ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મપુરાણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| બ્રહ્મપુરાણ | }} {{Poem2Open}} === પાર્વતી અને ગંગા વચ્ચે સંઘર્ષ === વ...")
 
()
Line 40: Line 40:
વિજય રાજાએ તેમની વાત માની લીધી અને ભોગવતીનો વિવાહ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્યો, પુત્રીને પણ વળાવી. પહેરામણી પણ સારી એવી આપી.  
વિજય રાજાએ તેમની વાત માની લીધી અને ભોગવતીનો વિવાહ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્યો, પુત્રીને પણ વળાવી. પહેરામણી પણ સારી એવી આપી.  
ભોગવતી સાસુસસરાની સેવા સારી રીતે કરતી થઈ. તેનો પતિ નિર્જન પ્રદેશમાં રહેતો હતો, તેણે વારે વારે કહેવડાવ્યું હતું કે મારી પત્નીને અહીં મોકલો. એટલે રાણીએ તેની એક દાસીને કહ્યું, ‘હવે તું ભોગવતીને કહજે કે તારો પતિ સાપ છે. આ સાંભળીને તેનો કેવો પ્રતિભાવ છે તે પણ જોજે.’
ભોગવતી સાસુસસરાની સેવા સારી રીતે કરતી થઈ. તેનો પતિ નિર્જન પ્રદેશમાં રહેતો હતો, તેણે વારે વારે કહેવડાવ્યું હતું કે મારી પત્નીને અહીં મોકલો. એટલે રાણીએ તેની એક દાસીને કહ્યું, ‘હવે તું ભોગવતીને કહજે કે તારો પતિ સાપ છે. આ સાંભળીને તેનો કેવો પ્રતિભાવ છે તે પણ જોજે.’
દાસીએ આ વાત કહેતાં જણાવ્યું, ‘હું તો તમારા પતિને એક દેવતા માનું છું, પણ તમે આ વાત કોઈને જણાવતા નહીં.’
દાસીએ આ વાત કહેતાં જણાવ્યું, ‘હું તો તમારા પતિને એક દેવતા માનું છું, પણ તમે આ વાત કોઈને જણાવતા નહીં.’
આ સાંભળી ભોગવતીએ કહ્યું, ‘સામાન્ય રીતે મનુષ્યસ્ત્રીઓનો પતિ મનુષ્ય જ હોય પણ જો તેનો પતિ દેવ હોય તો તો વાત જ શી! આવો પતિ તો બહુ પુણ્યશાળીને જ મળે.’
આ સાંભળી ભોગવતીએ કહ્યું, ‘સામાન્ય રીતે મનુષ્યસ્ત્રીઓનો પતિ મનુષ્ય જ હોય પણ જો તેનો પતિ દેવ હોય તો તો વાત જ શી! આવો પતિ તો બહુ પુણ્યશાળીને જ મળે.’
ભોગવતીની આ વાત દાસીએ શબ્દશ: રાજમાતાને અને રાજાને કહી. રાજા આ સાંભળીને અશ્રુપાત કરવા લાગ્યા.  
ભોગવતીની આ વાત દાસીએ શબ્દશ: રાજમાતાને અને રાજાને કહી. રાજા આ સાંભળીને અશ્રુપાત કરવા લાગ્યા.  

