ભદ્રંભદ્ર/પ્રારંભિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 48: Line 48:


[[File:Bhadrambhadra image1.jpg|frameless|center]]<br>
[[File:Bhadrambhadra image1.jpg|frameless|center]]<br>
<center>  '''ભદ્રંભદ્રનું કલાગુરુ રવિશંકર રાવળે કરેલું રેખાંકન ''' </center>


<br>
<hr>
{{Heading| ભદ્રંભદ્ર  | એ મહા પુરુષના જીવનચરિત્રનો કેટલોક ઇતિહાસ }}
<br>
{{Poem2Open}}
<center>
લખનાર
તેમનો શિષ્ય અને ભક્ત
વિ. અમ્બારામ વિ. કેવળરામ અવટંકે મોદકીઆ.
જ્ઞાતિ શુદ્ધ બ્રાહ્મણ.
વય, ૩૭ વર્ષ, ૫ માસ, ૨ દિવસ, ૬ઘડી, (ચૈત્રી પંચાંગ).
ઉંચાઇ (સુતરીઆ) ગજ ૨ તસુ ૨૩
<br>
<br>
<br>
પ્રસિદ્ધ કરનાર,
'''સર રમણભાઇ મહીપતરામ નીલકંઠ,'''
બી. એ., એલએલ. બી.
<br>
<br>
<br>
સોલ એજંટ્‌
'''અંબાલાલ મોહનલાલ શાહ'''
<br>
<br>
<br>
પાંચમી આવૃત્તિ                                      
સંવત ૧૯૮૮
ઇ.સ. ૧૯૩૨
કિંમત રૂ. ૨-૦-૦.                                           
<br>
<br>
<br>
<br>
[સર્વ હક્ક સ્વાધિન છે.]
<br>
<br>
<br>
<br>
'''છપાવનાર.'''
અંબાલાલ મોહનલાલ શાહ
મોહનલાલ મ. શાહનો છોકરો
મુ. વડોદરા—ડ ભો ડા.
<br>
<br>
<br> 
'''છાપનાર.'''
મુળચંદભાઇ ત્રીકમલાલ પટેલ
સુર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસમાં
પાનકોર નાકા  — અમદાવાદ.
<center>
{{Poem2Close}}


<center>  '''ભદ્રંભદ્રનું કલાગુરુ રવિશંકર રાવળે કરેલું રેખાંકન ''' </center>
<br>
<hr>
<br>
 
{{Center block|width=16em|title=<big>'''પ્રસિદ્ધ કરનારની પ્રસ્તાવના.'''</big>|
<center>  '''(પહેલી આવૃત્તિ.)''' </center>
{{Poem2Open}}
રા. રા. અમ્બારામ કેવળરામ મોદકીયા વિશે મુખપૃષ્ટમાં જે હકીકત લખી છે તે કરતાં વધારે જાણવાની વાંચનારને જિજ્ઞાસા રહેશે, અને, તેમની ઉમ્મર તથા ઉંચાઇ જાણવા કરતાં તેમનું રહેઠાણ તથા ધંધો જાણવાથી વધારે ઉપયોગી માહીતી મળે એમ વાંચનારને  લાગશે. પરંતુ, તેમની ખાયેશથી આટલી જ હકીકત લખી બાકીની મુકી દેવામાં આવી છે.
આ ઇતિહાસનો લેખ પ્રસિદ્ધ કરવા સારૂ રા. અમ્બારામે આપ્યાથી પ્રથમ કકડે કકડે માસિક પત્ર જ્ઞાનસુધામાં તે છાપવામાં આવેલો. હાલ આખું પુસ્તક પ્રસિદ્ધ કરતાં તેમણે કૃપા કરી પ્રકરણો પાડી આપ્યાં છે તથા રચનામાં કેટલોક સુધારો વધારો કરી આપ્યો છે.
આ લેખ પુસ્તકના આકારમાં દેશભક્ત પત્ર માટે બહાર પાડવાની યોજના રા. રા. દોલતરામ મગનલાલ શાહે સૂચવી અને પૂર્ણ કરી તે માટે તેમનો તથા દેશભક્ત પત્રમાં તેમના સહભાગીદાર રા. રા. વસંતલાલ સુંદરલાલ દેસાઇનો આ સ્થળે આભાર માનવો ઘટે છે.
પુસ્તકમાં કેટલાંક ચિત્ર મુકવાનો વિચાર હતો. પરંતુ ગ્રન્થમાંથી કલ્પના પ્રમાણે છબી ચીતરાવવાની મુશ્કેલી બહુ નડી. ફોટોગ્રાફ પડાવી તે ઉપરથી બીબાં કરાવી ચિત્ર છપાવવાની ધારણા કરી, એક બે ફોટોગ્રાફ લેવડાવ્યા, પણ તેમાંએ અડચણો આવી પડી અને બહુ વિલંબ થવાથી આખરે આ પ્રથમ આવૃત્તિ વગર ચિત્રે બહાર પાડવી પડી છે.
અમદાવાદ,<br>                              
સપ્ટેમ્બર, ૧૯૦૦<br>
{{સ-મ|||''' ર. મ. ની.'''}}
<br>
<br>
<center>  '''બીજી આવૃત્તિ''' </center>
{{Poem2Open}}
પહેલી આવૃત્તિ ખપી જવાથી આ બીજી આવૃત્તિ મર્હુમ રા. રા. દોલતરામ મગનલાલ શાહના સંબંધમાં રા. રા. મોહનલાલ મનસુખરામે પબ્લિશર તરીકે પ્રસિદ્ધ કરી છે.
આ પુસ્તકમાં ચિત્ર મુકવાની યોજના આ બીજી આવૃત્તિ માટે થઇ શકી નથી.
અમદાવાદ,<br>                              
એપ્રીલ ૧૯૧૦<br>
{{સ-મ|||''' ર. મ. ની.'''}}
{{Poem2Close}}
}}
<br>
 
