રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/3: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિને તેમના બીજાં લખાણોથી છૂટી પાડીને તેની ઉત્કૃષ્ટતા માટે જવાબદાર પરિબળોનો અભ્યાસ અર્થપૂર્ણ થઈ પડશે. તેમની કવિતાના પ્રકાર અને વિષયમાં વિપુલ વૈવિધ્ય છે. એક લેખક તરીકે અને ખાસ કરીને કવિતાના સર્જક તરીકે રવીન્દ્રનાથ સર્વતોમુખી હતા - જેમ પિકાસો ચિત્રકાર તરીકે હતા તેમ. પિકાસોની જેમ જ તેમની પણ એકાધિક શૈલી હતી, સમયખંડ હતા, વિવિધ સામગ્રીનો ભંડાર હતો; તે તેમની કોઈ પણ નાની સરખી ધૂનને એક પ્રવાહની સહજતાથી અને સરળતાથી વ્યક્ત કરી શકતા હતા. જેમ પિકાસો એક જ ચિત્રની સરખી અને છતાંય જુદી, ઘણી આવૃત્તિઓ બનાવતા હતા તેમ જ રવીન્દ્રનાથ તેમના ગીતોનું કરતા. મેં કહ્યું તેમ તે દરેક અર્થમાં ગીતોના કવિ હતા પણ હવે તેમાં ફેરફાર કરવો પડશે. તેમનો મિજાજ ગીતમય છે અને જગતને જોવાનો વ્યક્તિગત અભિગમ છે; માટે જ એેમના નાટકોમાં કોઈ ખાસ લાક્ષણિકતા નથી અને એેમની પાછલી નવલકથાઓના પાત્રો એેમની પોતાની માફક જ બોલે છે. તદુપરાંત એેમના ઉત્તમ કાવ્યોમાંના મોટા ભાગના ગીતો છે કે પછી ટૂંકા કાવ્યો છે જે એેમની અસર માટે ગીતોના કવિ જેના ઉપર આધાર રાખે છે તેવા મંત્રોચ્ચાર જેવા તાલ, પ્રાસ કે ધ્રુવપદના પ્રયોગોથી સભર છે. મધુસુદનની ભવ્ય શૈલીને અવગણીને અને પોતાના પ્રયત્નોમાં યુરોપના રોમેન્ટિક અને ભારતના વૈષ્ણવ કવિઓના આદર્શને વણી લઈને રવીન્દ્રનાથે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ૧૯મી સદીના મહાકાવ્યના યુગ પછી તરત જ આવીને રવીન્દ્રનાથે તેની દરેક લાક્ષણિકતાને અવગણીને એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો; સાહિત્યિક મહાકાવ્યની નાટકીય અસરોને અવગણીને એેમણે જીવંત જગત પર અને વિષય માટે પુરાણકથાના નાયકોના પરાક્રમોને બદલે પોતાના હૃદય અને સમજ પર આધાર રાખ્યો હતો. એેમણે પ્રાસ અને શ્લોકની જાદુઈ શક્તિ પર અને પુનરાવર્તિત પંક્તિ કે શબ્દસમૂહની મનમોહક અસરનો સંપૂર્ણ લાભ લીધો હતો. તેના મિશ્રિત શબ્દ-ભંડાર અને અગણિત સ્વરાંત શબ્દોને કારણે બંગાળી એક સહજ પ્રાસ-સમૃદ્ધ ભાષા છે એમ કહેવું આજે આપણે માટે સહજ અને સામાન્ય વાત છે પણ તેની શોધ અને પ્રથમ પ્રયોગો રવીન્દ્રનાથે કર્યા હતા. એેમના શાસ્ત્રીય કૌશલ્યની વાત કરતાં એક પુસ્તક લખાય તેમ છે - એેમના બેવડાતા અને ત્રેવડાતા પ્રાસ, બે શબ્દોના સમૂહ જે હુમલો કરવા છૂપાયેલા પ્રાણીની જેમ વાચક પર તૂટી પડે, ત્રિપદી ને ચતુષ્પદી જેમાં ત્રીજી પંક્તિ એક અર્ધ-પ્રાસના પડઘા પર છૂટી પડી ગઈ હોય ઇત્યાદિ. તેમની શ્લોકની ગોઠવણી, લાંબી અને ટૂંકી પંક્તિઓની વચ્ચે હેરફેર, બંગાળી છંદનું પુનર્સર્જન, એેમના પ્રવાહી અને અટકતા તાલ, સરળ અને આરોહ-અવરોહ જેવા, ઉદાસ અને આનંદ સભર, વર્તુળાકાર, વળાંક લેતા કે ધીરે ધીરે કે ઝડપથી આગળ વધતા તાલ ઇત્યાદિ માટે ઘણું કહી શકાય. એેમના પહેલાં એક હજાર વર્ષથી બંગાળી કવિતા અસ્તિત્વમાં હતી પણ ભાષાની સમગ્ર સમૃદ્ધિનો ઉપયોગ કરનારા તે સૌથી પહેલા હતા. કડીના વિવિધ પ્રકારોની શોધમાં રવીન્દ્રનાથનું એકલાનું પ્રદાન વધુ છે કે બધા જ અંગ્રેજ રોમેન્ટિક કવિઓનું, એ એક સંશોધનનો વિષય થઈ શકે! એેમના આંતરિક પ્રાસ, ધ્વનિ પર આધારિત પ્રાસ અને વર્ણાનુપ્રાસના ઉપયોગથી શબ્દો કે શ્લોકના એકબીજા સાથેના પડઘા ને પ્રતિક્રિયા પણ એક અભ્યાસનો વિષય જ છે. આ બધું એેમની ગીતોની પ્રેરણાનું પરિણામ હતું અને એેમણે પોતાના ચાળીસમા વર્ષ સુધીમાં સિદ્ધ કર્યું હતું જેનાથી બંગાળી કવિતામાં એક ક્રાંતિ આવી હતી. એેમના પુરોગામીઓનો સંપૂર્ણ વિલય થઈ ગયો હતો અને આધુનિક બંગાળી કવિ માટે રવીન્દ્રનાથ એક આદિકવિ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા કારણ કે એમણે દર્શાવ્યું હતું કે એક કવિતામાં કેટલું કાવ્ય સમાવી શકાય છે!
રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિને તેમના બીજાં લખાણોથી છૂટી પાડીને તેની ઉત્કૃષ્ટતા માટે જવાબદાર પરિબળોનો અભ્યાસ અર્થપૂર્ણ થઈ પડશે. તેમની કવિતાના પ્રકાર અને વિષયમાં વિપુલ વૈવિધ્ય છે. એક લેખક તરીકે અને ખાસ કરીને કવિતાના સર્જક તરીકે રવીન્દ્રનાથ સર્વતોમુખી હતા - જેમ પિકાસો ચિત્રકાર તરીકે હતા તેમ. પિકાસોની જેમ જ તેમની પણ એકાધિક શૈલી હતી, સમયખંડ હતા, વિવિધ સામગ્રીનો ભંડાર હતો; તે તેમની કોઈ પણ નાની સરખી ધૂનને એક પ્રવાહની સહજતાથી અને સરળતાથી વ્યક્ત કરી શકતા હતા. જેમ પિકાસો એક જ ચિત્રની સરખી અને છતાંય જુદી, ઘણી આવૃત્તિઓ બનાવતા હતા તેમ જ રવીન્દ્રનાથ તેમના ગીતોનું કરતા. મેં કહ્યું તેમ તે દરેક અર્થમાં ગીતોના કવિ હતા પણ હવે તેમાં ફેરફાર કરવો પડશે. તેમનો મિજાજ ગીતમય છે અને જગતને જોવાનો વ્યક્તિગત અભિગમ છે; માટે જ એેમના નાટકોમાં કોઈ ખાસ લાક્ષણિકતા નથી અને એેમની પાછલી નવલકથાઓના પાત્રો એેમની પોતાની માફક જ બોલે છે. તદુપરાંત એેમના ઉત્તમ કાવ્યોમાંના મોટા ભાગના ગીતો છે કે પછી ટૂંકા કાવ્યો છે જે એેમની અસર માટે ગીતોના કવિ જેના ઉપર આધાર રાખે છે તેવા મંત્રોચ્ચાર જેવા તાલ, પ્રાસ કે ધ્રુવપદના પ્રયોગોથી સભર છે. મધુસુદનની ભવ્ય શૈલીને અવગણીને અને પોતાના પ્રયત્નોમાં યુરોપના રોમેન્ટિક અને ભારતના વૈષ્ણવ કવિઓના આદર્શને વણી લઈને રવીન્દ્રનાથે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ૧૯મી સદીના મહાકાવ્યના યુગ પછી તરત જ આવીને રવીન્દ્રનાથે તેની દરેક લાક્ષણિકતાને અવગણીને એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો; સાહિત્યિક મહાકાવ્યની નાટકીય અસરોને અવગણીને એેમણે જીવંત જગત પર અને વિષય માટે પુરાણકથાના નાયકોના પરાક્રમોને બદલે પોતાના હૃદય અને સમજ પર આધાર રાખ્યો હતો. એેમણે પ્રાસ અને શ્લોકની જાદુઈ શક્તિ પર અને પુનરાવર્તિત પંક્તિ કે શબ્દસમૂહની મનમોહક અસરનો સંપૂર્ણ લાભ લીધો હતો. તેના મિશ્રિત શબ્દ-ભંડાર અને અગણિત સ્વરાંત શબ્દોને કારણે બંગાળી એક સહજ પ્રાસ-સમૃદ્ધ ભાષા છે એમ કહેવું આજે આપણે માટે સહજ અને સામાન્ય વાત છે પણ તેની શોધ અને પ્રથમ પ્રયોગો રવીન્દ્રનાથે કર્યા હતા. એેમના શાસ્ત્રીય કૌશલ્યની વાત કરતાં એક પુસ્તક લખાય તેમ છે - એેમના બેવડાતા અને ત્રેવડાતા પ્રાસ, બે શબ્દોના સમૂહ જે હુમલો કરવા છૂપાયેલા પ્રાણીની જેમ વાચક પર તૂટી પડે, ત્રિપદી ને ચતુષ્પદી જેમાં ત્રીજી પંક્તિ એક અર્ધ-પ્રાસના પડઘા પર છૂટી પડી ગઈ હોય ઇત્યાદિ. તેમની શ્લોકની ગોઠવણી, લાંબી અને ટૂંકી પંક્તિઓની વચ્ચે હેરફેર, બંગાળી છંદનું પુનર્સર્જન, એેમના પ્રવાહી અને અટકતા તાલ, સરળ અને આરોહ-અવરોહ જેવા, ઉદાસ અને આનંદ સભર, વર્તુળાકાર, વળાંક લેતા કે ધીરે ધીરે કે ઝડપથી આગળ વધતા તાલ ઇત્યાદિ માટે ઘણું કહી શકાય. એેમના પહેલાં એક હજાર વર્ષથી બંગાળી કવિતા અસ્તિત્વમાં હતી પણ ભાષાની સમગ્ર સમૃદ્ધિનો ઉપયોગ કરનારા તે સૌથી પહેલા હતા. કડીના વિવિધ પ્રકારોની શોધમાં રવીન્દ્રનાથનું એકલાનું પ્રદાન વધુ છે કે બધા જ અંગ્રેજ રોમેન્ટિક કવિઓનું, એ એક સંશોધનનો વિષય થઈ શકે! એેમના આંતરિક પ્રાસ, ધ્વનિ પર આધારિત પ્રાસ અને વર્ણાનુપ્રાસના ઉપયોગથી શબ્દો કે શ્લોકના એકબીજા સાથેના પડઘા ને પ્રતિક્રિયા પણ એક અભ્યાસનો વિષય જ છે. આ બધું એેમની ગીતોની પ્રેરણાનું પરિણામ હતું અને એેમણે પોતાના ચાળીસમા વર્ષ સુધીમાં સિદ્ધ કર્યું હતું જેનાથી બંગાળી કવિતામાં એક ક્રાંતિ આવી હતી. એેમના પુરોગામીઓનો સંપૂર્ણ વિલય થઈ ગયો હતો અને આધુનિક બંગાળી કવિ માટે રવીન્દ્રનાથ એક આદિકવિ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા કારણ કે એમણે દર્શાવ્યું હતું કે એક કવિતામાં કેટલું કાવ્ય સમાવી શકાય છે!


