ટોળાં અવાજ ઘોઘાટ/૩૦ -અજનબી અગેાચર આંતરિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩૦ -અજનબી અગેાચર આંતરિક|}}
{{Heading|૩૦ -અજનબી અગોચર આંતરિક|}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 25: Line 25:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
'''રાજા દશરથ ઘેર સૈં વર રચિયો, પરણે રાજકુમારી મારા વાલા.'''
'''રાજા દશરથ ઘેર સૈંવર રચિયો, પરણે રાજકુમારી મારા વાલા.'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 35: Line 35:
{{Poem2Open}}
{{Poem2Open}}
નામ હશે દામજી ? દામલો, હરિજનનો રૂપાળો છોકરો. મોટી બે આંખ્યુંમાં આંજણ આંજ્યાં હોય, બે ચોટલા લીધા હોય. બૈરાનાં કપડાં પહેરી મેળામાં હાર્મોનિયમ સાથે ગાતો હોય. ‘કુદરતી’ નાટકમાં આ દામલો ‘દેવાંશી’ બનીને આવ્યો છે.
નામ હશે દામજી ? દામલો, હરિજનનો રૂપાળો છોકરો. મોટી બે આંખ્યુંમાં આંજણ આંજ્યાં હોય, બે ચોટલા લીધા હોય. બૈરાનાં કપડાં પહેરી મેળામાં હાર્મોનિયમ સાથે ગાતો હોય. ‘કુદરતી’ નાટકમાં આ દામલો ‘દેવાંશી’ બનીને આવ્યો છે.
આ બધાંને અનિમેષ જોયાં છે અને એક્કાને સાંભળ્યાં છે. એમના શબ્દલયોના તંતુએ તંતુએ મારી લયચેતનાનાં રેશમ વણાયાં છે. ગામડે ગામડે ફરતી દેશી નાટક કંપનીઓ, શામન બંસીવાલા નંદલાલા શીરી ગોકુલકા ઉજિયાલા-ની મથુરાથી આવતા ચોબાઓની કૃષ્ણલીલાઓ, કથા-કીર્તનકારો, મેળામાં કોળી ઠાકરડાઓના રાહડા, ભજનો, ગરબા, ગરબી, બ્રાહ્મણોના મંત્રોચ્ચારો, મોળાકત વગેરે વ્રતો કરતી બાળાઓનાં ગીતો, બાવા-મદારી-જાદુગર-બજાણિયા-ફકીર વગેરેના પદ્યગદ્યના લયલહેકાઓ-આવું આવું અપરિસંખ્યેય હશે મારી લયચેતનાના વસ્ત્રવણાટમાં, જે આરંભાયું હશે ઘોડિયામાં, બાના વહાલભર્યા મીઠા કંઠથી :
આ બધાંને અનિમેષ જોયાં છે અને એકકાને સાંભળ્યાં છે. એમના શબ્દલયોના તંતુએ તંતુએ મારી લયચેતનાનાં રેશમ વણાયાં છે. ગામડે ગામડે ફરતી દેશી નાટક કંપનીઓ, શામન બંસીવાલા નંદલાલા શીરી ગોકુલકા ઉજિયાલા-ની મથુરાથી આવતા ચોબાઓની કૃષ્ણલીલાઓ, કથા-કીર્તનકારો, મેળામાં કોળી ઠાકરડાઓના રાહડા, ભજનો, ગરબા, ગરબી, બ્રાહ્મણોના મંત્રોચ્ચારો, મોળાકત વગેરે વ્રતો કરતી બાળાઓનાં ગીતો, બાવા-મદારી-જાદુગર-બજાણિયા-ફકીર વગેરેના પદ્યગદ્યના લયલહેકાઓ—આવું આવું અપરિસંખ્યેય હશે મારી લયચેતનાના વસ્ત્રવણાટમાં, જે આરંભાયું હશે ઘોડિયામાં, બાના વહાલભર્યા મીઠા કંઠથી :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 42: Line 42:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
