રંગ છે, બારોટ/7. કાઠીકુળ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 86: Line 86:
[હું ગોલણની ગ્રાહક (અભિલાષુ) છું, પણ ગોલણ મને માનતો નથી. દિલ તારે દરબારે ઊભું છે ને હે વાળા! વિનવણાં કરે છે.]
[હું ગોલણની ગ્રાહક (અભિલાષુ) છું, પણ ગોલણ મને માનતો નથી. દિલ તારે દરબારે ઊભું છે ને હે વાળા! વિનવણાં કરે છે.]
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
સૂઘરીઉં સગા! ફોડે માળા કરતિયું,
એણી ગૂંથણ ગોલણિયા! તું પાસે તળાજા-ધણી!
કળેળ્ય મા તું કાગ, ગાંજે જે ગોલણ તણે;
હૈયા હજી મ ફાટ્ય, નિસાસે નેત્રમ તણે.
</poem>
{{Poem2Open}}
[હે કાગડા! તું ગોલણને ગામે (ગાંજે) ન વિલાપ કર. ને હે હૈયા! નેત્રમને નિ:શ્વાસે તું ન ફાટતું.]
{{Poem2Close}}
<poem>
પગ દુઃખે ને પીડા કરે, કસટાયેં કાળા!
ગોલણ, તમાણાં ગોતરૂ, વારૈયો વાળા!
નૈ સગો, નૈ સાગવો, નૈ માડીજાયો ભા;
વાલો હોય તો વારીએં, જેના ઘટમાં સાલે ઘા.
</poem>
{{Poem2Open}}
ચીતળથી જેતપુરનું પાટ સ્થાપ્યું ચાંપરાજે ને શેળાઈતે. ઉજ્જડ ટીંબો વાસ્યો. જૂનેગઢ તે વખતે ચૂડાસમાનું રાજ.
{{Poem2Close}}
<center></center>
શેળાઈત નવઘણની સાથે સિંધની ચડાઈમાં હતો —
<poem>
નવ લાખે નવઘણ ચડ્યો, વડી જાહલરી વાર;
શેળાતને સૂરજ સાયદે, પૂગ્યું સિંધમાં પાળ.
</poem>
{{Poem2Open}}
રણમાં નવ લાખને પાણી ન મળે. શેળાઈત કહે છે કે હું સૂરજનો પોતરો છું, મારા છાયામાં કૂઈ ગાળો. કૂઈ ગાળી. મીઠું પાણી નીકળ્યું. આજ રણને કાંઠે શેળાઈત કૂઈ છે.
{{Poem2Close}}
<center></center>
{{Poem2Open}}
જેતપુર છૂટ્યું ને સરધાર આવ્યા —
{{Poem2Close}}
<poem>
જાડેજાને જે રિયા, શેળાઈતે સજડે;
બેઠો સરધારને બેસણે, (તેદી) ઘા માન્યો ઘણે.
</poem>
{{Poem2Open}}
શેળાઈતનો ધાન. એણે સરધાર મૂકીને ઢાંક વસાવ્યું. ધાનને તેર દીકરા : ઉગો ધાનનો : વણાર ધાનનો : વાઘડો ધાનનો : એના વાઘોચી આયર.
{{Poem2Close}}
{{Poem2Open}}
શેળાઈતનો ધાન. એણે સરધાર મૂકીને ઢાંક વસાવ્યું. ધાનને તેર દીકરા : ઉગો ધાનનો : વણાર ધાનનો : વાઘડો ધાનનો : એના વાઘોચી આયર.
પીઠવો ધાનનો, એના ચાકબોરિયા થયા.
અણોતરો ધાનનો, એના ઢેઢવાજસુર (પાળિયાદ).
જોગરો ધાનનો, એના કોળી વાળા થયા.
કાનો ધાનનો, બાળવાન ધાનનો, એના નરા ચારણ થયા.
વેળાવળ ધાનનો, એની ત્રણ પરજું થઈ : ખાચર, ખુમાણ ને વાળા.
વળોચજી ધાનનો, તે જામની સામે લડ્યો. એના દુહા :
{{Poem2Close}}
<poem>
તેવાળે તોરણ કર્યં, ઝડપે માથાં જામ,
પાછું ઈ પાવરધણી, કાઠી ન જોયું કામ.
આરાંતણી ઓરણી, ડાઢાં લોહદંતાળ,
વાળો વાવણહાર, વળોચહરો વોચાઉત.
નર સ્રોવર નરખેં કરે, જોયા છ ઘણેઘણાં;
નીર નીંગોળ તણાં, વોચાઉત વાને બિઆં.
</poem>
{{Poem2Open}}
[માણસોએ બીજાં સરોવરો તો ઘણાં જોયાં હશે પણ વળોચના દીકરાએ ભરેલા સરોવર (નીંગાળ)નાં પાણી તો રંગે બીજાં (બિઆં) જ હતાં.]
ઉગાએ રા’ ખેરડિયા અને મેઘાણંદ ચાવડાને મદ્રાસના રાજા પાસેથી છોડાવ્યા.
<center></center>
{{Poem2Close}}
{{Poem2Open}}
વળોચે દિલ્લીનો ફેરો (લૂંટ) કર્યો. સાંકડમાં આવી ગયા. એમાં એક મુસલમાન હજામનો ડેલો આવ્યો, તેણે આડા હાથ દઈને બચાવ્યા. એનું નામ કુંવરો હજામ. એણે કહ્યું કે મેં તો તમને આડા હાથ દીધા, પણ બાદશાહ મને તોપે બાંધશે. એટલે વળોચે એને પોતાની સાથે લીધો, એના દીકરાનું બિરદામણું આ દુહામાં છે :
{{Poem2Close}}
<poem>
નખ લેતલ મોં નાક, સર માથે ફેરછ સજસ;
હાકેમને માથે હાથ, કોઈ તાહરા કુંવરાંઉંત.
</poem>
{{Poem2Open}}
વાળા વળોચે કુંવરા હજામની દાઢી પડાવી, ભેળો ખવરાવી હિન્દુ બનાવ્યો, ને વરદાન દીધું કે “જીવતાં હિન્દુ, મુવાં મુસલમાન.” એ રીતે એના વંશજો મરે ત્યારે પગના એક અંગૂઠાને અગ્નિનો દાગ દઈને પછી દાટે છે.
{{Poem2Close}}
<center></center>
26,604

edits