પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(6 intermediate revisions by 2 users not shown)
Line 210: Line 210:
तत्त्वं पूषन्नपावृणु सत्यर्धमस्य दृष्टये ।।
तत्त्वं पूषन्नपावृणु सत्यर्धमस्य दृष्टये ।।
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
અધ્યાત્મદૃષ્ટિ સોનાના પાત્રમાં સચ્ચિદાનંદને જુવે છે તો ભક્તકવિ તેને સોનાના પારણામાં જુવે છે ને ઝુલાવે છે.
અધ્યાત્મદૃષ્ટિ સોનાના પાત્રમાં સચ્ચિદાનંદને જુવે છે તો ભક્તકવિ તેને સોનાના પારણામાં જુવે છે ને ઝુલાવે છે.
Line 264: Line 265:
તેમના પહેલાંના શતકમાંના મહાકવિઓમાંથી એક અથવા બીજા કવિની ભાવનાના વારસાની સ્પષ્ટ નિશાનીઓ આ નવા કવિઓમાં જણાઈ આવે છે. પરન્તુ અંદરથી અને બહારથી આ દેશ ઉપર જે અનેક ધર્મપંથોના ધોધ એકદમ છોડવામાં આવ્યા હતા તેમાંના એક અથવા બીજા પંથની વિચારણાઓથી અને શ્રદ્ધાઓથી આ કવિઓમાંના એક એકની કવિભાવના છવાઈ ગયેલી છે. ગુજરાતની ઉત્તરમાં મીરાંના પતિનું રાજ્ય મેવાડ છે. સમકાલીન નરસિંહ મહેતાની પેઠે આ આર્યા સ્ત્રીની શ્રદ્ધા વિષ્ણુધર્મ ઉપર હતી; મેવાડના રાજાઓનો ધર્મ એ આર્યાનાથી એ જીવતાં જુદો જ હતો. અને તેથી ખટપટ અને સતાવણી બેમાંથી બચવાને તેને ગુજરાતમાં નાસી આવવું પડ્યું હતું; પરંતુ મેવાડના લલાટમાં તેના ધર્મનો અંગીકાર કરી તેનો ખંગ વાળવા લખેલું હતું. આ પંથનો સ્થાપનાર વલ્લભાચાર્ય જેને મુંબઈમાં ચાલેલા મહારાજા લાઇબલ કેસે પ્રસિદ્ધિમાં આણ્યો છે, તેનો ૧૪૭૯માં મીરાં અને નરસિંહ મહેતાના કવિજીવનના અંતસમયની લગભગમાં જ જન્મ થયો. વલ્લભ મેવાડના જૂના કાળથી ચાલતા આવેલા એકલિંગના ધર્મને સ્થાને આ નવો પંથ સ્થાપવામાં વિજયી થયો અને એ અરસિક અને વિરક્ત પંથને સ્થાને વલ્લભે એક એવો પુષ્ટિમાર્ગનો નવો સંપ્રદાય ચલાવ્યો કે, જેમાં નરસિંહ મહેતાની ભાવનાઓને જન્મ આપનાર જ્ઞાનમાર્ગ અને કાવ્યરસના ચીલામાં, ઈશ્વરદત્ત વિધિનિષેધ અને પ્રતિજ્ઞાઓની અમુક સંખ્યાઓને ચલાવવા માંડી; અને નિરંતર ભક્તિએ ધીમે ધીમે આ વિધિનિષેધોનો અને પ્રતિજ્ઞાઓનો સ્વીકાર તેમના રહસ્યને સ્થાને દેખીતા વિષયવાસના ભરેલા શબ્દાર્થ સમજીને કર્યો. હવે ગુજરાતના ચૉસર જેવા આદિ કવિનાં રૂપકો, ધર્મમાં તેમજ કવિતામાં અજ્ઞાત થઈ ગયાં. આ પંથોની