દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૯. નરસિંહ મહેતાના ઓટા વિષે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮૯. નરસિંહ મહેતાના ઓટા વિષે|સવૈયા}} <poem> છત્ર નથી શિર છાપરું છે નહિ છતમાં પણ છેક જ છોટો; તોપણ છે ત્રણલોક પ્રસિદ્ધ સુમેરુ થકી મહિમા બહુ મોટો, તત્ત્વ અનેકનું તત્ત્વજથા પ્રગટે મહ...")
 
No edit summary
 
Line 15: Line 15:
જો ધરિ જન્મ ગયો ન જુનેગઢ તો જન જન્મ ધર્યો ન ધર્યો.
જો ધરિ જન્મ ગયો ન જુનેગઢ તો જન જન્મ ધર્યો ન ધર્યો.
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૮૮. સગાભાઈ શિશુ
|next =  
|next = ૯૦. વાણીમહિમા
}}
}}

Latest revision as of 07:48, 23 April 2023


૮૯. નરસિંહ મહેતાના ઓટા વિષે

સવૈયા


છત્ર નથી શિર છાપરું છે નહિ છતમાં પણ છેક જ છોટો;
તોપણ છે ત્રણલોક પ્રસિદ્ધ સુમેરુ થકી મહિમા બહુ મોટો,
તત્ત્વ અનેકનું તત્ત્વજથા પ્રગટે મહત્ત્વ તણો પરપોટો,
આ મહેતા નરસિંહ તણો અઘનાશક પુણ્ય પ્રકાશક ઓટો.

જો નહિ સોરઠ દેશ ફર્યો પરદેશ વિશેષ ફર્યો ન ફર્યો;
જો ગિરનાર પ્રવેશ કર્યો ન પ્રયાગ પ્રવેશ કર્યો ન કર્યો;
જો ન દામોદરકુંડ તર્યો સરિતા જલ સર્વ તર્યો ન તર્યો,
જો ધરિ જન્મ ગયો ન જુનેગઢ તો જન જન્મ ધર્યો ન ધર્યો.