રચનાવલી/૧૩૪: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 7: Line 7:
તમે કોઈને પૂછો કે ‘કાલિદાસ કવિનું નામ સાંભળ્યું છે?' તો, ઘણાબધા હકારમાં માથું હલાવશે. પણ એમને આગળ પૂછશો કે ‘કાલિદાસના કોઈ કાવ્યનું નામ યાદ છે?' તો, માથું ખંજવાળશે. આનાથી ઊલટું તમે કોઈને પૂછશો કે ‘પુષ્પદંત કવિનું નામ સાંભળ્યું છે?’ તો એ તમારી સામે તમે કોઈ બીજા ગ્રહના માનવીની વાત કરતા હો એમ બાઘાની જેમ તમારી સામે તાકી રહેશે. પણ પછી પૂછશો કે ‘શિવમહિમ્નસ્તોત્ર’નું નામ સાંભળ્યું છે?' તો એ ઊછળીને કહેશે ‘લો, કેમ નહીં? ઘણી ઘણીવાર શિવમહિમ્નસ્તોત્રનો પાઠ કર્યો છે.  
તમે કોઈને પૂછો કે ‘કાલિદાસ કવિનું નામ સાંભળ્યું છે?' તો, ઘણાબધા હકારમાં માથું હલાવશે. પણ એમને આગળ પૂછશો કે ‘કાલિદાસના કોઈ કાવ્યનું નામ યાદ છે?' તો, માથું ખંજવાળશે. આનાથી ઊલટું તમે કોઈને પૂછશો કે ‘પુષ્પદંત કવિનું નામ સાંભળ્યું છે?’ તો એ તમારી સામે તમે કોઈ બીજા ગ્રહના માનવીની વાત કરતા હો એમ બાઘાની જેમ તમારી સામે તાકી રહેશે. પણ પછી પૂછશો કે ‘શિવમહિમ્નસ્તોત્ર’નું નામ સાંભળ્યું છે?' તો એ ઊછળીને કહેશે ‘લો, કેમ નહીં? ઘણી ઘણીવાર શિવમહિમ્નસ્તોત્રનો પાઠ કર્યો છે.  
પાઠ કરવાનો અહીં અર્થ એટલો જ કે મોટેભાગે સમજ્યા ન સમજ્યા વગર શ્રદ્ધાથી અને પૂરી વાસનાથી મોટેથી વાંચી ગયા છીએ. વાસનાથી એટલા માટે કે જલદી પ્રસન્ન થાય એવા મહાદેવ શંભુની કૃપા આપણા પર થાય અને આપણે ન્યાલ થઈ જઈએ.  
પાઠ કરવાનો અહીં અર્થ એટલો જ કે મોટેભાગે સમજ્યા ન સમજ્યા વગર શ્રદ્ધાથી અને પૂરી વાસનાથી મોટેથી વાંચી ગયા છીએ. વાસનાથી એટલા માટે કે જલદી પ્રસન્ન થાય એવા મહાદેવ શંભુની કૃપા આપણા પર થાય અને આપણે ન્યાલ થઈ જઈએ.  
સાચી વાત તો એ છે કે ‘શિવમહિમ્નસ્તોત્ર'ને બરાબર સાંભળીએ તો એ પોતે જ આપણને ન્યાલ કરી દે એવી રચના છે. કવિ પુષ્યંદંત્તે પોતે જ કહ્યું છે કે માત્ર કંઠસ્થ કરીને નહિ, માત્ર પાઠ કરીને નહિ પરંતુ ધ્યાનપૂર્વક અન્યમાં ચિત્ત પરોવ્યા વગર જો એનું સ્તવન કરવામાં આવે તો એ શિવસમીપે લઈ જાય છે. આનો અર્થ એ થયો કે શિવનું, શિવના મહિમાનું વર્ણન અહીં હૂબહૂ છે, ચિત્રાત્મક છે અને કાનને વિશિષ્ટ લયથી તૃપ્ત કરી આપણને પ્રસન્ન કરી દે તેવું છે. આશ્ચર્યની વાત એ છે કે નિર્ગુણ ઈશ્વરનો અહીં સ્તોત્રમાં સગુણ પરિચય થાય છે.  
