ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading| સ્કંદપુરાણ | }} {{Poem2Open}} === અર્જુને કરેલો અપ્સરાઓનો ઉદ્ધાર === એ...")
 
()
Line 37: Line 37:
અર્જુને કહ્યું, ‘કામાખ્યા દેવીએ મૌર્વીને કહ્યું છે કે ભીમસેનનો પુત્ર તારું પાણિગ્રહણ કરશે. એટલે મને લાગે છે કે ઘટોત્કચે ત્યાં વેળાસર જવું જોઈએ.’
અર્જુને કહ્યું, ‘કામાખ્યા દેવીએ મૌર્વીને કહ્યું છે કે ભીમસેનનો પુત્ર તારું પાણિગ્રહણ કરશે. એટલે મને લાગે છે કે ઘટોત્કચે ત્યાં વેળાસર જવું જોઈએ.’
ભગવાને કહ્યું, ‘અર્જુન, મને તારી અને ભીમની વાત પસંદ પડે છે. હિડિમ્બકુમાર, કહે જોઈએ, તું શું માને છે?’
ભગવાને કહ્યું, ‘અર્જુન, મને તારી અને ભીમની વાત પસંદ પડે છે. હિડિમ્બકુમાર, કહે જોઈએ, તું શું માને છે?’
ઘટોત્કચે કહ્યું, ‘વડીલોની આગળ પોતાના ગુણકીર્તન ગાવા નહીં. સૂર્યનાં કિરણ અને ઉત્તમ ગુણ વ્યવહારમાં આવીને જ પ્રકાશિત થાય છે. મારા નિર્મલ પિતા પાંડવોને મારે કારણે શરમાવું ન પડે તેવો પ્રયત્ન હું કરીશ.’
ઘટોત્કચે કહ્યું, ‘વડીલોની આગળ પોતાના ગુણકીર્તન ગાવા નહીં. સૂર્યનાં કિરણ અને ઉત્તમ ગુણ વ્યવહારમાં આવીને જ પ્રકાશિત થાય છે. મારા નિર્મલ પિતા પાંડવોને મારે કારણે શરમાવું ન પડે તેવો પ્રયત્ન હું કરીશ.’
આમ કહી તેણે બધાને પ્રણામ કર્યાં. પિતૃઓ પાસેથી વિજયનો આશીર્વાદ પામીને ઉત્સાહિત થઈને ત્યાંથી નીકળવાનો વિચાર કર્યો. તે વેળા ભગવાને તેની પ્રશંસા કરી કહ્યું, ‘વાત કરતી વખતે વિજય અપાવનાર શ્રીકૃષ્ણનું એટલે કે મારું સ્મરણ કરી લેજે. એટલે હું તારી બુદ્ધિને સતેજ કરી દઈશ.’ એમ કહી શ્રીકૃષ્ણે તેને ગળે લગાડ્યો અને આશીર્વાદ આપીને તેને વિદાય કર્યો. પછી ઘટોત્કચ ત્રણ સેવકોની સાથે આકાશમાર્ગે નીકળી પડ્યો અને દિવસ આથમતાં પ્રાગ્જ્યોતિષપુરમાં આવ્યો.
આમ કહી તેણે બધાને પ્રણામ કર્યાં. પિતૃઓ પાસેથી વિજયનો આશીર્વાદ પામીને ઉત્સાહિત થઈને ત્યાંથી નીકળવાનો વિચાર કર્યો. તે વેળા ભગવાને તેની પ્રશંસા કરી કહ્યું, ‘વાત કરતી વખતે વિજય અપાવનાર શ્રીકૃષ્ણનું એટલે કે મારું સ્મરણ કરી લેજે. એટલે હું તારી બુદ્ધિને સતેજ કરી દઈશ.’ એમ કહી શ્રીકૃષ્ણે તેને ગળે લગાડ્યો અને આશીર્વાદ આપીને તેને વિદાય કર્યો. પછી ઘટોત્કચ ત્રણ સેવકોની સાથે આકાશમાર્ગે નીકળી પડ્યો અને દિવસ આથમતાં પ્રાગ્જ્યોતિષપુરમાં આવ્યો.
ત્યાં જઈને તેણે એક વિશાળ વાટિકામાં સોનાનું એક ભવન જોયું. તે એક હજાર માળનું હતું. મેરુશિખરની જેમ શોભતા તે ભવનની પાસે જઈને જોયું તો કર્ણપ્રાવરણા નામની એક કન્યા ઊભી હતી. વીર ઘટોત્કચે તેને સુંદર વાણીમાં પૂછ્યું, ‘કલ્યાણી, મુરની પુત્રી ક્યાં છે? હું દૂર દેશથી તેને વરવા આવેલો અતિથિ છું. મારે તેમને મળવું છે.’
