રચનાવલી/૧૧૨: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
અલબત્ત, શિવશંકરે લખવાની શરૂઆત તો કવિતાથી કરેલી પણ એમની ગદ્યપ્રતિભા જોયા પછી કેન્દ્રીકાર કુમાર પિલ્લાઈ જેવા વિદ્વાને એમને કવિતાથી ગદ્ય તરફ વાળ્યા. ત્રિવેન્દ્રમના બુદ્ધિજીવી જૂથે અને કેરલના પ્રસિદ્ધ સાહિત્યિક સામયિકના તંત્રી એ. બાલકૃષ્ણ પિલ્લાઈએ આ લેખકને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડ્યું. ‘કેસરી'માં એમનું ઘણું સાહિત્ય પ્રકાશિત થયું.  
અલબત્ત, શિવશંકરે લખવાની શરૂઆત તો કવિતાથી કરેલી પણ એમની ગદ્યપ્રતિભા જોયા પછી કેન્દ્રીકાર કુમાર પિલ્લાઈ જેવા વિદ્વાને એમને કવિતાથી ગદ્ય તરફ વાળ્યા. ત્રિવેન્દ્રમના બુદ્ધિજીવી જૂથે અને કેરલના પ્રસિદ્ધ સાહિત્યિક સામયિકના તંત્રી એ. બાલકૃષ્ણ પિલ્લાઈએ આ લેખકને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડ્યું. ‘કેસરી'માં એમનું ઘણું સાહિત્ય પ્રકાશિત થયું.  
શિવશંકર પર અંગ્રેજી અને યુરોપીય સાહિત્યનો પ્રભાવ ઘણો રહ્યો પણ એમાં સૌથી મોટો પ્રભાવ ફ્રોઈડ અને કાર્લ માર્કસનો હતો. એમની કૃતિઓમાં જોરદાર સામાજિક સામગ્રી છે. એમાં અંદરખાને સામાજિક ટીકા છે. એમની કૃતિઓ ખાસ કરીને ડાબેરી વલણ પ્રગટ કરે છે. મલયાલમ સાહિત્યમાં મોટેભાગે મધ્યવર્ગીય જીવનની કથાઓ લખાતી હતી; એમાં શિવશંકર અને એમના સમકાલીનોએ ક્રાંતિકારક ફેરફાર આણ્યો અને કથાઓના કેન્દ્રમાં નીચલા સ્તરના દરિદ્રસમાજને મૂકો. વર્ગસંઘર્ષ અને માર્કસવાદી દૃષ્ટિકોણ સ્વાભાવિક રીતે પ્રવેશ પામ્યો.  
શિવશંકર પર અંગ્રેજી અને યુરોપીય સાહિત્યનો પ્રભાવ ઘણો રહ્યો પણ એમાં સૌથી મોટો પ્રભાવ ફ્રોઈડ અને કાર્લ માર્કસનો હતો. એમની કૃતિઓમાં જોરદાર સામાજિક સામગ્રી છે. એમાં અંદરખાને સામાજિક ટીકા છે. એમની કૃતિઓ ખાસ કરીને ડાબેરી વલણ પ્રગટ કરે છે. મલયાલમ સાહિત્યમાં મોટેભાગે મધ્યવર્ગીય જીવનની કથાઓ લખાતી હતી; એમાં શિવશંકર અને એમના સમકાલીનોએ ક્રાંતિકારક ફેરફાર આણ્યો અને કથાઓના કેન્દ્રમાં નીચલા સ્તરના દરિદ્રસમાજને મૂકો. વર્ગસંઘર્ષ અને માર્કસવાદી દૃષ્ટિકોણ સ્વાભાવિક રીતે પ્રવેશ પામ્યો.  
શિવશંકરને નામે ૩૫ જેટલી નવલકથાઓ અને પાંચસો જેટલી નવલિકાઓ બોલે છે. એમની નવલકથાઓમાં ચેમ્મીન’ ઉપરાંત ‘ચમારનો દીકરો' અને ‘બશેર ડાંગર' પણ પ્રસિદ્ધ છે. ચમારનો દીકરો'માં એક અસ્પૃશ્ય માતા પોતાના પુત્રને એવી રીતે તૈયાર કરવા મથે છે કે પોતાને જે સ્થિતિમાંથી ગુજરવું પડ્યું એમાંથી પુત્રને ગુજરવું ન પડે પણ એમાં કઠોર વાસ્તવિકતા અને સંનિષ્ઠા સાથે લેખકે એની અવદશા વર્ણવી છે. ‘બશેર ડાંગર’ ભૂમિહીન ખેતમજૂરો અને જમીનદારોના સંઘર્ષની કથા છે. ૧૯૭૮માં અનેક કૃતિઓને અંતે શિવશંકરે એમની સમર્થ કૃતિ ‘કયર’ સર્જી.  
શિવશંકરને નામે ૩૫ જેટલી નવલકથાઓ અને પાંચસો જેટલી નવલિકાઓ બોલે છે. એમની નવલકથાઓમાં ‘ચેમ્મીન’ ઉપરાંત ‘ચમારનો દીકરો' અને ‘બશેર ડાંગર' પણ પ્રસિદ્ધ છે. ચમારનો દીકરો'માં એક અસ્પૃશ્ય માતા પોતાના પુત્રને એવી રીતે તૈયાર કરવા મથે છે કે પોતાને જે સ્થિતિમાંથી ગુજરવું પડ્યું એમાંથી પુત્રને ગુજરવું ન પડે પણ એમાં કઠોર વાસ્તવિકતા અને સંનિષ્ઠા સાથે લેખકે એની અવદશા વર્ણવી છે. ‘બશેર ડાંગર’ ભૂમિહીન ખેતમજૂરો અને જમીનદારોના સંઘર્ષની કથા છે. ૧૯૭૮માં અનેક કૃતિઓને અંતે શિવશંકરે એમની સમર્થ કૃતિ ‘કયર’ સર્જી.  