સાચી વાત તો એ છે કે ‘શિવમહિમ્નસ્તોત્ર'ને બરાબર સાંભળીએ તો એ પોતે જ આપણને ન્યાલ કરી દે એવી રચના છે. કવિ પુષ્પદંતે પોતે જ કહ્યું છે કે માત્ર કંઠસ્થ કરીને નહિ, માત્ર પાઠ કરીને નહિ પરંતુ ધ્યાનપૂર્વક અન્યમાં ચિત્ત પરોવ્યા વગર જો એનું સ્તવન કરવામાં આવે તો એ શિવસમીપે લઈ જાય છે. આનો અર્થ એ થયો કે શિવનું, શિવના મહિમાનું વર્ણન અહીં હૂબહૂ છે, ચિત્રાત્મક છે અને કાનને વિશિષ્ટ લયથી તૃપ્ત કરી આપણને પ્રસન્ન કરી દે તેવું છે. આશ્ચર્યની વાત એ છે કે નિર્ગુણ ઈશ્વરનો અહીં સ્તોત્રમાં સગુણ પરિચય થાય છે.  
આવો વિરોધ જ આનંદ પમાડે છે. કવિ કહે છે કે શિવ પાસે વૃદ્ધ બળદ, દંડ, ફરસી, ચર્મ, ભસ્મ, સર્પ અને ખોપરી – આટલો જ અસબાબ છે. પણ આવા શિવના કૃપાકટાક્ષથી દેવતાઓ વિવિધ સમૃદ્ધિને પામે છે. બીજા એક શ્લોકમાં કહે છે કે શ્મશાનમાં ક્રીડા, પિશાચોની સોબત, ચિતાનો ભસ્મલેપ, ખોપરીઓની માળા – આમ બધું જ શિવનું અમંગલ છે અને છતાં શિવનું સ્મરણ કરનારનું પરમ મંગલ થાય છે. બાણાસુરની વાત કરતાં કહે છે કે ત્રણે ભુવનનો સ્વામી બની બેઠેલો બાણ ઇન્દ્રની સમૃદ્ધિને પણ ઝાંખી પાડી નાખનારો છે ને તે શિવના ચરણમાં નમે છે પણ શિવના ચરણમાં અવનતિ કોને ઉન્નતિ નથી આપતી? અરે, સમુદ્રમંથનથી નીપજેલું વિષ પીને જે કાળું ચકામું થયું એ વિકાર પણ શિવની શોભા નથી વધારતો એવું નથી. આવા વિરોધો દ્વારા જો કવિએ કાવ્ય જન્માવ્યું છે, તો ક્યાંક અવાજનો, શબ્દોના ઘોષનો પણ ઉપયોગ કર્યો છે.  
આવો વિરોધ જ આનંદ પમાડે છે. કવિ કહે છે કે શિવ પાસે વૃદ્ધ બળદ, દંડ, ફરસી, ચર્મ, ભસ્મ, સર્પ અને ખોપરી – આટલો જ અસબાબ છે. પણ આવા શિવના કૃપાકટાક્ષથી દેવતાઓ વિવિધ સમૃદ્ધિને પામે છે. બીજા એક શ્લોકમાં કહે છે કે શ્મશાનમાં ક્રીડા, પિશાચોની સોબત, ચિતાનો ભસ્મલેપ, ખોપરીઓની માળા – આમ બધું જ શિવનું અમંગલ છે અને છતાં શિવનું સ્મરણ કરનારનું પરમ મંગલ થાય છે. બાણાસુરની વાત કરતાં કહે છે કે ત્રણે ભુવનનો સ્વામી બની બેઠેલો બાણ ઇન્દ્રની સમૃદ્ધિને પણ ઝાંખી પાડી નાખનારો છે ને તે શિવના ચરણમાં નમે છે પણ શિવના ચરણમાં અવનતિ કોને ઉન્નતિ નથી આપતી? અરે, સમુદ્રમંથનથી નીપજેલું વિષ પીને જે કાળું ચકામું થયું એ વિકાર પણ શિવની શોભા નથી વધારતો એવું નથી. આવા વિરોધો દ્વારા જો કવિએ કાવ્ય જન્માવ્યું છે, તો ક્યાંક અવાજનો, શબ્દોના ઘોષનો પણ ઉપયોગ કર્યો છે.  
