ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,319: Line 1,319:
}}
}}


   
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
 
|story = <poem>મારા રૂમમાં આ સોહાગ રાતના શણગાર કમ ક ે ર્યા છ?ે
ક્યાં છ ને વવધૂ?</Poem>
}}
 
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
 
|story = <poem>અમારા હૃદયની સદાબહાર રાણી, શાંતિનિકેતન
આપનું સ્વાગત કરે છે.</poem>
}}
 
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
 
|story = <poem>પણ તે મારા જેવા બોખા ભિક્ષુકની સામે
નજર પણ નાંખશે?</Poem>
}}
 
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
 
|story = <poem>અમારી રાણી તો સત્યને ચાહે છે
અને ઘણાં વર્ષોથી તેની સાચા મનથી પૂજા કરતી આવી છે.</poem>
}}
 
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
 
|story = <poem>થોડા જ સમય પછી ચર્ચાનો આરંભ થયો.</Poem>
}}
 
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
 
|story = <poem>: ચરખાની ચળવળથી
મારા મગજના ઊંડાણમાં કોઈ જ અસર થઈ નથી
એમ કહેતાં હું જરા પણ ક્ષોભ અનુભવતો નથી.
હું જોઈ રહ્યો છું કે
જ્યારે ત્રાક ચલાવવા મટે હાથ રાજી નથી હોતા
ત્યારે મોઢેથી તેના વખાણ કરવામાં આવી રહ્યા હોય છે.
હું દૃઢતાપૂર્વક માનું છું કે સમુદાયના માનસ ઉપર અજમાવવામાં આવતું સમજુતીનું તીવ્ર દબાણ
તેને માટે સુપથ્ય નથી. …
આનો પ્રત્યાઘાત તો આવશે જ
અને તેના પરિણામે ભ્રમ દૂર થતાં
રહી જશે શિથિલ ચરિત્રમાંથી ઉદ્‌ભવતી હતાશા.
હિંદુ-મુસ્લિમ એકતાની તક ઉજળી છે
એવો આભાસ થતાં જે જબરદસ્ત ભાવોન્માદ પ્રગટ્યો હતો તેનો અનુભવ તાજો જ છે.
કોઈ વિશ્વસનીય વ્યક્તિના ચીંધેલા
આડરસ્તાના પ્રલોભનોમાંથી બચવાનું
આપણી પ્રજા માટે શક્ય નથી
તેથી જ ચરખામાં મૂકાતી સામુદાયિક અંધશ્રદ્ધાનો
મને ભય છે.
કોઈ વળી એમ પણ કહે છે કે
બીજું બધું જ બાજુએ મૂકીને
માત્ર કાંતવાનું જ અમે નથી કહેતાં.
પણ તેઓ બીજા કોઈ પણ અગત્યના કામની વાત પણ નથી કરતા. સ્વરાજ મેળવવાના એકમાત્ર સાધનની વાત ચાલે છે
તે સિવાય સૌ મૌન ધારણ કરીને બેઠા છે.
આવું મૌન બોલાયેલા શબ્દો કરતાં પણ વધુ શક્તિશાળી નથી?
આવા મૌનની ભૂમિકામાં
ચરખાના અવાજને અનુચિત પ્રાધાન્ય નથી મળતું?
શું ચરખો ખરેખર એટલો મહાન છે?
કરોડો ભારતીયોના
પ્રકૃતિ અને ક્ષમતાના વૈવિધ્યને અવગણીને
