પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨૪: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૪|}} {{Poem2Open}} ૨૪મું અધિવેશનઃ દિલ્હી अविभक्त विभक्तंषुની – વિ...")
 
No edit summary
 
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
૨૪મું અધિવેશનઃ દિલ્હી
<center>'''૨૪મું અધિવેશનઃ દિલ્હી'''</center>


अविभक्त विभक्तंषुની – વિવિધતામાં એકતાની યુગયુગથી સાધના કરી રહેલા આપણા ભારતદેશની રાજધાનીમાં આપણે ગુજરાતી બોલનારા ભારતવાસીઓ આ સાહિત્ય-સંમેલનમાં ભેગા મળ્યા છીએ.
अविभक्त विभक्तंषुની – વિવિધતામાં એકતાની યુગયુગથી સાધના કરી રહેલા આપણા ભારતદેશની રાજધાનીમાં આપણે ગુજરાતી બોલનારા ભારતવાસીઓ આ સાહિત્ય-સંમેલનમાં ભેગા મળ્યા છીએ.
Line 24: Line 24:
‘ભાષા પામવી શી રીતે?’-ફ્રેંચ કવિ રીમ્બો મૂંઝાઈને પૂછે છે. વર્ડ્ઝવર્થે કહેતાં કહી દીધું હતું કે સામાન્ય માનવીની ભાષા કાવ્યમાં અપનાવવી. પણ કવિ અપનાવે એટલે સામાન્ય માનવીની ભાષા સામાન્ય રહેવા પામતી નથી. વર્ડ્ઝવર્થનું જ એક કાવ્ય શરૂ થાય છેઃ I wandered lonely as a cloud-“ રખડતો’તો એકલો વાદળ સમો હું.” રખડતો’તો – એ તો ગમે તે બોલી બેસે. ‘એકલો’ પણ વસ્તુસ્થિતિ જણાવતાં અથવા કાંઈક આત્મદયા પ્રગટ કરવા જતાં કોઈ ઉમેરે. પણ ‘વાદળ સમો’ એવું સામાન્ય માનવી ન બોલે. ‘રખડતો’તો એકલો’ એટલું આપણા સૌની જેમ કહ્યા પછી કવિની વાણી તરત જ ‘ટેક-ઑફ’ – ઉડ્ડયન કરે છે ‘as a cloud’ – ‘વાદળ સમો’. શબ્દો સામાન્ય માનવી વાપરતો હોય એવા સાદા હોય એ સાચું, પણ કવિ યોજે ત્યારે આખી શબ્દરચના અસામાન્ય બની જતી હોય છે, અને એમાં મુખ્ય અર્પણ કવિની શબ્દરચનાના નાદતત્ત્વ ઉપરાંત એની ચિત્રો દ્વારા – કલ્પનો (images) દ્વારા કામ લેવાની શક્તિનું હોય છે. કવિ માત્ર હકીકતકથન કરતો હોતો નથી, સાક્ષાત્ કરાવતો હોય છે. ‘રખડતો’તો એકલો’ એટલું કહ્યે એનું મન માનતું નથી, ‘વાદળ સમો’એ ઉપમા દ્વારા એ આપણને આખી પરિસ્થિતિ પ્રત્યક્ષ કરાવે છે.
‘ભાષા પામવી શી રીતે?’-ફ્રેંચ કવિ રીમ્બો મૂંઝાઈને પૂછે છે. વર્ડ્ઝવર્થે કહેતાં કહી દીધું હતું કે સામાન્ય માનવીની ભાષા કાવ્યમાં અપનાવવી. પણ કવિ અપનાવે એટલે સામાન્ય માનવીની ભાષા સામાન્ય રહેવા પામતી નથી. વર્ડ્ઝવર્થનું જ એક કાવ્ય શરૂ થાય છેઃ I wandered lonely as a cloud-“ રખડતો’તો એકલો વાદળ સમો હું.” રખડતો’તો – એ તો ગમે તે બોલી બેસે. ‘એકલો’ પણ વસ્તુસ્થિતિ જણાવતાં અથવા કાંઈક આત્મદયા પ્રગટ કરવા જતાં કોઈ ઉમેરે. પણ ‘વાદળ સમો’ એવું સામાન્ય માનવી ન બોલે. ‘રખડતો’તો એકલો’ એટલું આપણા સૌની જેમ કહ્યા પછી કવિની વાણી તરત જ ‘ટેક-ઑફ’ – ઉડ્ડયન કરે છે ‘as a cloud’ – ‘વાદળ સમો’. શબ્દો સામાન્ય માનવી વાપરતો હોય એવા સાદા હોય એ સાચું, પણ કવિ યોજે ત્યારે આખી શબ્દરચના અસામાન્ય બની જતી હોય છે, અને એમાં મુખ્ય અર્પણ કવિની શબ્દરચનાના નાદતત્ત્વ ઉપરાંત એની ચિત્રો દ્વારા – કલ્પનો (images) દ્વારા કામ લેવાની શક્તિનું હોય છે. કવિ માત્ર હકીકતકથન કરતો હોતો નથી, સાક્ષાત્ કરાવતો હોય છે. ‘રખડતો’તો એકલો’ એટલું કહ્યે એનું મન માનતું નથી, ‘વાદળ સમો’એ ઉપમા દ્વારા એ આપણને આખી પરિસ્થિતિ પ્રત્યક્ષ કરાવે છે.
