ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવદાસ-૬


કેશવદાસ-૬ [ઈ.૧૬૭૭માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુળરાય(ગોકુળનાથ)ના શિષ્ય. દેવજીસુત. શ્રીડાલ્યમપુરીમાં એમણે કૃતિની રચના કરી છે માટે ત્યાંના વતની હોઈ શકે. લાડ જ્ઞાતિ. તેમણે ‘ભ્રમરગીતા’ના પ્રસંગને સમાવી લેતું, શ્રીકૃષ્ણ મથુરા ગયા તે પછીના સમગ્ર વૃત્તાંતને વર્ણવતું, ૩૧ કડવાંનું ‘મથુરાલીલા’ (૨.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, અસાડ સુદ ૨, શનિવાર; મુ.) પ્રસાદમધુર શૈલીમાં રચ્યું છે. કૃતિ : પ્રાકાસુધા:૩(+સં.), ૪. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]