ચાંદરણાં/અંધકાર અને પ્રકાશ

From Ekatra Wiki
Revision as of 16:03, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


13. અંધકાર અને પ્રકાશ


  • અંધારામાં છુપાવા કરતાં પ્રકાશમાં ઓગળવું વધારે સારું છે!
  • અંધકાર પાછળ આવતો હોય તો દિવસ, અને પ્રકાશ પાછળ આવતો હોય તો રાત્રિ.
  • અંધકાર એવો સાગર છે, જેમાં ક્ષિતિજ પણ ડૂબી જાય છે!
  • અંધકારને દંડાથી મારો તોય એને ન વાગે, દંડો કાળો પણ ન થાય.
  • અંધકારને એક શાપ છે : એ પોતાને જોઈ શકતો નથી !
  • રાત્રિએ જ કૃષ્ણ જેવા પ્રકાશને જન્મ આપ્યો હતો.
  • કબરમાં એકાંત પણ છે, અંધકાર પણ છે.
  • શાંત પાણી પર પડેલો પ્રકાશ પણ ચૂપ હોય છે.
  • કોઈક અંધકાર અતિશય કડવો હોય છે.
  • પ્રકાશને ઘરમાં આવવામાં કાચનું બારણું નડતું નથી.
  • રાત્રીના કાળા ઈંડામાંથી રોજ આ જગત ફૂટે છે.
  • અંધકારને દિશા નથી હોતી!
  • અમાસની કાળી ઉપજાઉ માટીમાં સૌથી વધારે સિતારા ઊગે છે!
  • અંધકારને ઢાંકવાનો ન હોય.