બીજું બધું બાજુ પર મૂકીને એક જ દિશામાં આગળ વધવા માટે તે ઘણા મેધાવી, ઘણા સક્રિય અને ઘણા વિકાસશીલ હતા. એમણે દીર્ઘ કાવ્ય કે બોધદાયક અથવા વર્ણનાત્મક કાવ્યોનો પણ સંપૂર્ણ અસ્વીકાર કર્યો ન હતો. એેમણે વર્ણનાત્મક અને નાટકીય કાવ્યો, વ્યંગાત્મક અને નૈતિક સિદ્ધાંત પ્રસ્થાપિત કરતું પદ્ય, ઐતિહાસિક લોકગીતો તેમ જ પાઠ્યપુસ્તક માટેના આદર્શ કાવ્યો પણ લખ્યાં છે. એેમણે ભારતના ભૂતકાળને ખંખોળ્યો હતો અને એેમના અજ્ઞાનગ્રસ્ત સમકાલીનો માટેે તર્કનો પ્રકાશ પાથર્યો હતો. એમણે વક્તૃત્વપૂર્ણ શૈલીમાં ઉત્તેજક કાવ્યો લખ્યાં હતાં; આ ‘સૂક્ષ્મ ભેદમાં પારંગત મહાશય’થી વાક્પટુતા છોડી શકાતી ન હતી. એેમના એક પછી એક પ્રગટ થતાં પુસ્તકોમાં એેમના પ્રેમ અને પ્રકૃતિનાં, નરી કલ્પનાનાં કાવ્યો સાથે તે પ્રાસબદ્ધ મનોરંજક કે બોધક, ટૂચકો કે બોધકથા પ્રસ્તુત કરી દેતા. તમને અંગત રીતે સ્પર્શતા કાવ્યને એવું કાવ્ય પણ અનુસરી શકે જેનો પાઠ જાહેર સભામાં આવેશપૂર્વક કરી શકાય! આવું વિશાળ હતું એમનું ફલક અને ક્ષેત્ર અને એમના મિજાજના અનપેક્ષિત વિવિધ ભાવ. એેમના સર્જનોમાં આપણને ઘણી જાતજાતની કવિતાઓના ઉદાહરણો જોવા મળે છે; એેમને વધુ વાંચતા એક આખી શ્રેણીબદ્ધ વ્યવસ્થા વધુ સ્પષ્ટ થાય છે. પ્રકાર ગમે તે હોય, મોટે ભાગે તે સારું પદ્ય હોય છે, ક્યારેક કવિતા વિનાનું સારું પદ્ય પણ હોય પણ સામાન્યત: સારી કવિતા પણ તેમાં પ્રસ્તુત હોય. પણ કવિતાની ગુણવત્તા દરેક કાવ્યમાં બદલાતી રહે; સૌંદર્યશાસ્ત્રના કોઈ પણ એક જ સિદ્ધાંતને વળગી રહેવાને બદલે રવીન્દ્રનાથ આશ્ચર્યજનક ચપળતાથી કાવ્યની જુદી જુદી વિભાવના સાથે સુસંગત બની શકે છે. આપણે સાચા અર્થમાં એમનામાં એકમાં અનેક કવિ જોઈ શકીએ છીએ કારણ કે તે ક્યારેક પ્રતિષ્ઠિત કવિ પાસેથી ઓછામાં ઓછી અપેક્ષા રાખીએ તેવું ધરી શકે છે તો ક્યારેક આપણને વધુમાં વધુ સ્પર્શે તેવી કવિતા ધરે છે અને આ બે છેડાની વચ્ચે વિભાગો છે. હવે આપણે જોઈશું કે આવું કેવી રીતે થાય છે.
બીજું બધું બાજુ પર મૂકીને એક જ દિશામાં આગળ વધવા માટે તે ઘણા મેધાવી, ઘણા સક્રિય અને ઘણા વિકાસશીલ હતા. એમણે દીર્ઘ કાવ્ય કે બોધદાયક અથવા વર્ણનાત્મક કાવ્યોનો પણ સંપૂર્ણ અસ્વીકાર કર્યો ન હતો. એેમણે વર્ણનાત્મક અને નાટકીય કાવ્યો, વ્યંગાત્મક અને નૈતિક સિદ્ધાંત પ્રસ્થાપિત કરતું પદ્ય, ઐતિહાસિક લોકગીતો તેમ જ પાઠ્યપુસ્તક માટેના આદર્શ કાવ્યો પણ લખ્યાં છે. એેમણે ભારતના ભૂતકાળને ખંખોળ્યો હતો અને એેમના અજ્ઞાનગ્રસ્ત સમકાલીનો માટે તર્કનો પ્રકાશ પાથર્યો હતો. એમણે વક્તૃત્વપૂર્ણ શૈલીમાં ઉત્તેજક કાવ્યો લખ્યાં હતાં; આ ‘સૂક્ષ્મ ભેદમાં પારંગત મહાશય’થી વાક્પટુતા છોડી શકાતી ન હતી. એેમના એક પછી એક પ્રગટ થતાં પુસ્તકોમાં એેમના પ્રેમ અને પ્રકૃતિનાં, નરી કલ્પનાનાં કાવ્યો સાથે તે પ્રાસબદ્ધ મનોરંજક કે બોધક, ટૂચકો કે બોધકથા પ્રસ્તુત કરી દેતા. તમને અંગત રીતે સ્પર્શતા કાવ્યને એવું કાવ્ય પણ અનુસરી શકે જેનો પાઠ જાહેર સભામાં આવેશપૂર્વક કરી શકાય! આવું વિશાળ હતું એમનું ફલક અને ક્ષેત્ર અને એમના મિજાજના અનપેક્ષિત વિવિધ ભાવ. એેમના સર્જનોમાં આપણને ઘણી જાતજાતની કવિતાઓના ઉદાહરણો જોવા મળે છે; એેમને વધુ વાંચતા એક આખી શ્રેણીબદ્ધ વ્યવસ્થા વધુ સ્પષ્ટ થાય છે. પ્રકાર ગમે તે હોય, મોટે ભાગે તે સારું પદ્ય હોય છે, ક્યારેક કવિતા વિનાનું સારું પદ્ય પણ હોય પણ સામાન્યત: સારી કવિતા પણ તેમાં પ્રસ્તુત હોય. પણ કવિતાની ગુણવત્તા દરેક કાવ્યમાં બદલાતી રહે; સૌંદર્યશાસ્ત્રના કોઈ પણ એક જ સિદ્ધાંતને વળગી રહેવાને બદલે રવીન્દ્રનાથ આશ્ચર્યજનક ચપળતાથી કાવ્યની જુદી જુદી વિભાવના સાથે સુસંગત બની શકે છે. આપણે સાચા અર્થમાં એમનામાં એકમાં અનેક કવિ જોઈ શકીએ છીએ કારણ કે તે ક્યારેક પ્રતિષ્ઠિત કવિ પાસેથી ઓછામાં ઓછી અપેક્ષા રાખીએ તેવું ધરી શકે છે તો ક્યારેક આપણને વધુમાં વધુ સ્પર્શે તેવી કવિતા ધરે છે અને આ બે છેડાની વચ્ચે વિભાગો છે. હવે આપણે જોઈશું કે આવું કેવી રીતે થાય છે.