સમગ્ર રચના અશિક્ષિત જનસમૂહ માટે સ્પષ્ટ પદાર્થમાં, પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓમાં અને પૌરાણિક કથાઓમાં દેવભાવનાનું મિશ્ર સ્વરૂપ પામી જાય છે. પ્રાચીન રૂપકો ભુલાઈ જવા છતાં, આ કાળના કવિઓ વખતોવખત મનુષ્યની કરેલી મૂર્તિઓમાં વિશ્વના અદૃષ્ટ નિયંતાની ચિરંજીવ સંજ્ઞાઓને સાચવી રાખે છે, અને ભક્તજનમાં એવી ભાવનાને ભરે છે કે, જેથી તે ભક્ત પ્રતિમાના આકારના ધ્યાનમાં લીન થઈ, અંતે નિરંજન ઈશ્વરને પ્રત્યક્ષ કરે અને પ્રત્યક્ષમૂર્તિમાં વિશેષ રૂપે પ્રત્યક્ષ થતા પરમ દૈવતની અંતઃકરણથી પૂજા કરે, અને અંતે પુરાણોક્ત ઈશ્વરાવતાર ઉપરની પ્રીતિમાં સંક્રાન્ત થઈ, તે દ્વારા નિરંજન નિરાકાર પરમાત્માને માટે અમૂર્ત પ્રીતિ રાખવાનું સાધન પામે. કવિઓની આ રચનાપદ્ધતિ, પછી તે વિષ્ણુ, શવિ કે શક્તિ વાસ્તે હોય તો પણ તે પદ્ધતિ ઉક્ત કાળના કવિઓમાં સામાન્ય લક્ષણરૂપ છે. જે સૈકામાં અખો કવિ આ અને અન્ય ધર્મની સામે મર્મ પ્રહારો કરતો હતો, તે શતક વખતે આખા ગુજરાતમાંથી વલ્લભની સત્તા નિર્મૂલ નહિ કરી શક્યું હોય તો પણ ગુજરાતી કાવ્યોમાંથી તો વલ્લભની તે ધર્મસત્તાને દૂર રાખેલ છે. પણ જ્યાં આ સૈકું સમાપ્ત થયું અને તે પછીના સૈકાની રાજકીય અવ્યવસ્થા અને અંધકારે આ દેશને કેવળ રાજકીય નહિ પણ ધાર્મિક અને નૈતિક વિષયમાં ચડાઈ કરી આવનારાઓને શરણ કર્યા; તે ક્ષણે જ વલ્લભના શિષ્યો દેશમાં ટોળાબંધ આવવા લાગ્યા અને પુરુષો તેમ સ્ત્રીઓ તેમાં ઘણે ભાગે વણિકવર્ગે ઉન્માદનો આ નવીન પંથ સ્વીકાર્યો. આ કવિઓ કે જેઓ સાધારણ સમયમાં દૃઢ મગજના રહી શકત, તેઓ આ નવા પંથનું આવી અસ્તવ્યસ્ત સ્થિતિમાં આવી પડેલા સૈકામાં મદદરૂપે ગણું ગાવા લાગ્યા. પરોક્ષ વા અપરોક્ષ આ પંથને માનનારા બીજા બાર કવિઓ આ દેશ ને કાળમાં એવી જાતની સ્ત્રૈણ કવિતા પૂરી પાડે છે કે તેમાં નથી જોવામાં આવતાં નરસિંહ મહેતાનાં તત્ત્વજ્ઞાન તથા ભક્તિભાવ કે નથી જોવામાં આવતી મીરાંની કોમળ શુદ્ધતા. (Classical-Poets, pages ૫૬-૬૧ ભાષાન્તર કરનાર, બ.બુ. ત્રિવેદી)