Revision as of 16:42, 6 December 2021


બ્રહ્મપુરાણ

પાર્વતી અને ગંગા વચ્ચે સંઘર્ષ

વિવાહમંડપમાં બેઠેલી ઉમાને જોઈ બ્રહ્મા કામુક બની ગયા અને તેમને શરમંદાિ થવું પડ્યું. અજ્ઞાનવશ થયેલા પાપમાંથી મુક્ત થવાનો ઉપાય તેમને બતાવવામાં આવ્યો, ભગવાન નારાયણે કમંડળમાં પોતાના પગ મૂકી ધોયા અને તે કમંડળ બ્રહ્માને આપ્યું. કમંડળ ધરતી બનશે અને જળ નદી બનશે. એ નદી એટલે ગંગા. સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવામાં ગૌતમ અને ભગીરથનો મોટો ફાળો એટલે તેમનું નામ ભાગીરથી અને ગૌતમી પણ. ગંગા સાથે સંલગ્ન ગૌતમની કથા બ્રહ્માએ કહી. ગંગાને ભગવાન શંકરે પોતાની જટામાં રાખી એટલે પાર્વતી પતિ પર નારાજ થઈ, ગંગા માટે ઈર્ષ્યા જન્મી. પાર્વતીએ ગંગાને પોતાના માર્ગમાંથી હટાવવાનો નિર્ધાર કર્યો જેથી તે શંકર પર માત્ર પોતાનો અધિકાર દાખવી શકે. દેવીએ એકાંતમાં ગણેશ, કાર્તિક અને જયાને બોલાવી પોતાની વ્યથા સંભળાવી. ત્રણે માતાનું દુઃખ કેવી રીતે નિવારી શકાય તેની ચર્ચા કરવા લાગ્યા. તેમને લાગ્યું કે શિવની જટામાંથી ગંગાને દૂર કરવાનું કામ સંસારમાં માત્ર ને માત્ર ગૌતમ જ કરી શકે. પણ ગૌતમને સમજાવવા કેવી રીતે? પછી કશું વિચારીને ત્રણે ગૌતમ મુનિના આશ્રમ તરફ બ્રાહ્મણનો વેશ લઈ ચાલી નીકળ્યા. ગૌતમે તેમને પોતાના આશ્રમમાં રાખ્યા. ગણેશે પોતાના પ્રભાવથી આશ્રમવાસીઓને પોતાને વશ કરી લીધા. ગણેશ જ્યારે જ્યારે ત્યાંથી જવાની વાત કરતા ત્યારે ત્યારે ગૌતમ તેમને રોકી પાડતા. એક દિવસ ગણેશે જયાને ગાયનું રૂપ લઈ ધાન્યનો નાશ કરવા કહ્યું. ‘જો ગૌતમ કશો પ્રહાર કરે તો તું ચીસ પાડીને ધરતી પર એવી રીતે પડી જજે કે કોઈને તું જીવે છે કે મરી ગઈ છે તે જ સમજ ન પડે.’ ગૌતમે એ વિકૃત રૂપ ધરાવતી ગાયને જ્યારે ધાન્યનો નાશ કરતી જોઈ ત્યારે એક તૃણ તેના પર ફેંક્યું એટલે ક્રંદન કરતી તે ગાય મૂચ્છિર્ત થઈને પડી ગઈ. આ જોઈ ગણેશના નેતૃત્વમાં બધા આશ્રમવાસીઓએ ત્યાંથી જતા રહેવાનો નિર્ણય કરી ગૌતમ ઋષિને જણાવ્યું. ગૌતમે તેમને પગે પડીને આ પાપનું પ્રાયશ્ચિત્ત પૂછ્યું. ગણેશે થોડો વિચાર કરીને જણાવ્યું, ‘બ્રહ્માના કમંડળમાં રાખેલું જળ શંકર ભગવાને પોતાની જટામાં રાખી મૂક્યું છે તે તમે તમારા તપોબળથી લઈ આવો અને અને આ ગાય પર તેનો અભિષેક કરો તો આ પાપમાંથી મુક્તિ મળે. પછી અમે બધા આશ્રમમાં રહીશું.’ શંકર ભગવાનને પ્રસન્ન કરીને અદૃશ્ય ગંગાને ત્યાં આણવાનો, ને તે જળ વડે ગાય પર અભિષેક કરવાનો નિર્ધાર ઋષિએ કરી લીધો. ગૌતમ તો તપ કરવા નીકળ્યા, બધા પોતપોતાના નિવાસે જવા લાગ્યા, ગણેશ પણ. ગૌતમ પોતાની વાણી પર સંયમ મેળવીને શિવના સ્તોત્ર ભણવા લાગ્યા. ભગવાને પ્રસન્ન થઈ ગૌતમને વરદાન માગવા કહ્યું. એટલે ગૌતમે તો શંકર ભગવાનની જટામાં રહેલી ગંગા માગી લીધી. બીજું વરદાન માગવા કહ્યું ત્યારે ગૌતમે કહ્યું, ‘ત્રણે લોકમાં ગંગાનો મહિમા સૌથી વધારે થાય.’ ભગવાને તેમની વાત પણ મંજૂર રાખી. પછી ગંગાએ જ્યારે ફરી કમંડળમાં પાછા જવાની વાત કરી ત્યારે ગૌતમે તેમને સમજાવ્યા અને એટલે ગંગાએ પોતાને ત્રણ ભાગમાં વહેંચી, તેમાંથી એક પ્રવાહ પૃથ્વી પર આવ્યો. બીજો પ્રવાહ સ્વર્ગમાં ગયો અને ત્યાં તે ચાર ભાગમાં વહેંચાયો. રસાતલમાં ગયેલા પ્રવાહના ચાર ભાગ થયા અને પૃથ્વી પરના પ્રવાહના સાત ભાગ થયા, આમ ગંગાના કુલ પંદર ભાગ થયા અને તે દરેકમાં શંકર ભગવાનનો વાસ છે. (બીજો ખંડ)

વ્યભિચારિણી સ્ત્રીની કથા

પ્રાચીન કાળમાં ઘૃતવ્રત નાનો એક સદાચારી અને કર્મકાંડી બ્રાહ્મણ હતો. તે યુવાન હતો ત્યારે જ તેનું મૃત્યુ થયું હતું. તે મહી નામની રૂપવતી પત્ની અને સનાજ્જાત નામના પુત્રને પોતાની પાછળ મૂકી ગયો હતો. ઘૃતવ્રતની બાલવિધવા ધર્મમાં સ્થિર રહેવાને બદલે લંપટ થઈ ગઈ હતી. પોતાના સ્વચ્છંદ માટે ગાલવ મુનિને પુત્ર સોંપી દીધો. મુનિએ તેને સંસ્કાર આપ્યા પણ તે માતાના વારસામાંથી મુક્ત થઈ ન શક્યો. ગાલવ મુનિનો આશ્રમ ત્યજી તે વૈશ્યવૃત્તિથી ગુજરાન ચલાવવા લાગ્યો. સંયોગવશ તે જ્યાં તેની માતા હતી ત્યાં જ પહોંચી ગયો. દૈવવશ તેઓ એકબીજાને ઓળખી ન શક્યા. બંને એકમેકના પ્રેમી બની ગયા. મહીએ એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર દરરોજ ગૌતમી ગંગામાં સ્નાન કરવા જઉં છું એમ કહીને નીકળી પડતો પણ સ્નાન કરવાને બદલે તે ચોરી કરતો. એક દિવસ નદીકનારે એક મહાત્માને પોતાની વ્યથા રડતાં રડતાં કહી સંભળાવી, ‘હું સ્નાન-ધ્યાન કરવા ઘેરથી નીકળું છું પણ કોઈ અજ્ઞાત શક્તિ વડે પ્રેરાઈને પાપકર્મ કરવા લાગું છું. મારો ઉદ્ધાર કરો.’ મહાત્માએ તેના માતાપિતા વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, ‘હું કાલે મારા માતાપિતાને પૂછીને કહીશ. મેં અત્યાર સુધી ક્યારેય આ વાત પૂછી નથી.’ ઘરે જઈને તેણે માને પૂછ્યું, ‘તું કોણ છે?’ તેણે કહ્યું, ‘હું ઘૃતવ્રતની વિધવા છું.’ આ સાંભળીને સનાજ્જાત મૂર્ચ્છા પામ્યો અને જ્યારે તેને હોશમાં લાવવા મહી મથી અને તેને આનું કારણ પૂછ્યું ત્યારે સનાજ્જાતે પોતાનો પરિચય આપ્યો. સ્વસ્થ થયા પછી બંનેએ અજાણતાં કરેલા પાપ બદલ ભારે પસ્તાવો કર્યો એ પછી ગાલવ મુનિ પાસે જઈને પાપનું પ્રાયશ્ચિત્ત પૂછ્યું. મુનિએ તેમને ગૌતમીમાં સ્નાન કરવા અને ત્યાં રહી તપ કરવા કહ્યું અને એમ તે પાપમુક્ત થયાં. (બીજો ખંડ)

