ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/સુરેન્દ્રદત્ત અને સુભદ્રાનો પરિતાપયુક્ત સંવાદ

From Ekatra Wiki
Revision as of 04:01, 13 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુરેન્દ્રદત્ત અને સુભદ્રાનો પરિતાપયુક્ત સંવાદ
પછી ધમ્મિલ્લની પુત્રવત્સલ માતા દીર્ઘ નિઃશ્વાસ નાંખીને ‘હા પુત્ર! હા પુત્ર!’ એ પ્રમાણે વિલાપ કરીને રોવા લાગી ત્યારે સાર્થવાહે તેને કહ્યું, ‘હે પુત્રવત્સલ સ્ત્રી! હવે શું કામ રડે છે? તે દિવસે હું કહેતો હતો એ તો તેં સાંભળ્યું નહીં.’ ત્યારે રડતાં રડતાં એ સ્ત્રીએ કહ્યું, ‘પુત્રવાત્સલ્યથી ઊભરાતા હૃદયવાળી મેં કંઈ ન જાણ્યું. અહો! મેં મારા આત્માને છેતર્યો!’ સાર્થવાહે કહ્યું, ‘અહો પુત્રવત્સલ સ્ત્રી! તું ભોળી છે; તેથી માથે ઘાસનો ભારો લઈને બળતા તરફ ગઈ. માટે શોક ન કર...’