‘કયર'માં શિવશંકર પિલ્લાઈની સર્જકતાની પરાકાષ્ઠા જોઈ શકાય છે. બસો વર્ષના ગાળામાં પથરાયેલી, ૧૦૦૦ જેટલાં પૃષ્ઠની આ બૃહન્નવલ હજાર જેટલાં પાત્રોની ભરમારથી છ પેઢીઓની કથા કહે છે. કેરલનું એક ગામ એના કેન્દ્રમાં છે. ૨૫૦ વર્ષ પૂર્વે આવેલા એક અમલદારે કરેલી ભૂમિની સરહદો અને ભૂમિની માલિકીથી શરૂ કરીને છેક આજની નક્સલવાદી આંદોલન સુધીના થાપટમાં એક ગામનો ધીમો પણ સળંગ વિકાસ રજૂ થયો છે. બીજી રીતે કહેવું હોય તો આ નવલકથામાં ગામ જ નવલકથાના નાયક તરીકે રજૂ થાય છે; જે સમયની સાથેસાથે જીવતું આવે છે, વિકસતું આવે છે અને બદલાતું આવે છે.  
‘કયર'માં શિવશંકર પિલ્લાઈની સર્જકતાની પરાકાષ્ઠા જોઈ શકાય છે. બસો વર્ષના ગાળામાં પથરાયેલી, ૧૦૦૦ જેટલાં પૃષ્ઠની આ બૃહન્નવલ હજાર જેટલાં પાત્રોની ભરમારથી છ પેઢીઓની કથા કહે છે. કેરલનું એક ગામ એના કેન્દ્રમાં છે. ૨૫૦ વર્ષ પૂર્વે આવેલા એક અમલદારે કરેલી ભૂમિની સરહદો અને ભૂમિની માલિકીથી શરૂ કરીને છેક આજની નક્સલવાદી આંદોલન સુધીના થાપટમાં એક ગામનો ધીમો પણ સળંગ વિકાસ રજૂ થયો છે. બીજી રીતે કહેવું હોય તો આ નવલકથામાં ગામ જ નવલકથાના નાયક તરીકે રજૂ થાય છે; જે સમયની સાથેસાથે જીવતું આવે છે, વિકસતું આવે છે અને બદલાતું આવે છે.  
૧૩૯ પ્રકરણોમાં વહેંચાયેલી આ નવલકથામાં ગામ છે તકષી. એમાં રહેતાં નાંબુદી, નાયર, ખ્રિસ્તી, મુસ્લીમ, તામિળ બ્રાહ્મણો, પુલય વગેરે અનેક પરિવારોની કથાસે૨ો અહીં ગૂંથાયેલી છે. જલમાર્ગોથી છવાયેલા આ વિસ્તારમાં જમીનમાલિકો, નાના ખેડૂતો અને ખેતમજૂરો વચ્ચેના વ્યવહારો અહીં અગ્રસ્થાને છે. સમાજની ઘણીબધી પ્રવૃત્તિ એના મન્દિરની આસપાસ થયા કરે છે. મનુષ્ય ભૂમિનો માલિક હોય કે ભૂમિને ખેડતો હોય, કોઈપણ રીતે મનુષ્યનો ભૂમિ સાથેનો નાતો એ આ નવલકથાની કરોડરજ્જુ છે. પ્રકરણે પ્રકરણે અહીં દૃશ્યો કેલિડોસ્કોપની જેમ બદલાતાં આવે છે; અને એમાંથી ગામજનોની પ્રણાલિગત જીવનશૈલીનો પૂરો પરિચય થતો આવે છે. પહેલાં ૧૬ પ્રકરણો નાટ્યાત્મક રીતે ગામનો સામાજિક પરિવેશ રજૂ કરે છે.  
૧૩૯ પ્રકરણોમાં વહેંચાયેલી આ નવલકથામાં ગામ છે તકષી. એમાં રહેતાં નાંબુદી, નાયર, ખ્રિસ્તી, મુસ્લીમ, તામિળ બ્રાહ્મણો, પુલય વગેરે અનેક પરિવારોની કથાસે૨ો અહીં ગૂંથાયેલી છે. જલમાર્ગોથી છવાયેલા આ વિસ્તારમાં જમીનમાલિકો, નાના ખેડૂતો અને ખેતમજૂરો વચ્ચેના વ્યવહારો અહીં અગ્રસ્થાને છે. સમાજની ઘણીબધી પ્રવૃત્તિ એના મન્દિરની આસપાસ થયા કરે છે. મનુષ્ય ભૂમિનો માલિક હોય કે ભૂમિને ખેડતો હોય, કોઈપણ રીતે મનુષ્યનો ભૂમિ સાથેનો નાતો એ આ નવલકથાની કરોડરજ્જુ છે. પ્રકરણે પ્રકરણે અહીં દૃશ્યો કેલિડોસ્કોપની જેમ બદલાતાં આવે છે; અને એમાંથી ગામજનોની પ્રણાલિગત જીવનશૈલીનો પૂરો પરિચય થતો આવે છે. પહેલાં ૧૬ પ્રકરણો નાટ્યાત્મક રીતે ગામનો સામાજિક પરિવેશ રજૂ કરે છે.