 
<hr>
{{Center block|width=16em|title=<big>'''આ ઈ-પ્રકાશન નિમિત્તે'''</big>|
{{Poem2Open}}
“કંદરા”, “કંસારા બજાર” અને “કંદમૂળ” - મારા આ ત્રણે કાવ્યસંગ્રહો એક નેજા હેઠળ, ઈ-બુક સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા બદલ એકત્ર ફાઉન્ડેશનનો ખૂબ આભાર. આ સાથે આ પુસ્તકોના મૂળ પ્રકાશકો - ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ (કંદરા, ૧૯૯૬) અને ઈમેજ પબ્લિકેશન, મુંબઈ (કંસારા બજાર, ૨૦૦૧ તથા કંદમૂળ, ૨૦૧૩) નો પણ વિશેષ આભાર. આશા છે કે હવે આ કવિતાઓ ઈન્ટરનેટ પર સરળતાથી પ્રાપ્ય થતાં વાચકો માટે વધુ અનુકૂળતા રહેશે.
આ પ્રસંગ જોકે મારા માટે તો દરેક પ્રકાશન વેળાએ થતા એક પરિચિત આશ્ચર્ય સમાન છે કે, “શું આ કવિતાઓ મારી છે?” મને ક્યારેય મારી કવિતાઓ પ્રત્યે આધિપત્યની લાગણી નથી અનુભવાઈ કારણકે આ કવિતાઓ હજી પૂરી થઈ હોય એમ મને નથી લાગતું. કવિતાઓ કદાચ ક્યારેય પૂરી થતી પણ નથી. કવિતાનું સમાપન એક છળ છે. મને હંમેશ એમ લાગ્યું છે કે મેં મારી કવિતાઓ પૂરી કરવાને બદલે મેં તેમને અડધે જ ત્યજી દીધી છે. મને તો હજી એ સવાલનો પણ પૂરેપૂરો જવાબ નથી મળ્યો કે, હું લખું શા માટે છું? સમયના એક અતિ વિશાળ આયામ પર હું, ક્યાં અને કોની સામે વ્યક્ત થઈ રહી છું?
કોઈ કવિ માટે પોતાની કવિતા સુધી પહોંચવાની યાત્રા જેટલી જટિલ હોય છે તેટલી જ મુશ્કેલ યાત્રા કોઈ વાચકની, એ કવિતા સુધી પહોંચવાની હોય છે, જેને એ પોતાની કહી શકે. આ બંને સદંતર અંગત છતાં સમાંતર યાત્રાઓ છે. મારી સ્મૃતિઓના રઝળતા પ્રતીકો કોઈ વાચકના માનસપટ પર પોતાની થોડીક જગ્યા કરી શકશે તો મને ગમશે.
{{સ-મ|||'''– મનીષા જોષી'''}}
{{Poem2Close}}
}}

Revision as of 14:15, 12 June 2022

‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.



