જનપદ/પ્રારંભિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 79: Line 79:


:□ ''એતદ, પરબ, વિ, ખેવના, કંકાવટી, વિશ્વમાનવ, દસમો દાયકો''
:□ ''એતદ, પરબ, વિ, ખેવના, કંકાવટી, વિશ્વમાનવ, દસમો દાયકો''
:આમાની કેટલીક રચનાઓ એમાં સૌ પહેલી પ્રગટી  
:આમાંની કેટલીક રચનાઓ એમાં સૌ પહેલી પ્રગટી  


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
Line 88: Line 88:
{{Poem2Open}}
{{Poem2Open}}
કાનજી પટેલ(જન્મ ૧૯૫૨) મુખ્યત્વે કવિ, નવલકથાકાર. સર્જકનું પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ શિક્ષણ લુણાવાડામાં. અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન લુણાવાડા કોલેજમાં. હાલ નિવૃત્ત.
કાનજી પટેલ(જન્મ ૧૯૫૨) મુખ્યત્વે કવિ, નવલકથાકાર. સર્જકનું પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ શિક્ષણ લુણાવાડામાં. અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન લુણાવાડા કોલેજમાં. હાલ નિવૃત્ત.
ગ્રામચેતનાના એક સશક્ત કવિ લેખે તેઓની પાસેથી જનપદ, ડુંગરદેવ જેવા કાવ્યસંગ્રહો ઉપરાંત ધરતીના વચન અને દેશમાં આદિવાસી જનજાતિઓની વ્યથાકથા, જીવનપીડા અને હદપારી ભોગવતા લોકસંવેદનોને બળકટ અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે. દેશીવાદના પ્રતીતિજનક ચિત્રો આ રચનાઓમાં કવિ આરૂઢ રીતિમાં આલેખી બતાવવાનું કૌશલ દાખવે છે. લોકજીવનની પ્રત્યક્ષતા અને રચનાઓમાં જીવન સાથે અવિનાભાવે સંકળાયેલ પ્રકૃતિરાગ, સરહદી ડુંગરાઓમાં અપાર મુસીબતો સાથે એના રીતિરિવાજો, ધાર્મિક ક્રિયાકાંડ, નાતજાતના વૈશિષ્ટ્યો પ્રતીકાત્મક રૂપે નિરૂપણ પામ્યા છે. નવલકથા ક્ષેત્રે એમણે કોતરની ધાર પર, સુવર્ણા, ડહેલું, ભીલની ભોંય જેવા નોંધપાત્ર પ્રદાનો કર્યા છે. કોતરની ધાર પરની વિષયસામગ્રી અને એની નિરૂપણરીતિની પ્રભાવકતા અંગે ઉમાશંકર જેવા કવિ પણ અન્ય વિદ્વાન સમક્ષ તળમાંથી આવતા યુવા સર્જકો કેવું સૂક્ષ્મ જોઈ શકે છે એની નોંધ લીધા વિના રહી શક્યા નથી. આ નવલકથાઓનો પટ પણ વંચિતો, આદિવાસી સમાજ પ્રત્યે ઇંગિત કરે છે. વિમુકત વિચરતી જાતિઓ વિશેની એમના હાથે લખાયેલી વાર્તાઓ ડેરો નામે સંગ્રહિત છે.
