રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/5: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 14: Line 14:
:‘હે અંતરતમ, છિપે છે શું તારી સકલ તૃષા આવીને અંતરે મારા? દુ:ખસુખની લક્ષ ધારાથી પાત્ર ભરી દીધું તારું, નિષ્ઠૂર પીડને નીચોવી છાતી પીસાતી દ્રાક્ષની જેમ. કેટલા રંગ, કેટલી  સુગંધ કેટલી રાગિણિ, કેટલા છંદ ગૂંથી ગૂંથી વણી સુહાગરાતસેજ તારી - ગાળી ગાળી વાસના  સુવર્ણ પ્રતિદિન હું કરતો સર્જન તારી ક્ષણિક લીલા માટે મૂર્તિ નિત્યનવ.’
:‘હે અંતરતમ, છિપે છે શું તારી સકલ તૃષા આવીને અંતરે મારા? દુ:ખસુખની લક્ષ ધારાથી પાત્ર ભરી દીધું તારું, નિષ્ઠૂર પીડને નીચોવી છાતી પીસાતી દ્રાક્ષની જેમ. કેટલા રંગ, કેટલી  સુગંધ કેટલી રાગિણિ, કેટલા છંદ ગૂંથી ગૂંથી વણી સુહાગરાતસેજ તારી - ગાળી ગાળી વાસના  સુવર્ણ પ્રતિદિન હું કરતો સર્જન તારી ક્ષણિક લીલા માટે મૂર્તિ નિત્યનવ.’


‘દ્રાક્ષ’ અને ‘સુહાગરાતસેજ’માં શૃંગારપ્રધાન રણકો છે અને ‘રંગ’ તેમ જ ‘છંદ’ નિ:શંક કવિતા પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. પણ આ અવાજ એક નિષ્ઠાપૂર્ણ પત્નીનો છે જે પોતાના સ્વામીને પ્રસન્ન કરવા બધું જ કરી છૂટી છે અને તેને ભય છે કે કાંઈક ક્ષતિ રહી ગઈ હશે. આશ્ચર્યની વાત એ છે કે રૂપકો મિશ્રિત જણાય છે; એક તરફ પ્રિયતમ ‘બેઠો પોતાના સિંહાસને’, જેથી તે એક દૂર બેઠેલી કે અલગ વ્યક્તિ લાગે તેમ જ તે એક કવિ, સંવાદિતાનો સ્રોત અને માલિક, બંને લાગે; બીજી તરફ તે સૌથી વધુ અંગત વ્યક્તિ છે - જીવનનો નાથ - જેની સાથેના ‘લગ્ન’ને કારણે તો અસ્તિત્વ અર્થપૂર્ણ બને છે. અંતિમ ચરણમાં પત્ની પૂછે છે:
‘દ્રાક્ષ’ અને ‘સુહાગરાતસેજ’માં શૃંગારપ્રધાન રણકો છે અને ‘રંગ’ તેમ જ ‘છંદ’ નિ:શંક કવિતા પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. પણ આ અવાજ એક નિષ્ઠાપૂર્ણ પત્નીનો છે જે પોતાના સ્વામીને પ્રસન્ન કરવા બધું જ કરી છૂટી છે અને તેને ભય છે કે કાંઈક ક્ષતિ રહી ગઈ હશે.<ref>ઍડવર્ડ થોમ્પ્સનને લાગતું હતું કે ‘રવીન્દ્રનાથનાં આ બધાં અંત:પુરનાં દૃશ્યો - સુહાગરાત્રિ ઈત્યાદિ - માં એક કોહવાટની વાસ વર્તાય છે.’ તે આગળ કહે છે, ‘રવીન્દ્રનાથ એક વાર સરસ રીતે વપરાયેલી વસ્તુથી સંતુષ્ટ ન રહેતા અને તેમનાં દૃશ્યો સતત વપરાશને કારણે ઘસાઈ જતાં.’ આ વિધાનમાં રહેલા સત્યને સ્વીકારવું જ રહ્યું. ‘ચિત્રા’માં ‘સુહાગરાત્રિ’નો ઉપયોગ વધુ પડતો છે પણ થોમ્પ્સન કહે છે તેમ ‘શોનાર તરી’માં નથી. ‘સુહાગરાત્રિ’ના દૃશ્યનો ઉપયોગ રવીન્દ્રનાથે છોડી દીધો હતો અને ‘ખેયા’ અને ‘ગીતાંજલિ’માં તે ભાગ્યે જ જોવા મળે છે.</ref> આશ્ચર્યની વાત એ છે કે રૂપકો મિશ્રિત જણાય છે; એક તરફ પ્રિયતમ ‘બેઠો પોતાના સિંહાસને’, જેથી તે એક દૂર બેઠેલી કે અલગ વ્યક્તિ લાગે તેમ જ તે એક કવિ, સંવાદિતાનો સ્રોત અને માલિક, બંને લાગે; બીજી તરફ તે સૌથી વધુ અંગત વ્યક્તિ છે - જીવનનો નાથ - જેની સાથેના ‘લગ્ન’ને કારણે તો અસ્તિત્વ અર્થપૂર્ણ બને છે. અંતિમ ચરણમાં પત્ની પૂછે છે:


‘શિથિલ થતાં બાહુબંધન મદિરાવિહીન મમ ચુંબન, જીવનકુંજે અભિસારનિશા આજે કેમ થતું પ્રભાત? નૂતન કરો ફરી એક વાર ચિરપુરાતન મને નૂતન વિવાહે બાંધો મને નવીન જીવનદોરે.’
