પવનના પેટમાં પોઢેલો પવન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
(8 intermediate revisions by one other user not shown)
Line 6: Line 6:


{{Center|'''1. ‘અથવા અને’ વાંચતાં પહેલાં'''}}
{{Center|'''1. ‘અથવા અને’ વાંચતાં પહેલાં'''}}
{{Center|(અ)}}
{{Center|'''(અ)'''}}
બોમ્બેમ્યુચિઅલ બિલ્ડિંગ રિલીફ રોડ અમદાવાદમાં આવ્યું. એને છઠ્ઠે માળે શ્રી પ્રબોધ રાવલ, શ્રી હરિપ્રસાદ વ્યાસ (અને કદાચ હરિહર ખંભોળજા) એક સામયિક ‘યુવક’ ચલાવે – રાધેશ્યામ શર્માની સંપાદન-સહાયથી. એક શનિવારે વડોદરાથી બે કવિને આ સ્થળે કવિતા વાંચવા બોલાવાયા! ગુલામ મોહમ્મદ શેખ અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ.
બોમ્બેમ્યુચિઅલ બિલ્ડિંગ રિલીફ રોડ અમદાવાદમાં આવ્યું. એને છઠ્ઠે માળે શ્રી પ્રબોધ રાવલ, શ્રી હરિપ્રસાદ વ્યાસ (અને કદાચ હરિહર ખંભોળજા) એક સામયિક ‘યુવક’ ચલાવે – રાધેશ્યામ શર્માની સંપાદન-સહાયથી. એક શનિવારે વડોદરાથી બે કવિને આ સ્થળે કવિતા વાંચવા બોલાવાયા! ગુલામ મોહમ્મદ શેખ અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ.
લાભશંકરને લીધે હું પણ ઉપસ્થિત હતો. એક તરફ ‘રે’ના પ્રાદુર્ભાવની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે આ બે કવિઓએ કાન સરવા રાખી સાંભળવી પડે એવી પંચેન્દ્રિયગ્રાહ્ય રચનાઓ વાંચી. બુધસભાના હું ને લાભશંકર. મને તો છંદની જાળવણી વગર પણ કવિતા શક્ય થાય છે, એ વાતથી જ રોમાંચ થયો.
લાભશંકરને લીધે હું પણ ઉપસ્થિત હતો. એક તરફ ‘રે’ના પ્રાદુર્ભાવની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે આ બે કવિઓએ કાન સરવા રાખી સાંભળવી પડે એવી પંચેન્દ્રિયગ્રાહ્ય રચનાઓ વાંચી. બુધસભાના હું ને લાભશંકર. મને તો છંદની જાળવણી વગર પણ કવિતા શક્ય થાય છે, એ વાતથી જ રોમાંચ થયો.
શેખને પહેલી વાર 1961ની આસપાસ પહેલા જોયા ને સાંભળ્યા.
શેખને પહેલી વાર 1961ની આસપાસ પહેલા જોયા ને સાંભળ્યા.
જાણ્યા તો આજ સુધી નથી, પણ, કદાચ આ લેખને અંતે શેખના આંતરવ્યક્તિત્વ અને એની ભાષાની ખટાપટીને પામી શકીશ એમ લાગે છે.
જાણ્યા તો આજ સુધી નથી, પણ, કદાચ આ લેખને અંતે શેખના આંતરવ્યક્તિત્વ અને એની ભાષાની ખટાપટીને પામી શકીશ એમ લાગે છે.
{{Center|(બ)}}
{{Center|'''(બ)'''}}
કોઈ એક સામયિકમાં હમણાં બહુ બહુ વરસે શેખની 2013માં કવિતાઓ વાંચી અને મારો રોમાંચ મારી પાસે ફોન કરાવીને જંપ્યો. ભૂપેન ખખ્ખરના મૃત્યુ પછી દસ વર્ષે સ્મરણસભા અમદાવાદની ગુફામાં યોજાઈ ત્યારે –
કોઈ એક સામયિકમાં હમણાં બહુ બહુ વરસે શેખની 2013માં કવિતાઓ વાંચી અને મારો રોમાંચ મારી પાસે ફોન કરાવીને જંપ્યો. ભૂપેન ખખ્ખરના મૃત્યુ પછી દસ વર્ષે સ્મરણસભા અમદાવાદની ગુફામાં યોજાઈ ત્યારે –
બહુ બહુ વરસો પહેલાં ન્યૂ જર્સીમાં રોહિત શાહને ત્યાં જેમને જોયેલાં એ નીલિમા (ભાભી કહેવાય? કહેવાયસ્તો) ભાભીને મેં કહ્યું :
બહુ બહુ વરસો પહેલાં ન્યૂ જર્સીમાં રોહિત શાહને ત્યાં જેમને જોયેલાં એ નીલિમા (ભાભી કહેવાય? કહેવાયસ્તો) ભાભીને મેં કહ્યું :
Line 17: Line 17:
કવિતાના ઘરથી બહુ બહુ દૂર ધકેલાયા પછી શેખ પાછા કવિતા ભણી વળ્યા છે, ત્યારે ગુજરાતી ભાષાને પ્રોડિગલ સન પાછો આવ્યાનો રોમાંચ થતો હશે – એવું રોમૅન્ટિક વાક્ય મનમાં આવ્યું તે રદ કરી, શેખની કેટલીક કવિતાઓ સમયે સમયે કેવી બદલાઈ છે, એનો આલેખ આપીશ.
કવિતાના ઘરથી બહુ બહુ દૂર ધકેલાયા પછી શેખ પાછા કવિતા ભણી વળ્યા છે, ત્યારે ગુજરાતી ભાષાને પ્રોડિગલ સન પાછો આવ્યાનો રોમાંચ થતો હશે – એવું રોમૅન્ટિક વાક્ય મનમાં આવ્યું તે રદ કરી, શેખની કેટલીક કવિતાઓ સમયે સમયે કેવી બદલાઈ છે, એનો આલેખ આપીશ.
{{Center|'''2. ‘અથવા અને’ વાંચતાં વાંચતાં'''}}
{{Center|'''2. ‘અથવા અને’ વાંચતાં વાંચતાં'''}}
{{Center|(અ)}}
{{Center|'''(અ''')}}
લાભશંકર રાવલ ‘શાયર’થી સુરેશ જોષી સુધીની શેખની શબ્દયાત્રા છેવટે વરસોથી એ બેય વગર લગરીક લગરીક ચાલી. પણ આ આછીપાતળી વહેતી કવિતાએ એના એ બે કાંઠે વહ્યા નથી કર્યું. 1960ની સાલમાં લખતા શેખ અને 2002-3માં લખતા શેખની રચનાઓ વચ્ચે બહુ મોટો ભેદ છે. લાભશંકર રાવલ પાસે ઘૂંટેલા અને લોહીમાં હરતાફરતા થઈ ગયેલા લયને કવિશરીરમાંથી બહાર કાઢવો સરલ નહોતો. સુરેશ જોષીની કવિતા અંગેની વિચારણાએ શેખ માટે પણ ડાયાલેસિસનું કામ કર્યું. ‘ઉપજાતિ’ને રદ કરીને પણ સુરેશભાઈ ‘પ્રત્યંચા’માં જે લયવટો પામી શક્યા નહોતા, તે શેખે 1956થી 1958 સુધીમાં સેવેલા અને નસેનસમાં વહેતા કરેલા લયને અલગ કર્યો – સાવ અલગ કર્યો. 1960 પછીની શેખની રચનાઓએ સુરેશ જોષીના લલિત નિબંધના ગદ્યનો અને એમની ટૂંકી વાર્તામાં આવતા ઘટનાતત્ત્વના લોપનો સ્વીકાર કર્યો અને toolsથી એમણે જે કવિતા રચી તે ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે એમ ગદ્યકવિતા થઈ. પહેલાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, ઇત્યાદિ અલંકારો અને પછીની કેટલીક રચનાઓ સજીવારોપણ અલંકારના ઉપયોગથી એમણે આ કવિતા સિદ્ધ કરી. અલંકાર-આયોજને શેખને ગીતના રોમૅન્ટિક કવિમાંથી અનરોમૅન્ટિક ગદ્યકવિ બનાવ્યા. જો કે સુરેશ જોષીએ બહુ વહેલા આવતા અનિલ જોશી, રમેશ પારેખને એ રીતે રોક્યા. જો શેખ ‘ખોરડું ચૂવે’, ‘દેખતો રહું’ કે– {{Poem2Close}}
લાભશંકર રાવલ ‘શાયર’થી સુરેશ જોષી સુધીની શેખની શબ્દયાત્રા છેવટે વરસોથી એ બેય વગર લગરીક લગરીક ચાલી. પણ આ આછીપાતળી વહેતી કવિતાએ એના એ બે કાંઠે વહ્યા નથી કર્યું. 1960ની સાલમાં લખતા શેખ અને 2002-3માં લખતા શેખની રચનાઓ વચ્ચે બહુ મોટો ભેદ છે. લાભશંકર રાવલ પાસે ઘૂંટેલા અને લોહીમાં હરતાફરતા થઈ ગયેલા લયને કવિશરીરમાંથી બહાર કાઢવો સરલ નહોતો. સુરેશ જોષીની કવિતા અંગેની વિચારણાએ શેખ માટે પણ ડાયાલેસિસનું કામ કર્યું. ‘ઉપજાતિ’ને રદ કરીને પણ સુરેશભાઈ ‘પ્રત્યંચા’માં જે લયવટો પામી શક્યા નહોતા, તે શેખે 1956થી 1958 સુધીમાં સેવેલા અને નસેનસમાં વહેતા કરેલા લયને અલગ કર્યો – સાવ અલગ કર્યો. 1960 પછીની શેખની રચનાઓએ સુરેશ જોષીના લલિત નિબંધના ગદ્યનો અને એમની ટૂંકી વાર્તામાં આવતા ઘટનાતત્ત્વના લોપનો સ્વીકાર કર્યો અને toolsથી એમણે જે કવિતા રચી તે ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે એમ ગદ્યકવિતા થઈ. પહેલાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, ઇત્યાદિ અલંકારો અને પછીની કેટલીક રચનાઓ સજીવારોપણ અલંકારના ઉપયોગથી એમણે આ કવિતા સિદ્ધ કરી. અલંકાર-આયોજને શેખને ગીતના રોમૅન્ટિક કવિમાંથી અનરોમૅન્ટિક ગદ્યકવિ બનાવ્યા. જો કે સુરેશ જોષીએ બહુ વહેલા આવતા અનિલ જોશી, રમેશ પારેખને એ રીતે રોક્યા. જો શેખ ‘ખોરડું ચૂવે’, ‘દેખતો રહું’ કે– {{Poem2Close}}
<poem>
<poem>
Line 42: Line 42:
આંખમાંથી એક પાતળું, મોળું ટીપું નીચે પડ્યું
આંખમાંથી એક પાતળું, મોળું ટીપું નીચે પડ્યું
એને મેં ટાંકણીથી કોચી જોયું
એને મેં ટાંકણીથી કોચી જોયું
કીડીઓ કીકીમાં કંટાળીનેય બેસી રહે. (પૃ. 56)
કીડીઓ કીકીમાં કંટાળીનેય બેસી રહે.
{{Right| (પૃ. 56)}}
</poem>
</poem>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 111: Line 113:
