પુનશ્ચ/અરધી સદી પછી

From Ekatra Wiki
Revision as of 00:57, 29 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અરધી સદી પછી

જ્યારે કાવ્ય વિશે, પ્રેમ વિશે ઝાઝું કંઈ લહ્યું ન’તું
ત્યારે આયુષ્યના ત્રેવીસમા વૈશાખમાં કહ્યું હતું,
‘જન્મ શું એ નથી જાણતો
ને છતાં વર્ષવર્ષે રહ્યો જન્મદિન માણતો,
જન્મ શું એની અનુભૂતિની ના સ્મૃતિ,
મૃત્યુમાં જન્મની, નવજન્મની છે કૃતિ;
તો પછી એક દિન જન્મને ત્યાં પુન: લહી શકું,
કિન્તુ ત્યારેય નહિ કહી શકું.’
વચમાં અરધી સદીનું આયુષ્ય વહી ગયું,
કાવ્ય વિશે, પ્રેમ વિશે વધુ કંઈ કહી ગયું;
કાવ્યમાં, પ્રેમમાં જે કૈં અનુભૂતિ
એમાં મૃત્યુ પૂર્વે મૃત્યુ ને નવજન્મની યુતિ,
એ મૃત્યુ ને એ નવજન્મ એ જ તો છે દ્વિજત્વ,
આજે હવે કહી શકું એ દ્વિજત્વ જ તો છે જન્મનું સારસત્ત્વ.

૧૯૯૮