યોગેશ જોષીની કવિતા/અચાનક

From Ekatra Wiki
Revision as of 06:01, 19 February 2024 by Meghdhanu (talk | contribs) (+)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અચાનક

સરોવરમાં તરતાં
શ્વેત પંખીઓનું ટોળું
અચાનક ઊડ્યું —
પાંખો ફફડાવતું,
એકસાથે...

માછીમારની જાળની જેમ
આખુંયે સરોવર
ઊડવા લાગ્યું –
પંખી-ટોળાની
પાછળ પાછળ,
જળ-તેજ વેરતું...