ફાંફાં મારે છે.  
ફાંફાં મારે છે.  
</poem>
</poem>
{{Right|(અથવા અને, પૃ. 58)}}
{{Right|(અથવા અને, પૃ. 58)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શેખે મોર્બિડ થયા વગર (મૃણાલ કેમ યાદ આવી – સુરેશભાઈની?) આ રચના કરી છે. ભાષાની સરળતા, ગુપ્ત રીતે વહેતો લય, વાસ્તવમાંથી અણધાર્યા દૂર કરતી પંક્તિ ‘આંગળું ઊડી ગયું’.
શેખે મોર્બિડ થયા વગર (મૃણાલ કેમ યાદ આવી – સુરેશભાઈની?) આ રચના કરી છે. ભાષાની સરળતા, ગુપ્ત રીતે વહેતો લય, વાસ્તવમાંથી અણધાર્યા દૂર કરતી પંક્તિ ‘આંગળું ઊડી ગયું’.
Line 118: Line 123:
આ રચનાનું અનન્યપણું વણપોંખ્યું ન જવું જોઈએ.
આ રચનાનું અનન્યપણું વણપોંખ્યું ન જવું જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Center|(ખ)}}
{{Center|'''(ખ''')}}
હવે પછીની રચના 27-10-1977ની છે. પહેલી વાર ‘અને’માં પ્રગટ થાય છે. એનું શીર્ષક છે ‘વહેલી સવારે’.
{{Poem2Open}}હવે પછીની રચના 27-10-1977ની છે. પહેલી વાર ‘અને’માં પ્રગટ થાય છે. એનું શીર્ષક છે ‘વહેલી સવારે’.
કાવ્ય આમ છેઃ
કાવ્ય આમ છેઃ
{{Poem2Close}}
<poem>
સહસ્ર સોયની ધારે
સહસ્ર સોયની ધારે
જાળીએ જાળીએ ચળાઈ
જાળીએ જાળીએ ચળાઈ
Line 136: Line 143:
બંધ મુઠ્ઠીમાં સમેટું જ્યાં તને
બંધ મુઠ્ઠીમાં સમેટું જ્યાં તને
નાભિકુંડ ઝળહળ ઝળહળ ઝળહળે.
નાભિકુંડ ઝળહળ ઝળહળ ઝળહળે.
</poem>
{{Poem2Open}}
અ-છાંદસના મોંસૂઝણાના સમયમાં જે કેટલાક કવિ સ્પષ્ટ જણાતા થયેલા એમાં એક શેખ હતા. છંદ સાથે ઘરોબો કેળવી વડોદરા ગયેલા. ‘કુમાર’માં શેખનું ‘ખોરડું ચૂવે’ ગીત ગુજરાતી ગીતની બદલાતી શિકલનું એંધાણ હતું – મણિલાલ, રાવજી, અનિલ અને રમેશ પારેખને આ ગીતે રાજેન્દ્ર-નિરંજનથી ગીતમાં અલગ થવાનો રાહ ચીંધ્યો. પણ સુરેશ જોષીએ ‘ઉપજાતિ’ પછી છંદમાંથી મુક્તિ લીધી અને ‘પ્રત્યંચા’ સંચય આપ્યો. એ સમયે શેખ, અનિરુદ્ધ અને પ્રાસન્નેય ત્રણેય અ-છાંદસમાં કાવ્યત્વ સિદ્ધ કરવા અજમાયેશો કરવા લાગ્યા. શેખ સિવાયના બીજા બેને એમનામાં રહેલા રોમૅન્ટિસિઝમે અ-છાંદસથી અલગ કર્યા અને શેખ નવી ચિત્રશૈલીઓની વિચારધારાથી પ્લાવિત થઈ શબ્દ સાથે નાતો બાંધવામાં સફળ રહ્યા. વિશ્વના તમામ વાદોનાં મૂળ ચિત્રકળામાં છે – એટલે એક ચિત્રકાર નવી કળાની વિભાવના સાથે કવિતા લખે છે ત્યારે શબ્દ પાસેથી એ કેવળ નાદ નહીં, ઇન્દ્રિયગ્રાહ્ય કલ્પનશ્રેણી યોજવામાં સફળ થાય છે. ‘પ્રતીક’ પાસે અટકેલી ગુજરાતી કવિતા શેખને લીધે કલ્પનવતી બને છે.
અ-છાંદસના મોંસૂઝણાના સમયમાં જે કેટલાક કવિ સ્પષ્ટ જણાતા થયેલા એમાં એક શેખ હતા. છંદ સાથે ઘરોબો કેળવી વડોદરા ગયેલા. ‘કુમાર’માં શેખનું ‘ખોરડું ચૂવે’ ગીત ગુજરાતી ગીતની બદલાતી શિકલનું એંધાણ હતું – મણિલાલ, રાવજી, અનિલ અને રમેશ પારેખને આ ગીતે રાજેન્દ્ર-નિરંજનથી ગીતમાં અલગ થવાનો રાહ ચીંધ્યો. પણ સુરેશ જોષીએ ‘ઉપજાતિ’ પછી છંદમાંથી મુક્તિ લીધી અને ‘પ્રત્યંચા’ સંચય આપ્યો. એ સમયે શેખ, અનિરુદ્ધ અને પ્રાસન્નેય ત્રણેય અ-છાંદસમાં કાવ્યત્વ સિદ્ધ કરવા અજમાયેશો કરવા લાગ્યા. શેખ સિવાયના બીજા બેને એમનામાં રહેલા રોમૅન્ટિસિઝમે અ-છાંદસથી અલગ કર્યા અને શેખ નવી ચિત્રશૈલીઓની વિચારધારાથી પ્લાવિત થઈ શબ્દ સાથે નાતો બાંધવામાં સફળ રહ્યા. વિશ્વના તમામ વાદોનાં મૂળ ચિત્રકળામાં છે – એટલે એક ચિત્રકાર નવી કળાની વિભાવના સાથે કવિતા લખે છે ત્યારે શબ્દ પાસેથી એ કેવળ નાદ નહીં, ઇન્દ્રિયગ્રાહ્ય કલ્પનશ્રેણી યોજવામાં સફળ થાય છે. ‘પ્રતીક’ પાસે અટકેલી ગુજરાતી કવિતા શેખને લીધે કલ્પનવતી બને છે.
આ કલ્પનશ્રેણી એ એક ચિત્રકારના શબ્દ દ્વારા ચાક્ષુષ અનુભવને લક્ષે છે. સુરેશભાઈ ચિત્રકાર નહીં હોવાથી એમની કવિતાનો શબ્દ ચિત્ર સંદર્ભે આમ રમ્ય, પણ, અ-સ્પષ્ટ સંદિગ્ધપણા પાસે ભાવકને મૂકે છે. જ્યારે શેખ અલંકારના આયોજનથી શબ્દને ઉપયોગમાં લઈ ભાષાને કેન્વાસ જેમ ખપે લે છે. શેખના શબ્દો રંગ અને રેખા બેયનો અનુભવ કરાવે છે. આજે જે કાવ્યની હું વાત કરું છું–
આ કલ્પનશ્રેણી એ એક ચિત્રકારના શબ્દ દ્વારા ચાક્ષુષ અનુભવને લક્ષે છે. સુરેશભાઈ ચિત્રકાર નહીં હોવાથી એમની કવિતાનો શબ્દ ચિત્ર સંદર્ભે આમ રમ્ય, પણ, અ-સ્પષ્ટ સંદિગ્ધપણા પાસે ભાવકને મૂકે છે. જ્યારે શેખ અલંકારના આયોજનથી શબ્દને ઉપયોગમાં લઈ ભાષાને કેન્વાસ જેમ ખપે લે છે. શેખના શબ્દો રંગ અને રેખા બેયનો અનુભવ કરાવે છે. આજે જે કાવ્યની હું વાત કરું છું–
એ કાવ્યમાં એક સવારને ચિત્રકાર જે રીતે કેન્વાસ પર ઉતારે એમ શેખ શબ્દમાં સવારને – ક્યારેક જ અનુભવાતી એક સવારને ¬– ભાષાના ફલક પર ઉતારે છે અને ત્યારે રંગ અને રેખા ઉપરાંત શેખ શબ્દની નાદ-શક્તિનો પણ અ-પૂર્વ ઉપયોગ કરે છે. અહીં સાક્ષીભાવે સવાર દોરાતી નથી – કવિ પ્રત્યક્ષ થઈ આ સવારને શબ્દમાં ઉતારે છે. અને એટલેસ્તો શ્વાસની હેલી ચડ્યાનું પહેલી જ ત્રણ પંક્તિમાં કન્ફેશન કરવામાં આવ્યું છે.
એ કાવ્યમાં એક સવારને ચિત્રકાર જે રીતે કેન્વાસ પર ઉતારે એમ શેખ શબ્દમાં સવારને – ક્યારેક જ અનુભવાતી એક સવારને ¬– ભાષાના ફલક પર ઉતારે છે અને ત્યારે રંગ અને રેખા ઉપરાંત શેખ શબ્દની નાદ-શક્તિનો પણ અ-પૂર્વ ઉપયોગ કરે છે. અહીં સાક્ષીભાવે સવાર દોરાતી નથી – કવિ પ્રત્યક્ષ થઈ આ સવારને શબ્દમાં ઉતારે છે. અને એટલેસ્તો શ્વાસની હેલી ચડ્યાનું પહેલી જ ત્રણ પંક્તિમાં કન્ફેશન કરવામાં આવ્યું છે.
આ શ્વાસ–
આ શ્વાસ–
{{Poem2Close}}
<poem>
સહસ્ર સોયની ધારે
સહસ્ર સોયની ધારે
જાળીએ જાળીએ
જાળીએ જાળીએ
</poem>
{{Poem2Open}}
–ચળાયા છે અને આવા તીક્ષ્ણ શ્વાસની હેલી ચડી હોય ત્યારે દેહની સ્થિતિ શી?
–ચળાયા છે અને આવા તીક્ષ્ણ શ્વાસની હેલી ચડી હોય ત્યારે દેહની સ્થિતિ શી?
રોજ જેમ પ્હો ફાટ્યા પ્હેલાં અંબાર વરસ્યો છે; પણ, દેહ ચાદરને છીંડે છીંડે ચાલ્યો છે; રેલ્યો છે કોની જેમ? તો કહે–
રોજ જેમ પ્હો ફાટ્યા પ્હેલાં અંબાર વરસ્યો છે; પણ, દેહ ચાદરને છીંડે છીંડે ચાલ્યો છે; રેલ્યો છે કોની જેમ? તો કહે–
{{Poem2Close}}
<poem>
‘ખખડતા પુલ પરથી સરકતી ટ્રેન જેવો’
‘ખખડતા પુલ પરથી સરકતી ટ્રેન જેવો’
</poem>
{{Poem2Open}}
ચાદરને છીંડે છીંડે-નું અનન્યપણું સરવા કાને સાંભળો ન સંભળો ત્યાં કાવ્યનાયક
ચાદરને છીંડે છીંડે-નું અનન્યપણું સરવા કાને સાંભળો ન સંભળો ત્યાં કાવ્યનાયક
{{Poem2Close}}
<poem>
પરોઢિયા જેવી પાતળી ઊંઘને
પરોઢિયા જેવી પાતળી ઊંઘને
અંધકારની પથારી પર મસળતો
અંધકારની પથારી પર મસળતો
</poem>
{{Poem2Open}}
કોઈ પ્રિયપાત્રને લઈને ખેપે ચડે છે. ‘ખોરડું ચૂવે’નો ગીતકવિ હવે પછીની પંક્તિઓમાં લયલીલાથી આપણને મુગ્ધ કરે છે. કહે છે કે હજી પોઢેલાં પક્ષી ઊઠ્યાં નથીઃ પણ ઝાકળથી કેવળ ફૂલપત્તી જ ભીંજ્યાં નથી, ધૂળ પણ ભીની થઈ છે અને આ ભીની ધૂળમાં
કોઈ પ્રિયપાત્રને લઈને ખેપે ચડે છે. ‘ખોરડું ચૂવે’નો ગીતકવિ હવે પછીની પંક્તિઓમાં લયલીલાથી આપણને મુગ્ધ કરે છે. કહે છે કે હજી પોઢેલાં પક્ષી ઊઠ્યાં નથીઃ પણ ઝાકળથી કેવળ ફૂલપત્તી જ ભીંજ્યાં નથી, ધૂળ પણ ભીની થઈ છે અને આ ભીની ધૂળમાં
{{Poem2Close}}
<poem>
વાંસ લળે
વાંસ લળે
પગ તળે
પગ તળે
સૃષ્ટિ ગળે
સૃષ્ટિ ગળે
</poem>
{{Poem2Open}}