તેમની એકનિષ્ઠ ભક્તિ
ચરખા પ્રતિ દોરી જવાનું ઉચિત કહેવાય
એવું દિવ્ય તત્વ ચરખામાં છે?
દરેક ભક્તની અંજલિ
સ્વરાજના મંદિરમાં પ્રસ્થાપિત ચરખા દેવીને જ સમર્પિત થશે એવી આશા રાખી શકાય?
આપણો દેશ તો રૂઢિ અને કર્મકાંડની ભૂમિ છે
તેથી જ આપણને ઈશ્વર કરતાં
તેની પૂજા કરતા પૂજારીના ચરણકમલમાં વધુ શ્રદ્ધા હોય છે.
આવા જ દેશમાં પ્રજા ચરખાને મુક્તિનું પ્રતીક માની શકે
અને કોઈ ભ્રામક લાલચથી અંજાઈને આજ્ઞાપાલન કરતા લોકો એક ખૂણામાં એકલા બેસીને કાંત્યા કરી શકે
અને સ્વપ્ન જોયા કરે કે
સ્વરાજનો રથ આપમેળે તેમના ચરખાના ભ્રમણ સાથે
પોતાની વિજયયાત્રાના પથ પર આગળ વધશે.
ભારતમાં બધાંની વચ્ચે ધર્મની બાબતમાં ઐક્ય સાધવું શક્ય નથી.
રાજકીય મંચ ઉપર ઐક્ય સાધવાનો પ્રયત્ન હજી તાજો કહેવાય અને તેને સમષ્ટિ સુધી પહોંચતા હજી સમય લાગશે.
તેથી અર્થશાસ્ત્રના ધર્મમાં
આપણે ઐક્ય સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આનાથી વિશાળ બીજું કોઈ પણ ક્ષેત્ર આપણી પાસે નથી;
અહીં ઊંચ-નીચ, જ્ઞાની અને અજ્ઞાની, બધાંને તક મળી શકે તેમ છે.
અહીં લડાઈ ઝગડા ટાળીને
જો આપણે સાબિત કરી શકીએ કે
સ્પર્ધા નહીં પણ સહકારમાં જ સત્ય સમાયું છે
તો આપણે શેતાન પાસેથી
શાંતિ અને સદ્‌ભાવનાનું એક વિશાળ સામ્રાજ્ય
પ્રાપ્ત કરી શકીશું.
ઘરે કાંતેલા સૂતર અને કાપડના ઉત્પાદનથી
ગરીબી દૂર કરી શકાય
એવી માન્યતાને સ્વીકારીને અત્યાર સુધી ચર્ચા કરવામાં આવી છે.
પણ જેમનો આ વિષય છે તેમને આ માન્યતા જ સ્વીકાર્ય નથી.
મારા જેવા અજ્ઞાનીએ આ વિવાદમાં પડવું જ ન જોઈએ.
મારી ફરિયાદ તો માત્ર એટલી જ છે કે
આ ચરખા અને સ્વરાજ વચ્ચેના ગૂંચવાડાને કારણે
દેશનું ધ્યાન સ્વરાજને બદલે બીજી જ દિશામાં જતું રહે છે.
આપણા દેશના કલ્યાણ માટેની આ લડતમાં
ચરખાને અગ્રસ્થાન આપવાથી
આપણી અપમાનિત બુદ્ધિ હત:પ્રાય નિષ્ક્રિયતામાં સરી પડશે.
દેશના કલ્યાણનું સ્પષ્ટ અને મહાન ચિત્ર
જો પ્રસ્તુત કરવામાં આવે
તો દરેક દેશવાસી પોતાનું શ્રેષ્ઠતમ આપીને
એવા રસ્તા પર પ્રયાણ કરે
જેમાં તેમની સમગ્ર પ્રવૃત્તિ એ જ ધ્યેય પ્રતિ આગળ વધતી હોય.
સૂતર અને કાપડના મોટા ઢગલા
એ કાંઈ કલ્યાણના ચિત્ર માટે સુયોગ્ય વિષય નથી.
એ તો એક ગણતરીબાજનું દર્શન છે;
તેનાથી એવી અગણિત શક્તિને ઉત્તેજના ન મળે
જે પરમ જ્ઞાન માટે વેદના અને મૃત્યુ પણ સ્વીકારે
અને ટીકા કે નિષ્ફળતા પણ ધ્યાનમાં ન લે.
