ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/વિભાવનાવાદ – રસિક શાહ, 1922: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 24. રસિક શાહ | (28.2.1922 – 5.10.2016)}}
 
[[File:24. Rasik Shah.jpg|thumb|center|150px]]
{|style="background-color: ; border: ;"
<center> '''{{larger|વિભાવનાવાદ}}''' </center>
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:24. Rasik Shah.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૨૪'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|રસિક શાહ}}<br>{{gap|1em}}(૨૮.૨.૧૯૨૨ – ૫.૧૦.૨૦૧૬)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|વિભાવનાવાદ}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
‘વિભાવના’ને ‘અનુભૂતિ’ની સામે વિરોધાવીને, ‘અનુભૂતિ’નું મહત્ત્વ વધારે આંકીને ‘વિભાવના’ને ઊતરતી કક્ષાની અને એક બિનજરૂરી સાધન તરીકે ગણાવી એને ઉતારી પાડવાનું વલણ ક્યારેક દૃષ્ટિગોચર થાય છે. ‘અનુભૂતિ’ના મહત્ત્વની સ્થાપના માટે ‘વિજ્ઞાન’નો કે ‘વિભાવના’નો તિરસ્કાર કરવાની નથી તો કશી જરૂર કે નથી કોઈ અનિવાર્ય શરત. એટલે જ ફ્લિસૂફ એક ડગલું આગળ વધી ‘વિભાવના’ અને ‘અનુભૂતિ’નો સમ્બન્ધ બતાવવાનું માથે લે છે* ત્યારે એ તાત્ત્વિક કાર્યની ગમ્ભીર નોંધ લેવાની સાહિત્યના અભ્યાસીની કદીક ફરજ બની જાય છે. રોજ-બ-રોજની બોલાતી ભાષામાં રહેલું અનુભવમૂલક વિભાવનાઓનું ધૂંધળાપણું, એક પક્ષે ‘વિભાવના’ અને ‘અનુભૂતિ’ વચ્ચે પાયાનો વિરોધ નથી એ પરિસ્થિતિનું દ્યોતક છે તો બીજે પક્ષે ‘ગણિત’, ‘તર્ક’ અને ‘વિજ્ઞાન’ની બને તેટલી ચોકસાઈભરી વિભાવનાઓની જરૂરિયાતને પણ સૂચવે છે. કૃતિ વિશેની કેટલીક વાત અને સન્નિષ્ઠ વિવેચન ચિંતનના પ્રકાર છે એટલે જ એને ‘વિભાવના’ સાથે સમ્બન્ધ છે અને આ જ કારણે તાર્કિક અભ્યાસ શક્ય છે એવા વિચારનું પ્રતિપાદન થયું છે. સ્ટીફન કોર્નર ‘વિભાવનાત્મક ચિંતન’ની પડછે ‘અવિભાવનાત્મક ચિંતન’ની શક્યતાને નકારતા નથી. કાવ્યના આકલન દ્વારા માનવીય વાસ્તવિકતાનું અથવા કાવ્યમાં રૂપાન્તરિત થયેલી વાસ્તવિકતાના નવા સ્વરૂપનું જ્ઞાન થાય છે અથવા એ વાત પ્રીતીતિપૂર્વક સમજવા-સમજાવવા માટે વિભાવનાઓની ઉપયોગિતાની મર્યાદા સ્વીકારાઈ છે. પરંતુ એટલા જ કારણસર એ ઉદ્દેશ માટે અવિભાવનાત્મક ચિંતનની ઉપયોગિતાની પ્રતિષ્ઠા આપોઆપ સિદ્ધ પણ નથી થતી. ફિલસૂફીની શિસ્તમાં વિશ્લેષણની મદદ લીધા વિના વિશ્વનું સમગ્રતયા દર્શન કરાવી આપે એવી synoptic philosophyના દાવાઓને પણ સ્થાન અપાયું છે. બાહ્ય દૃષ્ટિએ, synoptic philosophy કવિતાની બહુ નજીક આવે છે. પરંતુ બે વચ્ચે પાયાનો ભેદ રહેલો છે. કવિતા ચિંતનની કે જ્ઞાન વિશેની કોઈ શિસ્ત ન હોઈને, એને પોતાના સિવાય કોઈ વિધાનનું પ્રતિપાદન કરવાનું હોતું નથી. પરંતુ અવિભાવનાત્મક ચિંતનને સમજાવતી synoptic philosophyની એક પૂર્વધારણા રહેલી છે: ‘કવિતા જે અંતદૃષ્ટિ આપવાની શક્તિ ધરાવે છે તે પ્રાપ્ત કરવા માટે વિભાવનાત્મક ચિંતન એ પ્રાથમિક આવશ્યકતા છે.’ લેખકે આ ફિલસૂફીના દાવા અને સ્વરૂપની વિચારણા, વિભાવનાત્મક ચિંતનના વ્યાપને અતિક્રમી જતી હોઈ, આ પુસ્તકમાં જાણીજોઈને ટાળી છે.