એ અવસ્થા, અનવદ્ય અવસ્થા અવગત થાય છે અને કાવ્યનાયક કહે છે કે બંધ મુઠ્ઠીમાં આખેઆખી સવાર સાથે તને મારી બંધ મુઠ્ઠીમાં સમેટું છું ત્યારે
એ અવસ્થા, અનવદ્ય અવસ્થા અવગત થાય છે અને કાવ્યનાયક કહે છે કે બંધ મુઠ્ઠીમાં આખેઆખી સવાર સાથે તને મારી બંધ મુઠ્ઠીમાં સમેટું છું ત્યારે
{{Poem2Close}}
<poem>
નાભિકુંડ
નાભિકુંડ
ઝળહળ
ઝળહળ
ઝળહળ
ઝળહળ
ઝળહળ.
ઝળહળ.
</poem>
{{Poem2Open}}
વળે/તળે/ગળે અને ઝળહળે એ રવાનુકારી શબ્દ-આયોજન શેખની શબ્દમાંથી નાદ નિપજાવવાની ક્ષમતાને પ્રગટ કરે છે.
વળે/તળે/ગળે અને ઝળહળે એ રવાનુકારી શબ્દ-આયોજન શેખની શબ્દમાંથી નાદ નિપજાવવાની ક્ષમતાને પ્રગટ કરે છે.
બહુ સરળ છતાં આ સંકુલ મનોજગત ધરાવતું દૃશ્ય શેખે પોતાની દ્વિવિધ શક્તિથી અવગત કરાવ્યું છે.
બહુ સરળ છતાં આ સંકુલ મનોજગત ધરાવતું દૃશ્ય શેખે પોતાની દ્વિવિધ શક્તિથી અવગત કરાવ્યું છે.
{{Center|(ઘ)}}
{{Poem2Close}}
{{Center|'''(ઘ)'''}}
{{Poem2Open}}
એકવીસમી સદીના પ્રારંભમાં શેખ એક રચના કરે છે, એની રચ્યાતારીખ છે – ના, તારીખ પણ નથી, સાલ છે – 2002-2003. કાવ્યનું શીર્ષક છે ‘પાછા ફરતાં’ (શેખનો એક નિબંધ છે ‘ઘર તરફ પાછા ફરતાં’ – આવું શીર્ષક સાંભરણમાં છે.). કાવ્યનું કદ શેખની લગભગ રચનાઓ કરતાં ઘણું મોટું છે. જો કે દીર્ઘ કવિતા લખવાનો મનમાં ઉપક્રમ હશે, એવું લાગે છે; પણ આ રચના કવિએ લખવા ધારેલી દીર્ઘ કવિતાનો એકાદ ખંડ હોય એમ મને લાગે છે.
એકવીસમી સદીના પ્રારંભમાં શેખ એક રચના કરે છે, એની રચ્યાતારીખ છે – ના, તારીખ પણ નથી, સાલ છે – 2002-2003. કાવ્યનું શીર્ષક છે ‘પાછા ફરતાં’ (શેખનો એક નિબંધ છે ‘ઘર તરફ પાછા ફરતાં’ – આવું શીર્ષક સાંભરણમાં છે.). કાવ્યનું કદ શેખની લગભગ રચનાઓ કરતાં ઘણું મોટું છે. જો કે દીર્ઘ કવિતા લખવાનો મનમાં ઉપક્રમ હશે, એવું લાગે છે; પણ આ રચના કવિએ લખવા ધારેલી દીર્ઘ કવિતાનો એકાદ ખંડ હોય એમ મને લાગે છે.
‘આયુષ્યના અવશેષે’નો રાજેન્દ્રભાઈનો નાયક અને શેખનો નાયક આમ તો એક જ પરિસ્થિતિમાં મુકાયા છે. રાજેન્દ્રભાઈનો નાયક ‘આયુષ્યના અવશેષે’ ઘર તરફ - વતનના ઘર તરફ પાછો આવે છે–
‘આયુષ્યના અવશેષે’નો રાજેન્દ્રભાઈનો નાયક અને શેખનો નાયક આમ તો એક જ પરિસ્થિતિમાં મુકાયા છે. રાજેન્દ્રભાઈનો નાયક ‘આયુષ્યના અવશેષે’ ઘર તરફ - વતનના ઘર તરફ પાછો આવે છે–
(મારા અધ્યાપકના જીવને બ.ક. ઠાકોરની જૂના પિયરઘર પાછી આવતી નાયિકા – પ્રૌઢ નાયિકા કેમ યાદ આવી? આદતથી મજબૂર, બીજું શું?)
(મારા અધ્યાપકના જીવને બ.ક. ઠાકોરની જૂના પિયરઘર પાછી આવતી નાયિકા – પ્રૌઢ નાયિકા કેમ યાદ આવી? આદતથી મજબૂર, બીજું શું?)
શેખનો નાયક જે અનુભવે છે એ ભાવ સમયે પાડી દીધેલી દૂરતાનો છે. એક વાર જે સાવ આપણું હોય છે – ‘આપથી અદકેરું’ હોય છે, એ વખત વીત્યે કેવું તો અજાણ્યું અજાણ્યું, પરાયું પરાયું લાગે છે – રાજેન્દ્રભાઈનો નાયક પણ અનુભવે છે અને એને પણ લાગે છે કે પોતાની જ શેરીનો શ્વાન અજાણ્યો લેખી એને ભસે છે. વહુવારુઓ, છોકરાંઓ આગંતુક તરફ જુએ એમ જુએ છે. શેખનો નાયક બહારના આવા અજાણ્યાપણાથી વધારે ધક્કો અનુભવે છે, અંદરના આગંતુકપણાથી આ પોતાના ગામમાં, પોતાના ઘરમાં એ outsider થઈ ગયો છે.
શેખનો નાયક જે અનુભવે છે એ ભાવ સમયે પાડી દીધેલી દૂરતાનો છે. એક વાર જે સાવ આપણું હોય છે – ‘આપથી અદકેરું’ હોય છે, એ વખત વીત્યે કેવું તો અજાણ્યું અજાણ્યું, પરાયું પરાયું લાગે છે – રાજેન્દ્રભાઈનો નાયક પણ અનુભવે છે અને એને પણ લાગે છે કે પોતાની જ શેરીનો શ્વાન અજાણ્યો લેખી એને ભસે છે. વહુવારુઓ, છોકરાંઓ આગંતુક તરફ જુએ એમ જુએ છે. શેખનો નાયક બહારના આવા અજાણ્યાપણાથી વધારે ધક્કો અનુભવે છે, અંદરના આગંતુકપણાથી આ પોતાના ગામમાં, પોતાના ઘરમાં એ outsider થઈ ગયો છે.
{{Poem2Close}}
<poem>
‘આ મેજ, આ ખૂણો, અહીં બેસી કર્યાં કંઈ કાજ  
‘આ મેજ, આ ખૂણો, અહીં બેસી કર્યાં કંઈ કાજ  
આટલે મૂક્યા’તા પત્રો, અધૂરી કવિતા...
આટલે મૂક્યા’તા પત્રો, અધૂરી કવિતા...
બધું ત્યાં જ છે.’
બધું ત્યાં જ છે.’
</poem>
{{Poem2Open}}
આમ તો બધું મૂકીને ગયા ત્યારે હતું એવું ને એવું જ છે–
આમ તો બધું મૂકીને ગયા ત્યારે હતું એવું ને એવું જ છે–
‘આ બારી હજી પૂરી વસાતી નથી’
‘આ બારી હજી પૂરી વસાતી નથી’
Line 179: Line 214:
શેખની કલમ પીંછીની જેમ ચિત્તના ફલક પર ગઈકાલ અને આજનાં અનેકને ચિત્રિત કરે છે – ગઈકાલ અને આજમાં કેવળ એક જ ભેદ છેઃ બચ્ચું હતી, એ મોટી બિલાડી થઈ ગઈ છે?
શેખની કલમ પીંછીની જેમ ચિત્તના ફલક પર ગઈકાલ અને આજનાં અનેકને ચિત્રિત કરે છે – ગઈકાલ અને આજમાં કેવળ એક જ ભેદ છેઃ બચ્ચું હતી, એ મોટી બિલાડી થઈ ગઈ છે?
આ ચિત્ર કંઈ એમ જ, બિલાડીની વાત કહેવા નથી જ આવ્યું, એનો અહેસાસ કરાવે એવી પહેલા ખંડની છેલ્લી ત્રણ પંક્તિઓ છેઃ
આ ચિત્ર કંઈ એમ જ, બિલાડીની વાત કહેવા નથી જ આવ્યું, એનો અહેસાસ કરાવે એવી પહેલા ખંડની છેલ્લી ત્રણ પંક્તિઓ છેઃ
{{Poem2Close}}
<poem>
‘હતું તેવું જ
‘હતું તેવું જ
આ બધું
આ બધું
ટોળાં કેમ છોડી ગયાં?’
ટોળાં કેમ છોડી ગયાં?’
</poem>
{{Poem2Open}}
ભેદક છે એમ આ પ્રશ્ન વેધક પણ છે. પણ પ્રમાણમાં લઘુરચનામાં નાયકના ચિત્તને વેધક પ્રશ્ન મર્મભેદક છે, એનો અહેસાસ કરાવે છે. એને પહેલા ખંડને અંતે કરેલા પ્રશ્નનો ઉત્તર જોઈએ છે. એ કહે છે–
ભેદક છે એમ આ પ્રશ્ન વેધક પણ છે. પણ પ્રમાણમાં લઘુરચનામાં નાયકના ચિત્તને વેધક પ્રશ્ન મર્મભેદક છે, એનો અહેસાસ કરાવે છે. એને પહેલા ખંડને અંતે કરેલા પ્રશ્નનો ઉત્તર જોઈએ છે. એ કહે છે–
{{Poem2Close}}
<poem>
‘ટોળાં તો ગયાં,
‘ટોળાં તો ગયાં,
ઘર હજી અકબંધ.’
ઘર હજી અકબંધ.’
</poem>
{{Poem2Open}}
અને રાજેન્દ્રભાઈનો ‘આયુષ્યના અવશેષે’નો નાયક જે વાસનો અનુભવ કરે છે, એ જ વાસ શેખનો નાયક પણ નોંધે છે. રાજેન્દ્ર શાહનો નાયક કહે છે–
અને રાજેન્દ્રભાઈનો ‘આયુષ્યના અવશેષે’નો નાયક જે વાસનો અનુભવ કરે છે, એ જ વાસ શેખનો નાયક પણ નોંધે છે. રાજેન્દ્ર શાહનો નાયક કહે છે–
{{Poem2Close}}
<poem>
‘મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,
‘મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.’
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.’
</poem>
{{Poem2Open}}
તો શેખનો નાયક આ વાત બે જ પંક્તિમાં કરે છે–
તો શેખનો નાયક આ વાત બે જ પંક્તિમાં કરે છે–
{{Poem2Close}}
<poem>
‘પણ આ વાસ શેની?
‘પણ આ વાસ શેની?
તાળું ખોલાતાં જ ફોયણે ચડી.’
તાળું ખોલાતાં જ ફોયણે ચડી.’
</poem>
{{Poem2Open}}
નાકનો નિર્દેશ કરવા માટે ‘ફોયણે’ શબ્દ વાસની નજીકથી વાસની ગંધનો અનુભવ કરાવે છે. શેખનો નાયક કવિતાનો રોમૅન્ટિક કલમથી નહીં, પણ ચિત્રકારની જે છે એને એમ ને એમ મૂકી આપે છે; ફોયણાંને ફુંગરાવતી વાસ ક્યાં ક્યાં સરેલી છે?
નાકનો નિર્દેશ કરવા માટે ‘ફોયણે’ શબ્દ વાસની નજીકથી વાસની ગંધનો અનુભવ કરાવે છે. શેખનો નાયક કવિતાનો રોમૅન્ટિક કલમથી નહીં, પણ ચિત્રકારની જે છે એને એમ ને એમ મૂકી આપે છે; ફોયણાંને ફુંગરાવતી વાસ ક્યાં ક્યાં સરેલી છે?
{{Poem2Close}}
ષજદાસ।
આંગળેથી આગળે, નકૂચે લબડી
આંગળેથી આગળે, નકૂચે લબડી
જાળીને સળિયે સળવળી
