ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/વિભાવનાવાદ – રસિક શાહ, 1922: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:


{{Poem2Open}}
{{Poem2Open}}
‘વિભાવના’ને ‘અનુભૂતિ’ની સામે વિરોધાવીને, ‘અનુભૂતિ’નું મહત્ત્વ વધારે આંકીને ‘વિભાવના’ને ઊતરતી કક્ષાની અને એક બિનજરૂરી સાધન તરીકે ગણાવી એને ઉતારી પાડવાનું વલણ ક્યારેક દૃષ્ટિગોચર થાય છે. ‘અનુભૂતિ’ના મહત્ત્વની સ્થાપના માટે ‘વિજ્ઞાન’નો કે ‘વિભાવના’નો તિરસ્કાર કરવાની નથી તો કશી જરૂર કે નથી કોઈ અનિવાર્ય શરત. એટલે જ ફ્લિસૂફ એક ડગલું આગળ વધી ‘વિભાવના’ અને ‘અનુભૂતિ’નો સમ્બન્ધ બતાવવાનું માથે લે છે* ત્યારે એ તાત્ત્વિક કાર્યની ગમ્ભીર નોંધ લેવાની સાહિત્યના અભ્યાસીની કદીક ફરજ બની જાય છે. રોજ-બ-રોજની બોલાતી ભાષામાં રહેલું અનુભવમૂલક વિભાવનાઓનું ધૂંધળાપણું, એક પક્ષે ‘વિભાવના’ અને ‘અનુભૂતિ’ વચ્ચે પાયાનો વિરોધ નથી એ પરિસ્થિતિનું દ્યોતક છે તો બીજે પક્ષે ‘ગણિત’, ‘તર્ક’ અને ‘વિજ્ઞાન’ની બને તેટલી ચોકસાઈભરી વિભાવનાઓની જરૂરિયાતને પણ સૂચવે છે. કૃતિ વિશેની કેટલીક વાત અને સન્નિષ્ઠ વિવેચન ચિંતનના પ્રકાર છે એટલે જ એને ‘વિભાવના’ સાથે સમ્બન્ધ છે અને આ જ કારણે તાર્કિક અભ્યાસ શક્ય છે એવા વિચારનું પ્રતિપાદન થયું છે. સ્ટીફન કોર્નર ‘વિભાવનાત્મક ચિંતન’ની પડછે ‘અવિભાવનાત્મક ચિંતન’ની શક્યતાને નકારતા નથી. કાવ્યના આકલન દ્વારા માનવીય વાસ્તવિકતાનું અથવા કાવ્યમાં રૂપાન્તરિત થયેલી વાસ્તવિકતાના નવા સ્વરૂપનું જ્ઞાન થાય છે અથવા એ વાત પ્રીતીતિપૂર્વક સમજવા-સમજાવવા માટે વિભાવનાઓની ઉપયોગિતાની મર્યાદા સ્વીકારાઈ છે. પરંતુ એટલા જ કારણસર એ ઉદ્દેશ માટે અવિભાવનાત્મક ચિંતનની ઉપયોગિતાની પ્રતિષ્ઠા આપોઆપ સિદ્ધ પણ નથી થતી. ફિલસૂફીની શિસ્તમાં વિશ્લેષણની મદદ લીધા વિના વિશ્વનું સમગ્રતયા દર્શન કરાવી આપે એવી synoptic philosophyના દાવાઓને પણ સ્થાન અપાયું છે. બાહ્ય દૃષ્ટિએ, synoptic philosophy કવિતાની બહુ નજીક આવે છે. પરંતુ બે વચ્ચે પાયાનો ભેદ રહેલો છે. કવિતા ચિંતનની કે જ્ઞાન વિશેની કોઈ શિસ્ત ન હોઈને, એને પોતાના સિવાય કોઈ વિધાનનું પ્રતિપાદન કરવાનું હોતું નથી. પરંતુ અવિભાવનાત્મક ચિંતનને સમજાવતી synoptic philosophyની એક પૂર્વધારણા રહેલી છે: ‘કવિતા જે અંતદૃષ્ટિ આપવાની શક્તિ ધરાવે છે તે પ્રાપ્ત કરવા માટે વિભાવનાત્મક ચિંતન એ પ્રાથમિક આવશ્યકતા છે.’ લેખકે આ ફિલસૂફીના દાવા અને સ્વરૂપની વિચારણા, વિભાવનાત્મક ચિંતનના વ્યાપને અતિક્રમી જતી હોઈ, આ પુસ્તકમાં જાણીજોઈને ટાળી છે.
