>સંદેશા માટે આભાર ચાર વીસુ અવિનય પાંચ અસહ્ય.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>તેમના અંતિમ જન્મદિને રવીન્દ્રનાથે અંતિમ સંદેશ આપ્યો – સભ્યતાનું સંકટ. | |||
અત્યંત અશક્ત અવસ્થામાં | |||
તે પોતાનું વક્તવ્ય વાંચી પણ ન શક્યા. | |||
ક્ષિતિમોહન સેને વાંચ્યું,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>: પશ્ચિમના માનસમાં સુષૂપ્ત પડેલ | |||
હિંસાની ચિનગારી આખરે ભડકી ઊઠી છે | |||
અને માનવીની ચેતનાને અભડાવે છે. | |||
મેં એક વખત આશા રાખી હતી કે | |||
સંસ્કૃતિનો સ્રોત યરોપના હાર્દમાંથી ઉદ્ભવશે. | |||
પણ આજે હું જ્યારે જગતમાંથી વિદાય લેવાની તૈયારીમાં છું ત્યારે એ શ્રદ્ધા એળે ગઈ હોય તેમ લાગે છે. | |||
ચારે તરફ હું જોઈ રહ્યો છું | |||
વ્યર્થ ઢગલાની જેમ પડેલા | |||
એક ગૌરવશાળી સંસ્કૃતિના ખંડેર સમા અવશેષ. | |||
અને છતાં માનવીમાંથી શ્રદ્ધા અને વિશ્વાસ ગુમાવવાનું | |||
ઘોર પાપ હું નહીં આચરું. | |||
કદાચ પરોઢ આ દિશામાંથી આવશે, | |||
પૂર્વમાંથી, જ્યાંથી સૂર્ય ઊગે છે. | |||
એક દિવસ એવો આવશે | |||
જ્યારે અપરાજિત માનવી | |||
પોતાના વિજયપથ પર ફરી વિચરશે | |||
બધા જ અવરોધોને અવગણીને, અતિક્રમીને, | |||
હારેલો માનવતાનો વારસો ફરીથી જીતવા.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગુરુદેવ, આ બધામાં તો હું તમારી સાથે સંમત છું. | |||
ચાલો આપણે સાથે વાંચીએ.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>મહાત્માજી, માત્ર વાંચીએ જ નહીં, સાથે પ્રચાર કરીએ.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ}} અને {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>'''ઘમંડી અને ઉદ્ધત સત્તાના ભયસ્થાનોના આજે આપણે સાક્ષી છીએ;''' | |||
'''ઋષિઓ જે કહી ગયા છે તેનું સત્ય એક દિવસ''' </poem> | |||
}} | |||
{{Playend}} | {{Playend}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પ્રાસ્તાવિક | |||
|next = પરિશિષ્ટ૧ | |||
}} |
edits