દેવો અને દધીચિ ઋષિની કથા

એક વાર દેવતાઓએ દાનવો, અસુરો અને રાક્ષસોને યુદ્ધમાં એવા પરાજિત કર્યા કે દેવતાઓને લાગ્કહ્યું કે હવે ઘણા સમય સુધી તેઓ માથું ઊંચકી નહીં શકે. આ પરિસ્થિતિમાં તેમને તેમનાં શસ્ત્રોનો ભાર લાગવા માંડ્યો. તેમને થયું કે આ શસ્ત્રો જ્યાંથી સરળતાથી જરૂર પડે લઈ શકાય એવી જગાએ મૂકવાં જોઈએ. શત્રુઓ તો ગમે ત્યારે આક્રમણ કરી શકે. ઘણો વિચાર રીને તેમણે દધીચિ ઋષિને ત્યાં શસ્ત્રો મૂકવાનો નિર્ધાર કર્યો. ઋષિ પાસે જઈને તેમણે કહ્યું, ‘અત્યારે આ શસ્ત્ર અમારે કામનાં નથી. અમે એ લઈને ફરવા માગતા નથી. જો સ્વર્ગમાં મૂકી રાખીએ તો રાક્ષસો અને દૈત્યો તે ઉઠાવી જાય. તમારા આશ્રમમાં તો તમારી સંમતિ વિના કોઈ આવી જ ન શકે. એટલે અમારાં શસ્ત્ર અહીં રહેવા દો અને અમારા પર ઉપકાર કરો.’ દધીચિ ઋષિએ તો હા પાડી. દધીચિ ઋષિની પત્નીએ તેમને પ્રેમપૂર્વક સમજાવ્યા, ‘આ પ્રપંચમાં તમારે પડવાનું નહોતું. દેવતાઓનાં શસ્ત્ર અહીં છે તેમ જાણીને અસુરો નિરર્થક આપણા દુશ્મન થશે અને જો કોઈ કારણે શસ્ત્રો નાશ પામ્યાં તો દેવતાઓ હેરાન કરશે. બીજાઓની પીડા વહોરવી નહીં.’ પત્નીની વાત સાચી હોવા છતાં દધીચિ ઋષિ પોતે આપેલું વચન મિથ્યા કરવા તૈયાર ન થયા. આ વાતને ઘણો સમય થયો, ઋષિએ દેવોને વિનંતી કરી છતાં દેવો તેમનાં શસ્ત્ર ત્યાંથી લઈ ન ગયા. દૈત્યોને આ વાતની જાણ થઈ ગઈ એટલે તે શસ્ત્ર ચોરી જવાના પ્રયત્ન કરવા લાગ્યા. દધીચિ ઋષિએ શસ્ત્રોની રક્ષા કરવા મંત્રો વડે તેમનું પ્રક્ષાલન કર્યું અને તે જળ પોતે પી ગયા. આને કારણે તથા સમય વીતતો હતો તેને કારણે તે શસ્ત્ર જીર્ણશીર્ણ થઈ ગયાં. હવે દેવતાઓેને શત્રુભય લાગ્યો એટલે દધીચિ ઋષિ પાસે આવીને તેમણે શસ્ત્રો માગ્યાં. પોતાનાં શસ્ત્રોની જીર્ણતા અને તેમની નિસ્તેજતા જોઈને દેવતાઓને ચંતાિ થઈ અને પોતાના સંભવિત પરાજય માટે ઋષિને દોષ આપવા લાગ્યા. એટલે દધીચિ ઋષિએ તેમને કહ્યું, ‘મારાં અસ્થિઓમાં આ શસ્ત્રોનું સત્ત્વ છે, આમાંથી તમે નવાં શસ્ત્ર બનાવો.’ પછી ઋષિએ યોગબળથી પોતાનું શરીર નિશ્ચેષ્ટ કરી નાખ્યું. દેવોના કહેવાથી ગાયોએ તેમનું શરીર ચાટી ચાટીને ચર્મ વિનાનું કરી નાખ્યું અને ત્વષ્ટાએ એ અસ્થિઓમાંથી નવાં શસ્ત્રો બનાવ્યાં. એ દરમિયાન પાણી ભરવા ગયેલી તેમની પત્નીએ પતિને ન જોયા અને પૂછવાથી અગ્નિએ બધી વાત કહી. એ સાંભળીને તે નિશ્ચેષ્ટ થઈને ધરતી પર પડી ગઈ. દેવતાઓને શાપ આપવાનું તેને અનુચિત લાગ્યું એટલે તે પતિના ત્વચા અને