કલ્પનો, ઉપમા રૂપક આદિ કાવ્યની વાણીની અલૌકિકતા અર્પે છે. કાવ્યદેહે લોકવાણી અલૌકિકતા ધારણ કરે છે. કાલિદાસનો કામી નાયક દુષ્યન્ત, શકુન્તલાના દર્શને नवमनास्वादितरसम् એ રૂપકથી પોતાનો મનોભાવ પ્રગટ કરે છે. રાજપીપળાનાં જંગલોનો કોઈ અનામી લોકકવિ એ જ ભાવ
કલ્પનો, ઉપમા રૂપક આદિ કાવ્યની વાણીની અલૌકિકતા અર્પે છે. કાવ્યદેહે લોકવાણી અલૌકિકતા ધારણ કરે છે. કાલિદાસનો કામી નાયક દુષ્યન્ત, શકુન્તલાના દર્શને नवमनास्वादितरसम् એ રૂપકથી પોતાનો મનોભાવ પ્રગટ કરે છે. રાજપીપળાનાં જંગલોનો કોઈ અનામી લોકકવિ એ જ ભાવ
કોરી ગાગેર મધે ભરી,
::: કોરી ગાગેર મધે ભરી,
કાંઈ ઉપર ચીતર્યા મોર.
::: કાંઈ ઉપર ચીતર્યા મોર.
– એ ચિત્રથી તરતો મૂકે છે.
– એ ચિત્રથી તરતો મૂકે છે.
કાવ્યની ભાષા પ્રત્યક્ષીકરણમાં રાચે છે. પદે પદે આકારો સામે મળવાના. પણ જેમ દરેક શબ્દના કે પંક્તિના પોતાના સંગીત કરતાં આખી કૃતિની સંગીતમયતા એ મુખ્ય છે, તેમ કાવ્યમાં સતત ડોકિયાં કરતા અનેક આકારો કરતાં આખી કાવ્યકૃતિની આકૃતિ એ મહત્ત્વની વસ્તુ છે.
કાવ્યની ભાષા પ્રત્યક્ષીકરણમાં રાચે છે. પદે પદે આકારો સામે મળવાના. પણ જેમ દરેક શબ્દના કે પંક્તિના પોતાના સંગીત કરતાં આખી કૃતિની સંગીતમયતા એ મુખ્ય છે, તેમ કાવ્યમાં સતત ડોકિયાં કરતા અનેક આકારો કરતાં આખી કાવ્યકૃતિની આકૃતિ એ મહત્ત્વની વસ્તુ છે.
Line 45: Line 45:
કાવ્યમાં દર્શન સીધેસીધું નહિ પણ વર્ણનરૂપે – પ્રત્યક્ષીકૃત વસ્તુરૂપે હોય. કાવ્યમાં વિચારોના સ્ફટિકો ન રહેવા પામ્યા હોય, ઊર્મિદ્રવરૂપે એ પ્રસ્તુત થયા હોય. વિચાર બુદ્ધિનો વિય જ ન રહેતાં લાગણીવત્ બનીને મૂર્તતા પામતો હોય. કાવ્યમાં thinking એટલે thinging: વિચારણા એટલે વસ્તુનિર્મિતિ.
કાવ્યમાં દર્શન સીધેસીધું નહિ પણ વર્ણનરૂપે – પ્રત્યક્ષીકૃત વસ્તુરૂપે હોય. કાવ્યમાં વિચારોના સ્ફટિકો ન રહેવા પામ્યા હોય, ઊર્મિદ્રવરૂપે એ પ્રસ્તુત થયા હોય. વિચાર બુદ્ધિનો વિય જ ન રહેતાં લાગણીવત્ બનીને મૂર્તતા પામતો હોય. કાવ્યમાં thinking એટલે thinging: વિચારણા એટલે વસ્તુનિર્મિતિ.
