રચનાવલી/૫૮: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
રાજેન્દ્ર શાહ આથી જ અનુગાંધીયુગના આપણા મોટા કવિ છે. તેઓ સતત લખતા રહયા છે. ‘આંદોલન (૧૯૫૧)’, ‘શ્રુતિ’ (૧૯૫૭), ‘શાન્ત કોલાહલ’ (૧૯૬૨), 'ચિત્રણા (૧૯૬૭)', ‘વિષાદને સાદ’ (૧૯૬૮), ‘ક્ષણ જે ચિરંતન’ (૧૯૬૮)વગેરે એમના અનેક કાવ્યસંગ્રહો છે પણ એમાં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ધ્વનિ (૧૯૫૧)' અજોડ છે. અને એમાં અજોડ છે, એમનું પાંચ સોનેટનું બનેલું લાંબુ કાવ્ય ‘આયુષ્યના અવશેષે.' ભાગ્યે જ જેનું માથું ધૂણે એવા કઠોર વિવેચક બળવંતરાય ઠાકોરે પણ આ કાવ્ય વિશે કહેલું કે સુવર્ણાક્ષરે લખીને એને દીવાલ પર ટીંગાડવા જેવું છે.  
રાજેન્દ્ર શાહ આથી જ અનુગાંધીયુગના આપણા મોટા કવિ છે. તેઓ સતત લખતા રહયા છે. ‘આંદોલન (૧૯૫૧)’, ‘શ્રુતિ’ (૧૯૫૭), ‘શાન્ત કોલાહલ’ (૧૯૬૨), 'ચિત્રણા (૧૯૬૭)', ‘વિષાદને સાદ’ (૧૯૬૮), ‘ક્ષણ જે ચિરંતન’ (૧૯૬૮)વગેરે એમના અનેક કાવ્યસંગ્રહો છે પણ એમાં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ધ્વનિ (૧૯૫૧)' અજોડ છે. અને એમાં અજોડ છે, એમનું પાંચ સોનેટનું બનેલું લાંબુ કાવ્ય ‘આયુષ્યના અવશેષે.' ભાગ્યે જ જેનું માથું ધૂણે એવા કઠોર વિવેચક બળવંતરાય ઠાકોરે પણ આ કાવ્ય વિશે કહેલું કે સુવર્ણાક્ષરે લખીને એને દીવાલ પર ટીંગાડવા જેવું છે.  
‘આયુષ્યના અવશેષ’ માં આમ તો, આયુષ્યને છેડે થોડુંક જીવન બાકી બચ્યું છે એવો નાયક જૂની ડમણીમાં બેસીને મુસાફરીને અંતે પોતાના વતનના જૂના અને સૂના ઘરે પહોંચે છે, અને જે અનુભવમાંથી પસાર થાય છે તેની કથા છે. પણ એ ઘરે પહોંચવાની આ કથા માત્ર ઘરે પહોંચવાની કથા નથી રહેતી પણ જન્મમરણના અને જીવનના મર્મને ઊંડે ઊંડે સ્પર્શતી ઉપનિષદકથા બની છે.  
‘આયુષ્યના અવશેષ’ માં આમ તો, આયુષ્યને છેડે થોડુંક જીવન બાકી બચ્યું છે એવો નાયક જૂની ડમણીમાં બેસીને મુસાફરીને અંતે પોતાના વતનના જૂના અને સૂના ઘરે પહોંચે છે, અને જે અનુભવમાંથી પસાર થાય છે તેની કથા છે. પણ એ ઘરે પહોંચવાની આ કથા માત્ર ઘરે પહોંચવાની કથા નથી રહેતી પણ જન્મમરણના અને જીવનના મર્મને ઊંડે ઊંડે સ્પર્શતી ઉપનિષદકથા બની છે.  
‘આયુષ્યના અવશેષે’ પાંચ સોનેટમાં વહેંચાયલું છે. પહેલા સોનેટ ઘર ભણી’માં જૂની ડમણીમાં રાત્રિવેળાએ ઘર ભણી પથ કાપતા થતા અનુભવનો રોચક ચિતાર છે. બીજા સીનેટ ‘પ્રવેશ’માં એકવારના ભર્યા ભર્યા ઘરનો સૂનો વર્તમાન કવિએ આંખ સામે ઊભો કર્યો છે. ત્રીજા સોનેટ ‘સ્વજનોની સ્મૃતિ’માં પિતા માતા અને પત્ની સાથે ભૂતકાળને કવિએ વર્તમાન સાથે જોડાજોડ મૂકી વર્તમાનના અભાવને તીવ્રપણે છતો કર્યો છે. ચોથા સોનેટ ‘પરિવર્તન’માં ઝરૂખે ઊભેલો નાયક બદલાયેલી પરિસ્થિતિને જુએ છે. જે ઝરુખેથી આંખો ભવિષ્યને જોતી હતી તે ઝરુખે આજે ઊભો છે પણ હવે ભૂતકાળની સ્મૃતિઓ જ ઘેરી વળે છે. છેલ્લા ‘જીવનવિલય' સોનેટમાં કવિ પાછા ફરીને પોતાની હરીભરી કર્મોની સૃષ્ટિને જુએ છે. જીવનનું જરા આધે રહીને દર્શન કરે છે તો કવિને જીવનનો આત્યંત જય દેખાય છે. બધું જ પરિવર્તન પામ્યે જાય છે. વિલય એ કોઈ છેવટની સ્થિતિ નથી પણ વચ્ચેની સ્થિતિ છે. કવિ જુએ છે કે ‘ગહનનિધિ હું, મોજું યે હું વળી ઘનવર્ષણ' પોતે સમુદ્ર છે પોતે જ મોજું છે અને પોતે જ વરસાદ છે. તો વિલય કે વિસર્જન એ બીજું કશું નથી પણ નવે રૂપે સર્જન છે. કવિને ઘરની અનુભૂતિ છેવટે ઘટ (દેહ,જગત)ની અનુભૂતિ પર લાવીને ઠેરવે છે.  