ત્યાં જઈને તેણે એક વિશાળ વાટિકામાં સોનાનું એક ભવન જોયું. તે એક હજાર માળનું હતું. મેરુશિખરની જેમ શોભતા તે ભવનની પાસે જઈને જોયું તો કર્ણપ્રાવરણા નામની એક કન્યા ઊભી હતી. વીર ઘટોત્કચે તેને સુંદર વાણીમાં પૂછ્યું, ‘કલ્યાણી, મુરની પુત્રી ક્યાં છે? હું દૂર દેશથી તેને વરવા આવેલો અતિથિ છું. મારે તેમને મળવું છે.’
Line 95: Line 95:
બર્બરીક ભગવાનને પ્રણામ કરી પોતાના સ્થાને ચાલ્યો ગયો.  
બર્બરીક ભગવાનને પ્રણામ કરી પોતાના સ્થાને ચાલ્યો ગયો.  
{{Right | (કુમારિકા ખંડ)}} <br>
{{Right | (કુમારિકા ખંડ)}} <br>
=== વજ્રાંગદ રાજાની કથા ===
=== વજ્રાંગદ રાજાની કથા ===
પાંડ્ય દેશમાં વજ્રાંગદ નામના એક ધર્માત્મા, જિતેન્દ્રિય, ક્ષમાશીલ, એકપત્નીવ્રતા રાજા થઈ ગયા. શીલવાનોમાં શ્રેષ્ઠ તે રાજા શત્રુઓને જીતીને સમગ્ર પૃથ્વી પર રાજ કરતા હતા. એક દિવસ ઘોડા પર બેસીને તે શિકાર કરવા નીકળ્યા. ત્યાં તેમણે એક કસ્તુરી મૃગ જોયો. તેના સમગ્ર શરીરમાંથી સુગન્ધ પ્રસરી રહી હતી. તેની પાછળ પાછળ ઘોડો દોડાવ્યો. મૃગ વાયુવેગી અને મનોવેગી થઈને અરુણાચલ પર્વતની ચારે બાજુ આંટા મારવા લાગ્યો. વધારે શ્રમને કારણે રાજા થાકીને ઘોડા પરથી પડી ગયા. મધ્યાહ્નના તાપને કારણે તે બહુ પીડાયા અને ઘડીભર માટે તે પોતાની સુધબુધ ખોઈ બેઠા. પછી વિચાર્યું, ‘મારાં શક્તિ અને ધૈર્ય ક્યાં ગયાં? તે મૃગ મને અહીં પર્વત પર મૂકીને ક્યાં જતો રહ્યો?’ આમ જ્યારે તેઓ ચંતાિમાં ડૂબેલા હતા ત્યારે આકાશમાં ઝળહળાટ થઈ ગયો. તેમના દેખતાં જ મૃગ અને અશ્વ પશુ મટીને વિદ્યાધરમાં ફેરવાઈ ગયા. મુગટ, કુંડળ, બાજુબંધ જેવાં આભૂષણો તેમણે પહેરેલાં હતાં.
પાંડ્ય દેશમાં વજ્રાંગદ નામના એક ધર્માત્મા, જિતેન્દ્રિય, ક્ષમાશીલ, એકપત્નીવ્રતા રાજા થઈ ગયા. શીલવાનોમાં શ્રેષ્ઠ તે રાજા શત્રુઓને જીતીને સમગ્ર પૃથ્વી પર રાજ કરતા હતા. એક દિવસ ઘોડા પર બેસીને તે શિકાર કરવા નીકળ્યા. ત્યાં તેમણે એક કસ્તુરી મૃગ જોયો. તેના સમગ્ર શરીરમાંથી સુગન્ધ પ્રસરી રહી હતી. તેની પાછળ પાછળ ઘોડો દોડાવ્યો. મૃગ વાયુવેગી અને મનોવેગી થઈને અરુણાચલ પર્વતની ચારે બાજુ આંટા મારવા લાગ્યો. વધારે શ્રમને કારણે રાજા થાકીને ઘોડા પરથી પડી ગયા. મધ્યાહ્નના તાપને કારણે તે બહુ પીડાયા અને ઘડીભર માટે તે પોતાની સુધબુધ ખોઈ બેઠા. પછી વિચાર્યું, ‘મારાં શક્તિ અને ધૈર્ય ક્યાં ગયાં? તે મૃગ મને અહીં પર્વત પર મૂકીને ક્યાં જતો રહ્યો?’ આમ જ્યારે તેઓ ચંતાિમાં ડૂબેલા હતા ત્યારે આકાશમાં ઝળહળાટ થઈ ગયો. તેમના દેખતાં જ મૃગ અને અશ્વ પશુ મટીને વિદ્યાધરમાં ફેરવાઈ ગયા. મુગટ, કુંડળ, બાજુબંધ જેવાં આભૂષણો તેમણે પહેરેલાં હતાં.