ગામના ગ્રંથાલયમાં એક માત્ર કાવ્યગ્રંથ,‘કલાપીનો કેકારવ’, જાણે મારા માટે જ. બાકી ‘સાહિત્યપલ્લવ’ના શાળામાં ચાલતા ખંડો. નવમા ધોરણમાં અમદાવાદ આવ્યો. શ્રી ભારતી વિદ્યાલય (ખાડિયા)માં અઢળક સામયિકો આવે. ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’, સાદ્યંત વંચાઈ જાય. નવમા ધોરણમાં હતો ત્યારે મારું એક કાવ્ય ‘રમકડું’માં પ્રકટ થયેલું. તેના પુરસ્કારના ત્રણેક રૂપિયા આવેલા તેમાંથી, ફરી બાઈન્ડ કરેલું, વિદ્યાર્થીનું નામ-નોંધ –લીટીવાળું એક પુસ્તક ખરીદ્યું, ‘નિશીથ’, તે ખાસ રોમાંચક ઘટના. પ્રથમ પુરસ્કારમાંથી કરેલી ખરીદી. વાપરવા મળતા પૈસામાંથી એ વખતે દર શુક્રવારે લાલદરવાજાના મયદાનમાં ભરાતી ગુજરીમાંથી ‘કુમાર’ ‘સંસ્કૃતિ’, ‘કૌમુદી’ એવાં એવાં સામયિકો નિયમિત ખરીદતો. ‘કુમાર’ની તો એક વડીલ પાસેથી, વ્યવસ્થિત બાંધેલી, જૂની ફાઈલ્સ વાંચવા મળી ગઈ. દશમા કે અગિયારમા ધોરણમાં હતો ત્યારે બચુભાઈએ ‘કવિતા’ના અનિયતકાલિક મણકા શરુ કરેલા તે કાર્યાલયમાં જઈ છૂટક ખરીદતો. કાવ્યો તો રોજ લખાતાં પણ ‘બુધસભા’માં જવાની હિંમત ન હતી. પાંચકૂવા પાસેની એક લાઈબ્રેરી, મણિનગરમાં રામકૃષ્ણ આશ્રમની લાઈબ્રેરી અને એમ.જે. લાઈબ્રેરીમાંથી કાવ્યસંગ્રહો વંચાતા રહે. અક્ષરમેળ અને માત્રામેળ છંદો ગુરુ વિના ઉકેલવાના પરિતાપમાં કલાકો સુધી પિંગળનાં પુસ્તકો જે કંઈ પ્રાપ્ય તેમાં ગોથાં માર્યાં કરું. કોલેજમાં પ્રવેશ્યા પછી ‘ગુજરાત કોલેજ’ની લાઈબ્રેરીમાં કાવ્યગ્રંથોનો ખજાનો મળ્યો. વળી મિત્રો મળી ગયા, ગ્રેટ. પ્રથમ મળ્યા શ્રી અબ્દુલકરીમ શેખ, એક જ વર્ગમાં. સેન્સિટિવ, સુંદર માણસ. સરસ છંદોબદ્ધ કવિતા લખે. મનુષ્યના આંતરબાહ્યનાં સુક્ષ્મ વર્ણનો કરતી વાર્તાઓ લખે, ઉત્તમ બધું વાંચે. સાથે ‘નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ’ને એવું ઘણું બધું વાંચ્યાનું સ્મરણ છે. બીજા મળ્યા શ્રી રાધેશ્યામ શર્મા. એ વખતે પણ સિદ્ધ લેખક જેવા. વર્ગમાં પણ માથું ઝુકાવી કંઈ ને કંઈ સડસડાટ વાંચ્યા કરતા હોય અને પુસ્તકોમાં અધોરેખાઓ આંકતા હોય. ઉપરા-ઉપરી વાર્તાઓ લખીને લાવે. પ્રેમથી છલકતું વ્યક્તિત્વ. નાનામાં નાના ખૂણા-ખાંચરાના માણસોને નજીક જઈને ચાહી શકે, પામી શકે એવી અજિબ સરલતા; અને છતાં કળાકારમાં હોય તેવી આંતરિક સંકુલતાઓથી સભર, રાધેશ્યામ. ત્રીજા મિત્ર મળ્યા તે મૂર્તિમંત ભાવોદ્રેક શ્રી રતિલાલ દવે. છંદોબદ્ધ સુંદર, ભાવમય કાવ્યોથી છલકતી કાવ્યપોથીઓ. એક કાવ્ય તો ‘કુમાર’માં છપાઈ પણ ગયેલું. બધા નિતાંત ‘લીટરરી’ રસવાળા. સોબતનાં એ વર્ષો, કાવ્યગોષ્ઠિની મસ્તીનાં સઘન વર્ષો હતાં.