શિવનું નટરાજ રૂપ વર્ણવતા કહેવાયું છે કે શિવના પાદાઘાતથી પૃથ્વી અચાનક સંશયમાં પડી જાય છે. આકાશમાં ઘૂમી રહેતી શિવની ભુજાઓના પ્રહારથી નક્ષત્રો તૂટવા લાગે છે અને વિખરાયેલી જટાઓની ઝાપટથી સ્વર્ગ અસ્તવ્યસ્ત થઈ જાય છે. શિવ ત્રિપુટ રાક્ષસનો ક્ષણમાં વધ કરી શકે તેમ છે છતાં જે સામગ્રી લઈને જાય છે તે ભવ્ય છે. ત્રિપુરના સંહાર માટે શિવ પૃથ્વીનો રથ કરે છે, બ્રહ્માને સારથી સ્થાપે છે, સૂર્યચન્દ્રનાં ચક્ર કરે છે, મેરુપર્વતનો ચાપ રચે છે અને ખુદ વિષ્ણુને બાણ બનાવે છે. શિવની સ્વાયત્ત લીલાનું આ રૂપ કવિએ સરસ રીતે પકડ્યું છે. એ જ રીતે સૃષ્ટિના અણુઅણુમાં શિવનું દર્શન કરાવતો શ્લોક પણ જોવા જેવો છે. ‘તમે સૂર્ય છો, તમે ચન્દ્ર છો, તમે પવન છો, તમે અગ્નિ છો, તમે પાણી છો, તમે પૃથ્વી છો, તમે આત્મા છો – આવું આવું તમને સીમિત કરી દેનારા પરિપક્વ બુદ્ધિવાળા ભલે બોલે પણ હું તો એવું કોઈ તત્ત્વ જાણતો નથી, જેમાં તમે નથી' – આવા શિવનું વર્ણન કે એની સ્તુતિ અશક્ય છે, એવું દર્શાવતો આ સ્તોત્રમાં જે એક શ્લોક રચાયો છે તે અત્યંત પ્રસિદ્ધ છે અસિતગિરિસમં સ્યાત્ કજ્જલં સિંધુપાત્રે' ‘સાગરના ખડિયામાં નીલગિરિ પર્વતની કાળી શાહી હોય, કલ્પવૃક્ષની ડાળી કલમ હોય, પૃથ્વીનો પત્ર હોય અને ખુદ સરસ્વતી લખનાર હોય અને તે સદાકાળ લખતી રહે તો પણ હે ઈશ, તારા ગુણોનો પાર ન આવે.’ આ શ્લોક એમાં રજૂ થયેલી કલ્પનાની ભવ્યતાને કારણે અને સરખાવેલી વસ્તુઓથી થતા ચમત્કારને કારણે સ્તોત્રનો સૌથી વધુ કાવ્યાત્મક શ્લોક બન્યો છે.
શિવનું નટરાજ રૂપ વર્ણવતા કહેવાયું છે કે શિવના પાદાઘાતથી પૃથ્વી અચાનક સંશયમાં પડી જાય છે. આકાશમાં ઘૂમી રહેતી શિવની ભુજાઓના પ્રહારથી નક્ષત્રો તૂટવા લાગે છે અને વિખરાયેલી જટાઓની ઝાપટથી સ્વર્ગ અસ્તવ્યસ્ત થઈ જાય છે. શિવ ત્રિપુટ રાક્ષસનો ક્ષણમાં વધ કરી શકે તેમ છે છતાં જે સામગ્રી લઈને જાય છે તે ભવ્ય છે. ત્રિપુરના સંહાર માટે શિવ પૃથ્વીનો રથ કરે છે, બ્રહ્માને સારથી સ્થાપે છે, સૂર્યચન્દ્રનાં ચક્ર કરે છે, મેરુપર્વતનો ચાપ રચે છે અને ખુદ વિષ્ણુને બાણ બનાવે છે. શિવની સ્વાયત્ત લીલાનું આ રૂપ કવિએ સરસ રીતે પકડ્યું છે. એ જ રીતે સૃષ્ટિના અણુઅણુમાં શિવનું દર્શન કરાવતો શ્લોક પણ જોવા જેવો છે. ‘તમે સૂર્ય છો, તમે ચન્દ્ર છો, તમે પવન છો, તમે અગ્નિ છો, તમે પાણી છો, તમે પૃથ્વી છો, તમે આત્મા છો – આવું આવું તમને સીમિત કરી દેનારા પરિપક્વ બુદ્ધિવાળા ભલે બોલે પણ હું તો એવું કોઈ તત્ત્વ જાણતો નથી, જેમાં તમે નથી' – આવા શિવનું વર્ણન કે એની સ્તુતિ અશક્ય છે, એવું દર્શાવતો આ સ્તોત્રમાં જે એક શ્લોક રચાયો છે તે અત્યંત પ્રસિદ્ધ છે અસિતગિરિસમં સ્યાત્ કજ્જલં સિંધુપાત્રે' ‘સાગરના ખડિયામાં નીલગિરિ પર્વતની કાળી શાહી હોય, કલ્પવૃક્ષની ડાળી કલમ હોય, પૃથ્વીનો પત્ર હોય અને ખુદ સરસ્વતી લખનાર હોય અને તે સદાકાળ લખતી રહે તો પણ હે ઈશ, તારા ગુણોનો પાર ન આવે.’ આ શ્લોક એમાં રજૂ થયેલી કલ્પનાની ભવ્યતાને કારણે અને સરખાવેલી વસ્તુઓથી થતા ચમત્કારને કારણે સ્તોત્રનો સૌથી વધુ કાવ્યાત્મક શ્લોક બન્યો છે.