‘શિથિલ થતાં બાહુબંધન મદિરાવિહીન મમ ચુંબન, જીવનકુંજે અભિસારનિશા આજે કેમ થતું પ્રભાત? નૂતન કરો ફરી એક વાર ચિરપુરાતન મને નૂતન વિવાહે બાંધો મને નવીન જીવનદોરે.’
Line 26: Line 26:
આ ‘જીવન દેવતા’ તેમની સાથે ‘ગીતાંજલિ’ સુધી રહે છે. વર્ષો વીતતા જાય છે; તે ખૂબ લખે છે; કાવ્યોમાં હંમેશની જેમ પ્રચૂર વૈવિધ્ય છે. એક નહીં તો બીજા સમયે પેલી સ્ત્રીનો અવાજ સંભળાય છે જે પ્રેમ કરે છે અને સહન કરે છે; પોતાની જાતને અર્પણ કરે છે પ્રેમને જે માત્ર તેની જાતિ માટે જ શક્ય છે. ‘ચિત્રા’નું સહજ માધુર્ય ક્યાંય દેખાતું નથી; શૃંગારપ્રધાન તત્વનું બાષ્પીભવન થઈ ગયું છે; માત્ર તેની સુગંધ રહી ગઈ છે. આજ્ઞાંકિત અને સંલગ્ન પત્ની હવે એક યુવાન કન્યા બની ગઈ છે અને તેને કોઈ પ્રેમ કરતું નથી પણ તે પ્રેમ કરે છે; તેની રહસ્યમય, વ્યાકુળ અને નિરાશ ક્ષણોનો પાર નથી. ક્યાં તો તેનો પ્રિયતમ મિલનનો સમય સાચવી નથી શકતો કે પછી તે પોતે શરમની મારી બોલી નથી શકતી. અહીં નોંધવું જોઈએ કે બોલવાનું તેણે જ છે. હું વાત કરું છું ‘કલ્પના’ નામના પુસ્તકમાં આવતા ‘ભ્રષ્ટ લગ્ન’ નામના કાવ્યની. રથ તેના દ્વારે આવીને ઊભો રહે છે અને રથારૂઢ યુવાન તેના ખોવાયેલા પ્રેમને શોધતો હોય છે. પણ બિચારી શરમાળ કન્યા પગથિયા ઊતરીને તેની જાતને પ્રગટ નથી કરી શકતી. આપણને લાગે કે ઓળખાણને વળી શબ્દોની શી જરૂર - આગળ જોયેલા ‘સ્વપ્ન’માં તો ન જ હતી! - પણ અહીં રથ ચાલ્યો જાય છે અને યુવતી આખી રાત બારી પાસે બેસીને સ્વગત બોલ્યા કરે છે: ‘તે જ છું હું, અરે, તે જ છું હું.’ તે સદા તૈયાર હોય છે, પ્રતીક્ષા કરતી, ભયગ્રસ્ત, આશા રાખતી; તે વિરહિણી છે; વિખૂટી પડેલી, વ્યાકુળ વધૂ, જેને માટે પ્રિયતમના પુનરાગમન સિવાય બીજા કશાયનો કાંઈ જ અર્થ નથી. બીજું એક કાવ્ય - ‘ઉત્સર્ગ’ નામના પુસ્તકનું ૧૦મું કાવ્ય - છે જેમાં રવીન્દ્રનાથ એક ચાતુર્યમય કબૂલાતના સ્વરૂપમાં પ્રસંગ વર્ણવે છે. તે કહે છે કે, તેમના પોતાનામાં એક વિરહિણી વસે છે પણ તે આ વિખૂટી પડેલી સ્ત્રીનો પ્રેમ જીતી નથી શકતા કારણ કે પુષ્પ, રત્ન કે પ્રેમસભર પ્રલાપ તેને ક્ષણભરથી વધારે રાજી નથી રાખી શકતા. અંતે તે પ્રેયસી કહે છે, ‘હું જેના પ્રેમમાં છું તેનું નામ નથી કહી શકતી! દિવસો વીતતા જાય છે, ક્યારે હું એ અજ્ઞાતને મારો બનાવીશ.’