મેં કિશોરાવસ્થામાં વાંચેલા રવીન્દ્રનાથના ઘણા કાવ્યોમાંનું એક, જે મને ફરીથી વાંચવાનું ક્યારેય મન નથી થયું અને છતાંય મને યાદ છે, તેનો મને ક્યારેક વિચાર આવે છે. તેનું શીર્ષક છે: ‘પુરાતન ભૃત્ય’. તેમાં વાત છે એક અત્યંત વફાદાર પણ મૂરખ, પોતાના કામમાં આણઘડ અને મિત-પુરસ્કારિત ચાકરની જે પોતાના માલિકની શીતળાની માંદગી દરમિયાન સંપૂર્ણ નિષ્ઠાથી ચાકરી કરે છે અને માલિક સારા થતાં અંતે તેના ચેપનો ભોગ બની મૃત્યુ પામે છે. આ લાગણીપૂર્ણ ઘટના રવીન્દ્રનાથના ગદ્યમાં પણ લખાઈ હોત તો તે વાંચવાનું મન થાય તે અસંભવ લાગે છે. રવીન્દ્રનાથે આ વાત ગદ્યમાં લખી પણ ન હોત. પદ્યમાં પણ લખવાનું એક માત્ર કારણ એેમના કૌશલનો ઉપયોગ કરવાનો હોય એમ લાગે છે. અને મારે આ જ વાત પર ધ્યાન દોરવું છે. એેમણે જોમદાર છંદ પસંદ કરી, અંત્ય અને મધ્યપ્રાસનો ઉપયોગ કરી, થોડાક શ્લેષ અને વિનોદવૃત્તિનો છંટકાવ કરીને આ કાવ્યમાં પ્રાણ રેડ્યા છે; ટૂંકમાં એમણે આવી સામગ્રીમાંથી પણ ઉત્તમ પદ્યનું સર્જન કર્યું. આ ગદ્ય અને પદ્ય વચ્ચેનું સીમાંત દૃષ્ટાંત છે; તમે એમ કહી શકો કે એમાં અલ્પતમ કવિતા છે કે પછી છંદ અને પ્રાસ મિશ્રિત ગદ્ય છે; એમાંથી પ્રાસ અને છંદનું આગવું મૂલ્ય પ્રગટ થાય છે જેના વિના આ વાર્તા કોઈ જ કામની ન રહેત!
મેં કિશોરાવસ્થામાં વાંચેલા રવીન્દ્રનાથના ઘણા કાવ્યોમાંનું એક, જે મને ફરીથી વાંચવાનું ક્યારેય મન નથી થયું અને છતાંય મને યાદ છે, તેનો મને ક્યારેક વિચાર આવે છે. તેનું શીર્ષક છે: ‘પુરાતન ભૃત્ય’. તેમાં વાત છે એક અત્યંત વફાદાર પણ મૂરખ, પોતાના કામમાં આણઘડ અને મિત-પુરસ્કારિત ચાકરની જે પોતાના માલિકની શીતળાની માંદગી દરમિયાન સંપૂર્ણ નિષ્ઠાથી ચાકરી કરે છે અને માલિક સારા થતાં અંતે તેના ચેપનો ભોગ બની મૃત્યુ પામે છે. આ લાગણીપૂર્ણ ઘટના રવીન્દ્રનાથના ગદ્યમાં પણ લખાઈ હોત તો તે વાંચવાનું મન થાય તે અસંભવ લાગે છે. રવીન્દ્રનાથે આ વાત ગદ્યમાં લખી પણ ન હોત. પદ્યમાં પણ લખવાનું એક માત્ર કારણ એેમના કૌશલનો ઉપયોગ કરવાનો હોય એમ લાગે છે. અને મારે આ જ વાત પર ધ્યાન દોરવું છે. એેમણે જોમદાર છંદ પસંદ કરી, અંત્ય અને મધ્યપ્રાસનો ઉપયોગ કરી, થોડાક શ્લેષ અને વિનોદવૃત્તિનો છંટકાવ કરીને આ કાવ્યમાં પ્રાણ રેડ્યા છે; ટૂંકમાં એમણે આવી સામગ્રીમાંથી પણ ઉત્તમ પદ્યનું સર્જન કર્યું. આ ગદ્ય અને પદ્ય વચ્ચેનું સીમાંત દૃષ્ટાંત છે; તમે એમ કહી શકો કે એમાં અલ્પતમ કવિતા છે કે પછી છંદ અને પ્રાસ મિશ્રિત ગદ્ય છે; એમાંથી પ્રાસ અને છંદનું આગવું મૂલ્ય પ્રગટ થાય છે જેના વિના આ વાર્તા કોઈ જ કામની ન રહેત!
Line 18: Line 18:
હું આરોહી ક્રમને અનુસરી રહ્યો છું પણ જે કાવ્યની મેં વાત કરી તે બીજા ત્રણ કરતાં વધુ સારૂં છે એટલું જ નહીં પણ તેની કોઈ પણ લાક્ષણિકતા બીજા ત્રણ કાવ્યો સાથે મળતી આવતી નથી. તે કોઈ વર્ણનાત્મક કાવ્ય નથી કે નથી તેમાં કોઈ કથાત્મક લક્ષણ; તેમાં વર્ણવેલી ઘટના પણ એવી છે જે કવિની સંવેદનાને મૂર્તિમંત કરવા માટે જરૂરી હોય અને જેના વિના કાવ્ય એક અચાનક ઊઠેલા ઉદ્‌ગાર સમું કે પછી પરંપરાને પડકારતી યુક્તિ સમું બની જાય છે. પહેલી જ પંક્તિથી તે ઝડપથી આગળ વધતું જાય છે - ક્યાંય ફંટાયા વિના કે કોઈ પણ અલંકૃત રૂપકો વિના. કદાચ એકાદ બે પ્રાસ થોડા ગોઠવેલા કે ઠોકી બેસાડેલા લાગે પણ એકંદરે બધા જ શબ્દો અનિવાર્યતાની છાપ ઊભી કરે છે. આ કાવ્યની એકમાત્ર ક્ષતિ છે તેનો રૂપકાત્મક આકાર; કોઈ પણ કલ્પના જ્યારે તેનાથી અતીત પ્રતિ ધ્યાન દોરે ત્યારે તેની ધાર અને સંવેદના જગવવાની શક્તિ ક્ષીણ થઈ જતી હોય છે. જ્યારે આપણે એમ નક્કી કરીએ કે ખેડૂત કવિ છે, ધાન તેની રચનાઓ છે અને નાવિક તેની ભાવિ પેઢીઓ છે ત્યારે આપણે માટે કાવ્યનો કાવ્ય તરીકે અંત આવે છે જે રવીન્દ્રનાથના બીજા અનેક કાવ્યોમાં નથી આવતો. એક સરસ કાવ્ય આપણને શબ્દના અર્થના સરવાળા કરતાં ઘણું વધારે તો કહે જ છે પણ જે કાવ્ય આપણને સૌથી વધુ કહે છે તેમાં ઉપરછલ્લો અર્થ તો રસપૂર્ણ હોય જ છે તદુપરાંત અગણિત અર્થઘટનોમાંનો એક પણ અર્થ સંપૂર્ણપણે સ્વીકાર્ય નથી હોતો. ‘શોનાર તરી’ આવું કાવ્ય તો નથી જ.