ગ્રામચેતનાના એક સશક્ત કવિ લેખે તેઓની પાસેથી જનપદ, ‘ડુંગરદેવ’ જેવા કાવ્યસંગ્રહો ઉપરાંત ધરતીનાં વચન અને દેશમાં આદિવાસી જનજાતિઓની વ્યથાકથા, જીવનપીડા અને હદપારી ભોગવતા લોકસંવેદનોને બળકટ અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે. દેશીવાદના પ્રતીતિજનક ચિત્રો આ રચનાઓમાં કવિ અરૂઢ રીતિમાં આલેખી બતાવવાનું કૌશલ દાખવે છે. લોકજીવનની પ્રત્યક્ષતા અને રચનાઓમાં જીવન સાથે અવિનાભાવે સંકળાયેલ પ્રકૃતિરાગ, સરહદી ડુંગરાઓમાં અપાર મુસીબતો સાથે એના રીતિરિવાજો, ધાર્મિક ક્રિયાકાંડ, નાતજાતના વૈશિષ્ટ્યો પ્રતીકાત્મક રૂપે નિરૂપણ પામ્યા છે. નવલકથા ક્ષેત્રે એમણે કોતરની ધાર પર, દ્વાસુપર્ણા, ડહેલું, ભીલની ભોંય જેવા નોંધપાત્ર પ્રદાનો કર્યા છે. કોતરની ધાર પરની વિષયસામગ્રી અને એની નિરૂપણરીતિની પ્રભાવકતા અંગે ઉમાશંકર જેવા કવિ પણ અન્ય વિદ્વાન સમક્ષ તળમાંથી આવતા યુવા સર્જકો કેવું સૂક્ષ્મ જોઈ શકે છે એની નોંધ લીધા વિના રહી શક્યા નથી. આ નવલકથાઓનો પટ પણ વંચિતો, આદિવાસી સમાજ પ્રત્યે ઇંગિત કરે છે. વિમુકત વિચરતી જાતિઓ વિશેની એમના હાથે લખાયેલી વાર્તાઓ ડેરો નામે સંગ્રહિત છે.
ભરત નાયક અને ગીતા નાયકે આધુનિક પરંપરાના વિસ્તાર કાજે ‘ગદ્યપર્વ’નો આરંભ કરેલો. એ સામયિકનું સંપાદન સને ૧૯૯૩થી ૧૯૯૮ દરમિયાન આ સર્જકે સંભાળેલું ત્યારે એમાં પ્રકાશિત થયેલા આદિવાસીઓની મૌખિક પરંપરા અને મૌલિક સાહિત્યનુ અંકન આ સામયિકનો ગુણવિશેષ બની રહે એમ છે.
ભરત નાયક અને ગીતા નાયકે આધુનિક પરંપરાના વિસ્તાર કાજે ‘ગદ્યપર્વ’નો આરંભ કરેલો. એ સામયિકનું સંપાદન સને ૧૯૯૩થી ૧૯૯૮ દરમિયાન આ સર્જકે સંભાળેલું ત્યારે એમાં પ્રકાશિત થયેલા આદિવાસીઓની મૌખિક પરંપરા અને મૌલિક સાહિત્યનુ અંકન આ સામયિકનો ગુણવિશેષ બની રહે એમ છે.
લૌકિક વિધિ અને સમાજનું સામયિક જેવી ઓળખ ધરાવતું ‘વહી’ કવિતાનું ત્રૈમાસિક ૨૦૦૦થી ૨૦૨૦ સુધી સંપાદિત કર્યું જેમાં પ્રતિષ્ઠિત કવિઓની રચનાઓ સાથે નવોદિત કવિઓને વિકસવાની અહીં તક મળી છે. પંથમંત્રો, બાઉલગીતો જેવી કંઠસ્થ પરંપરાને અંકે કરવાનો આ નોખો પુરુષાર્થ હતો.  
લૌકિક વિધિ અને સમાજનું સામયિક જેવી ઓળખ ધરાવતું ‘વહી’ કવિતાનું ત્રૈમાસિક ૨૦૦૦થી ૨૦૨૦ સુધી સંપાદિત કર્યું જેમાં પ્રતિષ્ઠિત કવિઓની રચનાઓ સાથે નવોદિત કવિઓને વિકસવાની અહીં તક મળી છે. પંથમંત્રો, બાઉલગીતો જેવી કંઠસ્થ પરંપરાને અંકે કરવાનો આ નોખો પુરુષાર્થ હતો.  