આ ‘જીવન દેવતા’ તેમની સાથે ‘ગીતાંજલિ’ સુધી રહે છે. વર્ષો વીતતા જાય છે; તે ખૂબ લખે છે; કાવ્યોમાં હંમેશની જેમ પ્રચૂર વૈવિધ્ય છે. એક નહીં તો બીજા સમયે પેલી સ્ત્રીનો અવાજ સંભળાય છે જે પ્રેમ કરે છે અને સહન કરે છે; પોતાની જાતને અર્પણ કરે છે પ્રેમને જે માત્ર તેની જાતિ માટે જ શક્ય છે. ‘ચિત્રા’નું સહજ માધુર્ય ક્યાંય દેખાતું નથી; શૃંગારપ્રધાન તત્વનું બાષ્પીભવન થઈ ગયું છે; માત્ર તેની સુગંધ રહી ગઈ છે. આજ્ઞાંકિત અને સંલગ્ન પત્ની હવે એક યુવાન કન્યા બની ગઈ છે અને તેને કોઈ પ્રેમ કરતું નથી પણ તે પ્રેમ કરે છે; તેની રહસ્યમય, વ્યાકુળ અને નિરાશ ક્ષણોનો પાર નથી. ક્યાં તો તેનો પ્રિયતમ મિલનનો સમય સાચવી નથી શકતો કે પછી તે પોતે શરમની મારી બોલી નથી શકતી. અહીં નોંધવું જોઈએ કે બોલવાનું તેણે જ છે. હું વાત કરું છું ‘કલ્પના’ નામના પુસ્તકમાં આવતા ‘ભ્રષ્ટ લગ્ન’ નામના કાવ્યની. રથ તેના દ્વારે આવીને ઊભો રહે છે અને રથારૂઢ યુવાન તેના ખોવાયેલા પ્રેમને શોધતો હોય છે. પણ બિચારી શરમાળ કન્યા પગથિયા ઊતરીને તેની જાતને પ્રગટ નથી કરી શકતી. આપણને લાગે કે ઓળખાણને વળી શબ્દોની શી જરૂર - આગળ જોયેલા ‘સ્વપ્ન’માં તો ન જ હતી! - પણ અહીં રથ ચાલ્યો જાય છે અને યુવતી આખી રાત બારી પાસે બેસીને સ્વગત બોલ્યા કરે છે: ‘તે જ છું હું, અરે, તે જ છું હું.’ તે સદા તૈયાર હોય છે, પ્રતીક્ષા કરતી, ભયગ્રસ્ત, આશા રાખતી; તે વિરહિણી છે; વિખૂટી પડેલી, વ્યાકુળ વધૂ, જેને માટે પ્રિયતમના પુનરાગમન સિવાય બીજા કશાયનો કાંઈ જ અર્થ નથી. બીજું એક કાવ્ય - ‘ઉત્સર્ગ’ નામના પુસ્તકનું ૧૦મું કાવ્ય - છે જેમાં રવીન્દ્રનાથ એક ચાતુર્યમય કબૂલાતના સ્વરૂપમાં પ્રસંગ વર્ણવે છે. તે કહે છે કે, તેમના પોતાનામાં એક વિરહિણી વસે છે પણ તે આ વિખૂટી પડેલી સ્ત્રીનો પ્રેમ જીતી નથી શકતા કારણ કે પુષ્પ, રત્ન કે પ્રેમસભર પ્રલાપ તેને ક્ષણભરથી વધારે રાજી નથી રાખી શકતા. અંતે તે પ્રેયસી કહે છે, ‘હું જેના પ્રેમમાં છું તેનું નામ નથી કહી શકતી! દિવસો વીતતા જાય છે, ક્યારે હું એ અજ્ઞાતને મારો બનાવીશ.’