હું આરોહી ક્રમને અનુસરી રહ્યો છું પણ જે કાવ્યની મેં વાત કરી તે બીજા ત્રણ કરતાં વધુ સારૂં છે એટલું જ નહીં પણ તેની કોઈ પણ લાક્ષણિકતા બીજા ત્રણ કાવ્યો સાથે મળતી આવતી નથી. તે કોઈ વર્ણનાત્મક કાવ્ય નથી કે નથી તેમાં કોઈ કથાત્મક લક્ષણ; તેમાં વર્ણવેલી ઘટના પણ એવી છે જે કવિની સંવેદનાને મૂર્તિમંત કરવા માટે જરૂરી હોય અને જેના વિના કાવ્ય એક અચાનક ઊઠેલા ઉદ્‌ગાર સમું કે પછી પરંપરાને પડકારતી યુક્તિ સમું બની જાય છે. પહેલી જ પંક્તિથી તે ઝડપથી આગળ વધતું જાય છે - ક્યાંય ફંટાયા વિના કે કોઈ પણ અલંકૃત રૂપકો વિના. કદાચ એકાદ બે પ્રાસ થોડા ગોઠવેલા કે ઠોકી બેસાડેલા લાગે પણ એકંદરે બધા જ શબ્દો અનિવાર્યતાની છાપ ઊભી કરે છે. આ કાવ્યની એકમાત્ર ક્ષતિ છે તેનો રૂપકાત્મક આકાર; કોઈ પણ કલ્પના જ્યારે તેનાથી અતીત પ્રતિ ધ્યાન દોરે ત્યારે તેની ધાર અને સંવેદના જગવવાની શક્તિ ક્ષીણ થઈ જતી હોય છે. જ્યારે આપણે એમ નક્કી કરીએ કે ખેડૂત કવિ છે, ધાન તેની રચનાઓ છે અને નાવિક તેની ભાવિ પેઢીઓ છે ત્યારે આપણે માટે કાવ્યનો કાવ્ય તરીકે અંત આવે છે જે રવીન્દ્રનાથના બીજા અનેક કાવ્યોમાં નથી આવતો. એક સરસ કાવ્ય આપણને શબ્દના અર્થના સરવાળા કરતાં ઘણું વધારે તો કહે જ છે પણ જે કાવ્ય આપણને સૌથી વધુ કહે છે તેમાં ઉપરછલ્લો અર્થ તો રસપૂર્ણ હોય જ છે તદુપરાંત અગણિત અર્થઘટનોમાંનો એક પણ અર્થ સંપૂર્ણપણે સ્વીકાર્ય નથી હોતો. ‘શોનાર તરી’ આવું કાવ્ય તો નથી જ.


બંગાળમાં રવીન્દ્રનાથની કવિ તરીકેની પ્રસિદ્ધિ આવાં કાવ્યો પર આધાર રાખે છે. એમનો કાવ્યભંડાર વિદ્યાર્થીઓ ગાઈ શકે તેવાં, ભાટ-ચારણો લલકારી શકે તેવાં અને શિક્ષકો નૈતિક શિક્ષણ માટે વાપરી શકે તેવાં કાવ્યોથી ભારપૂર છે. જો તમે કાવ્યશાસ્ત્રના શિક્ષણનો પહેલો પાઠ શીખવવા માંગતા હો તો રવીન્દ્રનાથ તમને પૂરતી સામગ્રી પૂરી પાડી શકશે કારણ કે એેમની પાસે વાંચતા ન શીખેલા બાળકથી માંડીને બધાંને માટે કાંઈક ને કાંઈક તો છે જ. આવાં કાવ્યોમાં તેમના વર્ગમાં શ્રેષ્ઠ હોય તેવાં કાવ્યો છે તેમ જ ‘શોનાર તરી’ જેવાં જુદા જુદા સ્તરે જુદા જુદા વર્ગના વાંચકો માણી શકે તેવાં કાવ્યો પણ છે. રવીન્દ્રનાથનાં એવાં પણ કાવ્યો છે જે ગંભીર, ગહન કે નૂતન દૃષ્ટિકોણ કે અભિગમ પ્રગટ કરનારાં નથી પણ સુદૃઢ અને ઉલ્લાસ-સભર છે અને અર્ધસદીના શૈક્ષણિક વર્ગના વપરાશ પછી પણ હજી ફિક્કા નથી પડ્યાં! દાખલા તરીકે રવીન્દ્રનાથના ઐતિહાસિક કથાકાવ્યો - મારા નમ્ર મતાનુસાર સ્કોટ કરતાં ઘણાં વધારે ઉત્તમ - જેનું કલાચાતુર્ય કોઈ પણ નીર-ક્ષીર ભેદ જાણનાર વાચકને પ્રભાવિત કર્યા વિના ન રહે! કે પછી જુઓ કાવ્યનાટ્ય, ‘લક્ષ્મીર પરીક્ષા’ - કેવું હળવું, રમુજસભર, વિનોદવૃત્તિથી ઝળહળતું, પ્રાસ અને ઘરેલુ કહેવતોના ચાતુર્યપૂર્ણ પ્રયોગોથી ભરપૂર - એક વખત તો આપણે તેના ચવાઈ ગયેલા નૈતિક સંદેશ અને કાવ્યમય ન્યાયના અભાવને ભૂલી જવા તૈયાર થઈ જઈએ! વળી યાદ આવે પેલું અર્થહીન જોડકણાંનું પુસ્તક જેને એમણે ‘ખાપછાડા’ નામે પ્રગટ કર્યું હતું અને કાવ્ય જેટલાં જ સુંદર ચિત્રોથી શણગાર્યું હતું - માત્ર તરંગો અને વિવિધ ટીખળ, જેમાં એક પ્રખર ગુરૂનો દૃઢ હાથ સ્પષ્ટ દેખાતો હતો. અને વૃદ્ધાવસ્થામાં લખેલું બારાખડીનું પુસ્તક જેમાં બાળકો માટેના જોડકણાંમાં એવી સ્પષ્ટ લાક્ષણિકતા નજરે ચડે છે કે તેના વિના રવીન્દ્રનાથની કવિતાની વાત થઈ ન શકે! આ બધાંના કારણે અને એેમના ગીતોના કારણે રવીન્દ્રનાથ જનતાના તેમ જ બંગાળના જાહેર અને અંગત જીવનના પ્રતિષ્ઠાતા બની ગયા છે.