ભદ્રંભદ્ર






રમણભાઈ મ. નીલકંઠ







લેખક-પરિચય

રમણભાઈ મહીપતરામ નીલકંઠ (૧૩.૩.૧૮૬૮ – ૬.૩.૧૯૨૮)


નાટક, નવલકથા, કવિતા, વિવેચન, ચિંતન એમ વિવિધ સ્વરૂપોમાં નિરંતર ને ઉત્તમ સાહિત્યલેખન કરવા ઉપરાંત રમણભાઈ જાહેર-જીવનને પણ એવા જ સમર્પિત રહેલા ને કર્મઠ લોકસેવા કરતાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે પહોંચેલા. એથી આનંદશંકર ધ્રુવે એમને ‘સકલપુરુષ’ તરીકે અંજલિ આપેલી. ‘કવિતા અને સાહિત્ય’(૪ ગ્રંથો,૧૯૦૪-૧૯૨૯)માં એમની સાહિત્ય-વિચારણાના તેમજ ગ્રંથવિવેચનના કેટલાક દીર્ઘ લેખો મૂલ્યવાન છે પરંતુ ‘ભદ્રંભદ્ર’ નવલકથા(૧૯૦૦) અને ‘રાઈનો પર્વત’ નાટક(૧૯૧૩) એમનાં યશસ્વી ને ચિરસ્મરણીય સર્જનકાર્યો છે. ‘ભદ્રંભદ્ર’ ગુજરાતીની આજસુધીની ઉત્તમ હાસ્યનવલ છે ને ભદ્રંભદ્રનું પાત્ર તો ગુજરાતી ભાષામાં વિચારજડતા અને દંભનો એક મૂર્તિમાન રૂઢિપ્રયોગ બનીને અમર થયેલું છે. ‘રાઈનો પર્વત’ સાધ્યની પ્રાપ્તિ માટે અશુદ્ધ સાધન અજમાવતી માતા જાલકા અને નીતિનિષ્ઠ રહેતા એના પુત્ર રાઈને કેન્દ્રમાં રાખતું, કથારહસ્ય અને નાટ્યસંઘર્ષના આલેખન-કૌશલવાળું તથા રચનામાં ભવાઈ, સંસ્કૃત નાટક અને પાશ્ચાત્ય નાટકનાં તત્ત્વો પ્રયોજતું પ્રભાવક શિષ્ટ દીર્ઘ નાટક છે. ‘હાસ્યમંદિર’(૧૯૧૫) રમણભાઈની નર્મમર્મશક્તિનો આહ્‌લાદક પરિચય કરાવતા હાસ્યનિબંધોનું પુસ્તક છે. ‘ગુજરાત સાહિત્યસભા’ના પહેલા પ્રમુખ તરીકે તેમજ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના પહેલા અધિવેશનના સ્વાગતપ્રમુખ તરીકે એમણે મનનીય પ્રવચનો કરેલાં. વ્યવસાયે વકીલ રમણભાઈ સાહિત્ય અને સમાજનાં અનેક સંચલનોમાં સક્રિય રહ્યા હતા. –રમણ સોની



કૃતિ-પરિચય

‘ભદ્રંભદ્ર’