ગામના ગ્રંથાલયમાં એક માત્ર કાવ્યગ્રંથ, ‘કલાપીનો કેકારવ’, જાણે મારા માટે જ. બાકી ‘સાહિત્યપલ્લવ’ના શાળામાં ચાલતા ખંડો. નવમા ધોરણમાં અમદાવાદ આવ્યો. શ્રી ભારતી વિદ્યાલય (ખાડિયા)માં અઢળક સામયિકો આવે. ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’, સાદ્યંત વંચાઈ જાય. નવમા ધોરણમાં હતો ત્યારે મારું એક કાવ્ય ‘રમકડું’માં પ્રકટ થયેલું. તેના પુરસ્કારના ત્રણેક રૂપિયા આવેલા તેમાંથી, ફરી બાઈન્ડ કરેલું, વિદ્યાર્થીનું નામ-નોંધ –લીટીવાળું એક પુસ્તક ખરીદ્યું, ‘નિશીથ’, તે ખાસ રોમાંચક ઘટના. પ્રથમ પુરસ્કારમાંથી કરેલી ખરીદી. વાપરવા મળતા પૈસામાંથી એ વખતે દર શુક્રવારે લાલદરવાજાના મયદાનમાં ભરાતી ગુજરીમાંથી ‘કુમાર’ ‘સંસ્કૃતિ’, ‘કૌમુદી’ એવાં એવાં સામયિકો નિયમિત ખરીદતો. ‘કુમાર’ની તો એક વડીલ પાસેથી, વ્યવસ્થિત બાંધેલી, જૂની ફાઈલ્સ વાંચવા મળી ગઈ. દશમા કે અગિયારમા ધોરણમાં હતો ત્યારે બચુભાઈએ ‘કવિતા’ના અનિયતકાલિક મણકા શરુ કરેલા તે કાર્યાલયમાં જઈ છૂટક ખરીદતો. કાવ્યો તો રોજ લખાતાં પણ ‘બુધસભા’માં જવાની હિંમત ન હતી. પાંચકૂવા પાસેની એક લાઇબ્રેરી, મણિનગરમાં રામકૃષ્ણ આશ્રમની લાઈબ્રેરી અને એમ. જે. લાઈબ્રેરીમાંથી કાવ્યસંગ્રહો વંચાતા રહે. અક્ષરમેળ અને માત્રામેળ છંદો ગુરુ વિના ઉકેલવાના પરિતાપમાં કલાકો સુધી પિંગળનાં પુસ્તકો જે કંઈ પ્રાપ્ય તેમાં ગોથાં માર્યાં કરું. કૉલેજમાં પ્રવેશ્યા પછી ‘ગુજરાત કૉલેજ’ની લાઈબ્રેરીમાં કાવ્યગ્રંથોનો ખજાનો મળ્યો. વળી મિત્રો મળી ગયા, ગ્રેટ. પ્રથમ મળ્યા શ્રી અબ્દુલકરીમ શેખ, એક જ વર્ગમાં. સેન્સિટિવ, સુંદર માણસ. સરસ છંદોબદ્ધ કવિતા લખે. મનુષ્યના આંતરબાહ્યનાં સુક્ષ્મ વર્ણનો કરતી વાર્તાઓ લખે, ઉત્તમ બધું વાંચે. સાથે ‘નોટ્સ ફ્રૉમ ધ અંડરગ્રાઉન્ડ’ને એવું ઘણું બધું વાંચ્યાનું સ્મરણ છે. બીજા મળ્યા શ્રી રાધેશ્યામ શર્મા. એ વખતે પણ સિદ્ધ લેખક જેવા. વર્ગમાં પણ માથું ઝુકાવી કંઈ ને કંઈ સડસડાટ વાંચ્યા કરતા હોય અને પુસ્તકોમાં અધોરેખાઓ આંકતા હોય. ઉપરા-ઉપરી વાર્તાઓ લખીને લાવે. પ્રેમથી છલકતું વ્યક્તિત્વ. નાનામાં નાના ખૂણા-ખાંચરાના માણસોને નજીક જઈને ચાહી શકે, પામી શકે એવી અજિબ સરલતા; અને છતાં કળાકારમાં હોય તેવી આંતરિક સંકુલતાઓથી સભર, રાધેશ્યામ. ત્રીજા મિત્ર મળ્યા તે મૂર્તિમંત ભાવોદ્રેક શ્રી રતિલાલ દવે. છંદોબદ્ધ સુંદર, ભાવમય કાવ્યોથી છલકતી કાવ્યપોથીઓ. એક કાવ્ય તો ‘કુમાર’માં છપાઈ પણ ગયેલું. બધા નિતાંત ‘લીટરરી’ રસવાળા. સોબતનાં એ વર્ષો, કાવ્યગોષ્ઠિની મસ્તીનાં સઘન વર્ષો હતાં.