‘આયુષ્યના અવશેષે’ પાંચ સોનેટમાં વહેંચાયલું છે. પહેલા સોનેટ ‘ઘર ભણી’માં જૂની ડમણીમાં રાત્રિવેળાએ ઘર ભણી પથ કાપતા થતા અનુભવનો રોચક ચિતાર છે. બીજા સીનેટ ‘પ્રવેશ’માં એકવારના ભર્યા ભર્યા ઘરનો સૂનો વર્તમાન કવિએ આંખ સામે ઊભો કર્યો છે. ત્રીજા સોનેટ ‘સ્વજનોની સ્મૃતિ’માં પિતા માતા અને પત્ની સાથે ભૂતકાળને કવિએ વર્તમાન સાથે જોડાજોડ મૂકી વર્તમાનના અભાવને તીવ્રપણે છતો કર્યો છે. ચોથા સોનેટ ‘પરિવર્તન’માં ઝરૂખે ઊભેલો નાયક બદલાયેલી પરિસ્થિતિને જુએ છે. જે ઝરુખેથી આંખો ભવિષ્યને જોતી હતી તે ઝરુખે આજે ઊભો છે પણ હવે ભૂતકાળની સ્મૃતિઓ જ ઘેરી વળે છે. છેલ્લા ‘જીવનવિલય' સોનેટમાં કવિ પાછા ફરીને પોતાની હરીભરી કર્મોની સૃષ્ટિને જુએ છે. જીવનનું જરા આધે રહીને દર્શન કરે છે તો કવિને જીવનનો આત્યંત જય દેખાય છે. બધું જ પરિવર્તન પામ્યે જાય છે. વિલય એ કોઈ છેવટની સ્થિતિ નથી પણ વચ્ચેની સ્થિતિ છે. કવિ જુએ છે કે ‘ગહનનિધિ હું, મોજું યે હું વળી ઘનવર્ષણ' પોતે સમુદ્ર છે પોતે જ મોજું છે અને પોતે જ વરસાદ છે. તો વિલય કે વિસર્જન એ બીજું કશું નથી પણ નવે રૂપે સર્જન છે. કવિને ઘરની અનુભૂતિ છેવટે ઘટ (દેહ,જગત)ની અનુભૂતિ પર લાવીને ઠેરવે છે.  
કાવ્યની શરૂઆતમાં આવતી ડમણીનું ચિત્ર જોવા જેવું છેઃ ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની.' ડમણી અને વૃદ્ધ નાયક બંનેને કવિએ વર્ણન દ્વારા એકાકાર કરી દીધાં છે. અહીંથી જ આપણને લાગે કે ઉપર ચાલતા પ્રવાહની નીચેના પ્રવાહને કવિએ પકડી પાડ્યો છે. તેથી જ તો પછી તાળુ ખોલી બારણું ખોલતાં ‘પ્રેતનું મોચન’ થાય છે. અને ‘ગગન ઝીલતી જાળી' જાળાથી આંધળી બનેલી છે.  
કાવ્યની શરૂઆતમાં આવતી ડમણીનું ચિત્ર જોવા જેવું છેઃ ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની.' ડમણી અને વૃદ્ધ નાયક બંનેને કવિએ વર્ણન દ્વારા એકાકાર કરી દીધાં છે. અહીંથી જ આપણને લાગે કે ઉપર ચાલતા પ્રવાહની નીચેના પ્રવાહને કવિએ પકડી પાડ્યો છે. તેથી જ તો પછી તાળુ ખોલી બારણું ખોલતાં ‘પ્રેતનું મોચન’ થાય છે. અને ‘ગગન ઝીલતી જાળી' જાળાથી આંધળી બનેલી છે.  
આ કાવ્ય વાંચ્યા પછી હિરણી છંદનો છાક અને ઊભા કરાયેલાં દૃશ્યોનો સ્વાદ લાંબા ગાળા સુધી મન પર છવાયેલો રહે છે. ગુજરાતી સાહિત્યમાં નખશીખ લખાયેલાં બે પાંચ કાવ્યોની ખોજ કરવાની આવે તો આ કાવ્યને અવશ્ય સંભારવું પડે.  
આ કાવ્ય વાંચ્યા પછી હિરણી છંદનો છાક અને ઊભા કરાયેલાં દૃશ્યોનો સ્વાદ લાંબા ગાળા સુધી મન પર છવાયેલો રહે છે. ગુજરાતી સાહિત્યમાં નખશીખ લખાયેલાં બે પાંચ કાવ્યોની ખોજ કરવાની આવે તો આ કાવ્યને અવશ્ય સંભારવું પડે.