ચાંદરણાં/યુદ્ધ અને શાંતિ

From Ekatra Wiki
Revision as of 16:29, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


21. યુદ્ધ અને શાંતિ


  • યુદ્ધના કેલેન્ડરમાં રવિવાર નથી હોતો!
  • અમેરિકીનીતિ દારૂગોળો વાવીને શાંતિ ઉગાડવાની છે!
  • પૃથ્વી પર પુરુષો છે ત્યાં સુધી યુદ્ધો છે.
  • યુદ્ધના ગોત્ર અને કુળ યુરોપ-અમેરિકામાં છે.
  • શેતાન બહાર ન આવે તે શાંતિનો સમય.
  • સરહદો છે એટલે આક્રમણો પણ છે!
  • લશ્કરનાં પગલાં કવાયતના મેદાન પર જ સારાં!
  • યુદ્ધ એક રોગ છે જેને દવા માનવામાં આવે છે.
  • કોઈ યુદ્ધ સોનાનાં હથિયારોથી નથી લડાતું.
  • યુદ્ધ નિર્જન ઉદાસીનતા પહેલાંનો માનવીય ઝંઝાવાત છે.
  • યુદ્ધની જ્વાળા કેટલાંયે ઘરના દીવા ઓલવી નાખે છે.
  • યુદ્ધ તો વિધવાઓની બહુમતી સ્થાપવા માટે જ થાય છે.
  • અશાંતિનો ઉજાસ નહીં, ભડકા જ હોય.
  • દરેક વિજય કે પરાજય અનેકની હત્યા પછી જ મળે છે.
  • બીજો માણસ ન હોત તો યુદ્ધનો કે જીતનો વિચાર ન આવત.
  • માણસજાત પાસે નક્શો છે ત્યાં સુધી યુદ્ધ પણ છે.
  • સમયની ચકલીએ તોપના મોઢામાં માળો બાંધવાનો છે.
  • માણસ તરીકે હારી જવા માટે યુદ્ધ કરવું પડે છે.
  • જમીનમાં સુરંગ વાવો તો વિનાશ જ ઊગે.
  • બંદૂકની ગોળી કબ્રસ્તાનની દિશા જ બતાવે.
  • બોમ્બ બીજાઓને મારવા પોતે આપઘાત કરે છે!
  • મ્યાન ખાલીપો અનુભવે તો માનવું કે યુદ્ધની તલવારો તણાઈ ગઈ છે.
  • યુદ્ધ વખતે વાવટો ફરકતો નથી પણ ધ્રુજે છે.
  • પૃથ્વીને નક્ષત્રી નહીં, પુરુષ વગરની કરો તો જ યુદ્ધોનો અંત આવે.
  • પરાજય આંસુભીનો હોય છે તો વિજય પણ લોહીભીનો હોય છે!
  • શાંતિ, બે યુદ્ધની વચ્ચે તેના પહેરામાં રહે છે.
  • બહુ ઓછાં યુદ્ધો મેદાનમાં ખેલાય છે.
  • તલવારને પોતાની ઇચ્છા વિરુદ્ધ લોહિયાળ થવું પડે છે.
  • ધોળાં કબૂતરો લોહિયાળ યુદ્ધને અટકાવી શકતાં નથી.
  • યુદ્ધ આપણને ખંડિયેરો વારસામાં આપે છે.
  • પરાજયનો ધોળો વાવટો આંસુભીનો હોય છે.
  • વેરના સામ્રાજ્યમાં સૂર્ય નહીં, માણસ આથમે છે.
  • વિજયનો વાવટો લોહીથી રંગાયેલો હોય.
  • કેટલાક વિજયો માત્ર સત્યની જ હત્યા કરે છે.