કાવ્યની લગની એવી લાગેલી કે લખવા-વાંચવામાં કલાકો જાય. સુન્દરમ્ –ઉમાશંકર-રાજેન્દ્ર-નિરંજન-પ્રિયકાન્ત-ઉશનસૂ-જયંત પાઠક-મકરન્દ દવે-પ્રજારામ વગેરેનાં કાવ્યોનું એકાંતમાં પઠન ચાલે, ઉતાવળ વગર આમ સાવ નિરાંતે, કાવ્યોનાં કાવ્યો કંઠસ્થ થઈ ગયેલાં. વળી ખાસ ગમતા કવિમાં હરિશ્ચંદ્ર ભટ્ટ. એમનો ઘૂંટાયેલો ગૂઢ, સુક્ષ્મ લય હજુ કર્ણચેતના પર ચીપકેલો છે. પ્રહલાદ અને શ્રીધરાણી પણ ખાસ, પ્રિય. કાન્ત-બળવંતરાય-ન્હાનાલાલ અને અમુક કાવ્યો બાળશંકરનાં ફરી ફરીને વાંચું. નરસિંહ –મીરા-દયારામને તો ગાઉં, એકાન્તમાં. પ્રેમાનંદ તો આખ્યાનશૈલીમાં જ, મારી રીતે, વાંચું. સંસ્કૃત કવિતા-નાટક, કથારસથી વિશેષ તો, વાણીરસથી વાંચ્યા કરું.
 
શબ્દને, લયને, અર્થને તલ્લીનતાથી પામ્યો છું શૈશવમાં, કિશોરાવસ્થામાં, યુવાનવસ્થામાં જેમ, તેમ ક્રમશઃ તિરાડો પણ એમાં સમાન્તર પડતી રહી છે. એકડિયા-બગડિયામાં સાથે ભણતાં હરિજનોનાં એકલ-દોકલ બાળકોને ગાભા જેવા પાથરણા પર અલગ, ખૂણામાં, તિરસ્કૃત દશામાં માંડ બે ચોપડી ભણતાં જોયાં છે. પાણી પાનારી કોળી બાઈ પણ બધા છોકરા પાણી પી લે પછી હરિજનનાં બાળકોને ધિક્કારી ધિક્કારી હડધૂત કરી ખૂબ આઘે-ઊંચેથી પાણી રેડે. મેલું ઉપાડતા હરિજનોને હડધૂત કરતા ઘરના-બહારના વડીલોને, બ્રાહ્મણ-વાણિયા પટેલોને, રોષથી જોતો થયો છું. એમની નાની-મોટી ક્રૂરતાઓ જોઈ વર્ષોથી આ ભદ્ર ગણાતા લોકોને ‘શ્રદ્ધેય’ ગણવાનું છોડી દીધું છે. હરિજનના બાળકને અડવાનું ‘પાપ’ કરતો. જનોઈ શરીર પરથી ઉતારીને ખૂણામાં ઘા કરી જોયા કરતો મારું શું ‘અનિષ્ઠ’ થાય છે તે. વર્ષોથી જનોઈ કાયમ માટે ફગાવી દીધી છે. એક વાર વગડામાં, એક હનુમાનજીના મંદિરમાં મૂર્તિને મુત્રધારાથી પરિપ્લાવિત કરવાનું ‘પાપ’ પણ કરેલું છે. આવી નાની નાની પાપ-પરંપરાઓ સતત ચાલતી રહી છે. વાંકદર્શનને કરને જે કંઈ આત્મસાત્ થતું હતું ત્વરાથી, તલ્લીનતાથી તે ધીમે ધીમે મંદ ગતિએ કતરાતું, ખવાતું, ક્ષીણ થતું રહ્યું છે. કિશોરાવસ્થામાં ગાંધીપરસ્ત, ખાદીનાં કપડાં પહેરતો. રેશનિંગમાં અનાજ સંતાડતાં માતાપિતાને, ઇન્સ્પેક્ટર આવશે ત્યારે ‘કહી’ દઈશ એવી ધમકી આપતો. સત્યનારાયણનો પ્રસાદ અસત્યનારાયણોની વચ્ચે ઊછરતાં ઊછરતાં ખાધો છે. ગાંધીજીની હત્યા વખતે હચમચી ગયેલો. આખો દિવસ જમેલો નહીં. ગાંધીજીને મેં ચાહ્યા છે કુમળી, તરવરતી વયે; અને છતાં પંક્તિ આવે છે તો કેવી આવે છે !-
