રચનાવલી/૨: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:


{{Poem2Open}}
{{Poem2Open}}
બાર ગાઉએ બોલી બદલાય એ તો આપણે જાણીએ છીએ. અમદાવાદમાં જે બોલાય છે તે ખેડામાં નથી બોલાતી અને ખેડામાં જે બોલાય છે તે સૂરતમાં નથી બોલાતી. બરાબર એ જ રીતે આજે જે ગુજરાતી બોલાય છે તે નર્મદના જમાનામાં નહોતી બોલાતી અને નર્મદના જમાનામાં જે બોલાતી તે નરસિંહ મહેતાના જમાનામાં નહોતી બોલાતી. સ્થળ પ્રમાણે તેમ સમય પ્રમાણે ગુજરાતી ભાષાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં સાંભળીએ છીએ ત્યારે લાગતું નથી કે કોઈ જૂની ગુજરાતી સાંભળીએ છીએ કારણ કે લોકોના કંઠમાંથી વહેતી વહેતી એ આપણા સુધી પહોંચતા બદલાતી આવી છે. પણ નરસિંહના સમયની બદલાયેલી નહીં પણ અકબંધ સચવાયેલી ગુજરાતી ભાષા સાંભળવી હોય તો લોકોમાં પ્રચલિત નહીં પણ જ્ઞાનભંડારમાં સચવાયેલી હસ્તપ્રતો પાસે જવું પડે. આવી જ, નરસિંહના સમયની અકબંધ સચવાયેલી ગુજરાતી ભાષા મધ્યકાલીન ગુજરાતી કવિ પદ્મનાભની ‘કાન્હડદે પ્રબંધ'માં જોવા મળશે, થરાદના જૈન ભંડારમાં આ રચના સચવાયેલી રહી. બહુ ઓછી એની નકલો થઈ અને તેથી આજે જ્યારે એને વાંચીએ છીએ ત્યારે ગુજરાતી, રાજસ્થાની કે હિન્દીનો ભેદ ઘણોખરો ભુલાઈ જાય છે. સાચું છે. ‘કાન્હડદે પ્રબંધ’ એવી ગુજરાતીમાં લખાયેલો છે, જ્યારે રાજસ્થાની, ગુજરાતી અને હિન્દી ભાષામાં આજે છે તેવો પૂરો ભેદ હજી થયો નહોતો. કેટલાક એને ‘ગુર્જર અપભ્રંશ’ પણ કહે છે અને તેથી ‘કાન્હડદે પ્રબંધ' જેવી રચના ગુજરાતી અને રાજસ્થાની બંને સાહિત્યની મજિયારી મિલકત ગણાવેલી છે. ‘કાન્હડદે પ્રબંધ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું નરસિંહ મહેતાના સમયનું ઐતિહાસિક વીરરસનું દીર્ઘકાવ્ય છે. ‘કાન્હડદે પ્રબંધ' શબ્દ સૂચવે છે તેમ એમાં કોઈ ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર અપાયેલું હોય છે સાથે એમાં કલ્પનાના અંશો પણ ભેળવેલા હોય છે. ઇતિહાસ, ચરિત્ર અને દંતકથાના મિશ્રણથી લખાતા પ્રબંધ કાવ્યના પ્રકારમાં બીજા અનેક પ્રબંધો ગુજરાતીમાં જડે છે, પણ ‘કાન્હડદે પ્રબંધ'નું સ્થાન વિશિષ્ટ છે. મુનિ જિનવિજયજીએ કહ્યું છે કે, ‘આ કાવ્ય વિશુદ્ધ ધર્મપ્રેમ, ઉન્નત રાષ્ટ્રપ્રેમ, ઉત્તમ સદાચાર પ્રેમ અને સાત્ત્વિક સત્યપ્રેમનો એક પ્રશસ્ત સ્રોત છે. આ કાવ્યપ્રબંધ શુદ્ધ ઐતિહાસિક કાવ્ય છે.’  