‘વિભાવના’ને ‘અનુભૂતિ’ની સામે વિરોધાવીને, ‘અનુભૂતિ’નું મહત્ત્વ વધારે આંકીને ‘વિભાવના’ને ઊતરતી કક્ષાની અને એક બિનજરૂરી સાધન તરીકે ગણાવી એને ઉતારી પાડવાનું વલણ ક્યારેક દૃષ્ટિગોચર થાય છે. ‘અનુભૂતિ’ના મહત્ત્વની સ્થાપના માટે ‘વિજ્ઞાન’નો કે ‘વિભાવના’નો તિરસ્કાર કરવાની નથી તો કશી જરૂર કે નથી કોઈ અનિવાર્ય શરત. એટલે જ ફ્લિસૂફ એક ડગલું આગળ વધી ‘વિભાવના’ અને ‘અનુભૂતિ’નો સમ્બન્ધ બતાવવાનું માથે લે છે* ત્યારે એ તાત્ત્વિક કાર્યની ગમ્ભીર નોંધ લેવાની સાહિત્યના અભ્યાસીની કદીક ફરજ બની જાય છે. રોજ-બ-રોજની બોલાતી ભાષામાં રહેલું અનુભવમૂલક વિભાવનાઓનું ધૂંધળાપણું, એક પક્ષે ‘વિભાવના’ અને ‘અનુભૂતિ’ વચ્ચે પાયાનો વિરોધ નથી એ પરિસ્થિતિનું દ્યોતક છે તો બીજે પક્ષે ‘ગણિત’, ‘તર્ક’ અને ‘વિજ્ઞાન’ની બને તેટલી ચોકસાઈભરી વિભાવનાઓની જરૂરિયાતને પણ સૂચવે છે. કૃતિ વિશેની કેટલીક વાત અને સન્નિષ્ઠ વિવેચન ચિંતનના પ્રકાર છે એટલે જ એને ‘વિભાવના’ સાથે સમ્બન્ધ છે અને આ જ કારણે તાર્કિક અભ્યાસ શક્ય છે એવા વિચારનું પ્રતિપાદન થયું છે. સ્ટીફન કોર્નર ‘વિભાવનાત્મક ચિંતન’ની પડછે ‘અવિભાવનાત્મક ચિંતન’ની શક્યતાને નકારતા નથી. કાવ્યના આકલન દ્વારા માનવીય વાસ્તવિકતાનું અથવા કાવ્યમાં રૂપાન્તરિત થયેલી વાસ્તવિકતાના નવા સ્વરૂપનું જ્ઞાન થાય છે અથવા એ વાત પ્રીતીતિપૂર્વક સમજવા-સમજાવવા માટે વિભાવનાઓની ઉપયોગિતાની મર્યાદા સ્વીકારાઈ છે. પરંતુ એટલા જ કારણસર એ ઉદ્દેશ માટે અવિભાવનાત્મક ચિંતનની ઉપયોગિતાની પ્રતિષ્ઠા આપોઆપ સિદ્ધ પણ નથી થતી. ફિલસૂફીની શિસ્તમાં વિશ્લેષણની મદદ લીધા વિના વિશ્વનું સમગ્રતયા દર્શન કરાવી આપે એવી synoptic philosophyના દાવાઓને પણ સ્થાન અપાયું છે. બાહ્ય દૃષ્ટિએ, synoptic philosophy કવિતાની બહુ નજીક આવે છે. પરંતુ બે વચ્ચે પાયાનો ભેદ રહેલો છે. કવિતા ચિંતનની કે જ્ઞાન વિશેની કોઈ શિસ્ત ન હોઈને, એને પોતાના સિવાય કોઈ વિધાનનું પ્રતિપાદન કરવાનું હોતું નથી. પરંતુ અવિભાવનાત્મક ચિંતનને સમજાવતી synoptic philosophyની એક પૂર્વધારણા રહેલી છે: ‘કવિતા જે અંતદૃષ્ટિ આપવાની શક્તિ ધરાવે છે તે પ્રાપ્ત કરવા માટે વિભાવનાત્મક ચિંતન એ પ્રાથમિક આવશ્યકતા છે.’ લેખકે આ ફિલસૂફીના દાવા અને સ્વરૂપની વિચારણા, વિભાવનાત્મક ચિંતનના વ્યાપને અતિક્રમી જતી હોઈ, આ પુસ્તકમાં જાણીજોઈને ટાળી છે.