બંગાળમાં રવીન્દ્રનાથની કવિ તરીકેની પ્રસિદ્ધિ આવાં કાવ્યો પર આધાર રાખે છે. એમનો કાવ્યભંડાર વિદ્યાર્થીઓ ગાઈ શકે તેવાં, ભાટ-ચારણો લલકારી શકે તેવાં અને શિક્ષકો નૈતિક શિક્ષણ માટે વાપરી શકે તેવાં કાવ્યોથી ભારપૂર છે. જો તમે કાવ્યશાસ્ત્રના શિક્ષણનો પહેલો પાઠ શીખવવા માંગતા હો તો રવીન્દ્રનાથ તમને પૂરતી સામગ્રી પૂરી પાડી શકશે કારણ કે એેમની પાસે વાંચતા ન શીખેલા બાળકથી માંડીને બધાંને માટે કાંઈક ને કાંઈક તો છે જ. આવાં કાવ્યોમાં તેમના વર્ગમાં શ્રેષ્ઠ હોય તેવાં કાવ્યો છે તેમ જ ‘શોનાર તરી’ જેવાં જુદા જુદા સ્તરે જુદા જુદા વર્ગના વાચકો માણી શકે તેવાં કાવ્યો પણ છે. રવીન્દ્રનાથનાં એવાં પણ કાવ્યો છે જે ગંભીર, ગહન કે નૂતન દૃષ્ટિકોણ કે અભિગમ પ્રગટ કરનારાં નથી પણ સુદૃઢ અને ઉલ્લાસ-સભર છે અને અર્ધસદીના શૈક્ષણિક વર્ગના વપરાશ પછી પણ હજી ફિક્કા નથી પડ્યાં! દાખલા તરીકે રવીન્દ્રનાથના ઐતિહાસિક કથાકાવ્યો - મારા નમ્ર મતાનુસાર સ્કોટ કરતાં ઘણાં વધારે ઉત્તમ - જેનું કલાચાતુર્ય કોઈ પણ નીર-ક્ષીર ભેદ જાણનાર વાચકને પ્રભાવિત કર્યા વિના ન રહે! કે પછી જુઓ કાવ્યનાટ્ય, ‘લક્ષ્મીર પરીક્ષા’ - કેવું હળવું, રમુજસભર, વિનોદવૃત્તિથી ઝળહળતું, પ્રાસ અને ઘરેલુ કહેવતોના ચાતુર્યપૂર્ણ પ્રયોગોથી ભરપૂર - એક વખત તો આપણે તેના ચવાઈ ગયેલા નૈતિક સંદેશ અને કાવ્યમય ન્યાયના અભાવને ભૂલી જવા તૈયાર થઈ જઈએ! વળી યાદ આવે પેલું અર્થહીન જોડકણાંનું પુસ્તક જેને એમણે ‘ખાપછાડા’ નામે પ્રગટ કર્યું હતું અને કાવ્ય જેટલાં જ સુંદર ચિત્રોથી શણગાર્યું હતું - માત્ર તરંગો અને વિવિધ ટીખળ, જેમાં એક પ્રખર ગુરૂનો દૃઢ હાથ સ્પષ્ટ દેખાતો હતો. અને વૃદ્ધાવસ્થામાં લખેલું બારાખડીનું પુસ્તક જેમાં બાળકો માટેના જોડકણાંમાં એવી સ્પષ્ટ લાક્ષણિકતા નજરે ચડે છે કે તેના વિના રવીન્દ્રનાથની કવિતાની વાત થઈ ન શકે! આ બધાંના કારણે અને એેમના ગીતોના કારણે રવીન્દ્રનાથ જનતાના તેમ જ બંગાળના જાહેર અને અંગત જીવનના પ્રતિષ્ઠાતા બની ગયા છે.


હવે આપણે જોઈએ અંત:સ્ફૂરિત રવીન્દ્રનાથ, જે વૈવિધ્યપૂર્ણ હોય કે ન હોય પણ જે કવિતાને બધી જ  
હવે આપણે જોઈએ અંત:સ્ફૂરિત રવીન્દ્રનાથ, જે વૈવિધ્યપૂર્ણ હોય કે ન હોય પણ જે કવિતાને બધી જ  
Line 32: Line 32:
કાવ્યનો મુખ્ય શબ્દ છે ‘અકારણે’. દરેક કડીની અંતિમ પંક્તિનો અંતિમ શબ્દ છે ‘અકારણે’. એનો અર્થ થાય વ્યર્થ, હેતુહીન, કારણ વિના. આ શબ્દ રવીન્દ્રનાથનાં કાવ્યોમાં વારંવાર મળી આવે છે અને ક્યારેક તેનો કાંઈ ખાસ હેતુ નથી હોતો પણ અહીં તેનું ખૂબ મહત્વ છે. કન્યાના ત્રણે નિર્ણય નકામા છે. તેના દીવાનું પ્રવાહને, આકાશને કે અગણિત દીવાઓને કાંઈ જ પ્રયોજન નથી, જરૂર નથી. તે કોઈ વિકૃત વ્યક્તિ લાગે છે જે પોતાની અમૂલ્ય મિલકતને સંવેદનાહીન પદાર્થો પર ન્યોછાવર કરી દે છે. મનને જે જોઈએ છે અને જેને માટે તે લાયકાત ધરાવે છે તે મળતું નથી અને પ્રકૃતિને જેની કોઈ જરૂર નથી તે મળે છે; કોઈને ફાયદો નથી થતો. અંતિમ કડીમાંની અસ્પષ્ટતાને કારણે કાવ્યનું બળ વધી જાય છે; અંગ્રેજી અનુવાદમાં રવીન્દ્રનાથ દિપાલિને ‘પ્રકાશનો ઉત્સવ’ કહે છે; આનો સંદર્ભ દિવાળીનો ઉત્સવ પણ હોઈ શકે કારણ તે ઋતુ પ્રમાણે અને આગળ વાત કરી તે ‘શૂન્યાવકાશમાં બળતો દીવો’ની સાથે પણ બંધબેસતું આવે છે. પણ મને એમ લાગે છે કે જો આનો અર્થ ભારતમાં ચંદ્રવિહીન રાત્રિને પ્રકાશમય બનાવતા અગણિત તારા કરવામાં આવે તો ભાવ અદ્‌ભુત થઈ જાય. નાનકડો દીવો જે કન્યા પોતાની છાતીસરસો રાખે છે તે છે પ્રેમનો દીવો અને તે વ્યર્થ વેડફાય છે મૂળ તત્વો - પંચભૂત - પર, પાણી, હવા અને અંતે તારકોના ઉત્સવ પર - સાચા અર્થમાં ઉત્સવ નહીં, પણ એક અર્થહીન, જડ આશ્ચર્ય! એક તરફ સચેતન માણસની જરૂરિયાતને અવગણીને તેને દારિદ્ર્યમાં સબડવા દેવાય છે અને બીજી તરફ ભૌતિક પદાર્થો, જેને કોઈ જ જરૂરિયાત નથી તેને અર્પણ કરવામાં આવે છે. આપણે એમ ન કહી શકીએ કે કન્યા પ્રકૃતિનું પ્રતીક છે માટે માણસને અનાવશ્યક માને છે? આ કાવ્ય માનવ સ્વભાવની દ્વિધાનું નિરૂપણ છે જે પોતાની ઈચ્છા બ્રહ્માંડ પર લાદવા અથાગ પ્રયત્નો કરે છે પણ બ્રહ્માંડ તો બીજા જ નિયમોને અનુસરે છે જે અ-નૈતિક અને અ-માનવીય છે. પણ આ કાવ્યમાં કોઈ રૂપક નથી અને તે જ તેનું જમા પાસું છે. વધારે વિચારતાં જે સીધેસીધું કહેવાયું છે તે ખૂબ જ અસરકારક લાગે છે. એક જાતની વ્યર્થતાનો ભાવ, એકલતાનો ભાવ, વૈશ્વિક નિષ્ફળતાનો ભાવ ઉપસી આવે છે. રવીન્દ્રનાથની એક પરમ શ્રદ્ધાળુ અને આજન્મ આશાવાદીની પ્રચલિત છાપને આ બંને કાવ્યો પડકારે છે અને એમ કરવામાં બીજા ઘણાં કાવ્યો તેમનો સાથ આપે તેમ છે.