હું માનું છું કે મુખ્ય જરૂરિયાત છે
દેશભરમાં નાના કેન્દ્રો ઊભા કરવાની,
જ્યાં સ્વરાજપ્રાપ્તિ દેશની પોતાની જવાબદારી છે
એવી ભાવનાને અભિવ્યક્તિ મળે.
બીજા શબ્દોમાં કહીએ તો
પોતાના સમગ્ર કલ્યાણ માટે, માત્ર ઘરે કાંતેલા સૂતર માટે નહીં!
સ્વાસ્થ્ય, પ્રવૃત્તિ, તર્ક, શાણપણ, આનંદ
બધી જ સામગ્રીનો ઉપયોગ સંપૂર્ણ કલ્યાણ માટે થવો જોઈએ.
તેથી દેશના વિવિધ ભાગોમાં એવા કેન્દ્રો ઊભા કરવા જોઈએ
જે સ્વાસ્થ્ય, શાણપણ અને સમૃદ્ધિથી સભર જીવનનું
ઉદાહરણ પૂરું પાડી શકે.
બાકી કાંતવાથી કે ખાદી વણવાથી કે ચર્ચા કરવાથી
આપણે સ્વરાજનો સાચો અર્થ નહીં સમજાવી શકીએ.
આપણે જે ભારતભરમાં મેળવવું છે
તે પહેલાં તેના કોઈ એક નાના ખૂણામાં મેળવવું જોઈએ.
જ્યારે સામૂહિક આત્મનિર્ધારના પરિચય, આચરણ અને ગૌરવનો દેશમાં વ્યાપક પ્રચાર થશે
ત્યારે જ આવા વિશાળ અને કાયમી પાયા ઉપર
સાચા સ્વરાજનું પ્રસ્થાપન થશે.
જે ગામડાંના લોકો સાથે હળીમળીને
પોતાના અન્ન, સ્વાસ્થ્ય અને કેળવણીના પ્રશ્નો હલ કરશે
અને તેમાંથી આનંદ મેળવશે
તેઓ સ્વરાજના પથ પર એક દીપક પ્રગટાવશે.
ત્યાર બાદ એક પછી એક બીજા દીવા પ્રગટાવતા
સ્વરાજના પથ પર આગળ વધવું સહેલું થઈ જશે.
આ બધું અંતર્ગત પ્રક્રિયાના જીવંત વિકાસથી સાધી શકાય, ચરખાના યાંત્રિક પરિભ્રમણથી નહીં!
કોઈ પણ સિદ્ધાંત કે પદ્ધતિની બાબતે
મહાત્મા ગાંધીથી જુદો મત ધરાવવો
મારે માટે અત્યંત દુ:ખદાયક છે.
જેમને માટે આટલો પ્રેમ, આદર અને સન્માન હોય
તેમની સાથે મળીને કામ કરવાથી વધારે આનંદ શામાં હોઈ શકે?
મારે માટે મહાત્માજીના નૈતિક વ્યક્તિત્વથી
વધુ આશ્ચર્યકારક કાંઈ જ નથી.
દિવ્ય કૃપાથી તેમની પાસે વજ્રસમી ઝળહળતી શક્તિ છે.
આ શક્તિથી તે ભારતને સામર્થ્ય પ્રદાન કરે, ગૂંગળાવે નહીં
એવી મારી પ્રાર્થના છે.
અમારામાં રહેલી પ્રકૃતિગત ભિન્નતાને કારણે
તેમના કાર્યક્ષેત્રને મારો અંતરાત્મા પોતાનું ગણીને
સ્વીકારી શકતો નથી.
કેટલીય વાર મારી અંગત આદરપૂર્ણ ભાવનાઓએ
મને આગ્રહ કર્યો છે કે
હું ગાંધીજીના ચરખા સંપ્રદાયનેે અનુસરું,
પણ મારો અંતરાત્મા અને બુદ્ધિ હંમેશા આડે આવ્યાં છે.
જો ચરખાને તેને મળવું જોઈએ
તેનાથી વધુ ઊંચું સ્થાન આપવામાં આવશે
તો સર્વવ્યાપી પુનરૂત્થાનના કાર્યક્રમમાં
વધુ અગત્યના પરિબળોને બદલે બીજી તરફ ધ્યાન ખેંચાશે
અને હું તેની જવાબદારી લેવા માંગતો નથી. </poem>
}}
 