લોમ લઈને અગ્નિમાં પ્રવેશી સતી થઈ ગઈ. સતી થતાં પહેલાં ઋષિપત્નીએ પોતાના ગર્ભસ્થ બાળકની સોંપણી લોકપાલોને કરી પીપળા પાસે બાળકને મૂકી દીધું. વનનાં વૃક્ષોએ અને વનસ્પતિઓએ તે બાળકને ઔષધિઓ આપી એટલે તે બાળક પુષ્ટ થવા લાગ્યો. પીપળાએ તેનો ઉછેર કર્યો એ કારણે તેનું નામ પિપ્પલાદ પડ્યું. મોટા થયા પછી જ્યારે તેને પોતાના માતાપિતાની વાર્તા જાણી ત્યારે દુઃખી થઈને પિતૃહત્યારાઓને મારી નાખવાનો વિચાર કરવા લાગ્યો. સોમે તેને સમજાવ્યો પણ તેણે પોતાનો નિર્ધાર ન બદલ્યો. એટલે સોમે તેને ગૌતમીકાંઠે જઈને વિષ્ણુ અને શંકરની આરાધના કરવા કહ્યું. પિપ્પલાદે એ પ્રમાણે તપ કરવા માંડ્યું અને ભગવાને શંકરે પ્રસન્ન થઈ તેને વેરની ભાવના દૂર કરવા કહ્યું. છતાં તે ન માન્યો, તેના ક્રોધાગ્નિમાંથી નીકળેલી કૃત્યાએ તેની પાસે આદેશ માગ્યો એટલે તેણે દેવોનું ભક્ષણ કરવા કહ્યું. અને કૃત્યા તેનું જ ભક્ષણ કરવા દોડી કારણ કે તેનું શરીર પણ દેવનિમિર્ત હતું. દેવો સિવાય તો કશું છે જ નહીં. એટલે પિપ્પલાદ શંકર ભગવાનની શરણમાં ગયો. ભગવાને કૃત્યાને શાંત કરી. પછી તેના કહેવાથી ભગવાને તેને માતાપિતાનું દર્શન કરાવ્યું. પછી પિપ્પલાદે પોતાના પૂજાસ્થળને તીર્થ બનાવવા કહ્યું અને ભગવાને તે વાત સ્વીકારી. (બીજો ખંડ)

શૂરસેન રાજાના પુત્રની કથા

પ્રતિષ્ઠિતપુરમાં શૂરસેન નામનો રાજા થઈ ગયો. રાજાએ પુત્રપ્રાપ્તિ માટે બહુ પ્રયત્ન કર્યા અને છેવટે જ્યારે પુત્ર જન્મ્યો ત્યારે તે સર્પની આકૃતિ ધરાવતો હતો. રાજકુમાર સર્પ છે તે વાત કોઈ જાણી ન જાય તેટલા માટે રાજાએ પુત્રને છુપાવી રાખ્યો હતો. કોઈ કરતાં કોઈને આ વાતની જાણ થઈ જ ન હતી. અમાત્ય અને પુરોહિત પણ આ વાત જાણતા ન હતા. રાજારાણીને એ સર્પપુત્રને જોઈને ભારે સંતાપ થયા કરતો હતો. આના કરતાં તો પુત્ર ન હોય તે સારું એવું તેમને લાગતું હતું. સર્પાકૃતિ હોવા છતાં તે મનુષ્યની જેમ વાતો કરી શકતો હતો. તેણે જ પિતાને પોતાના ચૂડાસંસ્કાર, ઉપનયન, વેદાધ્યયન સંસ્કાર કરવા પણ જણાવ્યું હતું. જે વેદાભ્યાસ ન કરે તે શૂદ્ર કહેવાય. આ જાણીને રાજાને બહુ દુઃખ થયું છતાં કોઈ બ્રાહ્મણને બોલાવી આ બધા સંસ્કાર રાજાએ કરાવ્યા. પછી તે પુત્રે કહ્યું, ‘રાજન્, મારી ઇચ્છા સ્ત્રીની છે. પુત્ર વિના નરક પ્રાપ્ત થાય.’ પુત્રની વાત સાંભળીને રાજાને બહુ નવાઈ લાગી. તેણે સર્પાકૃતિ ધરાવતા પુત્રને કહ્યું, ‘ભલભલા શૂરવીરો પણ સર્પના ફૂંફાડાથી બીએ છે તો કોણ તને કન્યા આપશે? તું જ કહે, હું શું કરું?’ આ સાંભળી પુત્રે કહ્યું, ‘રાજાઓ તો ઘણી બધી રીતે વિવાહ કરતા હોય છે. કોઈ કન્યાનું અપહરણ પણ કરી શકાય અથવા કોઈ શસ્ત્ર સાથે પણ કન્યાનું લગ્ન થાય. પુત્રનો વિવાહ કર્યા પછી પિતાનો જન્મ સાર્થક થાય. જો તમે આમ નહીં કરો તો હું ગંગામાં કૂદીને આત્મહત્યા કરીશ. આમાં જરાય શંકા ન કરતા.’ પુત્રનો આવો નિર્ધાર સાંભળીને રાજા ચંતાિતુર થયો પછી વિવાહ કરાવવા માટે તેણે પોતાના મંત્રીઓને બોલાવીને કહ્યું, ‘મારો આ પુત્ર નાગેશ્વર છે અને તે ગુણોનો ભંડાર છે. આ પૃથ્વી પર તેનો બરોબરિયો કોઈ નથી. અતિશય ગુણવાન છે, શત્રુઓને સંતાપ આપનારો છે. ધનુવિર્દ્યામાં તેને કોઈ હરાવી નહીં શકે. હું વૃદ્ધ થયો છું એટલે તેનો વિવાહ કરવો આવશ્યક છે. હું રાજ્યનો બધો કારભાર તેને સોંપી દેવા માગું છું. મારો પુત્ર છે ત્યાં સુધી મારે હવે નવી પત્નીઓ નથી કરવી. તે બાલભાવ ત્યજી શકતો નથી. એટલે તમે મારા હિતનો વિચાર કરીને તેના વિવાહ માટે પ્રયત્ન કરો. તેનો વિવાહ થશે એટલે મારી બધી ચંતાિઓ દૂર થઈ જશે. પછી હું વનમાં જઈને તપ કરી શકીશ.’ મંત્રીઓએ રાજાની વાત બહુ હર્ષપૂર્વક સાંભળી અને તેમણે કહ્યું, ‘તમારો પુત્ર તો ગુણવાન છે અને તમને તો બધા સારી રીતે જાણે છે, તમારે કશી ચંતાિ કરવાનું કારણ નથી.’ પછી રાજાએ તેમને પોતાના પુત્રની વાસ્તવિકતા કહી, તેઓ એ કશું જાણતા ન હતા. રાજાએ તેમને ગુણવાન કન્યા શોધવા કહ્યું, તથા સંબંધ રાખવા યોગ્ય રાજાની શોધ કરવા પણ કહ્યું. રાજાની આ વાત મંત્રીઓમાં સૌથી વધુ બુદ્ધિશાળી અને રાજાનો હિતચંતિક જે હતો તેણે કહ્યું, ‘પૂર્વ દેશમાં અગણિત હાથીઘોડા અને રત્નો ધરાવતો વિજય નામનો એક રાજા છે. આ રાજાના આઠ ધનુર્ધારી અને બળવાન પુત્ર છે, આ બધા ભાઈઓ વચ્ચે એક ભોગવતી નામની લક્ષ્મીસદૃશ બહેન છે, તે આપના પુત્રને શોભે તેવી છે.’ વૃદ્ધ પ્રધાનની વાત સાંભળીને રાજા બોલ્યા, ‘તે રાજાની પુત્રી મારા પુત્રની પત્ની કેવી રીતે થશે તે મને કહો.’ પ્રધાને કહ્યું, ‘તમારા મનની વાત મેં જાણી લીધી. મારે જે કરવાનું છે તે માટે મને આજ્ઞા આપો.’ તેમની વાત સાંભળીને રાજાએ તેમને વસ્ત્રાભૂષણ આપ્યાં અને મોટી સેના આપીને મોકલ્યા. મંત્રી પૂર્વદેશમાં ગયા અને રાજાને મળીને બધી વાત કરી. શૂરસેન રાજાના પુત્ર સાથે ભોગવતીનો વિવાહ કરવા રાજાને બધી રીતે સમજાવ્યા અને તે રાજાએ વિવાહની હા પણ પાડી. પ્રધાને કહ્યું, ‘શૂરસેન રાજાનો પુત્ર વિખ્યાત છે અને પરમ બુદ્ધિમાન છે, તે અહીં આવવા માગતો નથી. ક્ષત્રિયોના વિવાહ ઘણી વખત આ રીતે થતા હોય છે. વસ્ત્ર અને અલંકાર સાથે વિવાહ થતા હોય છે. તો તમે પણ એ પ્રમાણે વિવાહ કરવાની અનુમતિ આપો.’ વિજય રાજાએ તેમની વાત માની લીધી અને ભોગવતીનો વિવાહ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્યો, પુત્રીને પણ વળાવી. પહેરામણી પણ સારી એવી આપી. ભોગવતી સાસુસસરાની સેવા સારી રીતે કરતી થઈ. તેનો પતિ નિર્જન પ્રદેશમાં રહેતો હતો, તેણે વારે વારે કહેવડાવ્યું હતું કે મારી પત્નીને અહીં મોકલો. એટલે રાણીએ તેની એક દાસીને કહ્યું, ‘હવે તું ભોગવતીને કહજે કે તારો પતિ સાપ છે. આ સાંભળીને તેનો કેવો પ્રતિભાવ છે તે પણ જોજે.’ દાસીએ આ વાત કહેતાં જણાવ્યું, ‘હું તો તમારા પતિને એક દેવતા માનું છું, પણ તમે આ વાત કોઈને જણાવતા નહીં.’ આ સાંભળી ભોગવતીએ કહ્યું, ‘સામાન્ય રીતે મનુષ્યસ્ત્રીઓનો પતિ મનુષ્ય જ હોય પણ જો તેનો પતિ દેવ હોય તો તો વાત જ શી! આવો પતિ તો બહુ પુણ્યશાળીને જ મળે.’ ભોગવતીની આ વાત દાસીએ શબ્દશ: રાજમાતાને અને રાજાને કહી. રાજા આ સાંભળીને અશ્રુપાત કરવા લાગ્યા. ભોગવતીએ તે દાસીને બોલાવી કહ્યું, ‘મને તું મારા પતિનું દર્શન તો કરાવ. મારું યૌવન વેડફાઈ રહ્યું છે.’ પછી દાસીએ તેને તેનો પતિ દેખાડ્યો. સુવાસિત પુષ્પો અને રત્નોથી સુશોભિત શય્યા પર એક ભીષણ સર્પ હતો. તેણે બંને હાથ જોડ્યા અને કહ્યું, ‘હું ધન્ય છું કે આવો દેવતા મને પતિ તરીકે મળ્યો.’ આમ કહીને તે પલંગ પર બેસી ગઈ. અને ગીતો સંભળાવી પતિને આનંદ કરાવ્યો. પછી તેણે પત્નીને કહ્યું, ‘તમે તો રાજકન્યા છો, પછી મને જોઈને તમને બીક કેમ ન લાગી?’ આ સાંભળી ભોગવતી બોલી, ‘વિધાતાના લેખ કોણ મિથ્યા કરી શકે? સ્ત્રી માટે તો તેનો પતિ જ સર્વસ્વ.’ સર્પે કહ્યું, ‘તારી ભક્તિભાવનાથી હું બહુ સંતુષ્ટ છું. બોલ, તને શું આપું? તારા કારણે જ મારી સ્મૃતિ પાછી આવી છે. ભયાનક ક્રોધી શંકર ભગવાને મને શાપ આપ્યો હતો. હું શેષપુત્ર મહેશ્વર પ્રભુને ત્યાં રહેતો હતો. તું મારી જ પત્ની હતી. ભગવાન શંકર ઉમાદેવીની કોઈ વાત સાંભળીને હસી પડ્યા હતા. એમને જોઈને મને પણ હસવું આવ્યું. એટલે ભગવાને ક્રોધે ભરાઈને મને શાપ આપ્યો, ‘જા, તું મનુષ્યયોનિમાં સર્પ થઈશ પણ જ્ઞાની રહીશ.’ તે સમયે મારી સાથે તેં પણ ભગવાનને પ્રસન્ન કર્યા હતા. ભગવાને આપણને ગૌતમીમાં સ્નાન કરવા કહ્યું હતું. એટલે તું મને ગૌતમીમાં સ્નાન કરાવ અને આપણે શાપમુક્ત થઈએ.’ એટલે ભોગવતી પોતાના પતિ સાથે નદીકાંઠે ગઈ અને નદીમાં સ્નાન કરી શિવપૂજા કરી, શાપમુક્ત થયા પછી તેણે માતાપિતા પાસે શિવલોક જવા આજ્ઞા માગી ત્યારે તેના પિતાએ રાજ્યનું શાસન કરવા જણાવ્યું. પુત્રે તેમની વાત માની, રાજ્યનું અને સંસારનું સુખ ભોગવી તે પત્ની સાથે શિવલોક ગયો. (બીજો ખંડ)