બાર ગાઉએ બોલી બદલાય એ તો આપણે જાણીએ છીએ. અમદાવાદમાં જે બોલાય છે તે ખેડામાં નથી બોલાતી અને ખેડામાં જે બોલાય છે તે સૂરતમાં નથી બોલાતી. બરાબર એ જ રીતે આજે જે ગુજરાતી બોલાય છે તે નર્મદના જમાનામાં નહોતી બોલાતી અને નર્મદના જમાનામાં જે બોલાતી તે નરસિંહ મહેતાના જમાનામાં નહોતી બોલાતી. સ્થળ પ્રમાણે તેમ સમય પ્રમાણે ગુજરાતી ભાષાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં સાંભળીએ છીએ ત્યારે લાગતું નથી કે કોઈ જૂની ગુજરાતી સાંભળીએ છીએ કારણ કે લોકોના કંઠમાંથી વહેતી વહેતી એ આપણા સુધી પહોંચતા બદલાતી આવી છે. પણ નરસિંહના સમયની બદલાયેલી નહીં પણ અકબંધ સચવાયેલી ગુજરાતી ભાષા સાંભળવી હોય તો લોકોમાં પ્રચલિત નહીં પણ જ્ઞાનભંડારમાં સચવાયેલી હસ્તપ્રતો પાસે જવું પડે. આવી જ, નરસિંહના સમયની અકબંધ સચવાયેલી ગુજરાતી ભાષા મધ્યકાલીન ગુજરાતી કવિ પદ્મનાભની ‘કાન્હડદે પ્રબંધ'માં જોવા મળશે, થરાદના જૈન ભંડારમાં આ રચના સચવાયેલી રહી. બહુ ઓછી એની નકલો થઈ અને તેથી આજે જ્યારે એને વાંચીએ છીએ ત્યારે ગુજરાતી, રાજસ્થાની કે હિન્દીનો ભેદ ઘણોખરો ભુલાઈ જાય છે. સાચું છે. ‘કાન્હડદે પ્રબંધ’ એવી ગુજરાતીમાં લખાયેલો છે, જ્યારે રાજસ્થાની, ગુજરાતી અને હિન્દી ભાષામાં આજે છે તેવો પૂરો ભેદ હજી થયો નહોતો. કેટલાક એને ‘ગુર્જર અપભ્રંશ’ પણ કહે છે અને તેથી ‘કાન્હડદે પ્રબંધ' જેવી રચના ગુજરાતી અને રાજસ્થાની બંને સાહિત્યની મજિયારી મિલકત ગણાવેલી છે. ‘કાન્હડદે પ્રબંધ' મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું નરસિંહ મહેતાના સમયનું ઐતિહાસિક વીરરસનું દીર્ઘકાવ્ય છે. ‘કાન્હડદે પ્રબંધ' શબ્દ સૂચવે છે તેમ એમાં કોઈ ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર અપાયેલું હોય છે સાથે એમાં કલ્પનાના અંશો પણ ભેળવેલા હોય છે. ઇતિહાસ, ચરિત્ર અને દંતકથાના મિશ્રણથી લખાતા પ્રબંધ કાવ્યના પ્રકારમાં બીજા અનેક પ્રબંધો ગુજરાતીમાં જડે છે, પણ ‘કાન્હડદે પ્રબંધ'નું સ્થાન વિશિષ્ટ છે. મુનિ જિનવિજયજીએ કહ્યું છે કે, ‘આ કાવ્ય વિશુદ્ધ ધર્મપ્રેમ, ઉન્નત રાષ્ટ્રપ્રેમ, ઉત્તમ સદાચાર પ્રેમ અને સાત્ત્વિક સત્યપ્રેમનો એક પ્રશસ્ત સ્રોત છે. આ કાવ્યપ્રબંધ શુદ્ધ ઐતિહાસિક કાવ્ય છે.’  
‘કાન્હડદે પ્રબંધ'માં કવિ પદ્મનાભે ગુજરાતીમાં આજે તો જાણીતી એવી કરણ વાઘેલાના દુભાયેલા પ્રધાન માધવે અલાઉદ્દીન ખીલજીને ઉશ્કેર્યો અને એને કારણે ગુજરાતમાં વિનાશ વેરાયો એનો કરુણ૨સ આલેખ્યો છે. તો રજપૂતોનું શૌર્ય, એમની અપૂર્વ યુદ્ધકળા અને યુદ્ધકુનેહનો વીરરસ પણ આલેખ્યો છે. વળી તુર્કકન્યા પીરોજાના અપ્રતિમ પ્રેમનો શૃંગા૨૨સ પણ એમાં છે.  
‘કાન્હડદે પ્રબંધ'માં કવિ પદ્મનાભે ગુજરાતીમાં આજે તો જાણીતી એવી કરણ વાઘેલાના દુભાયેલા પ્રધાન માધવે અલાઉદ્દીન ખીલજીને ઉશ્કેર્યો અને એને કારણે ગુજરાતમાં વિનાશ વેરાયો એનો કરુણ૨સ આલેખ્યો છે. તો રજપૂતોનું શૌર્ય, એમની અપૂર્વ યુદ્ધકળા અને યુદ્ધકુનેહનો વીરરસ પણ આલેખ્યો છે. વળી તુર્કકન્યા પીરોજાના અપ્રતિમ પ્રેમનો શૃંગા૨૨સ પણ એમાં છે.  
ચાર ખંડમાં પ્રસરેલું આ દીર્ઘકાવ્ય મોટે ભાગે દોહા, ચોપાઈ અને સવૈયાની દેશી ચાલમાં લખાયેલું છે. એમાં પાંચેક જેટલાં ગીતો છે અને મધ્યકાળમાં ભાગ્યે જ જોવા મળે તેવું પટ્ટાઉલીનું ગદ્ય પણ એમાં જોવા મળે છે.  
ચાર ખંડમાં પ્રસરેલું આ દીર્ઘકાવ્ય મોટે ભાગે દોહા, ચોપાઈ અને સવૈયાની દેશી ચાલમાં લખાયેલું છે. એમાં પાંચેક જેટલાં ગીતો છે અને મધ્યકાળમાં ભાગ્યે જ જોવા મળે તેવું પટ્ટાઉલીનું ગદ્ય પણ એમાં જોવા મળે છે.