‘ક્ષનિકા’ નામના પુસ્તકના બીજા એક કાવ્યમાં કવિ પોતાનામાં વસેલી આ સ્ત્રીને કવિ વધૂના સ્વરૂપમાં જુએ છે. આ કાવ્યનું શીર્ષક છે ‘અતિથિ’ અને તે અદ્‌ભુત નજાકતથી સાવ બોલચાલના લહેકામાં લખાયું છે. ઢળતી સાંજે એક અસ્પષ્ટ સમાચારથી આ વધૂ આશ્ચર્ય પામે છે - ‘અરે સાંભળ, આવશે અતિથિ આજે, રાખ તારું કામ બાજુએ’. કવિ કહે છે, ‘તારા દરવાજાની સાંકળ ખખડતી સાંભળી કે નહીં? ના, આ પવન નથી. ભયનું કોઈ કારણ નથી. જા અને મળ અતિથિને. ન બોલાય તો ઊભી રહેજે નત આંખે, પણ જા અને મળ અતિથિને.’ અતિથિ આવ્યા કે નહીં તે અપ્રસ્તુત છે. કાવ્યમાં ક્યારેક વર્તમાન કાળ તો ક્યારેક ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એક આવનારા પણ અનિશ્ચિત પ્રસંગની આગાહી જેવું આ કાવ્ય છે. અહીં વાત એક બીજા જ દૃષ્ટિકોણથી કરાઈ છે. એમ લાગે છે કે વધૂ તૈયાર નથી અને પ્રિયતમ અચાનક કે ઓચિંતો જ આવી જવાનો હોય તેમ લાગે છે. તેનો અસ્વીકાર થવાની પૂરેપૂરી સંભાવના છે તે આ નાનકડી પણ ઉત્કૃષ્ટ રચનામાં દર્શાવાયું છે. માત્ર ચાળીશ પંક્તિના આ કાવ્યમાં એક નાટ્યમય ઘટના સમાવાઈ છે.   
‘ક્ષનિકા’ નામના પુસ્તકના બીજા એક કાવ્યમાં કવિ પોતાનામાં વસેલી આ સ્ત્રીને કવિ વધૂના સ્વરૂપમાં જુએ છે. આ કાવ્યનું શીર્ષક છે ‘અતિથિ’ અને તે અદ્‌ભુત નજાકતથી સાવ બોલચાલના લહેકામાં લખાયું છે. ઢળતી સાંજે એક અસ્પષ્ટ સમાચારથી આ વધૂ આશ્ચર્ય પામે છે - ‘અરે સાંભળ, આવશે અતિથિ આજે, રાખ તારું કામ બાજુએ’. કવિ કહે છે, ‘તારા દરવાજાની સાંકળ ખખડતી સાંભળી કે નહીં? ના, આ પવન નથી. ભયનું કોઈ કારણ નથી. જા અને મળ અતિથિને. ન બોલાય તો ઊભી રહેજે નત આંખે, પણ જા અને મળ અતિથિને.’ અતિથિ આવ્યા કે નહીં તે અપ્રસ્તુત છે. કાવ્યમાં ક્યારેક વર્તમાન કાળ તો ક્યારેક ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એક આવનારા પણ અનિશ્ચિત પ્રસંગની આગાહી જેવું આ કાવ્ય છે. અહીં વાત એક બીજા જ દૃષ્ટિકોણથી કરાઈ છે. એમ લાગે છે કે વધૂ તૈયાર નથી અને પ્રિયતમ અચાનક કે ઓચિંતો જ આવી જવાનો હોય તેમ લાગે છે. તેનો અસ્વીકાર થવાની પૂરેપૂરી સંભાવના છે તે આ નાનકડી પણ ઉત્કૃષ્ટ રચનામાં દર્શાવાયું છે. માત્ર ચાળીશ પંક્તિના આ કાવ્યમાં એક નાટ્યમય ઘટના સમાવાઈ છે.<ref>૪થા અને ૫મા પ્રકરણમાં જેને વિષે ચર્ચા થઈ છે તેવાં થોડાંક કાવ્યોનો અનુવાદ ‘ધ કલેક્ટેડ પોએમ્સ એન્ડ પ્લેઝ ઑફ રવીન્દ્રનાથ ટાગોર’માં આપેલો છે. વાચકોને મારી નમ્ર વિનંતિ કે રવીન્દ્રનાથને કે મારા અભિપ્રાયને આ અવિશ્વસનીય રચનાઓથી મૂલવવા નહીં.</ref>    


