યાત્રા/હૃદયદર્પણ

From Ekatra Wiki
Revision as of 10:58, 18 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હૃદયદર્પણ|}} <poem> ઘણાક વદતા જ કે હૃદય નિર્મળું આરસી સમાન નિત ધારવું, પણ નિતાન્ત નૈર્મલ્ય એ પ્રભુનું વરદાન કે ન સમજું છું એ શાપ છે. હવે નથી જ એહ પાસ નિજ લેશ છાયા રહી, ન આકૃતિ, ન ભાવ;...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હૃદયદર્પણ

ઘણાક વદતા જ કે હૃદય નિર્મળું આરસી
સમાન નિત ધારવું, પણ નિતાન્ત નૈર્મલ્ય એ
પ્રભુનું વરદાન કે ન સમજું છું એ શાપ છે.

હવે નથી જ એહ પાસ નિજ લેશ છાયા રહી,
ન આકૃતિ, ન ભાવ; નિર્મળ બની અહીં બેઠું છેઃ
અનંત જગમાર્ગમાં પળત એની પાસે થઈ
પ્રવાસી નરનારની છબી ગ્રહે છે, કંજૂસ શું
રહે છ મથી સર્વને ચપસી રાખવાને કને.

અરે જગતનાં પરંતુ પળનાર તે કોણને
પડી જ કંઈ કે અહીં વિરમી લેશ વાસે કરે?
હશે કંઈક માર્ગમાં અણગણ્યા અરીસા સમું

અહીં ય પણ આ ઉભેલું લલચાવવા-માનીને
લિયે નિજ સ્વરૂપ જોઈ, હરખી, ઠસે કૈં કરી,
બધાં નિજ પળે પળે; હૃદય આ દિનાને અને
અટૂલું રહી જાય છે, ગહન રાત્રિની માત્ર ત્યાં

અનંત પુલકાવલીભરી લલામ કાયા તણો
રહે છ કટકે વસી સઘન શ્યામ રંગે ભર્યો.
નવેમ્બર, ૧૯૩૮