‘વિભાવના’ને ‘અનુભૂતિ’ની સામે વિરોધાવીને, ‘અનુભૂતિ’નું મહત્ત્વ વધારે આંકીને ‘વિભાવના’ને ઊતરતી કક્ષાની અને એક બિનજરૂરી સાધન તરીકે ગણાવી એને ઉતારી પાડવાનું વલણ ક્યારેક દૃષ્ટિગોચર થાય છે. ‘અનુભૂતિ’ના મહત્ત્વની સ્થાપના માટે ‘વિજ્ઞાન’નો કે ‘વિભાવના’નો તિરસ્કાર કરવાની નથી તો કશી જરૂર કે નથી કોઈ અનિવાર્ય શરત. એટલે જ ફ્લિસૂફ એક ડગલું આગળ વધી ‘વિભાવના’ અને ‘અનુભૂતિ’નો સમ્બન્ધ બતાવવાનું માથે લે છે<ref>* Conceptual Thinking: A Logical Enquiry - Steven Korner, 1958</ref> ત્યારે એ તાત્ત્વિક કાર્યની ગમ્ભીર નોંધ લેવાની સાહિત્યના અભ્યાસીની કદીક ફરજ બની જાય છે. રોજ-બ-રોજની બોલાતી ભાષામાં રહેલું અનુભવમૂલક વિભાવનાઓનું ધૂંધળાપણું, એક પક્ષે ‘વિભાવના’ અને ‘અનુભૂતિ’ વચ્ચે પાયાનો વિરોધ નથી એ પરિસ્થિતિનું દ્યોતક છે તો બીજે પક્ષે ‘ગણિત’, ‘તર્ક’ અને ‘વિજ્ઞાન’ની બને તેટલી ચોકસાઈભરી વિભાવનાઓની જરૂરિયાતને પણ સૂચવે છે. કૃતિ વિશેની કેટલીક વાત અને સન્નિષ્ઠ વિવેચન ચિંતનના પ્રકાર છે એટલે જ એને ‘વિભાવના’ સાથે સમ્બન્ધ છે અને આ જ કારણે તાર્કિક અભ્યાસ શક્ય છે એવા વિચારનું પ્રતિપાદન થયું છે. સ્ટીફન કોર્નર ‘વિભાવનાત્મક ચિંતન’ની પડછે ‘અવિભાવનાત્મક ચિંતન’ની શક્યતાને નકારતા નથી. કાવ્યના આકલન દ્વારા માનવીય વાસ્તવિકતાનું અથવા કાવ્યમાં રૂપાન્તરિત થયેલી વાસ્તવિકતાના નવા સ્વરૂપનું જ્ઞાન થાય છે અથવા એ વાત પ્રીતીતિપૂર્વક સમજવા-સમજાવવા માટે વિભાવનાઓની ઉપયોગિતાની મર્યાદા સ્વીકારાઈ છે. પરંતુ એટલા જ કારણસર એ ઉદ્દેશ માટે અવિભાવનાત્મક ચિંતનની ઉપયોગિતાની પ્રતિષ્ઠા આપોઆપ સિદ્ધ પણ નથી થતી. ફિલસૂફીની શિસ્તમાં વિશ્લેષણની મદદ લીધા વિના વિશ્વનું સમગ્રતયા દર્શન કરાવી આપે એવી synoptic philosophyના દાવાઓને પણ સ્થાન અપાયું છે. બાહ્ય દૃષ્ટિએ, synoptic philosophy કવિતાની બહુ નજીક આવે છે. પરંતુ બે વચ્ચે પાયાનો ભેદ રહેલો છે. કવિતા ચિંતનની કે જ્ઞાન વિશેની કોઈ શિસ્ત ન હોઈને, એને પોતાના સિવાય કોઈ વિધાનનું પ્રતિપાદન કરવાનું હોતું નથી. પરંતુ અવિભાવનાત્મક ચિંતનને સમજાવતી synoptic philosophyની એક પૂર્વધારણા રહેલી છે: ‘કવિતા જે અંતદૃષ્ટિ આપવાની શક્તિ ધરાવે છે તે પ્રાપ્ત કરવા માટે વિભાવનાત્મક ચિંતન એ પ્રાથમિક આવશ્યકતા છે.’ લેખકે આ ફિલસૂફીના દાવા અને સ્વરૂપની વિચારણા, વિભાવનાત્મક ચિંતનના વ્યાપને અતિક્રમી જતી હોઈ, આ પુસ્તકમાં જાણીજોઈને ટાળી છે.