આપણા જ્ઞાની કવિઓમાં આનાં અનેક ઉદાહરણો મળે છે. નરસિંહ મહેતા આ આખા વિશ્વપ્રપંચ અંગેનો પોતાનો ખ્યાલ માત્ર પાંચ શબ્દોમાં એક અપૂર્વ ચિત્ર આપણી આગળ ખડું કરી દઈને આપે છેઃ
આપણા જ્ઞાની કવિઓમાં આનાં અનેક ઉદાહરણો મળે છે. નરસિંહ મહેતા આ આખા વિશ્વપ્રપંચ અંગેનો પોતાનો ખ્યાલ માત્ર પાંચ શબ્દોમાં એક અપૂર્વ ચિત્ર આપણી આગળ ખડું કરી દઈને આપે છેઃ
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.
::: બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.
કબીરસાહેબ માયાની અપરંપાર શક્તિનો એક આબેહૂબ ચિત્ર આંકી આપીને નિર્દેશ કરે છેઃ
કબીરસાહેબ માયાની અપરંપાર શક્તિનો એક આબેહૂબ ચિત્ર આંકી આપીને નિર્દેશ કરે છેઃ
रमैयाकी दुल्हनने लुटल बजार ।
::: रमैयाकी दुल्हनने लुटल बजार ।
પરમાત્માની નવવધૂએ આખી બજારમાં લૂંટંલૂંટા કરી દીધી છે, મોટા મોટા મુનિઓ, તપસીઓ, સિદ્ધોની બધી સંપત પડાવી લીધી છે, એ કાંઈક હાસ્યપ્રેરક ચિત્ર માયાના દુર્દમ્ય સામર્થ્યને સચોટ રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે.
પરમાત્માની નવવધૂએ આખી બજારમાં લૂંટંલૂંટા કરી દીધી છે, મોટા મોટા મુનિઓ, તપસીઓ, સિદ્ધોની બધી સંપત પડાવી લીધી છે, એ કાંઈક હાસ્યપ્રેરક ચિત્ર માયાના દુર્દમ્ય સામર્થ્યને સચોટ રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે.
કાવ્યમાં જે સંક્રાન્ત કરવાનું છે તે તો છે કાવ્ય-ફિલસૂફીસંભાર નહીં. પ્રાપ્ય છે કાવ્યાનુભૂતિ, માત્ર તત્ત્વવિચાર નહીં. કાવ્ય, આનંદશંકર ધ્રુવે દર્શાવ્યું છે તેમ, अमृता आत्मनः कला – આત્માની અમૃત (૧. અમર, તેમજ ૨. સુધામયી) કલા છે. કાવ્ય આપણી માત્ર લાગણીને, આપણી માત્ર બુદ્ધિને કે આપણી માત્ર સંકલ્પશક્તિને સ્પર્શતું નથી, આપણી સમગ્ર સંવિતને, આપણા આત્માને વ્યાપી વળે છે. કાવ્યના પણ એકાદ અંશને જ આપણે આસ્વાદતા નથી. કૃતિની અખિલાઈને આપણા વ્યક્તિત્વની અખિલાઈ વડે આપણે અનુભવીએ છીએ. એક ઉત્તમ કાવ્યના અનુભવ પછી, આપણું ઊર્મિતંત્ર કે વિચારતંત્ર વધુ સમૃદ્ધ થયું એટલું જ બનતું નથી, આપણું આખુંય સંવિત્‌તંત્ર, આપણી સમગ્ર ચેતના, કહો કે નવો અવતાર પામે છે.
કાવ્યમાં જે સંક્રાન્ત કરવાનું છે તે તો છે કાવ્ય-ફિલસૂફીસંભાર નહીં. પ્રાપ્ય છે કાવ્યાનુભૂતિ, માત્ર તત્ત્વવિચાર નહીં. કાવ્ય, આનંદશંકર ધ્રુવે દર્શાવ્યું છે તેમ, अमृता आत्मनः कला – આત્માની અમૃત (૧. અમર, તેમજ ૨. સુધામયી) કલા છે. કાવ્ય આપણી માત્ર લાગણીને, આપણી માત્ર બુદ્ધિને કે આપણી માત્ર સંકલ્પશક્તિને સ્પર્શતું નથી, આપણી સમગ્ર સંવિતને, આપણા આત્માને વ્યાપી વળે છે. કાવ્યના પણ એકાદ અંશને જ આપણે આસ્વાદતા નથી. કૃતિની અખિલાઈને આપણા વ્યક્તિત્વની અખિલાઈ વડે આપણે અનુભવીએ છીએ. એક ઉત્તમ કાવ્યના અનુભવ પછી, આપણું ઊર્મિતંત્ર કે વિચારતંત્ર વધુ સમૃદ્ધ થયું એટલું જ બનતું નથી, આપણું આખુંય સંવિત્‌તંત્ર, આપણી સમગ્ર ચેતના, કહો કે નવો અવતાર પામે છે.
18,450

edits