પરિભ્રમણ ખંડ 2/નિર્જળ માસ

નિર્જળ માસ


જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.

નિર્જળું વ્રત એટલે?

એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે —                   દાતણ પાણી મોકળાં, તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે —                   નાવણ પાણી મોકળાં, તો જ બા નાહી શકે. કોઈ કહે કે —                   અન્ન પાણી મોકળાં તો જ બાથી જમી શકાય.