ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/સંપાદક-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 12: Line 12:
પ્રો. કાપડિયાની મહત્ત્વની મુદ્રા ઉદ્રેકશીલ પ્રભાવક વક્તા તરીકેની છે. સાહિત્યનાં રસસ્થાનો અને તપાસસ્થાનોમાં ઊતરતાં એમનાં વક્તવ્યો દીર્ઘ બનવા છતાં વાચકની ધીરજની કસોટી કરવા સુધી જતાં નથી — આસ્વાદ્ય પણ બની રહે છે.
પ્રો. કાપડિયાની મહત્ત્વની મુદ્રા ઉદ્રેકશીલ પ્રભાવક વક્તા તરીકેની છે. સાહિત્યનાં રસસ્થાનો અને તપાસસ્થાનોમાં ઊતરતાં એમનાં વક્તવ્યો દીર્ઘ બનવા છતાં વાચકની ધીરજની કસોટી કરવા સુધી જતાં નથી — આસ્વાદ્ય પણ બની રહે છે.


 
{{Center|◼}}





Revision as of 17:24, 18 May 2021

સંપાદક-પરિચય

સંપાદક: મધુસૂદન કાપડિયા


અમેરિકાવાસી ગુજરાતી વિદ્વાન તરીકે પ્રતિષ્ઠિત થયા એ પૂર્વે પ્રો. મધુસૂદન કાપડિયા મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતી સાહિત્યના તેજસ્વી અધ્યાપક હતા. ગુજરાતી તેમ જ સંસ્કૃતમાં એમ.એ.ની પદવીઓ મેળવીને તેમણે શિક્ષક તથા વિવેચક તરીકે મુંબઈના વરિષ્ઠ વિદ્વાનોની ચાહના અને સમકાલીનોના સ્નેહાદર પ્રાપ્ત કરેલાં.

અમેરિકા જઈને ભાષાવિજ્ઞાન અને ગ્રંથાલયશાસ્ત્ર ભણ્યા અને યોગક્ષેમાર્થે એ ક્ષેત્ર સ્વીકાર્યું. પણ જીવનભર — આજે ૮૦ ઉપરની વયે, નબળા સ્વાસ્થ્ય અને સબળી મેધાશક્તિ સાથે — સતત વિદ્યાવ્યાસંગ કર્યો અને વિવેચનને ધર્મક્ષેત્ર તરીકે સ્વીકારીને સજ્જતાવાળી યુયુત્સાથી ઉત્તમ લેખો, સમીક્ષાઓ અને કાવ્યાસ્વાદો આપતા રહ્યા.

અમેરિકાનાં આપણાં લેખકો પૈકી કેટલાંકનાં સર્જનકાર્યમાં, ભાવકની તન્મયતાથી અને આલોચકની નિર્મમતાથી ઊંડે ઊતરીને એમણે લખેલું પુસ્તક ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ (૨૦૧૧) એમનું મહત્ત્વનું અર્પણ છે. એ પછી પણ એમનાં બે પુસ્તકો પ્રગટ થયાં છે. શ્રેષ્ઠતાવાચકો એમની શૈલીની એક લાક્ષણિકતા છે. એનું ફલક ઉત્તમોત્તમ-થી કનિષ્ઠ લગીનું છે. અમેરિકા સમેત એ ગુજરાતી સાહિત્યના એક મહત્ત્વના વિવેચક છે.

પ્રો. કાપડિયાની મહત્ત્વની મુદ્રા ઉદ્રેકશીલ પ્રભાવક વક્તા તરીકેની છે. સાહિત્યનાં રસસ્થાનો અને તપાસસ્થાનોમાં ઊતરતાં એમનાં વક્તવ્યો દીર્ઘ બનવા છતાં વાચકની ધીરજની કસોટી કરવા સુધી જતાં નથી — આસ્વાદ્ય પણ બની રહે છે.


કાવ્યસંગીત-સંપાદક: અમર ભટ્ટ

ગુજરાતી સુગમ સંગીતમાં આજે અમર ભટ્ટનું નામ મોખરે છે. એનું એક મહત્ત્વનું કારણ એ છે કે એમણે સંગીતરસ જેવો જ સાહિત્યરસ પણ કેળવેલો છે. ગુજરાતીની ઘણી ઉત્તમ કવિતાનો એમને સહજ પરિચય છે. સૂર અને શબ્દ બંનેની સૂઝને કારણે ગાનના લયમાં શબ્દોચ્ચારને પણ અમરભાઈ સ્પષ્ટ અને અ-ખંડિત રાખી શકે છે. જરૂર પડ્યે ગાન પૂર્વે એ કાવ્યપાઠ કરે છે એ પણ કાવ્યના લય અને ભાવમર્મને પામનારો અને એમ શ્રવણીય હોય છે.

વ્યવસાયે એ વકીલ છે — અમેરિકાની કોલંબિયા યુનિવસિર્ટીમાંથી માસ્ટર ઑફ લો થયેલા છે. પોતાની ઉત્કટ રુચિથી એ સંગીત તરફ વળ્યા ત્યારે પણ એમણે ઉસ્તાદ ગુલામ અહેમદ ખાન વગેરે પાસેથી શાસ્ત્રીય સંગીતની અને ક્ષેમુ દિવેટિયા, રાસબિહારી દેસાઈ, દક્ષેશ ધ્રુવ અને પુરુષોત્તમ ઉપાધ્યાય, વગેરે જેવા પાસેથી સુગમ સંગીતની તાલીમ લઈને સજ્જતા કેળવી.

ગુજરાતીના પ્રસિદ્ધ તેમજ વિશિષ્ટ કવિઓનાં ગીતોનાં એવાં જ સંવાદી સ્વરાંકન અને ગાનના આરોહણ દરમ્યાન એમણે, શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા એમનાં પત્ની વિરાજ અમર સાથે 2002માં, સંગીત અને સાહિત્યને સમર્પિત અગસ્ત્ય ફાઉન્ડેશનની સ્થાપના કરી. એના ઉપક્રમે અમર ભટ્ટનાં સ્વરાંકન-ગાનનાં ઘણાં આલ્બમ પ્રગટ થયાં છે. એ લોકપ્રિય અને ખ્યાત કવિઓની રચનાઓનાં ગાન-પઠનના અનેકવિધ કાર્યક્રમો ઉપરાંત એમણે સંગીત અંગેના આસ્વાદલેખો લખ્યા છે. એ યોગ્યતાને લીધે ગુજરાતી સાહિત્ય પરિષદના જૂનાગઢ અધિવેશન(2011)માં એ કવિતા-સંગીત-આસ્વાદની બેઠકના અધ્યક્ષ તરીકે પણ નિમંત્રિત થયેલા.

અમર ભટ્ટનું કલાકાર-વ્યક્તિત્વ પ્રકૃતિદત્ત મધુર કંઠ અને સાતત્યવાળી સાધનાના સંયોગથી નીખરેલું છે.

પરિચયો: રમણ સોની