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
 
|story = <poem>સર રવીન્દ્રનાથનો ચરખાની ટીકા કરતો લેખ
થોડા સમય પહેલાં છપાયો
ત્યારે મિત્રોએ મને તેનો જવાબ આપવા જણાવ્યું હતું.
તેમની ટીકાથી હું જરા પણ નારાજ નથી થયો.
માત્ર મતભેદથી શા માટે નારાજ થવું જોઈએ?
મને તો સ્પષ્ટ ચર્ચાથી આનંદ થાય છે.
મતભેદથી તો મૈત્રી વધુ મજબૂત બને છે.
મતભેદમાં તીખાશ કે કડવાશ ન હોવી જોઈએ.
અને મારે સાભાર કહેવું જોઈએ કે
કવિની ટીકામાં આનો અંશમાત્ર નથી.
મારે આ પ્રાસ્તાવિક ટિપ્પણી કરવી પડે છે કારણ કે
એવી અફવા છે કે ઈર્ષા આ બધી ટીકાના મૂળમાં છે.
આવી પાયા વિનાની શંકા
અશક્તિ અને અસહિષ્ણુતા તરફ આંગળી ચીંધે છે.
ભલા, કવિને મારી ઈર્ષા કરવાનું શું કારણ?
જ્યાં સ્પર્ધાની શક્યતા હોય ત્યાં ઈર્ષાને સ્થાન હોઈ શકે.
હું તો જીવનમાં ક્યારેય એક પણ પ્રાસ મેળવી શક્યો નથી!
મારામાં કવિત્વનો છાંટોય નથી.
હું વળી ક્યાંથી તેમની મહાનતાની આકાંક્ષા સેવી શકું?
તે તો કાવ્યશાસ્ત્રના પંડિત છે તેમાં કોઈ શંકા નથી.
આખાય જગતમાં તેમના જેવો કવિ શોધ્યો મળે તેમ નથી.
બધાંએ તેમને આપેલી કવિની પદવી સામે
મારી મહાત્માગીરીનું કોઈ જ મહત્વ નથી.
અમારા કાર્યક્ષેત્રો સાવ જુદા જ છે
અને તેમાં ક્યાંય એકબીજાની સીમા ઓળંગાતી નથી.
હું તો કોઈના બનાવેલા ચરખાનો ગુલામ છું.
કવિ તો તેમની વાંસળીના સૂર પર ગોપીઓને નચાવે છે.
મારે તો સીતા સમાન મારા ચરખાને
જાપાન, માન્ચેસ્ટર અને પેરિસ જેવા
દસ માથાવાળા દાનવ પાસેથી છોડાવવાનો છે.
કવિ તો સર્જક છે – તે સર્જે, વિનાશ કરે અને ફરીથી સર્જે.
હું તો શોધક છું અને એક વાર જે મળે
તેને પકડીને મારે તો બેસી રહેવું પડે.
અમારા બે વચ્ચે સ્પર્ધાનો કોઈ સવાલ જ નથી આવતો.
પણ હું નમ્રતાથી કહી શકું કે
અમારા બેની પ્રવૃત્તિ એકબીજાની પૂરક છે.
કવિ યંગ ઇન્ડિયા વાંચતા નથી
અને એમને એની જરૂર પણ નથી.
તે જે કાંઈ અમારા કાર્યક્રમ વિશે જાણે છે
તે તેમણે સાંભળેલું છે.
તેથી તેમણે પોતે કલ્પેલા ચરખાના અતિરેકની ટીકા કરી છે.
આળસ ખંખેરીને જે લોકો સહકારનું મહત્વ સમજ્યા છે,
તેવા લોકોની વચ્ચે અને ચરખાની આસપાસ
રાષ્ટ્રીય સેવકો મેલેરિયા વિરોધ, સ્વચ્છતા સુધારણા,
ગામના વિવાદોનું નિવારણ, ઢોરોનું પ્રજનન અને સ્વાસ્થ્ય અને બીજા અનેક સર્જનાત્મક કાર્યક્રમો હાથ પર લઈ શકે.
જયાં જ્યાં ચરખાનું કામ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે
ત્યાં બધે જ આવી સુધારક પ્રવૃત્તિ
ગામના લોકોની અને સેવકોની ક્ષમતા મુજબ ચાલી રહી છે. મારો હેતુ કવિની બધી જ દલીલો અંગે
વિગતવાર ચર્ચા કરવાનો નથી.
જે મુદ્દે અમારી વચ્ચે પાયાના મતભેદ નથી
તે બધાંમાં હું કવિની દલીલોનું સમર્થન કરતો હોવા છતાં ચરખાની બાબતમાં મારા દૃષ્ટિકોણને વળગી રહું છું.
ચરખા અંગે તેમણે એવા મુદ્દાઓની ઠેકડી ઊડાવી છે
જેનું પ્રતિપાદન મેં કર્યું જ નથી.
મેં વર્ણવેલા ચરખાના ગુણોને કવિના આક્ષેપોથી
કાંઈ જ હાનિ થતી નથી.
અમારી વચ્ચેના મતભેદો છતાં,
તેઓ જાણે છે તેમ,
હું તેમને આદર અને સન્માનના ભાવથી જોઉં છું.</poem>
}}
 