Revision as of 08:02, 20 September 2023


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.


જનપદ





કાનજી પટેલ





સાહચર્ય પ્રકાશન

જનપદ
કાવ્યસંગ્રહ
કાનજી પટેલ

JANPAD
Collection of Poems
Kanji Patel


© સુખી પટેલ


પ્રથમ આવૃત્તિ
મે ૧૯૯૧


મૂલ્ય
રૂપિયા ૪૦-૦૦


મુખ્ય વિક્રેતા
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુબઈ ૪૦૦ ૦૦૨.
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૯૦ ૦૦૧.


પ્રકાશક
ગીતા નાયક
સાહચર્ય પ્રકાશન
૧૨ ચેતન-એ, રાજાવાડી રોડ, ઘાટકોપર પૂર્વ
મુબઈ ૪૦૦ ૦૭૭.

મુદ્રક
ન્યુ એજ પ્રિન્ટિંગ પ્રેસ
ભૂપેશ ગુપ્તા ભુવન, ૮૫, સયાની રોડ, પ્રભાદેવી,
મુંબઈ ૪૦૦ ૦૨૫.

સૌજન્ય
બળવંત કે. પટેલ

આવરણ
અતુલ ડોડીયા
(સૌરભ સોસાયટી – બપોરના બાર ચિત્રનો અંશ)

પૃષ્ઠભૂષા
માયા મલ્ટીમિડિયા
મુંબઈ ૪૦૦ ૦૧૩.




દેશકાળમાં આણી
ચિંધી દે’રી
ત્યારની ઘડી
ને આજનો દન


પૂજ્ય માતા અંબાબેન, પિતા રાયજીભાઈને

ઋણ – ભૂમિકા
□ ભરત ગીતા નાયક
રચના પ્રક્રિયાથી પ્રકાશન પર્યંત
પળેપળ અવિરામ
સહ્રદયી લેહ
□ નૈશિલ મહેતા
શબ્દના દૃશ્યરૂપથી સંવાદમાં
પ્રાણ ફૂંકવાનું બીડું
□ અતુલ ડોડીયા
કૃતિ ધબકાર સુણી સંગ્રહનું
સ-કલ એક ચિત્રે આકલન
એતદ, પરબ, વિ, ખેવના, કંકાવટી, વિશ્વમાનવ, દસમો દાયકો
આમાંની કેટલીક રચનાઓ એમાં સૌ પહેલી પ્રગટી

સર્જક પરિચય
Sarjak Kanji Patel.jpg


કાનજી પટેલ

કાનજી પટેલ(જન્મ ૧૯૫૨) મુખ્યત્વે કવિ, નવલકથાકાર. સર્જકનું પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ શિક્ષણ લુણાવાડામાં. અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન લુણાવાડા કોલેજમાં. હાલ નિવૃત્ત. ગ્રામચેતનાના એક સશક્ત કવિ લેખે તેઓની પાસેથી જનપદ, ‘ડુંગરદેવ’ જેવા કાવ્યસંગ્રહો ઉપરાંત ધરતીનાં વચન અને દેશમાં આદિવાસી જનજાતિઓની વ્યથાકથા, જીવનપીડા અને હદપારી ભોગવતા લોકસંવેદનોને બળકટ અભિવ્યક્તિ પ્રાપ્ત થઈ છે. દેશીવાદના પ્રતીતિજનક ચિત્રો આ રચનાઓમાં કવિ અરૂઢ રીતિમાં આલેખી બતાવવાનું કૌશલ દાખવે છે. લોકજીવનની પ્રત્યક્ષતા અને રચનાઓમાં જીવન સાથે અવિનાભાવે સંકળાયેલ પ્રકૃતિરાગ, સરહદી ડુંગરાઓમાં અપાર મુસીબતો સાથે એના રીતિરિવાજો, ધાર્મિક ક્રિયાકાંડ, નાતજાતના વૈશિષ્ટ્યો પ્રતીકાત્મક રૂપે નિરૂપણ પામ્યા છે. નવલકથા ક્ષેત્રે એમણે કોતરની ધાર પર, દ્વાસુપર્ણા, ડહેલું, ભીલની ભોંય જેવા નોંધપાત્ર પ્રદાનો કર્યા છે. કોતરની ધાર પરની વિષયસામગ્રી અને એની નિરૂપણરીતિની પ્રભાવકતા અંગે ઉમાશંકર જેવા કવિ પણ અન્ય વિદ્વાન સમક્ષ તળમાંથી આવતા યુવા સર્જકો કેવું સૂક્ષ્મ જોઈ શકે છે એની નોંધ લીધા વિના રહી શક્યા નથી. આ નવલકથાઓનો પટ પણ વંચિતો, આદિવાસી સમાજ પ્રત્યે ઇંગિત કરે છે. વિમુકત વિચરતી જાતિઓ વિશેની એમના હાથે લખાયેલી વાર્તાઓ ડેરો નામે સંગ્રહિત છે. ભરત નાયક અને ગીતા નાયકે આધુનિક પરંપરાના વિસ્તાર કાજે ‘ગદ્યપર્વ’નો આરંભ કરેલો. એ સામયિકનું સંપાદન સને ૧૯૯૩થી ૧૯૯૮ દરમિયાન આ સર્જકે સંભાળેલું ત્યારે એમાં પ્રકાશિત થયેલા આદિવાસીઓની મૌખિક પરંપરા અને મૌલિક સાહિત્યનુ અંકન આ સામયિકનો ગુણવિશેષ બની રહે એમ છે. લૌકિક વિધિ અને સમાજનું સામયિક જેવી ઓળખ ધરાવતું ‘વહી’ કવિતાનું ત્રૈમાસિક ૨૦૦૦થી ૨૦૨૦ સુધી સંપાદિત કર્યું જેમાં પ્રતિષ્ઠિત કવિઓની રચનાઓ સાથે નવોદિત કવિઓને વિકસવાની અહીં તક મળી છે. પંથમંત્રો, બાઉલગીતો જેવી કંઠસ્થ પરંપરાને અંકે કરવાનો આ નોખો પુરુષાર્થ હતો. આ સર્જકને નવરોઝ સંસ્થા પુરસ્કાર, ‘ડેરો’ને ઉત્તમ વાર્તા પુરસ્કાર, મધપૂડો જેવી વાર્તા માટે રાષ્ટ્રીય સ્તરનો કથા એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ધૂમકેતુ પુરસ્કાર પ્રાપ્ત થયા છે.