હવે આપણે ૧૯૦૬માં આવીએ અને પહેલાં જેની વાત કરી ગયો છું તે ‘ખેયા’ આપણી સમક્ષ છે. એક કાવ્ય બે ભાગમાં બે જુદા જુદા શીર્ષક નીચે પ્રસ્તુત છે - ‘શુભ ક્ષણ’ અને ‘ત્યાગ’ - બંનેમાં એકસરખી પંક્તિઓ તેમ જ શબ્દ-સમૂહો છે. એક કાવ્ય ભવિષ્યકાળમાં લખાયું છે જ્યારે બીજું ભૂતકાળમાં. પહેલા ભાગમાં જેની અપેક્ષા છે તે બીજા ભાગમાં યાદ કરાય છે. ઘટના પશ્ચાદ્‌ભૂમાં સ્થાન લે છે. ફરી એક વાર વક્તા છે એક કન્યા જે નિખાલસતાથી અને ઉત્સાહથી પોતાની મા સાથે પોતાના પ્રેમની વાત કરે છે. ‘નિરુદ્દેશ જાત્રા’ની માફક જ અહીં પણ વાત અચાનક શરુ થાય છે અને સ્વગત સંવાદના સ્વરૂપે કહેવાઈ છે. ‘ઓ મા, રાજાનો કુંવર જશે આજ મારા ઘરની સામેના રસ્તે, કહે મને, શા સજું હું સાજ, કેમ બાંધું હું વાળ. મા રે, શું થયું તને, અવાક્‌ નયને તું કેમ મુખ જોઈ રહેતી?’ આમ બોલતી કન્યાને સાંભળતા તેના સવાલનો જવાબ આપણને મળે છે. માતા વિસ્મિત છે કારણ તેણે તો રાજકુંવરના આવવાના સમાચાર સાંભળ્યા જ નથી અને તેની પુત્રી એવી રીતે વાત કરે છે કે જાણે તેને ખબર હોય! કન્યા એક વિશિષ્ટ વ્યક્તિ છે પણ તે જાણતી નથી. તે તેની ખાનગી વાત તેની માતાને કહે છે. કદાચ ‘વિશિષ્ટ’ યોગ્ય શબ્દ નથી કારણ કે રાજકુંવરના આવવા અંગે તેને જેટલી ખાતરી છે તેટલી જ તેની ઉદાસીનતા અંગે પણ છે. તે કહે છે, ‘તે જોશે નહીં મને પણ મારે બેસવું બારી પાસે.’ તે પ્રતીક્ષા કરે છે અને ક્ષણમાત્ર માટે જુએ છે પોતાના પ્રિયતમને. ‘તોડીને મણિહાર ફેંક્યો તેના પથ પરની ધૂળ પર. મણિ છૂંદાયા રથના ચક્ર તળે. પડી રહ્યા તે ધૂળ તળે, ન જાણ્યું કોઈએ મેં શું આપ્યું કે કોને આપ્યું.’ ફરી એક વાર મા વિસ્મિત નજરે જુએ છે પણ કન્યાને તો આ અસ્વીકારથી કોઈ જ વેદના નથી થતી કે નથી તેની કોઈ લાગણી દુભાતી તે જાણે મૂઢ થઈ ગઈ છે જે માનવીય દૃષ્ટિથી આપણે સમજી નથી શકતા કે તેનું સમર્થન પણ કરી નથી શકતા. તેનો અવાજ તો કાવ્યના આરંભથી અંત સુધી એજ આનંદથી સભર છે. ઈશ્વર આપણને પ્રેમ કરવાની ફરજ પાડી શકે પણ તે તેનો સ્વીકાર કરવા બંધાયેલો નથી. આ પ્રતીક્ષા કરવાની અને પરિશુદ્ધ આનંદ અને અવિરત પુનર્જિવિત થતી આશા સાથે સમર્પિત થવાની ફરજ માટે પણ એક લાયકાત હોવી જોઈઅ. આ અર્થમાં આ કન્યા એક વિશિષ્ટ વ્યક્તિ છે.
હવે આપણે ૧૯૦૬માં આવીએ અને પહેલાં જેની વાત કરી ગયો છું તે ‘ખેયા’ આપણી સમક્ષ છે. એક કાવ્ય બે ભાગમાં બે જુદા જુદા શીર્ષક નીચે પ્રસ્તુત છે - ‘શુભ ક્ષણ’ અને ‘ત્યાગ’ - બંનેમાં એકસરખી પંક્તિઓ તેમ જ શબ્દ-સમૂહો છે. એક કાવ્ય ભવિષ્યકાળમાં લખાયું છે જ્યારે બીજું ભૂતકાળમાં. પહેલા ભાગમાં જેની અપેક્ષા છે તે બીજા ભાગમાં યાદ કરાય છે. ઘટના પશ્ચાદ્‌ભૂમાં સ્થાન લે છે. ફરી એક વાર વક્તા છે એક કન્યા જે નિખાલસતાથી અને ઉત્સાહથી પોતાની મા સાથે પોતાના પ્રેમની વાત કરે છે. ‘નિરુદ્દેશ જાત્રા’ની માફક જ અહીં પણ વાત અચાનક શરુ થાય છે અને સ્વગત સંવાદના સ્વરૂપે કહેવાઈ છે. ‘ઓ મા, રાજાનો કુંવર જશે આજ મારા ઘરની સામેના રસ્તે, કહે મને, શા સજું હું સાજ, કેમ બાંધું હું વાળ. મા રે, શું થયું તને, અવાક્‌ નયને તું કેમ મુખ જોઈ રહેતી?’ આમ બોલતી કન્યાને સાંભળતા તેના સવાલનો જવાબ આપણને મળે છે. માતા વિસ્મિત છે કારણ તેણે તો રાજકુંવરના આવવાના સમાચાર સાંભળ્યા જ નથી અને તેની પુત્રી એવી રીતે વાત કરે છે કે જાણે તેને ખબર હોય! કન્યા એક વિશિષ્ટ વ્યક્તિ છે પણ તે જાણતી નથી. તે તેની ખાનગી વાત તેની માતાને કહે છે. કદાચ ‘વિશિષ્ટ’ યોગ્ય શબ્દ નથી કારણ કે રાજકુંવરના આવવા અંગે તેને જેટલી ખાતરી છે તેટલી જ તેની ઉદાસીનતા અંગે પણ છે. તે કહે છે, ‘તે જોશે નહીં મને પણ મારે બેસવું બારી પાસે.’ તે પ્રતીક્ષા કરે છે અને ક્ષણમાત્ર માટે જુએ છે પોતાના પ્રિયતમને. ‘તોડીને મણિહાર ફેંક્યો તેના પથ પરની ધૂળ પર. મણિ છૂંદાયા રથના ચક્ર તળે. પડી રહ્યા તે ધૂળ તળે, ન જાણ્યું કોઈએ મેં શું આપ્યું કે કોને આપ્યું.’ ફરી એક વાર મા વિસ્મિત નજરે જુએ છે પણ કન્યાને તો આ અસ્વીકારથી કોઈ જ વેદના નથી થતી કે નથી તેની કોઈ લાગણી દુભાતી તે જાણે મૂઢ થઈ ગઈ છે જે માનવીય દૃષ્ટિથી આપણે સમજી નથી શકતા કે તેનું સમર્થન પણ કરી નથી શકતા. તેનો અવાજ તો કાવ્યના આરંભથી અંત સુધી એજ આનંદથી સભર છે. ઈશ્વર આપણને પ્રેમ કરવાની ફરજ પાડી શકે પણ તે તેનો સ્વીકાર કરવા બંધાયેલો નથી. આ પ્રતીક્ષા કરવાની અને પરિશુદ્ધ આનંદ અને અવિરત પુનર્જિવિત થતી આશા સાથે સમર્પિત થવાની ફરજ માટે પણ એક લાયકાત હોવી જોઈઅ. આ અર્થમાં આ કન્યા એક વિશિષ્ટ વ્યક્તિ છે.
Line 42: Line 42:
અંગ્રેજી ‘ગીતાંજલિ’નાં પાંચમાં અને બંગાળી ‘ગીતિમાલ્ય’નાં ૨૦માં કાવ્યની પ્રથમ પંક્તિ છે: ‘તમે એક વાર કેવળ બેસો પાસે મારી માત્ર ક્ષણેક માટે’. જે પુસ્તકમાં તે પહેલી વાર પ્રગટ થયું હતું તે જોતાં જરૂર એમ માની લેવાય કે અહીં ઈશ્વરની વાત છે. પણ ‘ગીતબિતાન’ - રવીન્દ્રનાથના ગીતોનો સંપૂર્ણ સંગ્રહ - માં તેનો સમાવેશ ‘પ્રેમ’ના વિભાગમાં કરવામાં આવ્યો છે. કોઈને પણ આમાં કાંઈ પણ વિસંગતતા લાગી હોય તેવું મારી જાણમાં નથી. બંગાળીઓ આને પ્રેમકાવ્ય તરીકે જ વાંચે છે, ગાય છે અને સાંભળે છે. રવીન્દ્રનાથને પણ આમાં કાંઈ વાંધો ન હતો એમ કહી શકાય કારણ કે ‘ગીતબિતાન’નું સંપાદન એમના માર્ગદર્શન નીચે થયું હતું અને તે એમની હયાતી દરમિયાન પ્રગટ પણ થયું હતું. ‘ગીતબિતાન’માં ગીતોનું વિભાજન ‘પૂજા’, ‘પ્રેમ’, ‘પ્રકૃતિ’ જેવા વિભાગોમાં કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થામાં થોડો નિયમહીન ભાવ છે. કારણ કે કેટલાંક એવાં શ્રેષ્ઠતમ કાવ્યો છે કે જેમનો ‘પૂજા’ અને ‘પ્રેમ’ બંનેમાં સમાવેશ થઈ શકે કે પછી ‘પ્રકૃતિ’ તેમ જ ‘પૂજા’ અથવા ‘પ્રેમ’માં પણ સમાવેશ થઈ શકે. બીજું ધ્યાન ખેંચે તેવું ઉદાહરણ છે અંગ્રેજી ‘ગીતાંજલિ’નું ૨૨મું કાવ્ય અને બંગાળી ‘ગીતાંજલિ’નું ૧૮મું. આ કાવ્ય ‘ગીતબિતાન’માં ‘પૂજા’માં નહીં પણ ‘પ્રકૃતિ’માં સમાવાયું છે. આ વિભાગો ચોક્કસ નથી તેમાં સંપાદકનો કોઈ જ દોષ નથી. આ તો રવીન્દ્રનાથની ખૂબી છે કે તેમનું વિભિન્ન ખંડમાં વિભાજન શક્ય નથી. એમને પકડવા સહેલા નથી સિવાય કે એમની નબળી ક્ષણોમાં. આપણે માટે આંગળી ચીંધીને કહેવું શક્ય નથી કે ‘આ આમ જ છે અને બીજું કાંઈ જ નથી.’ સ્ત્રી, પ્રકૃતિ, ઈશ્વર કે બીજું જે કાંઈ પણ એમણે લખ્યું છે તે બધાં પર આ સીમાંતિક અસર પડે છે. એમને માટે ‘ભૌતિક’ અને ‘અલૌકિક’ પ્રેમમાં કોઈ ભેદ અસ્તિત્વ ધરાવતો નથી.
