દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૬. ઈશ્વર છે તે વિષે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮૬. ઈશ્વર છે તે વિષે|મનહર છંદ}} <poem> પવન પ્રગટ નહીં પેખવામાં આવે પણ, ઝાડોને હલાવે તેથી પવન જણાય છે; નદી મધ્યે નીરતણું નિરખી નવીન પૂર, દૂર વરસાદ થયો, દિલમાં મનાય છે; દૂર દિસે દેવતા...")
 
No edit summary
 
Line 25: Line 25:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૮૫. સર્વવ્યાપક ઈશ્વર વિષે
|next =  
|next = ૮૭. બહુરૂપી ઈશ્વરની સ્તુતિ
}}
}}

Latest revision as of 05:30, 23 April 2023


૮૬. ઈશ્વર છે તે વિષે

મનહર છંદ


પવન પ્રગટ નહીં પેખવામાં આવે પણ,
ઝાડોને હલાવે તેથી પવન જણાય છે;
નદી મધ્યે નીરતણું નિરખી નવીન પૂર,
દૂર વરસાદ થયો, દિલમાં મનાય છે;
દૂર દિસે દેવતા તે દૃષ્ટિએ દેખાય નહિ,
ધૂમાડો દેખીને દૂર દેવતા ધરાય છે;
તેમ કરતાર તણાં કામ દલપતરામ,
દેખી કરતાર છે એવું કહી શકાય છે.

છપ્પો

એક તરખલું આજ, હાથમાં લીધું હરખી,
જગકર્ત્તાની જુક્તિ, નજરથી તેમાં નીરખી;
નસો નળી નવરંગ, ગાંઠ તેમાં ગંઠાઈ,
સરખું વચે સળંગ, સરસ તેમાં સાફાઈ;
નરથી એવું નવ બની શકે, કરે ક્રોડ કારીગરી,
અદ્‌ભુત એમાં દલપત કહે, હિકમત તે હરિએ કરી.