—કિશોર વ્યાસ
 

‘જનપદ’ વિશે

આજના કવિ તરીકે તથા અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના પણ અભ્યાસી તરીકે કાનજી પટેલ અનુઆધુનિક વિદગ્ધ જરૂર છે પરંતુ એમની વ્યક્તિચેતના અને સર્જકચેતના જનપદ તેમજ વનપદના ભીતરી સ્પર્શવાળી છે – નિબિડ અને તપ્ત સંવેદનવાળી છે. ‘જનપદ’માં વનવાસીનો તીક્ષણ અને પ્રબળ સૂર છે. વન–પર્વત–નદી–પંખી–માટી–વૃક્ષ એ તત્ત્વોની નિકટતાનો એમનો આનંદ અંદર ઘુંટાયેલો રહે છે ને એ વન-જન-પ્રકૃતિ પરના શહેરી આક્રમણથી નીપજેલો આક્રોશ વેદનાનું કાવ્યરૂપ ધારણ કરે છે. કાનજી પટેલનો ટેમ્પરામેન્ટ–કવિમિજાજ તળના વાસ્તવને કલ્પનોથી આકાર આપનાર વિલક્ષણ સર્જકનો મિજાજ છે. સૂરજ અને ચંદ્ર, રાત્રિ અને તારામઢ્યું આકાશ, જંગલની અડાબીડતા અને ધરતીની સઘન ગંધ, ઝરણાની સાથે, ઝરણની જેમ જ, વહેતા–સરકતા સર્પ, જનપદની જીવનરીતિઓ – એ બધું રંગદર્શી અસબાબ રૂપે તો દેખાતું નથી, એક સંદિગ્ધ છતાં પ્રબળ ઇન્દ્રિય – સંવેદ્યતાથી તેમજ મૂળની સમજથી કાવ્યતત્વ પ્રગટાવે છે. એટલે બને કે કાનજીની કવિતામાંથી પસાર થતાં પહેલીવાર ઘણું અધ્યાહાર રહી જતું લાગે – પરંતુ એમાંથી ફરીફરીને પસાર થતાં અંદર ખેંચી લેતી પરિચિતતાની સન્મુખ પણ આપણે થઇ શકીએ. એક બાબત તો પહેલા વાચનથી જ ભાવકને પકડી શકે છે – જનને પણ વનનો અંશ કરી રાખતું એનું વાતાવરણ, અનેક પડોમાં ઇન્દ્રિયબોધ આપતી પ્રકૃતિ. ‘જનપદ’માં, આ રીતે થનારો આપણો પ્રવેશ જરૂર વિસ્મયભર્યો બનશે.

—રમણ સોની