તેમના પહેલાંના શતકમાંના મહાકવિઓમાંથી એક અથવા બીજા કવિની ભાવનાના વારસાની સ્પષ્ટ નિશાનીઓ આ નવા કવિઓમાં જણાઈ આવે છે. પરન્તુ અંદરથી અને બહારથી આ દેશ ઉપર જે અનેક ધર્મપંથોના ધોધ એકદમ છોડવામાં આવ્યા હતા તેમાંના એક અથવા બીજા પંથની વિચારણાઓથી અને શ્રદ્ધાઓથી આ કવિઓમાંના એક એકની કવિભાવના છવાઈ ગયેલી છે. ગુજરાતની ઉત્તરમાં મીરાંના પતિનું રાજ્ય મેવાડ છે. સમકાલીન નરસિંહ મહેતાની પેઠે આ આર્યા સ્ત્રીની શ્રદ્ધા વિષ્ણુધર્મ ઉપર હતી; મેવાડના રાજાઓનો ધર્મ એ આર્યાનાથી એ જીવતાં જુદો જ હતો. અને તેથી ખટપટ અને સતાવણી બેમાંથી બચવાને તેને ગુજરાતમાં નાસી આવવું પડ્યું હતું; પરંતુ મેવાડના લલાટમાં તેના ધર્મનો અંગીકાર કરી તેનો ખંગ વાળવા લખેલું હતું. આ પંથનો સ્થાપનાર વલ્લભાચાર્ય જેને મુંબઈમાં ચાલેલા મહારાજા લાઇબલ કેસે પ્રસિદ્ધિમાં આણ્યો છે, તેનો ૧૪૭૯માં મીરાં અને નરસિંહ મહેતાના કવિજીવનના અંતસમયની લગભગમાં જ જન્મ થયો. વલ્લભ મેવાડના જૂના કાળથી ચાલતા આવેલા એકલિંગના ધર્મને સ્થાને આ નવો પંથ સ્થાપવામાં વિજયી થયો અને એ અરસિક અને વિરક્ત પંથને સ્થાને વલ્લભે એક એવો પુષ્ટિમાર્ગનો નવો સંપ્રદાય ચલાવ્યો કે, જેમાં નરસિંહ મહેતાની ભાવનાઓને જન્મ આપનાર જ્ઞાનમાર્ગ અને કાવ્યરસના ચીલામાં, ઈશ્વરદત્ત વિધિનિષેધ અને પ્રતિજ્ઞાઓની અમુક સંખ્યાઓને ચલાવવા માંડી; અને નિરંતર ભક્તિએ ધીમે ધીમે આ વિધિનિષેધોનો અને પ્રતિજ્ઞાઓનો સ્વીકાર તેમના રહસ્યને સ્થાને દેખીતા વિષયવાસના ભરેલા શબ્દાર્થ સમજીને કર્યો. હવે ગુજરાતના ચૉસર જેવા આદિ કવિનાં રૂપકો, ધર્મમાં તેમજ કવિતામાં અજ્ઞાત થઈ ગયાં. આ પંથોની સમગ્ર રચના અશિક્ષિત જનસમૂહ માટે સ્પષ્ટ પદાર્થમાં, પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓમાં અને પૌરાણિક કથાઓમાં દેવભાવનાનું મિશ્ર સ્વરૂપ પામી જાય છે. પ્રાચીન રૂપકો ભુલાઈ જવા છતાં, આ કાળના કવિઓ વખતોવખત મનુષ્યની કરેલી મૂર્તિઓમાં વિશ્વના અદૃષ્ટ નિયંતાની ચિરંજીવ સંજ્ઞાઓને સાચવી રાખે છે, અને ભક્તજનમાં એવી ભાવનાને ભરે છે કે, જેથી તે ભક્ત પ્રતિમાના આકારના ધ્યાનમાં લીન થઈ, અંતે નિરંજન ઈશ્વરને પ્રત્યક્ષ કરે અને પ્રત્યક્ષમૂર્તિમાં વિશેષ રૂપે પ્રત્યક્ષ થતા પરમ દૈવતની અંતઃકરણથી પૂજા કરે, અને અંતે પુરાણોક્ત ઈશ્વરાવતાર ઉપરની પ્રીતિમાં સંક્રાન્ત થઈ, તે દ્વારા નિરંજન નિરાકાર પરમાત્માને માટે અમૂર્ત પ્રીતિ રાખવાનું સાધન પામે. કવિઓની આ રચનાપદ્ધતિ, પછી તે વિષ્ણુ, શવિ કે શક્તિ વાસ્તે