રચનાવલી/૧૫૧: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫૧. યશોધરા (મૈથિલીશરણ ગુપ્ત) |}} {{Poem2Open}} જગતના ઇતિહાસમાં મહાન વ્યક્તિઓની અચૂક નોંધ લેવાય છે. આ મહાન વ્યક્તિઓએ સર્જેલી મહાન ઘટનાઓની નોંઘ લેવાય છે, પણ ઇતિહાસમાં આવતી આવી મહાન વ્...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 9: Line 9:
બુદ્ધની કથાનું વસ્તુ તો બહુ જાણીતું છે. કપિલવસ્તુના મહારાજા શુદ્ધોદનને ત્યાં સિદ્ધાર્થનો જન્મ થાય છે, પરંતુ નાનપણથી જ સિદ્ધાર્થનો વૈરાગ્ય તરફનો ભાવ જોઈને શુદ્ધોદનને, એને સંસારી રાખવા માટે અનેક પ્રપંચો કરવા પડ્યા. રાજમહેલના વિલાસપૂર્ણ વાતાવરણની બહાર ન જવા દઈ સિદ્ધાર્થનો યશોધરા નામની સુન્દર કન્યા સાથે વિવાહ કર્યો. વિવાહથી સિદ્ધાર્થને પુત્ર રાહુલ જન્મ્યો. પણ એક દિવસ અકસ્માતે રાજમહેલની બહાર નીકળી નગરયાત્રા કરતાં સિદ્ધાર્થે એક રોગી, એક વૃદ્ધ, એક મૃત અને એક સંન્યાસીને જોયો અને સંસારની દુ:ખભરી સ્થિતિ જોતાં સિદ્ધાર્થનો વૈરાગ્ય પ્રબળ બન્યો. જગતને દુઃખોની પરંપરામાંથી છોડાવવાનો માર્ગ શોધવા સિદ્ધાર્થ પોતાના માર્ગમાં અવરોધ ન ઊભો થાય તે સારુ થશોધરા અને રાહુલને તેમજ સમગ્ર રાજપાટને અધરાતે છોડીને મહાભિનિષ્ક્રમણ કરી ગયા. કહેવાય છે કે અનેક પ્રલોભનોનો સામનો કરી આકરી તપશ્ચર્યાને અંતે એમને નિરંજના નદીને કિનારે અશ્વત્થના વૃક્ષ નીચે સમાધિમાં નિર્વાણ પ્રાપ્ત થયું. જગતનાં દુઃખોનો ઉકેલ એમણે મધ્યમાર્ગમાં જોયો. મૈથિલીશરણ ગુપ્તે એક જ પંક્તિમાં એ ઉકેલને ગૂંથ્યો છે : ‘તનેં પર ઈતના જો ટૂટે નહીં તન્ત્ર તેરા વહ તંત્ર' વીણાના તાર એટલા જોરથી ન કસો કે તૂટી જાય અને વીણાના તાર એટલા ઢીલા ન રાખો કે એમાંથી સંગીત પ્રગટ ન થાય...‘  
બુદ્ધની કથાનું વસ્તુ તો બહુ જાણીતું છે. કપિલવસ્તુના મહારાજા શુદ્ધોદનને ત્યાં સિદ્ધાર્થનો જન્મ થાય છે, પરંતુ નાનપણથી જ સિદ્ધાર્થનો વૈરાગ્ય તરફનો ભાવ જોઈને શુદ્ધોદનને, એને સંસારી રાખવા માટે અનેક પ્રપંચો કરવા પડ્યા. રાજમહેલના વિલાસપૂર્ણ વાતાવરણની બહાર ન જવા દઈ સિદ્ધાર્થનો યશોધરા નામની સુન્દર કન્યા સાથે વિવાહ કર્યો. વિવાહથી સિદ્ધાર્થને પુત્ર રાહુલ જન્મ્યો. પણ એક દિવસ અકસ્માતે રાજમહેલની બહાર નીકળી નગરયાત્રા કરતાં સિદ્ધાર્થે એક રોગી, એક વૃદ્ધ, એક મૃત અને એક સંન્યાસીને જોયો અને સંસારની દુ:ખભરી સ્થિતિ જોતાં સિદ્ધાર્થનો વૈરાગ્ય પ્રબળ બન્યો. જગતને દુઃખોની પરંપરામાંથી છોડાવવાનો માર્ગ શોધવા સિદ્ધાર્થ પોતાના માર્ગમાં અવરોધ ન ઊભો થાય તે સારુ થશોધરા અને રાહુલને તેમજ સમગ્ર રાજપાટને અધરાતે છોડીને મહાભિનિષ્ક્રમણ કરી ગયા. કહેવાય છે કે અનેક પ્રલોભનોનો સામનો કરી આકરી તપશ્ચર્યાને અંતે એમને નિરંજના નદીને કિનારે અશ્વત્થના વૃક્ષ નીચે સમાધિમાં નિર્વાણ પ્રાપ્ત થયું. જગતનાં દુઃખોનો ઉકેલ એમણે મધ્યમાર્ગમાં જોયો. મૈથિલીશરણ ગુપ્તે એક જ પંક્તિમાં એ ઉકેલને ગૂંથ્યો છે : ‘તનેં પર ઈતના જો ટૂટે નહીં તન્ત્ર તેરા વહ તંત્ર' વીણાના તાર એટલા જોરથી ન કસો કે તૂટી જાય અને વીણાના તાર એટલા ઢીલા ન રાખો કે એમાંથી સંગીત પ્રગટ ન થાય...‘  
પણ સિદ્ધાર્થમાંથી બુદ્ધ થવાની આ પળની પાછળ બુદ્ધના તપની સાથે યશોધરાનું તપ પણ ઓછું નથી. ‘યશોધરા' કાવ્યમાં મૈથિલીશરણે યશોધરાની વિરહપીડાને અને રાહુલ તરફની જવાબદારીને સરસ રીતે મૂકી છે. યશોધરાને એક જ ખટકો છે કે ગયા તો ભલે ગયા પણ મને કહીને તો ગયા હોત! ‘સખિ, વે મુઝકો કહ કર જાતે / કહ તો ક્યા મુઝકો વે અપની પથ-બાધા હી પાતે?’ યશોધરાને થાય છે કે ‘અબલા જીવન તેરી યહી કહાની | આંચલમેં દૂધ ઔર આંખોમેં પાની' પણ યશોધરા અબલા બનીને નથી રહેતી. એને ખબર છે કે ‘જલને કો હી સ્નેહ બના / ઉઠને કો હી બાષ્પ બના હૈ / ગિરને કો હી મેહ બના.'  
પણ સિદ્ધાર્થમાંથી બુદ્ધ થવાની આ પળની પાછળ બુદ્ધના તપની સાથે યશોધરાનું તપ પણ ઓછું નથી. ‘યશોધરા' કાવ્યમાં મૈથિલીશરણે યશોધરાની વિરહપીડાને અને રાહુલ તરફની જવાબદારીને સરસ રીતે મૂકી છે. યશોધરાને એક જ ખટકો છે કે ગયા તો ભલે ગયા પણ મને કહીને તો ગયા હોત! ‘સખિ, વે મુઝકો કહ કર જાતે / કહ તો ક્યા મુઝકો વે અપની પથ-બાધા હી પાતે?’ યશોધરાને થાય છે કે ‘અબલા જીવન તેરી યહી કહાની | આંચલમેં દૂધ ઔર આંખોમેં પાની' પણ યશોધરા અબલા બનીને નથી રહેતી. એને ખબર છે કે ‘જલને કો હી સ્નેહ બના / ઉઠને કો હી બાષ્પ બના હૈ / ગિરને કો હી મેહ બના.'  
