બોલે ઝીણા મોર/ખાલી ખુરશી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ખાલી ખુરશી| ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} '''તડકાનો તાપ ધખે છે''' '''જનહી...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
{{Heading|ખાલી ખુરશી| ભોળાભાઈ પટેલ}}
{{Heading|ખાલી ખુરશી| ભોળાભાઈ પટેલ}}


{{Poem2Open}}
<poem>
'''તડકાનો તાપ ધખે છે'''
'''તડકાનો તાપ ધખે છે'''
'''જનહીન બપોરની વેળાએ.'''
'''જનહીન બપોરની વેળાએ.'''
Line 18: Line 18:
'''ખુરશીની ભાષા જાણે એથીય વધારે કરુણ અને કાતર છે.'''
'''ખુરશીની ભાષા જાણે એથીય વધારે કરુણ અને કાતર છે.'''
'''શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે.'''
'''શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે.'''
 
</poem>
{{Poem2Open}}
શાંતિનિકેતનના રવીન્દ્રભવનમાં એક દર્શનીય વિભાગ તે રવીન્દ્ર-મ્યુઝિયમ. પાંચેક વર્ષ પહેલાં ૧૯૮૩માં આ મ્યુઝિયમને નવેસરથી અત્યંત પ્રભાવાત્મક રીતે ગોઠવવામાં આવ્યું છે. આપણી પાસે થોડો નિરાંતનો સમય હોય અને આપણા દેશના આ મહાન કવિ રવિ ઠાકુર વિષે થોડું પણ જાણતા હોઈએ તો આ મ્યુઝિયમની ઘણી તસવીરો અને ઘણી વસ્તુઓ આગળ ઊભા રહી જવું પડે, એ દરેકનો એક એક ઇતિહાસ હોય – કંઈ નહીં તો કવિજીવનની એક કહાણી એની સાથે ગૂંથાયેલી હોય. સમગ્ર મ્યુઝિયમ જોતાં એમ થાય કે સાચે જ શું કોઈ એક મનુષ્યજીવન આટલું બધું વૈવિધ્યભર્યું, આટલું બધું સમૃદ્ધ હોઈ શકે? એકમાત્ર ગાંધીજીનું આપણને સ્મરણ થાય.
શાંતિનિકેતનના રવીન્દ્રભવનમાં એક દર્શનીય વિભાગ તે રવીન્દ્ર-મ્યુઝિયમ. પાંચેક વર્ષ પહેલાં ૧૯૮૩માં આ મ્યુઝિયમને નવેસરથી અત્યંત પ્રભાવાત્મક રીતે ગોઠવવામાં આવ્યું છે. આપણી પાસે થોડો નિરાંતનો સમય હોય અને આપણા દેશના આ મહાન કવિ રવિ ઠાકુર વિષે થોડું પણ જાણતા હોઈએ તો આ મ્યુઝિયમની ઘણી તસવીરો અને ઘણી વસ્તુઓ આગળ ઊભા રહી જવું પડે, એ દરેકનો એક એક ઇતિહાસ હોય – કંઈ નહીં તો કવિજીવનની એક કહાણી એની સાથે ગૂંથાયેલી હોય. સમગ્ર મ્યુઝિયમ જોતાં એમ થાય કે સાચે જ શું કોઈ એક મનુષ્યજીવન આટલું બધું વૈવિધ્યભર્યું, આટલું બધું સમૃદ્ધ હોઈ શકે? એકમાત્ર ગાંધીજીનું આપણને સ્મરણ થાય.


Line 118: Line 119:


અને પછી ત્યાં રહેવાના દિવસો પૂરા થયા. ‘પુરબી’ની શેષવસંત કવિતામાં આપેલા પ્રતિવચન પ્રમાણે વિજયા પાસેથી રવીન્દ્રનાથ ચાલી નીકળ્યા. એ વચન તે આઃ
અને પછી ત્યાં રહેવાના દિવસો પૂરા થયા. ‘પુરબી’ની શેષવસંત કવિતામાં આપેલા પ્રતિવચન પ્રમાણે વિજયા પાસેથી રવીન્દ્રનાથ ચાલી નીકળ્યા. એ વચન તે આઃ
 
{{Poem2Close}}
<poem>
'''ભય રાખિયો ના તુમિ મને'''
'''ભય રાખિયો ના તુમિ મને'''
'''તોમાર વિકચ ફૂલવને'''
'''તોમાર વિકચ ફૂલવને'''
Line 124: Line 126:
'''ફિરે ચાહિબ ના પિછે'''
'''ફિરે ચાહિબ ના પિછે'''
'''દિનશે વિદાયેર ક્ષણે.'''
'''દિનશે વિદાયેર ક્ષણે.'''
 
</poem>
{{Poem2Open}}
–તું મનમાં ભય રાખીશ મા. દિવસને અંતે વિદાયની ક્ષણે તારા ખીલેલા પુષ્પોદ્યાનમાં હું અમસ્તો વિલંબ નહિ કરું, પાછું ફરીને નહિ જોઉં.
–તું મનમાં ભય રાખીશ મા. દિવસને અંતે વિદાયની ક્ષણે તારા ખીલેલા પુષ્પોદ્યાનમાં હું અમસ્તો વિલંબ નહિ કરું, પાછું ફરીને નહિ જોઉં.


Line 131: Line 134:
૧૯૩૦માં ફરી પૅરિસમાં રવીન્દ્રનાથ અને ઓકામ્પો મળ્યાં હતાં. એ એક નવપલ્લવિત સ્મરણ. પણ પછી માત્ર મનોમન સ્મરણ, પરંતુ કાલજયી સ્મરણ.
૧૯૩૦માં ફરી પૅરિસમાં રવીન્દ્રનાથ અને ઓકામ્પો મળ્યાં હતાં. એ એક નવપલ્લવિત સ્મરણ. પણ પછી માત્ર મનોમન સ્મરણ, પરંતુ કાલજયી સ્મરણ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[બોલે ઝીણા મોર/બે શબ્દો — નાકાદાર માટે|બે શબ્દો — નાકાદાર માટે]]
|next = [[બોલે ઝીણા મોર/રે આજ આષાઢ આવ્યો|રે આજ આષાઢ આવ્યો]]
}}
18,450

edits