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
 
|story = <poem>આ ચર્ચાનો દોર ચાલતો હતો ત્યારે
ગાંધીજીએ રવીન્દ્રનાથને સર તરીકે સંબોધન કર્યું હતું
તે અંગે જાતજાતની વાતો થવા માંડી હતી કારણ કે જલિયાનવાલા બાગની ઘટના પછી
રવીન્દ્રનાથે વાઇસરોયને એ ખિતાબ પાછો લઈ લેવા
વિનંતી કરી હતી એ વાત સૌને સુવિદિત હતી.
ઘણાંને એમ લાગતું હતું કે
આવો કટાક્ષ મહાત્માને ન શોભે.</poem>
}}
 
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
 
|story = <poem>મેં વિશ્વ ભારતીના અગ્રગણ્ય અધ્યાપક,
શ્રી વિદુશેખર શાસ્ત્રીને પત્ર લખ્યો,
 
ડિસેમ્બર ૨૧, ૧૯૨૫
પ્રિય શાસ્ત્રી મહાશય,
મારે પત્ર કોને લખવો તે હું નક્કી કરી શકતો ન હતો.
આપને લખું, કે પછી સીધો જ ગુરુદેવને પત્ર લખું
કે રામાનંદબાબુને?
આખરે મેં આપને લખવાનું નક્કી કર્યું છે
અને આ પત્ર ગુરુદેવને અને રામાનંદબાબુને બતાવવો કે નહીં તેનો નિર્ણય આપના પર છોડું છું.
રા.બાબુનો મૉડર્ન રિવ્યુમાં આવેલો લેખ
મને વાંચી સંભળાવવામાં આવ્યો હતો.
મારે કહેવું જ જોઈએ કે મને વાંચીને અત્યંત દુ:ખ થયું હતું.
હું જાણું છું કે તે જાણીને
કોઈને માટે ગેરસમજણ ઊભી કરે તેવા નથી.
મારું કમનસીબ છે કે
સાવ શુદ્ધ ભાવનાથી લખાયેલા મારા લખાણમાં
તેમના જેવા માણસને પણ કાંઈક અયોગ્ય લાગ્યું.
જો ગુરુદેવને પણ એમ જ લાગ્યું હોય
તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું.
હવે તો હું માત્ર મારી કેફિયત રજુ કરીને
શાંતિનિકેતનના દરેક મિત્રને તેનો સ્વીકાર કરવાની વિનંતી કરી શકું.
ગુરુદેવનો ખિતાબ અજ્ઞાનથી
કે અજાણતાં વાપર્યો ન હતો.
હું જાણતો હતો કે તેમણે તેનો ત્યાગ કર્યો ન હતો
પણ તેમણે તે પાછો ખેંચી લેવા માટે કહ્યું હતું.
પણ તે ખિતાબ પાછો ખેંચી લેવાયો ન હતો.
મેં અને ઍન્ડ્રુઝે આ બાબતની ચર્ચા પણ કરી હતી
અને અમે એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે
જે ખિતાબ પાછો નથી લેવાઈ ગયો
તેને માટે આપણે, એટલે કે ગુરુદેવના મિત્રોએ,
ખોટી ધાંધલ ન કરવી જોઈએ.
અમને એમ પણ લાગ્યું કે
યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવો વિવેકપૂર્ણ કહેવાય.
આવા ખિતાબોના બહિષ્કારથી કેવું ઝેર રેડાયું છે
તે હું જાણતો હોવાથી
મેં જાણીને ખિતાબ ધરાવનાર વ્યક્તિઓને
ખિતાબ સાથે સંબોધન કર્યું છે
જેથી એમ ન લાગે કે ખિતાબોનો ઉપયોગ કરવો કોઈ ગુનો છે.
 