અંગ્રેજી ‘ગીતાંજલિ’નાં પાંચમાં અને બંગાળી ‘ગીતિમાલ્ય’નાં ૨૦માં કાવ્યની પ્રથમ પંક્તિ છે: ‘તમે એક વાર કેવળ બેસો પાસે મારી માત્ર ક્ષણેક માટે’. જે પુસ્તકમાં તે પહેલી વાર પ્રગટ થયું હતું તે જોતાં જરૂર એમ માની લેવાય કે અહીં ઈશ્વરની વાત છે. પણ ‘ગીતબિતાન’ - રવીન્દ્રનાથના ગીતોનો સંપૂર્ણ સંગ્રહ - માં તેનો સમાવેશ ‘પ્રેમ’ના વિભાગમાં કરવામાં આવ્યો છે. કોઈને પણ આમાં કાંઈ પણ વિસંગતતા લાગી હોય તેવું મારી જાણમાં નથી. બંગાળીઓ આને પ્રેમકાવ્ય તરીકે જ વાંચે છે, ગાય છે અને સાંભળે છે. રવીન્દ્રનાથને પણ આમાં કાંઈ વાંધો ન હતો એમ કહી શકાય કારણ કે ‘ગીતબિતાન’નું સંપાદન એમના માર્ગદર્શન નીચે થયું હતું અને તે એમની હયાતી દરમિયાન પ્રગટ પણ થયું હતું. ‘ગીતબિતાન’માં ગીતોનું વિભાજન ‘પૂજા’, ‘પ્રેમ’, ‘પ્રકૃતિ’ જેવા વિભાગોમાં કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થામાં થોડો નિયમહીન ભાવ છે. કારણ કે કેટલાંક એવાં શ્રેષ્ઠતમ કાવ્યો છે કે જેમનો ‘પૂજા’ અને ‘પ્રેમ’ બંનેમાં સમાવેશ થઈ શકે કે પછી ‘પ્રકૃતિ’ તેમ જ ‘પૂજા’ અથવા ‘પ્રેમ’માં પણ સમાવેશ થઈ શકે. બીજું ધ્યાન ખેંચે તેવું ઉદાહરણ છે અંગ્રેજી ‘ગીતાંજલિ’નું ૨૨મું કાવ્ય અને બંગાળી ‘ગીતાંજલિ’નું ૧૮મું. આ કાવ્ય ‘ગીતબિતાન’માં ‘પૂજા’માં નહીં પણ ‘પ્રકૃતિ’માં સમાવાયું છે. આ વિભાગો ચોક્કસ નથી તેમાં સંપાદકનો કોઈ જ દોષ નથી. આ તો રવીન્દ્રનાથની ખૂબી છે કે તેમનું વિભિન્ન ખંડમાં વિભાજન શક્ય નથી. એમને પકડવા સહેલા નથી સિવાય કે એમની નબળી ક્ષણોમાં. આપણે માટે આંગળી ચીંધીને કહેવું શક્ય નથી કે ‘આ આમ જ છે અને બીજું કાંઈ જ નથી.’ સ્ત્રી, પ્રકૃતિ, ઈશ્વર કે બીજું જે કાંઈ પણ એમણે લખ્યું છે તે બધાં પર આ સીમાંતિક અસર પડે છે. એમને માટે ‘ભૌતિક’ અને ‘અલૌકિક’ પ્રેમમાં કોઈ ભેદ અસ્તિત્વ ધરાવતો નથી.


