ભારતીયકથાવિશ્વ-૩/વિમલસૂરિકૃત પઉમચરિયની કથાઓ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| વિમલસૂરિકૃત પઉમચરિયની કથાઓ | (સંશોધન અને સંપાદન: મુનિ પુણ...")
 
No edit summary
Line 60: Line 60:
લાંબા સમય સુધી યુદ્ધ કરીને હનુમાને વરુણપુત્રોને પકડી લીધા. રાવણે નાગપાશ વડે વરુણને બાંધી દીધો. પુત્રની સાથે વરુણને લઈને લંકાપતિએ ઉત્તમ ઉદ્યાનમાં તંબૂ તાણ્યો, સામંતોની સાથે તે પણ ત્યાં રોકાયો. નાયક વિનાના, ઉત્તમ દ્રવ્ય તથા મહત્ત્વની ચીજવસ્તુઓ વિનાના, કેદમાં પકડાયેલા લોકોના રુદનવાળા તે નગરને રાક્ષસસૈનિકોએ છિન્નભિન્ન કરી નાખ્યું. તે નગરના ચારે બાજુથી થઈ રહેલા વિનાશને જોઈ ઉત્તમ પુરુષ અને દયાવાન રાવણે તરત જ સૈનિકોને અટકાવ્યા. વરુણને અને તેના પુત્રોને મુક્ત કર્યા, વરુણે રાવણને પ્રણામ કરીને સત્યવતી નામની કન્યા હનુમાનને આપી. વિવાહવિધિ પતાવીેને વરુણને તેના નગરમાં પાછો બેસાડી, યુદ્ધોત્સાહને કારણે ક્રોધે ભરાયેલો રાવણ લંકા પાછો ફર્યો. રાવણે પણ ચન્દ્રનખાની ગુણવાન પુત્રી અનંગકુસુમા હનુમાન સાથે પરણાવી. તેની સાથે લગ્ન કરીને કર્ણકુંડલ નામના નગરમાં હનુમાન દેવકુમારની જેમ ઉત્તમ ભોગ ભોગવવા લાગ્યો. પછી નલે હરિપાલિની નામની કન્યા આપી. કિન્નરપુરમાં પણ હનુમાનને સો કિન્નરકન્યાઓ પ્રાપ્ત થઈ. કિષ્કિન્ધિપુરના રાજા સુગ્રીવ તારાની પદ્મરામા નામની પુત્રીને જોઈ ચિંતા કરતો હતો. તેના લગ્ન માટે વિદ્યાધર રાજાઓનાં ચિત્ર આણવામાં આવ્યાં. તે કન્યા પણ એ ચિત્રો જોવા લાગી. આમ જોતાં જોતાં તેણે કામદેવ જેવા હનુમાનનું રૂપ જોયું અને તેના હૈયામાં તે વસી ગયો. તેના ભાવ જાણીને સુગ્રીવે દૂત મોકલીને તરત જ હનુમાનને બોલાવ્યો. મોટો ઉત્સવ કરીને તે કન્યા હનુમાનને આપી. દાન, માન, વૈભવ સમેત હનુમાને તે સુંદરી સાથે લગ્ન કર્યું. પછી તે શ્રીપુર ગયો અને રતિયુક્ત ભોગ ભોગવવા લાગ્યો. આ રીતે રૂપ અને ગુણથી સંપન્ન, પૂનમના ચંદ્ર જેવી સુંદર મુખવાળી એક હજાર ઉત્તમ સ્ત્રીઓને હનુમાન પરણ્યો.  