હોય તો પણ તે પદ્ધતિ ઉક્ત કાળના કવિઓમાં સામાન્ય લક્ષણરૂપ છે. જે સૈકામાં અખો કવિ આ અને અન્ય ધર્મની સામે મર્મ પ્રહારો કરતો હતો, તે શતક વખતે આખા ગુજરાતમાંથી વલ્લભની સત્તા નિર્મૂલ નહિ કરી શક્યું હોય તો પણ ગુજરાતી કાવ્યોમાંથી તો વલ્લભની તે ધર્મસત્તાને દૂર રાખેલ છે. પણ જ્યાં આ સૈકું સમાપ્ત થયું અને તે પછીના સૈકાની રાજકીય અવ્યવસ્થા અને અંધકારે આ દેશને કેવળ રાજકીય નહિ પણ ધાર્મિક અને નૈતિક વિષયમાં ચડાઈ કરી આવનારાઓને શરણ કર્યા; તે ક્ષણે જ વલ્લભના શિષ્યો દેશમાં ટોળાબંધ આવવા લાગ્યા અને પુરુષો તેમ સ્ત્રીઓ તેમાં ઘણે ભાગે વણિકવર્ગે ઉન્માદનો આ નવીન પંથ સ્વીકાર્યો. આ કવિઓ કે જેઓ સાધારણ સમયમાં દૃઢ મગજના રહી શકત, તેઓ આ નવા પંથનું આવી અસ્તવ્યસ્ત સ્થિતિમાં આવી પડેલા સૈકામાં મદદરૂપે ગણું ગાવા લાગ્યા. પરોક્ષ વા અપરોક્ષ આ પંથને માનનારા બીજા બાર કવિઓ આ દેશ ને કાળમાં એવી જાતની સ્ત્રૈણ કવિતા પૂરી પાડે છે કે તેમાં નથી જોવામાં આવતાં નરસિંહ મહેતાનાં તત્ત્વજ્ઞાન તથા ભક્તિભાવ કે નથી જોવામાં આવતી મીરાંની કોમળ શુદ્ધતા. (Classical-Poets, pages ૫૬-૬૧ ભાષાન્તર કરનાર, બ.બુ. ત્રિવેદી)
આ શતકમાં આ ભોગવિલાસના પંથના અનેક કવિઓ આમ થઈ ગયા તો વિરક્તમાર્ગની છાયાઓ દૃષ્ટિમાંથી છેક ખસી ગઈ નથી અને વલ્લભને દૂર રાખી વિષ્ણુને પૂજનાર વર્ગ ડાકોરમાં સબળ થતો હતો ને જૂના કવિઓની ભક્તિથી જીવન પામતો હતો. સ્વામીનારાયણના પંથનો દીર્ઘદર્શી અને વ્યવહારનિપુણ પાયો નાખનારા, રામાયણના અવતારી પુરુષના શાંત અને સદ્‌ગુણી પૂજકો, મહાયોગી શિવજીના ઉગ્ર ભક્તો, ચુવાળનાં મેદાનોમાં તેમ ચાંપાનેરનાં ખંડેરો પાસે, પાવાગઢનાં શિખરો ઉપર તેમ આરાસુરનાં શિખરો ઉપર કોઈક અગમ્ય મુહૂર્તોમાં પ્રતિષ્ઠા પામેલી જગદમ્બાના ભક્તો અને અંતે પ્રાચીનતર કાળથી આબુ અને શેતરુંજયનાં શિખરો ઉપર ટોળાબંધ જાગેલા પ્રાચીન અને વિનીત જૈનોઃ આ અને બીજા ઘણાક ધર્મપંથો આ દેશની અંદરથી અને બહારથી ચોમાસાના ઘાસ પેઠે ચારેપાસ ઊગી નીકળ્યા. આખા દેશમાં દેવાલયોની એક વિશાળ જાળ પ્રસારી રહ્યા, સર્વ જ્ઞાતિઓ અને વર્ગોને પોતાની સત્તામાં મહાબળથી લઈ રહ્યા, વિષ્ણુનાં દેવાલયોની સંખ્યાને પોતાની સંખ્યા કરતાં ઓછી કરી દીધી અને કવિતાના વિષયોમાં પણ આ યુગમાં આ પંથો તરી આવ્યા. આશરે ચાર જૈન જતિઓ, સ્વામીનારાયણ પંથના દસ સાધુઓ, છ રામભક્ત અને શિવ તથા શક્તિના ચાર પૂજકો કવિતાના વિષયમાં પોતાનાં ભાગ્ય અજમાવે છે અને તેમાં ઓછોવત્તો જય પામે છે. જો વૈષ્ણવમાર્ગના કવિઓમાં બલિષ્ઠ દયારામ, બહુ લેખક ગિરધર અને રત્ના ભાવસારનાં જેવાં કેટલાંક હૃદયવેધક અને નાનાં શૃંગાર પદ્ય લખનારા બીજા થોડાક કવિઓ સંખ્યામાં અને ગુણોત્કર્ષમાં વૈષ્ણવ કવિઓ કરતાં વધી જાત; કારણ ઉપર લખેલ કવિઓ ઉપરાંત આશરે પંદર જ્ઞાનમાર્ગી કવિઓ પણ આ યુગમાં પ્રગટ થાય છે. અને અખો તથા કબીર વગેરેના જેવા તો છેક નહિ પણ તેમનાથી ઊતરતા તો પણ સુંદર અને ઉચ્ચ ભાવનાવાળા સંસ્કારોને આ કવિઓ પોતાની કવિતાથી ગુજરાતની વસ્તીનાં હૃદયો આ યુગમાં ભરવા માંડે છેઃ અને કોને નમવું અને કોને માનવું તે સૂઝી ન શકવાથી આ સર્વ દેવો અને કવિઓ વચ્ચે ઊભેલો મનુષ્ય આ દેશના ધર્મવૈચિત્ર્યમાં જન્મ પામેલો હોઈ ભ્રમિત થઈ જાય છે અને માત્ર એક વાત સિદ્ધ ગણે છે કે સર્વ દેવોને, સર્વ સત્તાઓને અને સર્વ કવિઓને, નમ્રતાથી નમસ્કાર કરવા (Classical Poets, Pages ૬૧-૬૩ સારરૂપે.) અને દૃઢ શ્રદ્ધાપૂર્વક માનવો તો માત્ર પોતાના કુટુમ્બના ઈષ્ટદેવને જ.
આ શતકમાં આ ભોગવિલાસના પંથના અનેક કવિઓ આમ થઈ ગયા તો વિરક્તમાર્ગની છાયાઓ દૃષ્ટિમાંથી છેક ખસી ગઈ નથી અને વલ્લભને દૂર રાખી વિષ્ણુને પૂજનાર વર્ગ ડાકોરમાં સબળ થતો હતો ને જૂના કવિઓની ભક્તિથી જીવન પામતો હતો. સ્વામીનારાયણના પંથનો દીર્ઘદર્શી અને વ્યવહારનિપુણ પાયો નાખનારા, રામાયણના અવતારી પુરુષના શાંત અને સદ્‌ગુણી પૂજકો, મહાયોગી શિવજીના ઉગ્ર ભક્તો, ચુવાળનાં મેદાનોમાં તેમ ચાંપાનેરનાં ખંડેરો પાસે, પાવાગઢનાં શિખરો ઉપર તેમ આરાસુરનાં શિખરો ઉપર કોઈક અગમ્ય મુહૂર્તોમાં પ્રતિષ્ઠા પામેલી જગદમ્બાના ભક્તો અને અંતે પ્રાચીનતર કાળથી આબુ અને શેતરુંજયનાં શિખરો ઉપર ટોળાબંધ જાગેલા પ્રાચીન અને વિનીત જૈનોઃ આ અને બીજા ઘણાક ધર્મપંથો આ દેશની અંદરથી અને બહારથી ચોમાસાના ઘાસ પેઠે ચારેપાસ ઊગી નીકળ્યા. આખા દેશમાં દેવાલયોની એક વિશાળ જાળ પ્રસારી રહ્યા, સર્વ જ્ઞાતિઓ અને વર્ગોને પોતાની સત્તામાં મહાબળથી લઈ રહ્યા, વિષ્ણુનાં દેવાલયોની સંખ્યાને પોતાની સંખ્યા કરતાં ઓછી કરી દીધી અને કવિતાના