છંદોલય ૧૯૪૯/ઝરઝર

From Ekatra Wiki
Revision as of 00:32, 23 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઝરઝર

ઝરઝર
શ્રાવણની જલધાર
ધરણીને દ્વાર
ઝરી જાય
ઝરઝર...
નયનેથી મુજ નીંદ હરી જાય,
સુખનું રે મુજ સ્વપ્ન સરી જાય;
વારંવાર
ક્ષિતિજની પેલી પાર
મારું મન મને મેલી ભાગી જાય,
પર્ણ સમા મુજ પ્રાણે જાગી જાય
મરમર...
ક્ષણ પણ જરીય ના જંપી જાય,
મેઘલી આ મધરાતે
સુગંધિત મંદ શીત સમીરને ઘાતે
અંગેઅંગ અવિરત કંપી જાય
થરથર...
શ્રાવણની જલધાર
ધરણીને દ્વાર
ઝરી જાય
ઝરઝર... ઝરઝર...

૧૯૪૮