આ પ્રકારના તાર્કિક અભ્યાસનાં તારતમ્યોને જુદાં તારવી લઈ, સારરૂપે આપવાનું કાર્ય અઘરું અને વિચિત્ર હોવાથી એ પુસ્તકના પ્રાસ્તાવિક વિભાગના ચાર પ્રકરણમાંથી પહેલા પ્રકરણનો અનુવાદ આપવાનું વધારે ઠીક થઈ પડે. તાર્કિક તપાસનું સ્વરૂપ અને વ્યાપ’ શીર્ષકવાળું એ પ્રકરણ આવા અભ્યાસની અગત્ય સ્વીકારનારને વિષય પ્રવેશ કરવામાં સહાયભૂત થશે. આ પુસ્તક નિર્દેશાત્મક વિભાવનાઓ વચ્ચે રહેલા તાર્કિક સમ્બન્ધોને તપાસી, પૂર્ણતયા તાર્કિક સમ્બન્ધો સાથે એને સરખાવી, નિર્દેશાત્મક વિભાવનાઓ વચ્ચે રહેલા આદિમ તાર્કિક સમ્બન્ધીને તપાસે છે, આદિમ તાર્કિક સમ્બન્ધોની ઉચ્ચતર શ્રેણીઓનો અભ્યાસ કરે છે, આદિમ નહિ એવા ઉચ્ચતર શ્રેણીના તાર્કિક સમ્બન્ધો અને કહેવાતા ‘વિચારના નિયમો’ (Laws of Thought)નો સમ્બન્ધ તપાસે છે, નિર્દેશાત્મક વિભાવનાના પાયાની પ્રત્યક્ષતા અને પરોક્ષતાનો વિચાર કરી, ક્રમે ક્રમે નિર્દેશાત્મક વિભાવનાઓના અર્થઘટનાત્મક સ્તરોની ઉચ્ચાવચતાના અભ્યાસને આવરી લે છે. આટલે આવ્યા પછી, સાહિત્ય અને કળા વિશે, એમાંથી મળતા જ્ઞાન વિશે વાત કરવા માટે, ‘સૌન્દર્યપરક અર્થ’ (aesthetic meaning) વિશે વિચારણા કરવા માટે અને પ્રતીકોના non-discursive ઉપયોગ વિશે વાત કરવા માટે તાર્કિક આબોહવાયુક્ત નવી મોકળાશ અનુભવાય છે. ફિનૉમિનૉલોજીનો દેખીતી પુરસ્કાર અને વધુ તો એના વિશેના અભ્યાસી કુતૂહલના આ કાળમાં, ફિનોમિનોલોજિકલ વિવેચનના દાવાઓને આ તાર્કિક અભ્યાસ વડે કેવી રીતે તપાસી શકાય એની કેટલીક ચર્ચા પણ પુસ્તકના ત્રીજા વિભાગમાં – ત્રીસમાં પ્રકરણમાં કરવામાં આવી છે, આ હકીકત કદાચ સન્નિષ્ઠ ફિનોમિનોલોજિસ્ટને આ પુસ્તક તરફ અને આવા અભ્યાસ તરફ વાળશે એવી આશા આ અનુવાદ પાછળનું બળ છે.