કાવ્યની લગની એવી લાગેલી કે લખવા-વાંચવામાં કલાકો જાય. સુન્દરમ્ –ઉમાશંકર-રાજેન્દ્ર-નિરંજન-પ્રિયકાન્ત-ઉશનસૂ-જયંત પાઠક-મકરન્દ દવે-પ્રજારામ વગેરેનાં કાવ્યોનું એકાંતમાં પઠન ચાલે, ઉતાવળ વગર આમ સાવ નિરાંતે, કાવ્યોનાં કાવ્યો કંઠસ્થ થઈ ગયેલાં. વળી ખાસ ગમતા કવિમાં હરિશ્ચંદ્ર ભટ્ટ. એમનો ઘૂંટાયેલો ગૂઢ, સૂક્ષ્મ લય હજુ કર્ણચેતના પર ચીપકેલો છે. પ્રહ્‌લાદ અને શ્રીધરાણી પણ ખાસ, પ્રિય. કાન્ત-બળવંતરાય-ન્હાનાલાલ અને અમુક કાવ્યો બાળશંકરનાં ફરી ફરીને વાંચું. નરસિંહ–મીરા–દયારામને તો ગાઉં, એકાન્તમાં. પ્રેમાનંદ તો આખ્યાનશૈલીમાં જ, મારી રીતે, વાંચું. સંસ્કૃત કવિતા-નાટક, કથારસથી વિશેષ તો, વાણીરસથી વાંચ્યા કરું.
 
શબ્દને, લયને, અર્થને તલ્લીનતાથી પામ્યો છું શૈશવમાં, કિશોરાવસ્થામાં, યુવાનવસ્થામાં જેમ, તેમ ક્રમશઃ તિરાડો પણ એમાં સમાન્તર પડતી રહી છે. એકડિયા-બગડિયામાં સાથે ભણતાં હરિજનોનાં એકલ-દોકલ બાળકોને ગાભા જેવા પાથરણા પર અલગ, ખૂણામાં, તિરસ્કૃત દશામાં માંડ બે ચોપડી ભણતાં જોયાં છે. પાણી પાનારી કોળી બાઈ પણ બધા છોકરા પાણી પી લે પછી હરિજનનાં બાળકોને ધિક્કારી ધિક્કારી હડધૂત કરી ખૂબ આઘે-ઊંચેથી પાણી રેડે. મેલું ઉપાડતા હરિજનોને હડધૂત કરતા ઘરના-બહારના વડીલોને, બ્રાહ્મણ-વાણિયા પટેલોને, રોષથી જોતો થયો છું. એમની નાની-મોટી ક્રૂરતાઓ જોઈ વર્ષોથી આ ભદ્ર ગણાતા લોકોને ‘શ્રદ્ધેય’ ગણવાનું છોડી દીધું છે. હરિજનના બાળકને અડવાનું ‘પાપ’ કરતો. જનોઈ શરીર પરથી ઉતારીને ખૂણામાં ઘા કરી જોયા કરતો મારું શું ‘અનિષ્ઠ’ થાય છે તે. વર્ષોથી જનોઈ કાયમ માટે ફગાવી દીધી છે. એક વાર વગડામાં, એક હનુમાનજીના મંદિરમાં મૂર્તિને મુત્રધારાથી પરિપ્લાવિત કરવાનું ‘પાપ’ પણ કરેલું છે. આવી નાની નાની પાપ-પરંપરાઓ સતત ચાલતી રહી છે. વાંકદર્શનને કરને જે કંઈ આત્મસાત્ થતું હતું ત્વરાથી, તલ્લીનતાથી તે ધીમે ધીમે મંદ ગતિએ કતરાતું, ખવાતું, ક્ષીણ થતું રહ્યું છે. કિશોરાવસ્થામાં ગાંધીપરસ્ત, ખાદીનાં કપડાં પહેરતો. રેશનિંગમાં અનાજ સંતાડતાં માતાપિતાને, ઇન્સ્પેક્ટર આવશે ત્યારે ‘કહી’ દઈશ એવી ધમકી આપતો. સત્યનારાયણનો પ્રસાદ અસત્યનારાયણોની વચ્ચે ઊછરતાં ઊછરતાં ખાધો છે. ગાંધીજીની હત્યા વખતે હચમચી ગયેલો. આખો દિવસ જમેલો નહીં. ગાંધીજીને મેં ચાહ્યા છે કુમળી, તરવરતી વયે; અને છતાં પંક્તિ આવે છે તો કેવી આવે છે !-
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>