જાળીને સળિયે સળવળી
Line 200: Line 253:
ઢળી,
ઢળી,
ઠરી ઠામડે.’
ઠરી ઠામડે.’
</poem>
{{Poem2Open}}
‘ઠરી ઠામ’ને બદલે ‘ઠરી ઠામડે’-માં નાયકની આ સહુથી દુણાયેલી લાગણી વેધક રીતે વ્યક્ત થાય છે. બીજા કાવ્યના અંતે નાયકને આ ચીકણી વાસ આખા ઘરને, આખા મનને ખૂણેખૂણે ચોંટેલી લાગે છે. આ ઘ્રાણેન્દ્રિયના અનુભવને - શેખ કર્ણેન્દ્રિય દ્વારા સશક્ત રીતે પમાડે છે. જ્યારે એ વાસ માટે કહે છે, આ વાસ–
‘ઠરી ઠામ’ને બદલે ‘ઠરી ઠામડે’-માં નાયકની આ સહુથી દુણાયેલી લાગણી વેધક રીતે વ્યક્ત થાય છે. બીજા કાવ્યના અંતે નાયકને આ ચીકણી વાસ આખા ઘરને, આખા મનને ખૂણેખૂણે ચોંટેલી લાગે છે. આ ઘ્રાણેન્દ્રિયના અનુભવને - શેખ કર્ણેન્દ્રિય દ્વારા સશક્ત રીતે પમાડે છે. જ્યારે એ વાસ માટે કહે છે, આ વાસ–
‘હવામાં હણહણી’
‘હવામાં હણહણી’
આ કાવ્યની હવે પછીની પંક્તિઓ ગુજરાતી ભાષાના વાસ્તવને કઈ રીતે કાવ્યાત્મક રીતે દર્શાવાય - એ માટે ઉદાહરણ તરીકે યાદ રાખવા જેવી છે.
આ કાવ્યની હવે પછીની પંક્તિઓ ગુજરાતી ભાષાના વાસ્તવને કઈ રીતે કાવ્યાત્મક રીતે દર્શાવાય - એ માટે ઉદાહરણ તરીકે યાદ રાખવા જેવી છે.
દીકરીના પત્રો, માનો ઘરડો પટારો, મટોડી માતા, ગોદડાં ને ગાદલાં આ સહુનો શેખે કેવો અનુપમ રીતે ઉપયોગ કર્યો છે, એ જુઓ–
દીકરીના પત્રો, માનો ઘરડો પટારો, મટોડી માતા, ગોદડાં ને ગાદલાં આ સહુનો શેખે કેવો અનુપમ રીતે ઉપયોગ કર્યો છે, એ જુઓ–
{{Poem2Close}}
<poem>
‘દીકરીની ચોપડીઓમાંથી
‘દીકરીની ચોપડીઓમાંથી
અક્ષરો ઊતરી પડ્યા
અક્ષરો ઊતરી પડ્યા
Line 210: Line 267:
મોલેલાની મટાડી માતા
મોલેલાની મટાડી માતા
ઊતરી ગઈ પગથિયાં
ઊતરી ગઈ પગથિયાં
</poem>
{{Poem2Open}}
– ને આ ગોદડાં ને ગાદલાંય ઊપડ્યાં!’
– ને આ ગોદડાં ને ગાદલાંય ઊપડ્યાં!’
સ્થિર હતું એ કેવું તો નિષ્ઠુર થઈ ગયું એની ગતિસૂચક આ પંક્તિઓની ભાત જ જુદી છે, નાત જ જુદી છે.
સ્થિર હતું એ કેવું તો નિષ્ઠુર થઈ ગયું એની ગતિસૂચક આ પંક્તિઓની ભાત જ જુદી છે, નાત જ જુદી છે.
અને નાયક આ નિષ્ઠુર થયેલા ભૂતકાળના સહુને જતાં, છેટે છેટે જતાં જોઈને નિસાસો નાખી કહે છેઃ
અને નાયક આ નિષ્ઠુર થયેલા ભૂતકાળના સહુને જતાં, છેટે છેટે જતાં જોઈને નિસાસો નાખી કહે છેઃ
{{Poem2Close}}
<poem>
‘વળગણીએ ધ્રૂજતી ખંટી ઢીલી થઈ ઢળી
‘વળગણીએ ધ્રૂજતી ખંટી ઢીલી થઈ ઢળી
ને ટીંગાતું ઘર
ને ટીંગાતું ઘર
Line 218: Line 279:
અમને નોંધારા મૂકી
અમને નોંધારા મૂકી
ઝાંપે જઈ ઊભું.’
ઝાંપે જઈ ઊભું.’
</poem>
{{Poem2Open}}
ધ્રૂજતી ખીંટી, ટીંગાતું ઘર, લૂગડાંનો ગોટો ઇત્યાદિમાં થયેલા કવિકર્મની નોંધ લો ન લો અને ઝાંપે જઈ ઊભેલું – નોંધારા મૂકીને, ઝાંપે પહોંચેલા ઘરની ઘટેલી ઘટના શેખના નાયકને હતપ્રભ કરે છે. એ પહેલી વાર પોતાને માટે ‘અમે’ શબ્દ પ્રયોજે છે.
ધ્રૂજતી ખીંટી, ટીંગાતું ઘર, લૂગડાંનો ગોટો ઇત્યાદિમાં થયેલા કવિકર્મની નોંધ લો ન લો અને ઝાંપે જઈ ઊભેલું – નોંધારા મૂકીને, ઝાંપે પહોંચેલા ઘરની ઘટેલી ઘટના શેખના નાયકને હતપ્રભ કરે છે. એ પહેલી વાર પોતાને માટે ‘અમે’ શબ્દ પ્રયોજે છે.
ત્રીજી રચનાની અંતિમ પંક્તિઓ આખા કાવ્યની શીર્ષસ્થ પંક્તિઓ છે.
ત્રીજી રચનાની અંતિમ પંક્તિઓ આખા કાવ્યની શીર્ષસ્થ પંક્તિઓ છે.
{{Poem2Close}}
<poem>
‘ગઈવેળાની દુનિયા
‘ગઈવેળાની દુનિયા
હતી તેવી ને તેવી’ છે.
હતી તેવી ને તેવી’ છે.
Line 225: Line 290:
શાંતિ છે,
શાંતિ છે,
બધું ઠરી ઠામ’
બધું ઠરી ઠામ’
</poem>
{{Poem2Open}}
જો સાચે જ આમ છે તો શેખના નાયકને પ્રશ્ન થાય છેઃ
જો સાચે જ આમ છે તો શેખના નાયકને પ્રશ્ન થાય છેઃ
{{Poem2Close}}
<poem>
‘તો પછી આ દુકાનદાર અવળું કેમ બોલે છે?’
‘તો પછી આ દુકાનદાર અવળું કેમ બોલે છે?’
‘રિક્સાવાળો ટોળાંમાંનો તો નહીં હોય?’
‘રિક્સાવાળો ટોળાંમાંનો તો નહીં હોય?’
</poem>
{{Poem2Open}}
નક્કી એમ જ હશે ‘નહિતર ના બને આવું’ (કલાપી)
નક્કી એમ જ હશે ‘નહિતર ના બને આવું’ (કલાપી)
– કેવું?
– કેવું?
Line 237: Line 308:
આગળ કેમ નથી આવતું?
આગળ કેમ નથી આવતું?
મને લાગે છે શેખની ધારણશક્તિ લઘુકાવ્યથી વધી દીર્ઘકવિતા ધારણ કરવા તરફ જઈ રહી છે અને હું ભાવક તરીકે એની વાટ જોઉં છું.
મને લાગે છે શેખની ધારણશક્તિ લઘુકાવ્યથી વધી દીર્ઘકવિતા ધારણ કરવા તરફ જઈ રહી છે અને હું ભાવક તરીકે એની વાટ જોઉં છું.
{{Poem2Close}}
{{Center|'''3. ‘અથવા અને’ વાંચ્યા પછી'''}}
{{Center|'''3. ‘અથવા અને’ વાંચ્યા પછી'''}}
{{Center|1}}
{{Center|'''1'''}}
{{Poem2Open}}
શેખ પાસે આપણને ગુજરાતી કવિતારસિક તરીકે કેટલાક હક મળે છે. આ હક શેખસાહેબ, કૉહે તૂર પરથી ઊતરી આવેલી આયત જેવા મોંઘા, મૂલ્યવાન, કીમતી છે.
શેખ પાસે આપણને ગુજરાતી કવિતારસિક તરીકે કેટલાક હક મળે છે. આ હક શેખસાહેબ, કૉહે તૂર પરથી ઊતરી આવેલી આયત જેવા મોંઘા, મૂલ્યવાન, કીમતી છે.
ગુજરાતી કવિતારસિકને આપની પાસેથી સતત કવિતા મેળવવાનો અધિકાર છે. તમારા બે સમર્થ સમકાલીન લાભશંકર-સિતાંશુ જેમ તમારી કવિતાની ગુજરાતી ભાષાને ઘડાવા માટે જરૂર છે. તમે તળ ગુજરાતી શબ્દમાંની કેવળ નાદ-શક્તિ નહીં, ચિત્ર-શક્તિને પણ સુપેરે પરખો છે.
ગુજરાતી કવિતારસિકને આપની પાસેથી સતત કવિતા મેળવવાનો અધિકાર છે. તમારા બે સમર્થ સમકાલીન લાભશંકર-સિતાંશુ જેમ તમારી કવિતાની ગુજરાતી ભાષાને ઘડાવા માટે જરૂર છે. તમે તળ ગુજરાતી શબ્દમાંની કેવળ નાદ-શક્તિ નહીં, ચિત્ર-શક્તિને પણ સુપેરે પરખો છે.
જેમ જેરામ પટેલ હજી ચિત્રકાર્યમાં રત છે – તમે કેવળ ચિત્રને નહીં, કાવ્યને પણ તમારી સર્જકત્વશક્તિનો લાભ આપો. ‘માણસની વાત’, ‘વખાર’ જેવું દીર્ઘકાવ્ય આપની પાસેથી પણ પામવાનો અમને ભાવકોને અધિકાર છે.
જેમ જેરામ પટેલ હજી ચિત્રકાર્યમાં રત છે – તમે કેવળ ચિત્રને નહીં, કાવ્યને પણ તમારી સર્જકત્વશક્તિનો લાભ આપો. ‘માણસની વાત’, ‘વખાર’ જેવું દીર્ઘકાવ્ય આપની પાસેથી પણ પામવાનો અમને ભાવકોને અધિકાર છે.
ચાલો, આમીન કહો (નાટ્યકાર; ચિનુ મોદી)
ચાલો, આમીન કહો (નાટ્યકાર; ચિનુ મોદી)
{{Center|2}}
{{Poem2Close}}
{{Center|'''2'''}}
{{Poem2Open}}
શેખની કલ્પનશક્તિ, તળશબ્દને અન્ય એવા જ શબ્દની સંનિધિ આપવાની સહજ કુનેહ (દા.ત., ‘આ એક લઈ ગડી તે સમડી કે ફફડેલી ડાળની છાયા?), અમૂર્ત અનુભૂતિને સરળ રીતે વ્યક્ત કરનારી ભાષાની નાદ અને ચિત્રશક્તિનો વિનિયોગ (દા.ત., ‘ચામડીની ભોગળો ભાંગે છે’) અને શેખ ઇચ્છે એવી કુમાશ ને બરછટતા ભાષા દ્વારા સિદ્ધ કરે છે. દા.ત.,
શેખની કલ્પનશક્તિ, તળશબ્દને અન્ય એવા જ શબ્દની સંનિધિ આપવાની સહજ કુનેહ (દા.ત., ‘આ એક લઈ ગડી તે સમડી કે ફફડેલી ડાળની છાયા?), અમૂર્ત અનુભૂતિને સરળ રીતે વ્યક્ત કરનારી ભાષાની નાદ અને ચિત્રશક્તિનો વિનિયોગ (દા.ત., ‘ચામડીની ભોગળો ભાંગે છે’) અને શેખ ઇચ્છે એવી કુમાશ ને બરછટતા ભાષા દ્વારા સિદ્ધ કરે છે. દા.ત.,
{{Poem2Close}}
<poem>
‘આછરેલા પાણીના અરીસામાં
‘આછરેલા પાણીના અરીસામાં
સાવ સામે ઊભું,
સાવ સામે ઊભું,
ટગર ટગર તાકતું’ (‘મૃત્યુ’)
ટગર ટગર તાકતું’ (‘મૃત્યુ’)
‘કમાઈએ મારું પેટ કાપી આંતરડે નકશા દોર્યા’ (‘સૈનિકનું ગીત’)
‘કમાઈએ મારું પેટ કાપી આંતરડે નકશા દોર્યા’
{{Center|3}}
</poem>
 