કાવ્યનો મુખ્ય શબ્દ છે ‘અકારણે’. દરેક કડીની અંતિમ પંક્તિનો અંતિમ શબ્દ છે ‘અકારણે’. એનો અર્થ થાય વ્યર્થ, હેતુહીન, કારણ વિના. આ શબ્દ રવીન્દ્રનાથનાં કાવ્યોમાં વારંવાર મળી આવે છે અને ક્યારેક તેનો કાંઈ ખાસ હેતુ નથી હોતો પણ અહીં તેનું ખૂબ મહત્વ છે. કન્યાના ત્રણે નિર્ણય નકામા છે. તેના દીવાનું પ્રવાહને, આકાશને કે અગણિત દીવાઓને કાંઈ જ પ્રયોજન નથી, જરૂર નથી. તે કોઈ વિકૃત વ્યક્તિ લાગે છે જે પોતાની અમૂલ્ય મિલકતને સંવેદનાહીન પદાર્થો પર ન્યોછાવર કરી દે છે. મનને જે જોઈએ છે અને જેને માટે તે લાયકાત ધરાવે છે તે મળતું નથી અને પ્રકૃતિને જેની કોઈ જરૂર નથી તે મળે છે; કોઈને ફાયદો નથી થતો. અંતિમ કડીમાંની અસ્પષ્ટતાને કારણે કાવ્યનું બળ વધી જાય છે; અંગ્રેજી અનુવાદમાં રવીન્દ્રનાથ દિપાલિને ‘પ્રકાશનો ઉત્સવ’ કહે છે; આનો સંદર્ભ દિવાળીનો ઉત્સવ પણ હોઈ શકે કારણ તે ઋતુ પ્રમાણે અને આગળ વાત કરી તે ‘શૂન્યાવકાશમાં બળતો દીવો’ની સાથે પણ બંધબેસતું આવે છે. પણ મને એમ લાગે છે કે જો આનો અર્થ ભારતમાં ચંદ્રવિહીન રાત્રિને પ્રકાશમય બનાવતા અગણિત તારા કરવામાં આવે તો ભાવ અદ્‌ભુત થઈ જાય. નાનકડો દીવો જે કન્યા પોતાની છાતીસરસો રાખે છે તે છે પ્રેમનો દીવો અને તે વ્યર્થ વેડફાય છે મૂળ તત્વો - પંચભૂત - પર, પાણી, હવા અને અંતે તારકોના ઉત્સવ પર - સાચા અર્થમાં ઉત્સવ નહીં, પણ એક અર્થહીન, જડ આશ્ચર્ય! એક તરફ સચેતન માણસની જરૂરિયાતને અવગણીને તેને દારિદ્ર્યમાં સબડવા દેવાય છે અને બીજી તરફ ભૌતિક પદાર્થો, જેને કોઈ જ જરૂરિયાત નથી તેને અર્પણ કરવામાં આવે છે. આપણે એમ ન કહી શકીએ કે કન્યા પ્રકૃતિનું પ્રતીક છે માટે માણસને અનાવશ્યક માને છે? આ કાવ્ય માનવ સ્વભાવની દ્વિધાનું નિરૂપણ છે જે પોતાની ઈચ્છા બ્રહ્માંડ પર લાદવા અથાગ પ્રયત્નો કરે છે પણ બ્રહ્માંડ તો બીજા જ નિયમોને અનુસરે છે જે અ-નૈતિક અને અ-માનવીય છે. પણ આ કાવ્યમાં કોઈ રૂપક નથી અને તે જ તેનું જમા પાસું છે. વધારે વિચારતાં જે સીધેસીધું કહેવાયું છે તે ખૂબ જ અસરકારક લાગે છે. એક જાતની વ્યર્થતાનો ભાવ, એકલતાનો ભાવ, વૈશ્વિક નિષ્ફળતાનો ભાવ ઉપસી આવે છે. રવીન્દ્રનાથની એક પરમ શ્રદ્ધાળુ અને આજન્મ આશાવાદીની પ્રચલિત છાપને આ બંને કાવ્યો પડકારે છે અને એમ કરવામાં બીજા ઘણાં કાવ્યો તેમનો સાથ આપે તેમ છે.


તમને થશે કે રવીન્દ્રનાથ કેમ વધુ સુદૃઢ માપદંડ નહીં વાપરતા હોય? તે જો આવી ઊંચાઈ પર પહોંચી શકતા હતા તો પછી ઢાળ પર કેમ રોકાઈ જતા હશે? આનાં કારણો ઐતિહાસિક પરિસ્થિતિમાં મળે છે. અત્યંત મેધાવી હોઈને પણ તેમના જન્મ સમયે બંગાળી ભાષા અપરિપક્વ હોવાથી સમગ્ર બંગાળી ભાષાની જવાબદારી તેમના માથે આવી ગઈ હતી. બીજા સાહિત્યમાં નાના ગજાના કવિઓ જે કામ કરતાં તે બધું જ તેમણે એકલે હાથે કરવાનું હતું. કાવ્યના પ્રકારો, છંદના આકારો અને સમગ્ર ભાષાનું સર્જન અને પુનર્સર્જન તેમણે કર્યું હતું. તેમના પહેલાંની બંગાળી કવિતાને જોતાં આપણને આશ્ચર્ય નથી થતું કે પોતાના ભાષા પરના પ્રભુત્વથી મંત્રમુગ્ધ થઈને ક્યારેક તે શબ્દોને પોતાના કાબૂમાં રાખવાને બદલે તેમના હાથમાં લગામ સોંપી દેતા. જે નાનું નાનું કામ તે સહજતાથી રમતા રમતા કરતા કે પછી બીજું કોઈ કરનાર હતું નહીં માટે કરતા તે બધું બંગાળી કવિતાના વિકાસના ભિન્ન ભિન્ન તબક્કા બની રહ્યા. તેમને માટે કાવ્ય લખવાનું કામ એટલે પરંપરા આત્મસાત કરવા જેવું હતું. વિદેશી રાજ્ય અને લુપ્ત સમૃદ્ધિને કારણે તેમના પર લદાયેલા ઉત્કટ રાષ્ટ્રવાદ સાથે પરંપરાનો સંબંધ ૧૯મી સદીના બંગાળી લેખકો માટે અત્યંત ગાઢ હતો. રવીન્દ્રનાથ પોતાના સમય સાથે તાલ મિલાવતા હોઈ તેમના સર્જનોમાં ઐતિહાસિક અને આદર્શ ભારતના પ્રાણ પૂરતા. તેમના ગદ્ય અને પદ્યનો વિચાર કરતાં એમ લાગે કે જાણે તે ગત સમય સાથે હિસાબ ચૂકતે કરતા હતા; તેમના પુસ્તકોમાં સમગ્ર ભારતના આરોહ અને અવરોહ સંભળાય છે; એક