૧૯મી અને ૨૦મી સદીના સંધિકાળે– ઈ.૧૯૦૦માં પ્રકાશિત થયેલી રમણભાઈ નીલકંઠની આ નવલકથા ‘ભદ્રંભદ્ર’ એક હાસ્યકથા તરીકે આજસુધી કાયમ રસપ્રદ રહી છે. એણે એક સાથે ઘણાં નિશાન તાકેલાં છે : અત્યંત જૂનવાણી રૂઢિગ્રસ્ત માનસ સામેનો આકરો કટાક્ષ, કેવળ સંસ્કૃતપ્રચુર રહેતી ને એથી દુર્બોધ રહેતી ભાષાની હાસ્યાસ્પદતાનું આલેખન, ઠઠ્ઠાપાત્ર બનતાં વિલક્ષણ પાત્રોનું સર્જન તથા એકમાત્ર સહજ અને અ-વિલક્ષણ પાત્ર અંબારામને મુખે ગુરુ ભદ્રંભદ્રના જીવનચરિત્રાત્મક વૃત્તાંત તરીકે કહેવાતી કથા. લેખક અને અંબારામ વચ્ચે કાલ્પનિક અભિન્નતા ઊભી કરતી આ નવલકથા ઊઘડતા પાનાની વિગતોથી જ એક લાક્ષણિક હાસ્યકથા તરીકે આરંભાય છે. ‘સનાતન આર્યધર્મ’ના ઉદ્ધાર માટે પોતે અવતાર લીધો છે એમ માનતા ભદ્રંભદ્રનાં આવેશભર્યાં ભાષણો ને એમનું સંપૂર્ણ અતાર્કિક વિચાર-વર્તન એમને સતત હાંસીપાત્ર કરતું રહે છે – એની લેખકે-અંબારામે ને ખુદ ભદ્રંભદ્રે પૂરેપૂરી કાળજી રાખી છે! એકબે પ્રસંગો-સંવાદો જોઈએ : અંબારામ સાથે ટ્રેનમાં મુંબઈ જવા નીકળેલા ભદ્રંભદ્ર ટિકિટબારી પર કહે છે –‘શ્રીમોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’ કૉર્ટમાં મેજિસ્ટ્રેટ અને એમની વચ્ચેનો સંવાદ : ‘તમારું નામ શું?’ ‘વિદ્યમાન ભદ્રંભદ્ર’ ‘તમારું નામ વિદ્યમાન અને તમારા બાપનું નામ ભદ્રંભદ્ર?’ ‘મારું નામ ભદ્રંભદ્ર છે પણ હું જીવું છું માટે શાસ્ત્રાધારે પોતાને વિદ્યમાન કહું છું.’ છેલ્લા પ્રકરણનું શીર્ષક છે : ‘જેલમાંથી નીકળ્યા અને ખેલમાં ગયા’! એ સમયે, કેટલાક સમકાલીન વિદ્વાનોને લક્ષ્ય કરીને એમની હાંસી કરાઈ છે એવા આરોપસર ‘ભદ્રંભદ્ર’ વિશે તીવ્ર વિવાદ થયેલો પણ એ સમયસંદર્ભ ખસી ગયા પછી, હવે આજે તો એને એક નરવી હાસ્યનવલ તરીકે આપણે માણી શકીએ છીએ. તો અંબારામની સહાયથી આ આકર્ષક કૃતિમાં પ્રવેશીએ– –રમણ સોની





Bhadrambhadra image1.jpg


ભદ્રંભદ્રનું કલાગુરુ રવિશંકર રાવળે કરેલું રેખાંકન



ભદ્રંભદ્ર

એ મહા પુરુષના જીવનચરિત્રનો કેટલોક ઇતિહાસ


લખનાર તેમનો શિષ્ય અને ભક્ત વિ. અમ્બારામ વિ. કેવળરામ અવટંકે મોદકીઆ. જ્ઞાતિ શુદ્ધ બ્રાહ્મણ. વય, ૩૭ વર્ષ, ૫ માસ, ૨ દિવસ, ૬ઘડી, (ચૈત્રી પંચાંગ). ઉંચાઇ (સુતરીઆ) ગજ ૨ તસુ ૨૩


પ્રસિદ્ધ કરનાર, સર રમણભાઇ મહીપતરામ નીલકંઠ, બી. એ., એલએલ. બી.


સોલ એજંટ્‌ અંબાલાલ મોહનલાલ શાહ


પાંચમી આવૃત્તિ સંવત ૧૯૮૮ ઇ.સ. ૧૯૩૨ કિંમત રૂ. ૨-૦-૦.



[સર્વ હક્ક સ્વાધિન છે.]



છપાવનાર. અંબાલાલ મોહનલાલ શાહ મોહનલાલ મ. શાહનો છોકરો મુ. વડોદરા—ડ ભો ડા.


છાપનાર. મુળચંદભાઇ ત્રીકમલાલ પટેલ સુર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસમાં પાનકોર નાકા — અમદાવાદ.




પ્રસિદ્ધ કરનારની પ્રસ્તાવના.
(પહેલી આવૃત્તિ.)