{{Right|(‘સૈનિકનું ગીત’)}}
 
{{Center|'''3'''}}
{{Poem2Open}}
તો ‘અથવા અને’ પછી પણ કાવ્યસંચય જોઈએ.
તો ‘અથવા અને’ પછી પણ કાવ્યસંચય જોઈએ.
 
{{Poem2Close}}


{{Center|***}}
{{Center|***}}

Latest revision as of 18:18, 24 June 2021

પવનના પેટમાં પોઢેલો પવન

ચિનુ મોદી


1. ‘અથવા અને’ વાંચતાં પહેલાં

(અ)

બોમ્બેમ્યુચિઅલ બિલ્ડિંગ રિલીફ રોડ અમદાવાદમાં આવ્યું. એને છઠ્ઠે માળે શ્રી પ્રબોધ રાવલ, શ્રી હરિપ્રસાદ વ્યાસ (અને કદાચ હરિહર ખંભોળજા) એક સામયિક ‘યુવક’ ચલાવે – રાધેશ્યામ શર્માની સંપાદન-સહાયથી. એક શનિવારે વડોદરાથી બે કવિને આ સ્થળે કવિતા વાંચવા બોલાવાયા! ગુલામ મોહમ્મદ શેખ અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. લાભશંકરને લીધે હું પણ ઉપસ્થિત હતો. એક તરફ ‘રે’ના પ્રાદુર્ભાવની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે આ બે કવિઓએ કાન સરવા રાખી સાંભળવી પડે એવી પંચેન્દ્રિયગ્રાહ્ય રચનાઓ વાંચી. બુધસભાના હું ને લાભશંકર. મને તો છંદની જાળવણી વગર પણ કવિતા શક્ય થાય છે, એ વાતથી જ રોમાંચ થયો. શેખને પહેલી વાર 1961ની આસપાસ પહેલા જોયા ને સાંભળ્યા. જાણ્યા તો આજ સુધી નથી, પણ, કદાચ આ લેખને અંતે શેખના આંતરવ્યક્તિત્વ અને એની ભાષાની ખટાપટીને પામી શકીશ એમ લાગે છે.