લાંબા સમય સુધી યુદ્ધ કરીને હનુમાને વરુણપુત્રોને પકડી લીધા. રાવણે નાગપાશ વડે વરુણને બાંધી દીધો. પુત્રની સાથે વરુણને લઈને લંકાપતિએ ઉત્તમ ઉદ્યાનમાં તંબૂ તાણ્યો, સામંતોની સાથે તે પણ ત્યાં રોકાયો. નાયક વિનાના, ઉત્તમ દ્રવ્ય તથા મહત્ત્વની ચીજવસ્તુઓ વિનાના, કેદમાં પકડાયેલા લોકોના રુદનવાળા તે નગરને રાક્ષસસૈનિકોએ છિન્નભિન્ન કરી નાખ્યું. તે નગરના ચારે બાજુથી થઈ રહેલા વિનાશને જોઈ ઉત્તમ પુરુષ અને દયાવાન રાવણે તરત જ સૈનિકોને અટકાવ્યા. વરુણને અને તેના પુત્રોને મુક્ત કર્યા, વરુણે રાવણને પ્રણામ કરીને સત્યવતી નામની કન્યા હનુમાનને આપી. વિવાહવિધિ પતાવીેને વરુણને તેના નગરમાં પાછો બેસાડી, યુદ્ધોત્સાહને કારણે ક્રોધે ભરાયેલો રાવણ લંકા પાછો ફર્યો. રાવણે પણ ચન્દ્રનખાની ગુણવાન પુત્રી અનંગકુસુમા હનુમાન સાથે પરણાવી. તેની સાથે લગ્ન કરીને કર્ણકુંડલ નામના નગરમાં હનુમાન દેવકુમારની જેમ ઉત્તમ ભોગ ભોગવવા લાગ્યો. પછી નલે હરિપાલિની નામની કન્યા આપી. કિન્નરપુરમાં પણ હનુમાનને સો કિન્નરકન્યાઓ પ્રાપ્ત થઈ. કિષ્કિન્ધિપુરના રાજા સુગ્રીવ તારાની પદ્મરામા નામની પુત્રીને જોઈ ચિંતા કરતો હતો. તેના લગ્ન માટે વિદ્યાધર રાજાઓનાં ચિત્ર આણવામાં આવ્યાં. તે કન્યા પણ એ ચિત્રો જોવા લાગી. આમ જોતાં જોતાં તેણે કામદેવ જેવા હનુમાનનું રૂપ જોયું અને તેના હૈયામાં તે વસી ગયો. તેના ભાવ જાણીને સુગ્રીવે દૂત મોકલીને તરત જ હનુમાનને બોલાવ્યો. મોટો ઉત્સવ કરીને તે કન્યા હનુમાનને આપી. દાન, માન, વૈભવ સમેત હનુમાને તે સુંદરી સાથે લગ્ન કર્યું. પછી તે શ્રીપુર ગયો અને રતિયુક્ત ભોગ ભોગવવા લાગ્યો. આ રીતે રૂપ અને ગુણથી સંપન્ન, પૂનમના ચંદ્ર જેવી સુંદર મુખવાળી એક હજાર ઉત્તમ સ્ત્રીઓને હનુમાન પરણ્યો.  


વિશલ્યાકથા
=== વિશલ્યાકથા ===
બીજા ઘણા બધા યુદ્ધકુશળ રાક્ષસ કવચ પહેરીને, સજ્જ થઈને વાનર-સૈનિકોની સામે ઊભા રહી ગયા. ઢોલ, નગારાં, ઝાલર, મોટાં ઢોલ, વાદ્ય તથા મૃદંગના પ્રચંડ ધ્વનિથી જાણે આકાશના ટુકડા થઈને પૃથ્વી પર પડી રહ્યા છે એમ લાગતું હતું. એવામાં દેવેન્દ્ર જેવો વૈભવ ધરાવતો મહાત્મા લંકાપતિ રાવણ સેનાને લઈને રણભૂમિ પર જવા નીકળ્યો. હાથમાં વિવિધ શસ્ત્રો લઈને, અનેક પ્રકારનાં વાહનોમાં સવાર થઈને તથા અનેકવિધ ચિહ્નોવાળા યુદ્ધવીરો પણ ત્યાં આવી પહોંચ્યા. બાણ, ઝસર, શક્તિ, સવ્વલ, ભયંકર ભાલા ફેંકનારા તે લોકોએ સ્વચ્છ આકાશને પણ જાણે ગ્રહણ લાગ્યું હોય તેવું કરી મૂક્યું. પછી ઘોડેસવારોની સામે ઘોડેસવારો, સૈનિકોની સામે સૈનિકો, રથારૂઢોની સામે રથારૂઢો યુદ્ધ કરવા લાગ્યા. મદોન્મત્ત હાથી પર બેઠેલાઓની સામે હાથી પર બેઠેલા સૈનિકો યુદ્ધે ચઢ્યા. આમ સરખા બળવાળા સૈનિકો સામસામે યુદ્ધ કરવા લાગ્યા. રાક્ષસોએ પરાજિત કરેલા, વિખેરી નાખેલા વાનરોની સેનાને નીલ વગેરે સૈનિકોએ ધીરજ બંધાવી.  