વિષયોમાં પણ આ યુગમાં આ પંથો તરી આવ્યા. આશરે ચાર જૈન જતિઓ, સ્વામીનારાયણ પંથના દસ સાધુઓ, છ રામભક્ત અને શિવ તથા શક્તિના ચાર પૂજકો કવિતાના વિષયમાં પોતાનાં ભાગ્ય અજમાવે છે અને તેમાં ઓછોવત્તો જય પામે છે. જો વૈષ્ણવમાર્ગના કવિઓમાં બલિષ્ઠ દયારામ, બહુ લેખક ગિરધર અને રત્ના ભાવસારનાં જેવાં કેટલાંક હૃદયવેધક અને નાનાં શૃંગાર પદ્ય લખનારા બીજા થોડાક કવિઓ સંખ્યામાં અને ગુણોત્કર્ષમાં વૈષ્ણવ કવિઓ કરતાં વધી જાત; કારણ ઉપર લખેલ કવિઓ ઉપરાંત આશરે પંદર જ્ઞાનમાર્ગી કવિઓ પણ આ યુગમાં પ્રગટ થાય છે. અને અખો તથા કબીર વગેરેના જેવા તો છેક નહિ પણ તેમનાથી ઊતરતા તો પણ સુંદર અને ઉચ્ચ ભાવનાવાળા સંસ્કારોને આ કવિઓ પોતાની કવિતાથી ગુજરાતની વસ્તીનાં હૃદયો આ યુગમાં ભરવા માંડે છેઃ અને કોને નમવું અને કોને માનવું તે સૂઝી ન શકવાથી આ સર્વ દેવો અને કવિઓ વચ્ચે ઊભેલો મનુષ્ય આ દેશના ધર્મવૈચિત્ર્યમાં જન્મ પામેલો હોઈ ભ્રમિત થઈ જાય છે અને માત્ર એક વાત સિદ્ધ ગણે છે કે સર્વ દેવોને, સર્વ સત્તાઓને અને સર્વ કવિઓને, નમ્રતાથી નમસ્કાર કરવા (Classical Poets, Pages ૬૧-૬૩ સારરૂપે.) અને દૃઢ શ્રદ્ધાપૂર્વક માનવો તો માત્ર પોતાના કુટુમ્બના ઈષ્ટદેવને જ.
* * *
<center>'''• • •'''</center>
<br>
<br>
<br>
<br>
Line 271: Line 272:


<center>'''પાદટીપ'''</center>
<center>'''પાદટીપ'''</center>
* રા. આનંદશંકર ગયા શ્રાવણના “વસંત”માં, (૧) મુંબઈ સમાચારના એક લેખકે આપેલી મીરાંબાઈની જન્મમરણ તિથિઓ ઉપરથી અને (૨) ચૈતન્યાનુયાયી જીવા ગોસાંઈના પ્રસંગથી, એવું અનુમાન કરે છે કે, મીરાં સોળમા શતકના મધ્યમાં (૧૫૪૦માં) વિદ્યમાન હતાં, અને એમના હૃદયની જ્વાલા ચૈતન્ય સંપ્રદાયથી પ્રકટી હતી. જે ગોસાંઈના પ્રસંગની કથા મીરાંએ ગાઈ છે, તે જીવા ગોસાંઈની જ હતી. એમ માનવાનું કારણ મીરાંના કે કોઈ ઔતિહાસિક લેખમાં નથી. તેમાં ઉક્ત જીવનમરણ તિથિઓને માટે કાંઈ આધાર નથી અને હોય તો તે બીજી કોઈ મીરાં સંબંધે હોવો જોઈએ. કારણ કર્નલ ટૉડ આપણાં મીરાંબાઈને મેવાડના કુમ્ભા રાણાની રાણી ગણે છે અને તેની તારીખો મારા ભાષણ પ્રમાણે છે. આબુ પર્વત વગેરેના લેખોમાં પણ એ જ તારીખો છે અને બાબર બાદશાહે હરાવેલા રાણા સંગ સંગ્રામસિંહનો કુમ્ભો પિતામહ હતોઃ માબેલ ડફકૃત ક્રૉનોલૉજી ઑફ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૮૭. આ છેલ્લા પુસ્તકના પૃષ્ઠ ૨૮૪ ઉપરથી મહમદ બેગડાએ કરેલો પાંચમા રા’મંડલિકનો પરાજય પણ ઈ.