(બ)

કોઈ એક સામયિકમાં હમણાં બહુ બહુ વરસે શેખની 2013માં કવિતાઓ વાંચી અને મારો રોમાંચ મારી પાસે ફોન કરાવીને જંપ્યો. ભૂપેન ખખ્ખરના મૃત્યુ પછી દસ વર્ષે સ્મરણસભા અમદાવાદની ગુફામાં યોજાઈ ત્યારે – બહુ બહુ વરસો પહેલાં ન્યૂ જર્સીમાં રોહિત શાહને ત્યાં જેમને જોયેલાં એ નીલિમા (ભાભી કહેવાય? કહેવાયસ્તો) ભાભીને મેં કહ્યું : ‘શેખ હવે કવિતા ઝાઝી લખે એમ કહેજો.’ કવિતાના ઘરથી બહુ બહુ દૂર ધકેલાયા પછી શેખ પાછા કવિતા ભણી વળ્યા છે, ત્યારે ગુજરાતી ભાષાને પ્રોડિગલ સન પાછો આવ્યાનો રોમાંચ થતો હશે – એવું રોમૅન્ટિક વાક્ય મનમાં આવ્યું તે રદ કરી, શેખની કેટલીક કવિતાઓ સમયે સમયે કેવી બદલાઈ છે, એનો આલેખ આપીશ.

2. ‘અથવા અને’ વાંચતાં વાંચતાં

(અ)

લાભશંકર રાવલ ‘શાયર’થી સુરેશ જોષી સુધીની શેખની શબ્દયાત્રા છેવટે વરસોથી એ બેય વગર લગરીક લગરીક ચાલી. પણ આ આછીપાતળી વહેતી કવિતાએ એના એ બે કાંઠે વહ્યા નથી કર્યું. 1960ની સાલમાં લખતા શેખ અને 2002-3માં લખતા શેખની રચનાઓ વચ્ચે બહુ મોટો ભેદ છે. લાભશંકર રાવલ પાસે ઘૂંટેલા અને લોહીમાં હરતાફરતા થઈ ગયેલા લયને કવિશરીરમાંથી બહાર કાઢવો સરલ નહોતો. સુરેશ જોષીની કવિતા અંગેની વિચારણાએ શેખ માટે પણ ડાયાલેસિસનું કામ કર્યું. ‘ઉપજાતિ’ને રદ કરીને પણ સુરેશભાઈ ‘પ્રત્યંચા’માં જે લયવટો પામી શક્યા નહોતા, તે શેખે 1956થી 1958 સુધીમાં સેવેલા અને નસેનસમાં વહેતા કરેલા લયને અલગ કર્યો – સાવ અલગ કર્યો. 1960 પછીની શેખની રચનાઓએ સુરેશ જોષીના લલિત નિબંધના ગદ્યનો અને એમની ટૂંકી વાર્તામાં આવતા ઘટનાતત્ત્વના લોપનો સ્વીકાર કર્યો અને toolsથી એમણે જે કવિતા રચી તે ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે એમ ગદ્યકવિતા થઈ. પહેલાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, ઇત્યાદિ અલંકારો અને પછીની કેટલીક રચનાઓ સજીવારોપણ અલંકારના ઉપયોગથી એમણે આ કવિતા સિદ્ધ કરી. અલંકાર-આયોજને શેખને ગીતના રોમૅન્ટિક કવિમાંથી અનરોમૅન્ટિક ગદ્યકવિ બનાવ્યા. જો કે સુરેશ જોષીએ બહુ વહેલા આવતા અનિલ જોશી, રમેશ પારેખને એ રીતે રોક્યા. જો શેખ ‘ખોરડું ચૂવે’, ‘દેખતો રહું’ કે–

ધરણી ઉપર ઢોળીને રૂપ સાચાં
આકાશ ફરી નીતર્યું રે લોલ
ભૂરું એનું આભલા જેવું મ્હોરું
સાચા જેવું ચીતર્યું રે લોલ

–આવું જ લખતા રહ્યા હોત તો લાભશંકર ઠાકર રમેશ પારેખને ગુજરાતી કવિતાના અમિતાભ બચ્ચન કહે છે, એ બિરુદ શેખને એમણે આપ્યું હોત. લયના કામાતુર રાજવીને લયરહિત કરવાથી ગુજરાતી કવિતાને એકંદરે લાભ જ થયો છે; કારણ કે ગીતોમાં public idiomsનો જ ઉપયોગ થતો હોવાથી એ લોકપ્રિય થાય છે. શેખને તો આપણી ભાષાના નવા idioms આપવાના હતા.

(બ)

શેખની 1960થી 1970 દરમ્યાનની રચનાઓમાંથી બહુચર્ચિત રચનાઓ વિશે સહુ સાથે મારે સૂરમાં સૂર જ પુરાવવાનો છે. પરંતુ જેના વિશે ક્યારેય વાત ન થઈ હોય અથવા ક્યારેક જ ઉલ્લેખ પામેલી હોય એવી એક રચનાના આંતરબાહ્ય વિશ્વને તપાસવાનો ઉપક્રમ યોજવો છે. એટલે કે ‘એવું થાય છે’, ‘પિત્તળની ચામડીનો બોદો રણકાર’, ‘બપોરની ઊંઘનો સ્વાદ’, ‘નિદ્રાના ફળને’, ‘દૂરના સમુદ્રની છાતી’, ‘ઓર્ફિયસ’, ‘માણસો’, ‘સ્ટીલ લાઇફ’, ‘જેસલમેર’ જેવી રચનાઓને બાકાત રાખીને વાત કરીશ. આ રચનાઓ વિશે ફરી વાત માંડવાની ઇચ્છા આ ક્ષણે નથી. પણ શેખની અપૂજ રહેલી આ ગાળાની એક રચના વિશે વાત કરવી છે – માંડીને. રચના આમ છેઃ

‘સ્મૃતિ’
ખાંડના ગાંગડા પર પડેલ પાણીના ટીપાની ઘટ્ટતામાં
મીઠાશ પી પીને મરી ગઈ એક કીડી.
એ જોઈ
મારા મગજની પછવાડે ભરાઈ બેઠેલી
અધકાચી સીમ મારી હથેળીમાં ઊતરી આવીઃ
આંગળે આંગળે ઊગ્યા આંબા.
પગદંડીઓ પથરાઈ પાંચ દિશામાં.
આંખમાંથી એક પાતળું, મોળું ટીપું નીચે પડ્યું
એને મેં ટાંકણીથી કોચી જોયું
કીડીઓ કીકીમાં કંટાળીનેય બેસી રહે.
(પૃ. 56)


ઈ.સ. 1963માં લખાયેલી આ રચનામાં શેખનાં પ્રારંભિક ગદ્યકાવ્યો જેમ અલંકારોનું બાહુલ્ય નથી. ઘટના ઘટ્યા પછીની ક્ષણોએ આપેલું સંવેદન અહીં સ્મૃતિરૂપે શબ્દબદ્ધ થયું છે.

‘થીજેલ કોપરેલ જેવી પોષની ચાંદની’
‘પિત્તળની ચામડીનો બોદો રણકાર’
‘એંઠવાડના ગોટલામાંથી ઊગેલા આંબાને
કૂકડો કોચે છે’
‘નિદ્રાના ફળને છોલીને ટુકડા કર્યા હોય
તો ઘણી શાશ્વત ભ્રમણાઓ ભાંગી જાય’
‘આટલે દૂરથી
મને મૃત્યુનાં પાંસળાં બરાબર જણાય છે’
‘કૂતરાં વગરની વસતિમાં ભસ્યા કરે છે કાળા અક્ષરો’
‘મરુથલે મોતીમઢ્યું આ નગર’

જેવી અલંકૃત આ રચના નથી. કે નથી અહીં ચોંકાવે એવાં કોઈ વિધાન : જેમાં

‘બધું વીર્ય એક સાથે સરી ગયું હોય
એવા લિંગ જેવું સુસ્ત શરીર લાગે છે’

કે નથી બીભત્સરસ સિદ્ધ કરતી પંક્તિઓ.

ઘાસ ખાઈ ખાઈને
કીધા પીળા પોદળા
તેની ગંધના બેય કાને પૂમડાં.
રખડવું ભૂંડ પેઠે
ફેંદવો એંઠવાડ.

આ રચના અલંકારનિરપેક્ષ કેવળ એક ઘટના – કીડીનું મૃત્યુ-ને કેન્દ્રમાં રાખી ભાષાવર્તુળો સર્જે છે.

આંગળે આંગળે ઊગ્યા આંબા
પગદંડીઓ પથરાઈ પાંચ દિશામાં
આંખમાંથી એક પાતળું, મોળું ટીપું નીચે પડ્યું
એને મેં ટાંકણીથી કોચી જોયું.

જેવી કવિકર્મ સિદ્ધ કરતી પંક્તિઓ પાસે વારંવાર જઉં છું અને પ્રત્યેક વાર જુદું જુદું ભાવવિશ્વ રચી પાછો આવું છું. અહીં દલપતરામની રચના જેમ એક અર્થવિશ્વ જ રચાતું નથી. દરેક ભાવકને અને એકના એક ભાવકને સમયે સમયે સજ્જતા વધવાથી નોખો નોખો અનુભવાનંદ આપે એવી ક્ષમતા ધરાવે છે. આવું ગુજરાતી ભાષાની કવિતામાં વારંવાર નથી બન્યું.

(ક)

મને શેખની અલ્પખ્યાત બીજી રચનાએ કાવ્યાનંદ આપ્યો છે તે આમ 1962માં શરૂ થાય છે; પણ, 14-1-1974ના રોજ એની અંતિમ વાચના આપણને હાથવગી થાય છે. આ રચના નીચે શેખનું નામ ન હોય તો એ શેખે લખી છે એવું રસિક શાહ તો ઠીક જયંત પારેખ પણ ભાગ્યે જ કહી શકે. એનો અર્થ એ કે ઈ.સ. 1961ના શેખ ઈ.સ. 1974માં બહુબહુ અદલાયા-બદલાયા છે. એ સારા કવિનું કાયમી લક્ષણ લેખાયું છે અને એમાંય ‘મેજોર પોએટ’નું સારલ્ય આ રચનાનું સર્વસ્વ છે, હું એના વિશે કોઈ પિષ્ટપેષણ કરવાનો નથી કારણ એની સાદગી જ એવી છે કે કોઈ ઇન્ટરપ્રિટર અથવા આસ્વાદકની એને આવશ્યકતા નથી. એ શબ્દોનું સર્જકત્વ તમને direct મળે એમ હું ઇચ્છું છું. કાવ્ય આમ છેઃ

પાણીની જેમ
તમને ખોબામાં ઝીલ્યાં હતાં
સાચવ્યાં હતાં
આંગળું પીધું
આંગળું ઢોળ્યું
આંગળું ઊડી ગયું
હવે
આંગળા વચ્ચેના અવકાશમાં
પ્રવાહીનો સંકેત
કે આભાસ.
સુકાયેલા હાથે પત્ર લખતાં
અક્ષરોમાં અંદર
પ્રવાહીનો અણસાર...
આંગળાં અક્ષરોમાં ઊતરવા
ફાંફાં મારે છે.

