ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવક્ષાસિદ્ધાન્ત

From Ekatra Wiki
Revision as of 11:18, 30 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિવક્ષાસિદ્ધાન્ત(Intentional theory)'''</span> : સાહિત્યકૃતિની સૌ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિવક્ષાસિદ્ધાન્ત(Intentional theory) : સાહિત્યકૃતિની સૌન્દર્યનિષ્ઠ સામગ્રીના વર્ણનમાં સર્જક કે ભાવકની અભિવૃત્તિ ભાવના કે આશયની કામગીરીને મુખ્ય ગણવામાં આવતી હોય એ સાહિત્યનો વિવક્ષા સિદ્ધાન્ત છે; આનાથી ઊલટો સાહિત્યનો વિસ્તૃતિ સિદ્ધાન્ત(extensional theory) સંયોજક ઘટકોને સમાવિષ્ટ કરનાર કૃતિત્વ પર ભાર મૂકે છે. ચં.ટો.