પછી એક ઊઠતા તરંગોમાં ઉપનિષદોનું ભારત, મહાભારત અને કાલિદાસ, વૈષ્ણવ અને બીજા મધ્યયુગી રહસ્યવાદી, પઠાણ, મોગલ, રાજપુત, મરાઠા; આ દરેક તબક્રા વિષે લખીને તે કેવી રીતે તેમાંથી બહાર નીકળતા તે એક આશ્ચર્યકારક ઘટના છે. તેમાં જેના આકાશ અને વાયુ તેમના હૃદયમાં બંસરી વગાડતા તે તેમનું પ્રિય સોનેરી બંગાળ પણ છે. અંતે તે તેમની માતૃભૂમિને અતિક્રમીને જગતમાં પહોંચે છે - તે મહાન, વિશાળ, સુદૂર પણ એમને માટે આવેગપૂર્ણ બંસરી વગાડે છે. જગતને પણ તે પોતાની કવિતામાં વ્યવસ્થિત રીતે ન્યાય આપીને આપણને ધરે છે. આપણે તેની સાથે મનપસંદ વહેવાર કરી શકીએ તે માટે! જો આપણને એમ લાગે કે એેમનાં આત્મવિજયનાં કાવ્યો ઘણાં ઓછાં છે તો આપણે યાદ રાખવું જોઈએ કે એેમની દરેક ઉમેરણીથી બંગાળ અને આધુનિક ભારતને લાભ થયો છે. રવીન્દ્રનાથમાં એક અસંગતિ છે; જો એેમણે ઉત્કૃષ્ટતા જ લક્ષ્યમાં રાખી હોત તો એેમણે દેશમાં ઓછી કીર્તિ પ્રાપ્ત કરી હોત પણ ભાવિ કવિઓમાં ઘણી વધારે! પુષ્કળ લખીને, કદાચ વધારે પડતું લખીને તે જરૂર એક મહામાનવ થઈ ગયા જેને માટે કાંઈ પણ સાચું હતું કારણ કે તે તેણે કર્યું હતું!
તમને થશે કે રવીન્દ્રનાથ કેમ વધુ સુદૃઢ માપદંડ નહીં વાપરતા હોય? તે જો આવી ઊંચાઈ પર પહોંચી શકતા હતા તો પછી ઢાળ પર કેમ રોકાઈ જતા હશે? આનાં કારણો ઐતિહાસિક પરિસ્થિતિમાં મળે છે. અત્યંત મેધાવી હોઈને પણ તેમના જન્મ સમયે બંગાળી ભાષા અપરિપક્વ હોવાથી સમગ્ર બંગાળી ભાષાની જવાબદારી તેમના માથે આવી ગઈ હતી. બીજા સાહિત્યમાં નાના ગજાના કવિઓ જે કામ કરતાં તે બધું જ તેમણે એકલે હાથે કરવાનું હતું. કાવ્યના પ્રકારો, છંદના આકારો અને સમગ્ર ભાષાનું સર્જન અને પુનર્સર્જન તેમણે કર્યું હતું. તેમના પહેલાંની બંગાળી કવિતાને જોતાં આપણને આશ્ચર્ય નથી થતું કે પોતાના ભાષા પરના પ્રભુત્વથી મંત્રમુગ્ધ થઈને ક્યારેક તે શબ્દોને પોતાના કાબૂમાં રાખવાને બદલે તેમના હાથમાં લગામ સોંપી દેતા. જે નાનું નાનું કામ તે સહજતાથી રમતા રમતા કરતા કે પછી બીજું કોઈ કરનાર હતું નહીં માટે કરતા તે બધું બંગાળી કવિતાના વિકાસના ભિન્ન ભિન્ન તબક્કા બની રહ્યા. તેમને માટે કાવ્ય લખવાનું કામ એટલે પરંપરા આત્મસાત કરવા જેવું હતું. વિદેશી રાજ્ય અને લુપ્ત સમૃદ્ધિને કારણે તેમના પર લદાયેલા ઉત્કટ રાષ્ટ્રવાદ સાથે પરંપરાનો સંબંધ ૧૯મી સદીના બંગાળી લેખકો માટે અત્યંત ગાઢ હતો. રવીન્દ્રનાથ પોતાના સમય સાથે તાલ મિલાવતા હોઈ તેમના સર્જનોમાં ઐતિહાસિક અને આદર્શ ભારતના પ્રાણ પૂરતા. તેમના ગદ્ય અને પદ્યનો વિચાર કરતાં એમ લાગે કે જાણે તે ગત સમય સાથે હિસાબ ચૂકતે કરતા હતા; તેમના પુસ્તકોમાં સમગ્ર ભારતના આરોહ અને અવરોહ સંભળાય છે; એક પછી એક ઊઠતા તરંગોમાં ઉપનિષદોનું ભારત, મહાભારત અને કાલિદાસ, વૈષ્ણવ અને બીજા મધ્યયુગી રહસ્યવાદી, પઠાણ, મોગલ, રાજપુત, મરાઠા; આ દરેક તબક્કા વિષે લખીને તે કેવી રીતે તેમાંથી બહાર નીકળતા તે એક આશ્ચર્યકારક ઘટના છે. તેમાં જેના આકાશ અને વાયુ તેમના હૃદયમાં બંસરી વગાડતા તે તેમનું પ્રિય સોનેરી બંગાળ પણ છે. અંતે તે તેમની માતૃભૂમિને અતિક્રમીને જગતમાં પહોંચે છે - તે મહાન, વિશાળ, સુદૂર પણ એમને માટે આવેગપૂર્ણ બંસરી વગાડે છે. જગતને પણ તે પોતાની કવિતામાં વ્યવસ્થિત રીતે ન્યાય આપીને આપણને ધરે છે. આપણે તેની સાથે મનપસંદ વહેવાર કરી શકીએ તે માટે! જો આપણને એમ લાગે કે એેમનાં આત્મવિજયનાં કાવ્યો ઘણાં ઓછાં છે તો આપણે યાદ રાખવું જોઈએ કે એેમની દરેક ઉમેરણીથી બંગાળ અને આધુનિક ભારતને લાભ થયો છે. રવીન્દ્રનાથમાં એક અસંગતિ છે; જો એેમણે ઉત્કૃષ્ટતા જ લક્ષ્યમાં રાખી હોત તો એેમણે દેશમાં ઓછી કીર્તિ પ્રાપ્ત કરી હોત પણ ભાવિ કવિઓમાં ઘણી વધારે! પુષ્કળ લખીને, કદાચ વધારે પડતું લખીને તે જરૂર એક મહામાનવ થઈ ગયા જેને માટે કાંઈ પણ સાચું હતું કારણ કે તે તેણે કર્યું હતું!
{{Poem2Close}}
{{Poem2Close}}