(અથવા અને, પૃ. 58)


શેખે મોર્બિડ થયા વગર (મૃણાલ કેમ યાદ આવી – સુરેશભાઈની?) આ રચના કરી છે. ભાષાની સરળતા, ગુપ્ત રીતે વહેતો લય, વાસ્તવમાંથી અણધાર્યા દૂર કરતી પંક્તિ ‘આંગળું ઊડી ગયું’. હું કથકની શૈલીથી પ્રસન્ન પ્રસન્ન. જેને ખોબામાં ઝીલી હતી અને આંગળાં ભીનાં ભીનાં થયાં હતાં – તે આંગળાંવાળો હાથ સુકાઈ ગયો છે. કવિ ઇંગિતથી કાવ્યનાયકની વેદનાથી હચમચ હચમચ હચમચાવે છે, ક્યારેક ભીના અને હવે સુકાયેલા હાથનાં આંગળાં ફાંફાં મારે છે – અક્ષરોમાં ઊતરવા. આવી ક્ષણોમાં વ્યક્ત થવું અને એય ભાષામાં – કેવું દુષ્કર! આ રચનાનું અનન્યપણું વણપોંખ્યું ન જવું જોઈએ.

(ખ)

હવે પછીની રચના 27-10-1977ની છે. પહેલી વાર ‘અને’માં પ્રગટ થાય છે. એનું શીર્ષક છે ‘વહેલી સવારે’.

કાવ્ય આમ છેઃ

સહસ્ર સોયની ધારે
જાળીએ જાળીએ ચળાઈ
શ્વાસની હેલી ચડી.
પ્હો ફાટ્યાં પ્હેલાં વરસ્યો અંબાર.
ખખડતા પુલ પરથી સરકતી ટ્રેન જેવો
દેહનો રેલો
ચાદરને છીંડે છીંડે ચાલ્યો.
પરોઢિયા જેવી પાતળી ઊંઘને
અંધકારની પથારી પર મસળતો
તને હોડે લઈ ખેપે ચડું.
જો હજી પોઢેલાં પક્ષી ઊઠ્યાં નથી.
ભીની ધૂળમાં
વાંસ લળે પગ તળે સૃષ્ટિ ગળે
બંધ મુઠ્ઠીમાં સમેટું જ્યાં તને
નાભિકુંડ ઝળહળ ઝળહળ ઝળહળે.

અ-છાંદસના મોંસૂઝણાના સમયમાં જે કેટલાક કવિ સ્પષ્ટ જણાતા થયેલા એમાં એક શેખ હતા. છંદ સાથે ઘરોબો કેળવી વડોદરા ગયેલા. ‘કુમાર’માં શેખનું ‘ખોરડું ચૂવે’ ગીત ગુજરાતી ગીતની બદલાતી શિકલનું એંધાણ હતું – મણિલાલ, રાવજી, અનિલ અને રમેશ પારેખને આ ગીતે રાજેન્દ્ર-નિરંજનથી ગીતમાં અલગ થવાનો રાહ ચીંધ્યો. પણ સુરેશ જોષીએ ‘ઉપજાતિ’ પછી છંદમાંથી મુક્તિ લીધી અને ‘પ્રત્યંચા’ સંચય આપ્યો. એ સમયે શેખ, અનિરુદ્ધ અને પ્રાસન્નેય ત્રણેય અ-છાંદસમાં કાવ્યત્વ સિદ્ધ કરવા અજમાયેશો કરવા લાગ્યા. શેખ સિવાયના બીજા બેને એમનામાં રહેલા રોમૅન્ટિસિઝમે અ-છાંદસથી અલગ કર્યા અને શેખ નવી ચિત્રશૈલીઓની વિચારધારાથી પ્લાવિત થઈ શબ્દ સાથે નાતો બાંધવામાં સફળ રહ્યા. વિશ્વના તમામ વાદોનાં મૂળ ચિત્રકળામાં છે – એટલે એક ચિત્રકાર નવી કળાની વિભાવના સાથે કવિતા લખે છે ત્યારે શબ્દ પાસેથી એ કેવળ નાદ નહીં, ઇન્દ્રિયગ્રાહ્ય કલ્પનશ્રેણી યોજવામાં સફળ થાય છે. ‘પ્રતીક’ પાસે અટકેલી ગુજરાતી કવિતા શેખને લીધે કલ્પનવતી બને છે. આ કલ્પનશ્રેણી એ એક ચિત્રકારના શબ્દ દ્વારા ચાક્ષુષ અનુભવને લક્ષે છે. સુરેશભાઈ ચિત્રકાર નહીં હોવાથી એમની કવિતાનો શબ્દ ચિત્ર સંદર્ભે આમ રમ્ય, પણ, અ-સ્પષ્ટ સંદિગ્ધપણા પાસે ભાવકને મૂકે છે. જ્યારે શેખ અલંકારના આયોજનથી શબ્દને ઉપયોગમાં લઈ ભાષાને કેન્વાસ જેમ ખપે લે છે. શેખના શબ્દો રંગ અને રેખા બેયનો અનુભવ કરાવે છે. આજે જે કાવ્યની હું વાત કરું છું– એ કાવ્યમાં એક સવારને ચિત્રકાર જે રીતે કેન્વાસ પર ઉતારે એમ શેખ શબ્દમાં સવારને – ક્યારેક જ અનુભવાતી એક સવારને ¬– ભાષાના ફલક પર ઉતારે છે અને ત્યારે રંગ અને રેખા ઉપરાંત શેખ શબ્દની નાદ-શક્તિનો પણ અ-પૂર્વ ઉપયોગ કરે છે. અહીં સાક્ષીભાવે સવાર દોરાતી નથી – કવિ પ્રત્યક્ષ થઈ આ સવારને શબ્દમાં ઉતારે છે. અને એટલેસ્તો શ્વાસની હેલી ચડ્યાનું પહેલી જ ત્રણ પંક્તિમાં કન્ફેશન કરવામાં આવ્યું છે. આ શ્વાસ–

સહસ્ર સોયની ધારે
જાળીએ જાળીએ

–ચળાયા છે અને આવા તીક્ષ્ણ શ્વાસની હેલી ચડી હોય ત્યારે દેહની સ્થિતિ શી? રોજ જેમ પ્હો ફાટ્યા પ્હેલાં અંબાર વરસ્યો છે; પણ, દેહ ચાદરને છીંડે છીંડે ચાલ્યો છે; રેલ્યો છે કોની જેમ? તો કહે–

‘ખખડતા પુલ પરથી સરકતી ટ્રેન જેવો’

ચાદરને છીંડે છીંડે-નું અનન્યપણું સરવા કાને સાંભળો ન સંભળો ત્યાં કાવ્યનાયક

પરોઢિયા જેવી પાતળી ઊંઘને
અંધકારની પથારી પર મસળતો

કોઈ પ્રિયપાત્રને લઈને ખેપે ચડે છે. ‘ખોરડું ચૂવે’નો ગીતકવિ હવે પછીની પંક્તિઓમાં લયલીલાથી આપણને મુગ્ધ કરે છે. કહે છે કે હજી પોઢેલાં પક્ષી ઊઠ્યાં નથીઃ પણ ઝાકળથી કેવળ ફૂલપત્તી જ ભીંજ્યાં નથી, ધૂળ પણ ભીની થઈ છે અને આ ભીની ધૂળમાં

વાંસ લળે
પગ તળે
સૃષ્ટિ ગળે

એ અવસ્થા, અનવદ્ય અવસ્થા અવગત થાય છે અને કાવ્યનાયક કહે છે કે બંધ મુઠ્ઠીમાં આખેઆખી સવાર સાથે તને મારી બંધ મુઠ્ઠીમાં સમેટું છું ત્યારે

નાભિકુંડ
ઝળહળ
ઝળહળ
ઝળહળ.

વળે/તળે/ગળે અને ઝળહળે એ રવાનુકારી શબ્દ-આયોજન શેખની શબ્દમાંથી નાદ નિપજાવવાની ક્ષમતાને પ્રગટ કરે છે. બહુ સરળ છતાં આ સંકુલ મનોજગત ધરાવતું દૃશ્ય શેખે પોતાની દ્વિવિધ શક્તિથી અવગત કરાવ્યું છે.

(ઘ)

એકવીસમી સદીના પ્રારંભમાં શેખ એક રચના કરે છે, એની રચ્યાતારીખ છે – ના, તારીખ પણ નથી, સાલ છે – 2002-2003. કાવ્યનું શીર્ષક છે ‘પાછા ફરતાં’ (શેખનો એક નિબંધ છે ‘ઘર તરફ પાછા ફરતાં’ – આવું શીર્ષક સાંભરણમાં છે.). કાવ્યનું કદ શેખની લગભગ રચનાઓ કરતાં ઘણું મોટું છે. જો કે દીર્ઘ કવિતા લખવાનો મનમાં ઉપક્રમ હશે, એવું લાગે છે; પણ આ રચના કવિએ લખવા ધારેલી દીર્ઘ કવિતાનો એકાદ ખંડ હોય એમ મને લાગે છે. ‘આયુષ્યના અવશેષે’નો રાજેન્દ્રભાઈનો નાયક અને શેખનો નાયક આમ તો એક જ પરિસ્થિતિમાં મુકાયા છે. રાજેન્દ્રભાઈનો નાયક ‘આયુષ્યના અવશેષે’ ઘર તરફ - વતનના ઘર તરફ પાછો આવે છે– (મારા અધ્યાપકના જીવને બ.ક. ઠાકોરની જૂના પિયરઘર પાછી આવતી નાયિકા – પ્રૌઢ નાયિકા કેમ યાદ આવી? આદતથી મજબૂર, બીજું શું?) શેખનો નાયક જે અનુભવે છે એ ભાવ સમયે પાડી દીધેલી દૂરતાનો છે. એક વાર જે સાવ આપણું હોય છે – ‘આપથી અદકેરું’ હોય છે, એ વખત વીત્યે કેવું તો અજાણ્યું અજાણ્યું, પરાયું પરાયું લાગે છે – રાજેન્દ્રભાઈનો નાયક પણ અનુભવે છે અને એને પણ લાગે છે કે પોતાની જ શેરીનો શ્વાન અજાણ્યો લેખી એને ભસે છે. વહુવારુઓ, છોકરાંઓ આગંતુક તરફ જુએ એમ જુએ છે. શેખનો નાયક બહારના આવા અજાણ્યાપણાથી વધારે ધક્કો અનુભવે છે, અંદરના આગંતુકપણાથી આ પોતાના ગામમાં, પોતાના ઘરમાં એ outsider થઈ ગયો છે.