મૈથિલીશરણે યશોધરાની મનની વાત તેમજ યશોધરા અને રાહુલની વાતચીત દ્વારા સિદ્ધાર્થના ચાલ્યા જવાથી ઊભી થયેલી કટોકટીને બતાવવા પ્રયત્ન કર્યો છે. મૈથિલીશરણ સિદ્ધાર્થ ઘર છોડીને ગયા છે પણ મોટા ધ્યેય માટે ઘર છોડ્યું છે એ વાત રાહુલમાં ઠસાવે છે. હંસ મારનારનો કે બચાવનારનો એ જાણીતી કથાને કવિએ યશોધરા અને રાહુલના સંવાદમાં આકર્ષક રીતે મૂકી છે. વચ્ચે ‘યશોધરા’માં ગદ્યનો પણ કવિએ સંવાદો દ્વારા ઉપયોગ કરી લીધો છે. સિદ્ધાર્થ બુદ્ધ બન્યા છે અને નજીકમાં ક્યાંક છે એવા ખબર આવે છે છતાં યશોધરા દોડીને જતી નથી. એ કહે છે : યદિ વે ચલ આયે હૈ ઈતના / તો દો પદ ઉનકો હૈ કિતના? / ક્યા ભારી વહ, મુઝકો જિતના? / પીડ ઉન્હોંને ફેરી.' છેવટે બુદ્ધ સ્વયં આવે છે ને યશોધરા ઉછેરેલા રાહુલને ચરણે ધરી દે છે. ‘તુમ ભિક્ષુક બનકર આયે થે / ગોપા ક્યા દેતી સ્વામી? / યા અનુરૂપ એક રાહુલ હી રહે સદા વહ અનુગામી.' યશોધરાની પ્રતીતિ હતી કે એના દુ:ખમાં વિશ્વનું સુખ ભર્યું છે.  
મૈથિલીશરણે યશોધરાની મનની વાત તેમજ યશોધરા અને રાહુલની વાતચીત દ્વારા સિદ્ધાર્થના ચાલ્યા જવાથી ઊભી થયેલી કટોકટીને બતાવવા પ્રયત્ન કર્યો છે. મૈથિલીશરણ સિદ્ધાર્થ ઘર છોડીને ગયા છે પણ મોટા ધ્યેય માટે ઘર છોડ્યું છે એ વાત રાહુલમાં ઠસાવે છે. હંસ મારનારનો કે બચાવનારનો એ જાણીતી કથાને કવિએ યશોધરા અને રાહુલના સંવાદમાં આકર્ષક રીતે મૂકી છે. વચ્ચે ‘યશોધરા’માં ગદ્યનો પણ કવિએ સંવાદો દ્વારા ઉપયોગ કરી લીધો છે. સિદ્ધાર્થ બુદ્ધ બન્યા છે અને નજીકમાં ક્યાંક છે એવા ખબર આવે છે છતાં યશોધરા દોડીને જતી નથી. એ કહે છે : ‘યદિ વે ચલ આયે હૈ ઈતના / તો દો પદ ઉનકો હૈ કિતના? / ક્યા ભારી વહ, મુઝકો જિતના? / પીડ ઉન્હોંને ફેરી.' છેવટે બુદ્ધ સ્વયં આવે છે ને યશોધરા ઉછેરેલા રાહુલને ચરણે ધરી દે છે. ‘તુમ ભિક્ષુક બનકર આયે થે / ગોપા ક્યા દેતી સ્વામી? / યા અનુરૂપ એક રાહુલ હી રહે સદા વહ અનુગામી.' યશોધરાની પ્રતીતિ હતી કે એના દુ:ખમાં વિશ્વનું સુખ ભર્યું છે.  
આમ, યશોધરાના ઉપેક્ષિત પાત્રની તપશ્ચર્યાને ગૌરવપૂર્વક રજૂ  
આમ, યશોધરાના ઉપેક્ષિત પાત્રની તપશ્ચર્યાને ગૌરવપૂર્વક રજૂ  
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 15: Line 15:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૫૦
|next =  
|next = ૧૫૨
}}
}}