આ પ્રકારના તાર્કિક અભ્યાસનાં તારતમ્યોને જુદાં તારવી લઈ, સારરૂપે આપવાનું કાર્ય અઘરું અને વિચિત્ર હોવાથી એ પુસ્તકના પ્રાસ્તાવિક વિભાગના ચાર પ્રકરણમાંથી પહેલા પ્રકરણનો અનુવાદ આપવાનું વધારે ઠીક થઈ પડે. તાર્કિક તપાસનું સ્વરૂપ અને વ્યાપ’ શીર્ષકવાળું એ પ્રકરણ આવા અભ્યાસની અગત્ય સ્વીકારનારને વિષય પ્રવેશ કરવામાં સહાયભૂત થશે. આ પુસ્તક નિર્દેશાત્મક વિભાવનાઓ વચ્ચે રહેલા તાર્કિક સમ્બન્ધોને તપાસી, પૂર્ણતયા તાર્કિક સમ્બન્ધો સાથે એને સરખાવી, નિર્દેશાત્મક વિભાવનાઓ વચ્ચે રહેલા આદિમ તાર્કિક સમ્બન્ધીને તપાસે છે, આદિમ તાર્કિક સમ્બન્ધોની ઉચ્ચતર શ્રેણીઓનો અભ્યાસ કરે છે, આદિમ નહિ એવા ઉચ્ચતર શ્રેણીના તાર્કિક સમ્બન્ધો અને કહેવાતા ‘વિચારના નિયમો’ (Laws of Thought)નો સમ્બન્ધ તપાસે છે, નિર્દેશાત્મક વિભાવનાના પાયાની પ્રત્યક્ષતા અને પરોક્ષતાનો વિચાર કરી, ક્રમે ક્રમે નિર્દેશાત્મક વિભાવનાઓના અર્થઘટનાત્મક સ્તરોની ઉચ્ચાવચતાના અભ્યાસને આવરી લે છે. આટલે આવ્યા પછી, સાહિત્ય અને કળા વિશે, એમાંથી મળતા જ્ઞાન વિશે વાત કરવા માટે, ‘સૌન્દર્યપરક અર્થ’ (aesthetic meaning) વિશે વિચારણા કરવા માટે અને પ્રતીકોના non-discursive ઉપયોગ વિશે વાત કરવા માટે તાર્કિક આબોહવાયુક્ત નવી મોકળાશ અનુભવાય છે. ફિનૉમિનૉલોજીનો દેખીતી પુરસ્કાર અને વધુ તો એના વિશેના અભ્યાસી કુતૂહલના આ કાળમાં, ફિનોમિનોલોજિકલ વિવેચનના દાવાઓને આ તાર્કિક અભ્યાસ વડે કેવી રીતે તપાસી શકાય એની કેટલીક ચર્ચા પણ પુસ્તકના ત્રીજા વિભાગમાં – ત્રીસમાં પ્રકરણમાં કરવામાં આવી છે, આ હકીકત કદાચ સન્નિષ્ઠ ફિનોમિનોલોજિસ્ટને આ પુસ્તક તરફ અને આવા અભ્યાસ તરફ વાળશે એવી આશા આ અનુવાદ પાછળનું બળ છે.
‘વિભાવનાત્મક ચિંતન’નો અર્થ અંતે તો થોડાંક દૃષ્ટાન્તો આપીને બતાવી શકાય. દૃષ્ટાન્તો સહેલાઈથી અપાય છે અને તરત સમજાઈ જાય છે. મેથેમેટિક્સમાં સાબિતી આપનાર અને એ સાબિતીની વિગતો સમજી શકનાર બન્ને સરખા ‘વિભાવનાત્મક વિચાર’ કરે છે. વર્ગીકરણ કરવાનું માથે લેનાર આમ જ કરતો હોય છે. કોઈક પરિસ્થિતિને વિશે કાયદાની કલમ લાગુ પાડનાર ન્યાયાધીશ પણ આ જ કરે છે. રંગવાચક શબ્દનો સાચો ઉપયોગ કરી શકતું બાળક પોતાને ‘વિભાવનાત્મક વિચારક’ તરીકે જાહેર કરતું હોય છે.
‘વિભાવનાત્મક ચિંતન’નો અર્થ અંતે તો થોડાંક દૃષ્ટાન્તો આપીને બતાવી શકાય. દૃષ્ટાન્તો સહેલાઈથી અપાય છે અને તરત સમજાઈ જાય છે. મેથેમેટિક્સમાં સાબિતી આપનાર અને એ સાબિતીની વિગતો સમજી શકનાર બન્ને સરખા ‘વિભાવનાત્મક વિચાર’ કરે છે. વર્ગીકરણ કરવાનું માથે લેનાર આમ જ કરતો હોય છે. કોઈક પરિસ્થિતિને વિશે કાયદાની કલમ લાગુ પાડનાર ન્યાયાધીશ પણ આ જ કરે છે. રંગવાચક શબ્દનો સાચો ઉપયોગ કરી શકતું બાળક પોતાને ‘વિભાવનાત્મક વિચારક’ તરીકે જાહેર કરતું હોય છે.
1,026

edits