આમ ગુરુદેવને માટેના આદરને ધ્યાનમાં રાખીને
મેં ખિતાબનો ઉપયોગ કર્યો હતો.
એનો ઉપયોગ એટલો સહજ રીતે થયો હતો કે
રામચન્દ્રન્‌નો પત્ર આવ્યો અને મહાદેવે મારું ધ્યાન ખેંચ્યું
ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે મેં એનો ઉપયોગ કર્યો છે!
ઈર્ષાની વાત અંગે રામાનંદબાબુ અને બીજા મિત્રોને જણાવજો કે એકથી વધારે બંગાળી મિત્રો
તેમ જ કેટલાક ગુજરાતી મિત્રો અને બીજાઓએ પણ
આ વાતનો ઉલ્લેખ એ જ સંદર્ભમાં કર્યો હતો.
મારે ઉમેરવું જોઈએ કે
મેં તેમની સાથે પણ ચોખવટ કરી હતી.
મને જ્યારે ખબર પડી કે
કેટલાંક વર્તુળોમાં આ માન્યતાનો
બહોળો પ્રચાર થયેલો છે ત્યારે મને થયું કે
મારે યંગ ઈન્ડિયાનો આશરો લેવો જોઈએ.
રા.બાબુને કવિના અન્ય ગુણોનો ઉલ્લેખ કરતાં જોઈ
મને આશ્ચર્ય થયું.
આપની સંમતિથી મને કહેવા દો કે
તે કવિની અનુપમ કવિતાની તોલે આવી શકે તેમ નથી.
એક સુધારક તરીકે હું તેમની સાથે વિવાદમાં ઊતરી શકું.
પણ એક કવિ તરીકે તેમનું સ્થાન અદ્વિતીય છે.
આજે જગતમાં અનેક સુધારકો છે
પણ કોઈ પણ પ્રજામાં તેમના જેવા કવિ મળવા અસંભવ છે.
તે એક મહાન કેળવણીકાર છે
પણ તેમણે જ મને કહ્યું હતું કે
આ બોધપાઠની વાતો એ તો તેમની લીલા છે.
તેમના બીજા ગુણો ઘણા ઉમદા હોઈને પણ
તેમની તુલના તેમની કવિતા સાથે કરવી
એ તેમની કવિતાની સર્વોપરિતાને અવગણવા બરાબર છે.
હું તો આમ માનું છું.
અંતે મારી નમ્ર વિનંતી છે કે મેં જ્યારે લેખ લખ્યો
ત્યારે મારા મનમાં કોઈ પણ જાતની દ્વેષયુક્ત લાગણી ન હતી.
મેં તો માત્ર ટીકાકારોનું મોં બંધ કરવા માટે
અને અમારી વચ્ચેના મતભેદને કારણે
મારો તેમને માટેનો આદર અને સન્માન ઓછા નથી થયા
એનો પુરાવો આપવા માટે જ લખ્યું હતું.
માટે તમને સૌને ફરી એકવાર વિનવું છું કે
મને તમારામાંનો જ એક ગણજો
અને કવિ કે તેમના કર્તવ્ય અંગે મારા મનમાં ક્યારેય ગેરસમજુતી થઈ શકે જ નહીં એમ માનજો.
મને ન તરછોડવા તેમ જ
મારે અંગે કોઈ પણ જાતની ગેરસમજુતી ન રાખવા વિનંતી.
રા.બાબુની પાસે
તેમને મારો ખુલાસો સ્વીકાર્ય છે તેવી સ્પષ્ટતા કરાવશો.
અને કવિની પાસેથી ખાતરી મેળવી શકશો કે
તેમના મનમાં મારે અંગે કોઈ ગેરસમજુતી નથી રહી?
તમને યોગ્ય લાગે તે સર્વેને આ પત્ર બતાવશો.
સપ્રેમ તમારો,</poem>
 
 
 
 
 




26,604

edits