‘આ મેજ, આ ખૂણો, અહીં બેસી કર્યાં કંઈ કાજ
આટલે મૂક્યા’તા પત્રો, અધૂરી કવિતા...
બધું ત્યાં જ છે.’

આમ તો બધું મૂકીને ગયા ત્યારે હતું એવું ને એવું જ છે– ‘આ બારી હજી પૂરી વસાતી નથી’

‘જાસૂદનો રંગ બદલાયો નથી’

‘આ ટોચેલાં સીતાફળ અરધાં મૂકી પોપટ ઊડી ગયા છે’ બધું જ બધું એમ છે – હા, પોતાનું સાદૃશ્ય નાયકને એક દૃશ્યમાં લાગે છે. ‘અને ત્યાં ખિસકોલું ઝડપવા લપાઈ બિલ્લી, ગયા ત્યારે બચ્ચું હતી તે જ કે?’ શેખની કલમ પીંછીની જેમ ચિત્તના ફલક પર ગઈકાલ અને આજનાં અનેકને ચિત્રિત કરે છે – ગઈકાલ અને આજમાં કેવળ એક જ ભેદ છેઃ બચ્ચું હતી, એ મોટી બિલાડી થઈ ગઈ છે? આ ચિત્ર કંઈ એમ જ, બિલાડીની વાત કહેવા નથી જ આવ્યું, એનો અહેસાસ કરાવે એવી પહેલા ખંડની છેલ્લી ત્રણ પંક્તિઓ છેઃ

‘હતું તેવું જ
આ બધું
ટોળાં કેમ છોડી ગયાં?’

ભેદક છે એમ આ પ્રશ્ન વેધક પણ છે. પણ પ્રમાણમાં લઘુરચનામાં નાયકના ચિત્તને વેધક પ્રશ્ન મર્મભેદક છે, એનો અહેસાસ કરાવે છે. એને પહેલા ખંડને અંતે કરેલા પ્રશ્નનો ઉત્તર જોઈએ છે. એ કહે છે–

‘ટોળાં તો ગયાં,
ઘર હજી અકબંધ.’

અને રાજેન્દ્રભાઈનો ‘આયુષ્યના અવશેષે’નો નાયક જે વાસનો અનુભવ કરે છે, એ જ વાસ શેખનો નાયક પણ નોંધે છે. રાજેન્દ્ર શાહનો નાયક કહે છે–

‘મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.’

તો શેખનો નાયક આ વાત બે જ પંક્તિમાં કરે છે–

‘પણ આ વાસ શેની?
તાળું ખોલાતાં જ ફોયણે ચડી.’

નાકનો નિર્દેશ કરવા માટે ‘ફોયણે’ શબ્દ વાસની નજીકથી વાસની ગંધનો અનુભવ કરાવે છે. શેખનો નાયક કવિતાનો રોમૅન્ટિક કલમથી નહીં, પણ ચિત્રકારની જે છે એને એમ ને એમ મૂકી આપે છે; ફોયણાંને ફુંગરાવતી વાસ ક્યાં ક્યાં સરેલી છે?

ષજદાસ। આંગળેથી આગળે, નકૂચે લબડી જાળીને સળિયે સળવળી દીવાનખાને ઢોલિયે ઢળી, ઠરી ઠામડે.’ </poem>

‘ઠરી ઠામ’ને બદલે ‘ઠરી ઠામડે’-માં નાયકની આ સહુથી દુણાયેલી લાગણી વેધક રીતે વ્યક્ત થાય છે. બીજા કાવ્યના અંતે નાયકને આ ચીકણી વાસ આખા ઘરને, આખા મનને ખૂણેખૂણે ચોંટેલી લાગે છે. આ ઘ્રાણેન્દ્રિયના અનુભવને - શેખ કર્ણેન્દ્રિય દ્વારા સશક્ત રીતે પમાડે છે. જ્યારે એ વાસ માટે કહે છે, આ વાસ– ‘હવામાં હણહણી’ આ કાવ્યની હવે પછીની પંક્તિઓ ગુજરાતી ભાષાના વાસ્તવને કઈ રીતે કાવ્યાત્મક રીતે દર્શાવાય - એ માટે ઉદાહરણ તરીકે યાદ રાખવા જેવી છે. દીકરીના પત્રો, માનો ઘરડો પટારો, મટોડી માતા, ગોદડાં ને ગાદલાં આ સહુનો શેખે કેવો અનુપમ રીતે ઉપયોગ કર્યો છે, એ જુઓ–

‘દીકરીની ચોપડીઓમાંથી
અક્ષરો ઊતરી પડ્યા
કીડિયારે.
માના ઘરડા પટારે પૈડાં આવ્યાં.
મોલેલાની મટાડી માતા
ઊતરી ગઈ પગથિયાં

– ને આ ગોદડાં ને ગાદલાંય ઊપડ્યાં!’ સ્થિર હતું એ કેવું તો નિષ્ઠુર થઈ ગયું એની ગતિસૂચક આ પંક્તિઓની ભાત જ જુદી છે, નાત જ જુદી છે. અને નાયક આ નિષ્ઠુર થયેલા ભૂતકાળના સહુને જતાં, છેટે છેટે જતાં જોઈને નિસાસો નાખી કહે છેઃ

‘વળગણીએ ધ્રૂજતી ખંટી ઢીલી થઈ ઢળી
ને ટીંગાતું ઘર
લૂગડાંનો ગોટો વાળી
અમને નોંધારા મૂકી
ઝાંપે જઈ ઊભું.’

ધ્રૂજતી ખીંટી, ટીંગાતું ઘર, લૂગડાંનો ગોટો ઇત્યાદિમાં થયેલા કવિકર્મની નોંધ લો ન લો અને ઝાંપે જઈ ઊભેલું – નોંધારા મૂકીને, ઝાંપે પહોંચેલા ઘરની ઘટેલી ઘટના શેખના નાયકને હતપ્રભ કરે છે. એ પહેલી વાર પોતાને માટે ‘અમે’ શબ્દ પ્રયોજે છે. ત્રીજી રચનાની અંતિમ પંક્તિઓ આખા કાવ્યની શીર્ષસ્થ પંક્તિઓ છે.

‘ગઈવેળાની દુનિયા
હતી તેવી ને તેવી’ છે.
‘કહે છે કે કશું થયું નથી,
શાંતિ છે,
બધું ઠરી ઠામ’

જો સાચે જ આમ છે તો શેખના નાયકને પ્રશ્ન થાય છેઃ

‘તો પછી આ દુકાનદાર અવળું કેમ બોલે છે?’
‘રિક્સાવાળો ટોળાંમાંનો તો નહીં હોય?’

નક્કી એમ જ હશે ‘નહિતર ના બને આવું’ (કલાપી) – કેવું? ‘– આટલે દહાડે પાછા ફર્યા તો પણ આ ઘર અમને લેવા આગળ કેમ આવતું નથી?’ અમે જેમ જૂના પરિચિતને જોઈને હડી કાઢી ભેટીએ છીએ – એમ આ ઘર– ‘આવો, આવો બહુ દા’ડે?’ આવું કહેતું કહેતું આગળ કેમ નથી આવતું? મને લાગે છે શેખની ધારણશક્તિ લઘુકાવ્યથી વધી દીર્ઘકવિતા ધારણ કરવા તરફ જઈ રહી છે અને હું ભાવક તરીકે એની વાટ જોઉં છું.

3. ‘અથવા અને’ વાંચ્યા પછી

1

શેખ પાસે આપણને ગુજરાતી કવિતારસિક તરીકે કેટલાક હક મળે છે. આ હક શેખસાહેબ, કૉહે તૂર પરથી ઊતરી આવેલી આયત જેવા મોંઘા, મૂલ્યવાન, કીમતી છે. ગુજરાતી કવિતારસિકને આપની પાસેથી સતત કવિતા મેળવવાનો અધિકાર છે. તમારા બે સમર્થ સમકાલીન લાભશંકર-સિતાંશુ જેમ તમારી કવિતાની ગુજરાતી ભાષાને ઘડાવા માટે જરૂર છે. તમે તળ ગુજરાતી શબ્દમાંની કેવળ નાદ-શક્તિ નહીં, ચિત્ર-શક્તિને પણ સુપેરે પરખો છે. જેમ જેરામ પટેલ હજી ચિત્રકાર્યમાં રત છે – તમે કેવળ ચિત્રને નહીં, કાવ્યને પણ તમારી સર્જકત્વશક્તિનો લાભ આપો. ‘માણસની વાત’, ‘વખાર’ જેવું દીર્ઘકાવ્ય આપની પાસેથી પણ પામવાનો અમને ભાવકોને અધિકાર છે. ચાલો, આમીન કહો (નાટ્યકાર; ચિનુ મોદી)

2

શેખની કલ્પનશક્તિ, તળશબ્દને અન્ય એવા જ શબ્દની સંનિધિ આપવાની સહજ કુનેહ (દા.ત., ‘આ એક લઈ ગડી તે સમડી કે ફફડેલી ડાળની છાયા?), અમૂર્ત અનુભૂતિને સરળ રીતે વ્યક્ત કરનારી ભાષાની નાદ અને ચિત્રશક્તિનો વિનિયોગ (દા.ત., ‘ચામડીની ભોગળો ભાંગે છે’) અને શેખ ઇચ્છે એવી કુમાશ ને બરછટતા ભાષા દ્વારા સિદ્ધ કરે છે. દા.ત.,

‘આછરેલા પાણીના અરીસામાં
સાવ સામે ઊભું,
ટગર ટગર તાકતું’ (‘મૃત્યુ’)
‘કમાઈએ મારું પેટ કાપી આંતરડે નકશા દોર્યા’

(‘સૈનિકનું ગીત’)

3

તો ‘અથવા અને’ પછી પણ કાવ્યસંચય જોઈએ.

(‘પ્રત્યક્ષ’, જાન્યુઆરી-માર્ચ, 2014)