સ. ૧૪૭૧માં છે, અને પૃષ્ઠ ૨૬૫ પ્રમાણે કબીરની તારીખ ઈ.સ. ૧૪૯૦ છે. કબીર અને નરસિંહની હૃદયજ્વાલાઓના અમુક લેખની સમાનતા સ્વીકારતાં બાધ નથી, પણ કાળક્રમ ઉપરથી જ અનુમાન કરીએ તો કબીરની હૃદયજ્વાલાનું બીજ નરસિંહમાંથી પ્રાપ્ત થયું હતું એમ કહેવું ઉચિત છે. નરસિંહમાં ભાગવતનો કે જયદેવનો અંશ વિશેષ હતો, એ ચર્ચામાં આ પ્રસંગે ઉદાસીનતા છે. ગો.મા.ત્રિ.
રા. આનંદશંકર ગયા શ્રાવણના “વસંત”માં, (૧) મુંબઈ સમાચારના એક લેખકે આપેલી મીરાંબાઈની જન્મમરણ તિથિઓ ઉપરથી અને (૨) ચૈતન્યાનુયાયી જીવા ગોસાંઈના પ્રસંગથી, એવું અનુમાન કરે છે કે, મીરાં સોળમા શતકના મધ્યમાં (૧૫૪૦માં) વિદ્યમાન હતાં, અને એમના હૃદયની જ્વાલા ચૈતન્ય સંપ્રદાયથી પ્રકટી હતી. જે ગોસાંઈના પ્રસંગની કથા મીરાંએ ગાઈ છે, તે જીવા ગોસાંઈની જ હતી. એમ માનવાનું કારણ મીરાંના કે કોઈ ઔતિહાસિક લેખમાં નથી. તેમાં ઉક્ત જીવનમરણ તિથિઓને માટે કાંઈ આધાર નથી અને હોય તો તે બીજી કોઈ મીરાં સંબંધે હોવો જોઈએ. કારણ કર્નલ ટૉડ આપણાં મીરાંબાઈને મેવાડના કુમ્ભા રાણાની રાણી ગણે છે અને તેની તારીખો મારા ભાષણ પ્રમાણે છે. આબુ પર્વત વગેરેના લેખોમાં પણ એ જ તારીખો છે અને બાબર બાદશાહે હરાવેલા રાણા સંગ સંગ્રામસિંહનો કુમ્ભો પિતામહ હતોઃ માબેલ ડફકૃત ક્રૉનોલૉજી ઑફ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૮૭. આ છેલ્લા પુસ્તકના પૃષ્ઠ ૨૮૪ ઉપરથી મહમદ બેગડાએ કરેલો પાંચમા રા’મંડલિકનો પરાજય પણ ઈ.સ. ૧૪૭૧માં છે, અને પૃષ્ઠ ૨૬૫ પ્રમાણે કબીરની તારીખ ઈ.સ. ૧૪૯૦ છે. કબીર અને નરસિંહની હૃદયજ્વાલાઓના અમુક લેખની સમાનતા સ્વીકારતાં બાધ નથી, પણ કાળક્રમ ઉપરથી જ અનુમાન કરીએ તો કબીરની હૃદયજ્વાલાનું બીજ નરસિંહમાંથી પ્રાપ્ત થયું હતું એમ કહેવું ઉચિત છે. નરસિંહમાં ભાગવતનો કે જયદેવનો અંશ વિશેષ હતો, એ ચર્ચામાં આ પ્રસંગે ઉદાસીનતા છે. ગો.મા.ત્રિ.
* * *
<center>'''• • •'''</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
<Br>
{{HeaderNav2
|previous =
|next = ૨.
}}

Navigation menu