રા. રા. અમ્બારામ કેવળરામ મોદકીયા વિશે મુખપૃષ્ટમાં જે હકીકત લખી છે તે કરતાં વધારે જાણવાની વાંચનારને જિજ્ઞાસા રહેશે, અને, તેમની ઉમ્મર તથા ઉંચાઇ જાણવા કરતાં તેમનું રહેઠાણ તથા ધંધો જાણવાથી વધારે ઉપયોગી માહીતી મળે એમ વાંચનારને લાગશે. પરંતુ, તેમની ખાયેશથી આટલી જ હકીકત લખી બાકીની મુકી દેવામાં આવી છે. આ ઇતિહાસનો લેખ પ્રસિદ્ધ કરવા સારૂ રા. અમ્બારામે આપ્યાથી પ્રથમ કકડે કકડે માસિક પત્ર જ્ઞાનસુધામાં તે છાપવામાં આવેલો. હાલ આખું પુસ્તક પ્રસિદ્ધ કરતાં તેમણે કૃપા કરી પ્રકરણો પાડી આપ્યાં છે તથા રચનામાં કેટલોક સુધારો વધારો કરી આપ્યો છે. આ લેખ પુસ્તકના આકારમાં દેશભક્ત પત્ર માટે બહાર પાડવાની યોજના રા. રા. દોલતરામ મગનલાલ શાહે સૂચવી અને પૂર્ણ કરી તે માટે તેમનો તથા દેશભક્ત પત્રમાં તેમના સહભાગીદાર રા. રા. વસંતલાલ સુંદરલાલ દેસાઇનો આ સ્થળે આભાર માનવો ઘટે છે. પુસ્તકમાં કેટલાંક ચિત્ર મુકવાનો વિચાર હતો. પરંતુ ગ્રન્થમાંથી કલ્પના પ્રમાણે છબી ચીતરાવવાની મુશ્કેલી બહુ નડી. ફોટોગ્રાફ પડાવી તે ઉપરથી બીબાં કરાવી ચિત્ર છપાવવાની ધારણા કરી, એક બે ફોટોગ્રાફ લેવડાવ્યા, પણ તેમાંએ અડચણો આવી પડી અને બહુ વિલંબ થવાથી આખરે આ પ્રથમ આવૃત્તિ વગર ચિત્રે બહાર પાડવી પડી છે. અમદાવાદ,
સપ્ટેમ્બર, ૧૯૦૦

ર. મ. ની.
 



બીજી આવૃત્તિ

પહેલી આવૃત્તિ ખપી જવાથી આ બીજી આવૃત્તિ મર્હુમ રા. રા. દોલતરામ મગનલાલ શાહના સંબંધમાં રા. રા. મોહનલાલ મનસુખરામે પબ્લિશર તરીકે પ્રસિદ્ધ કરી છે. આ પુસ્તકમાં ચિત્ર મુકવાની યોજના આ બીજી આવૃત્તિ માટે થઇ શકી નથી. અમદાવાદ,
એપ્રીલ ૧૯૧૦

ર. મ. ની.
 




આ ઈ-પ્રકાશન નિમિત્તે

“કંદરા”, “કંસારા બજાર” અને “કંદમૂળ” - મારા આ ત્રણે કાવ્યસંગ્રહો એક નેજા હેઠળ, ઈ-બુક સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા બદલ એકત્ર ફાઉન્ડેશનનો ખૂબ આભાર. આ સાથે આ પુસ્તકોના મૂળ પ્રકાશકો - ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ (કંદરા, ૧૯૯૬) અને ઈમેજ પબ્લિકેશન, મુંબઈ (કંસારા બજાર, ૨૦૦૧ તથા કંદમૂળ, ૨૦૧૩) નો પણ વિશેષ આભાર. આશા છે કે હવે આ કવિતાઓ ઈન્ટરનેટ પર સરળતાથી પ્રાપ્ય થતાં વાચકો માટે વધુ અનુકૂળતા રહેશે. આ પ્રસંગ જોકે મારા માટે તો દરેક પ્રકાશન વેળાએ થતા એક પરિચિત આશ્ચર્ય સમાન છે કે, “શું આ કવિતાઓ મારી છે?” મને ક્યારેય મારી કવિતાઓ પ્રત્યે આધિપત્યની લાગણી નથી અનુભવાઈ કારણકે આ કવિતાઓ હજી પૂરી થઈ હોય એમ મને નથી લાગતું. કવિતાઓ કદાચ ક્યારેય પૂરી થતી પણ નથી. કવિતાનું સમાપન એક છળ છે. મને હંમેશ એમ લાગ્યું છે કે મેં મારી કવિતાઓ પૂરી કરવાને બદલે મેં તેમને અડધે જ ત્યજી દીધી છે. મને તો હજી એ સવાલનો પણ પૂરેપૂરો જવાબ નથી મળ્યો કે, હું લખું શા માટે છું? સમયના એક અતિ વિશાળ આયામ પર હું, ક્યાં અને કોની સામે વ્યક્ત થઈ રહી છું? કોઈ કવિ માટે પોતાની કવિતા સુધી પહોંચવાની યાત્રા જેટલી જટિલ હોય છે તેટલી જ મુશ્કેલ યાત્રા કોઈ વાચકની, એ કવિતા સુધી પહોંચવાની હોય છે, જેને એ પોતાની કહી શકે. આ બંને સદંતર અંગત છતાં સમાંતર યાત્રાઓ છે. મારી સ્મૃતિઓના રઝળતા પ્રતીકો કોઈ વાચકના માનસપટ પર પોતાની થોડીક જગ્યા કરી શકશે તો મને ગમશે.

– મનીષા જોષી