બીજા ઘણા બધા યુદ્ધકુશળ રાક્ષસ કવચ પહેરીને, સજ્જ થઈને વાનર-સૈનિકોની સામે ઊભા રહી ગયા. ઢોલ, નગારાં, ઝાલર, મોટાં ઢોલ, વાદ્ય તથા મૃદંગના પ્રચંડ ધ્વનિથી જાણે આકાશના ટુકડા થઈને પૃથ્વી પર પડી રહ્યા છે એમ લાગતું હતું. એવામાં દેવેન્દ્ર જેવો વૈભવ ધરાવતો મહાત્મા લંકાપતિ રાવણ સેનાને લઈને રણભૂમિ પર જવા નીકળ્યો. હાથમાં વિવિધ શસ્ત્રો લઈને, અનેક પ્રકારનાં વાહનોમાં સવાર થઈને તથા અનેકવિધ ચિહ્નોવાળા યુદ્ધવીરો પણ ત્યાં આવી પહોંચ્યા. બાણ, ઝસર, શક્તિ, સવ્વલ, ભયંકર ભાલા ફેંકનારા તે લોકોએ સ્વચ્છ આકાશને પણ જાણે ગ્રહણ લાગ્યું હોય તેવું કરી મૂક્યું. પછી ઘોડેસવારોની સામે ઘોડેસવારો, સૈનિકોની સામે સૈનિકો, રથારૂઢોની સામે રથારૂઢો યુદ્ધ કરવા લાગ્યા. મદોન્મત્ત હાથી પર બેઠેલાઓની સામે હાથી પર બેઠેલા સૈનિકો યુદ્ધે ચઢ્યા. આમ સરખા બળવાળા સૈનિકો સામસામે યુદ્ધ કરવા લાગ્યા. રાક્ષસોએ પરાજિત કરેલા, વિખેરી નાખેલા વાનરોની સેનાને નીલ વગેરે સૈનિકોએ ધીરજ બંધાવી.  
પોતાની સેનાનો પરાજય જોઈને લંકાપતિ રાવણના સામન્ત શત્રુસેનાની સાથે આવીને શસ્ત્રપ્રહાર વડે યુદ્ધ કરવા લાગ્યા. શુક, ચારણ, મારીચિ, ચન્દ્ર, અર્ક, વિદ્યુદ્વહન, જીમૂતનાયક વગેરે યમ જેવા ભયાનક મોંવાળા તથા યુદ્ધવીર સૈનિકોએ યુદ્ધભૂમિ પર વાનરસેનાના કરેલા વિનાશને જોઈ સુગ્રીવના સૈનિકો આગળ આવ્યા. અતિ બળવાન વાનરોએ રાક્ષસોને ભગાડી મૂક્યા. આ જોઈ રાક્ષસપતિએ રથ આગળ આણ્યો. તેણે તરત જ ભારે શસ્ત્રપ્રહારોથી વાનરોને હાંકી કાઢ્યા. આ જોઈ વિભીષણ આગળ આવ્યો. રાક્ષસેન્દ્રે તેને કહ્યું, ‘મારી આંખ સામેથી તું દૂર થઈ જા. યુદ્ધમાં સગા ભાઈને મારી નાખવો યોગ્ય નથી. આ સાંભળી ક્રોધે ભરાયેલા વિભીષણે કહ્યું, ‘બંને સૈન્યોની સામે સ્ત્રીની પેઠે હું યુદ્ધમાં પીઠ નહીં બતાવું.’ રાવણે ફ્રી કહ્યું, ‘અરે દુષ્ટ, તેં પોતાના વંશને ત્યજીને પાદચારી અધમ માનવીઓની સેવા સ્વીકારી છે.’  
પોતાની સેનાનો પરાજય જોઈને લંકાપતિ રાવણના સામન્ત શત્રુસેનાની સાથે આવીને શસ્ત્રપ્રહાર વડે યુદ્ધ કરવા લાગ્યા. શુક, ચારણ, મારીચિ, ચન્દ્ર, અર્ક, વિદ્યુદ્વહન, જીમૂતનાયક વગેરે યમ જેવા ભયાનક મોંવાળા તથા યુદ્ધવીર સૈનિકોએ યુદ્ધભૂમિ પર વાનરસેનાના કરેલા વિનાશને જોઈ સુગ્રીવના સૈનિકો આગળ આવ્યા. અતિ બળવાન વાનરોએ રાક્ષસોને ભગાડી મૂક્યા. આ જોઈ રાક્ષસપતિએ રથ આગળ આણ્યો. તેણે તરત જ ભારે શસ્ત્રપ્રહારોથી વાનરોને હાંકી કાઢ્યા. આ જોઈ વિભીષણ આગળ આવ્યો. રાક્ષસેન્દ્રે તેને કહ્યું, ‘મારી આંખ સામેથી તું દૂર થઈ જા. યુદ્ધમાં સગા ભાઈને મારી નાખવો યોગ્ય નથી. આ સાંભળી ક્રોધે ભરાયેલા વિભીષણે કહ્યું, ‘બંને સૈન્યોની સામે સ્ત્રીની પેઠે હું યુદ્ધમાં પીઠ નહીં બતાવું.’ રાવણે ફ્રી કહ્યું, ‘અરે દુષ્ટ, તેં પોતાના વંશને ત્યજીને પાદચારી અધમ માનવીઓની સેવા સ્વીકારી છે.’