હમણાંથી રવીન્દ્રનાથની માનવતા પર ભાર મૂકાય છે અને એમના ઈશ્વર માટે થોડી શરમની લાગણી અનુભવાય છે. ‘રવીન્દ્રનાથે ઈશ્વર વિશે લખ્યું હતું એ સાચું, પણ ચાલો એમના બીજા કામોની પણ વાત કરીએ.’ આવો અભિગમ હાલમાં જોવામાં આવે છે. જે ફિલસૂફીના ધુમાડામાં તેઓ સારો એવો સમય લપેટાયેલા રહ્યા હતા તેનો આ સ્વાભાવિક પ્રત્યાઘાત હોઈ શકે. છતાં એમના ઈશ્વર વિનાની રવીન્દ્રનાથની પ્રતિભા ઘણી ઝાંખી થઈ જાય. આ વિધાનને એમની અંગત માન્યતા સાથે કોઈ જ સંબંધ નથી તેમ જ હું એમ પણ નથી માનતો કે તે એક અલૌકિક પ્રકાશ પામેલા આત્મા હતા. પાશ્ચાત્ય અર્થમાં કે ભારતીય સંદર્ભમાં જેને રહસ્યવાદી કહેવાય છે તે અર્થમાં રવીન્દ્રનાથ ધાર્મિક કવિ કહેવાય કે કેમ તે અંગે મને શંકા છે. દાંતે જેને ‘પરમ’ અથવા ‘પૂર્ણ’ કહે છે કે ઉપનિષદો જેને ‘સાર’ કહે છે (જેમાં આપણે આપણું અસ્તિત્વ કે વ્યક્તિત્વ ભેળવી દેવું જોઈએ) તે બેમાંથી એકે રવીન્દ્રનાથના ઈશ્વર સાથે સુસંગત નથી. હોલ્ડરલિન કહે છે કે જેણે ઈશ્વરને જોયા હોય તેણે મૃત્યુને ભેટવું જ રહ્યું. રવીન્દ્રનાથનું મંતવ્ય આનાથી સાવ વિરુદ્ધ કહી શકાય. ઈશ્વરને જોવા સાથે એમને કોઈ જ નિસ્બત નથી. ‘માનસી’થી ‘ગીતાંજલિ’ સુધીના સર્જનોમાં એમણે ઈશ્વરની પ્રતીક્ષાને પોતાનું કર્તવ્ય બનાવ્યું છે. ‘ડાકઘર’ના અમલની માફક એમનું કામ છે પ્રતીક્ષા કરવાનું અને ઈશ્વર સિવાય બીજા કોની પ્રતીક્ષા કરી શકાય? આ પ્રતીક્ષા પરસ્પર છે કારણ ઈશ્વર પણ નિદ્રાહીન છે, આગળ જોયેલી શરમાળ કન્યાની જેમ. તેને પણ મનુષ્યના પ્રેમની આવશ્યકતા છે અને માટે જ તે માણસને બોલાવે છે ‘રાત્રિના અંધકારમાં’ (‘ગીતાંજલિ’નાં કાવ્ય નં. ૨૭ અને ૩૨). મિલનની ઘડી વિરલ અને ક્ષણિક હોય છે. કાગળો અને સંદેશા વધુ આવે છે અને અતિથિ ઓછા. એવો પણ અણસાર મળે છે કે કાગળ અને સંદેશાનું મૂલ્ય ઓછું નથી. ભાર મૂકાયો છે કામના ને વિયોગ ઉપર, ખાતરી વિનાની આશા ઉપર અને અપૂર્ણ રહી શકે તેવા વચનો ઉપર. આ વચનો પ્રિય છે કારણ કે તે ‘સુદૂર’ના છે. માનવીય અનુભવો આ માનવ અને ઈશ્વર વચ્ચેની લીલાના પ્રતીક છે અને માટે જ જીવન અને મૃત્યુ અર્થપૂર્ણ બને છે. પોતાના ઈશ્વર પાસેથી રવીન્દ્રનાથ આપણને પાછા મોકલે છે આપણા જીવનમાં - આપણા નશ્વર જીવનના દરિદ્ર, નાજુક અને આશાવિહીન પ્રેમ પ્રતિ. આ પરિવર્તન સહેલું છે પણ તેઓ એનાથી અપણને અને આપણા પ્રેમને એકબીજા માટે વધુ લાયક બનાવે છે. એમને માટે આ જીવન એક પુસ્તક છે જેના પ્રત્યેક પાના પર ઈશ્વરના હસ્તાક્ષર છે અને આપણે તે હસ્તાક્ષરને ઓળખવાના છે અને તેને ઉકેલીને વાંચવાના છે. માણસ, જગત અને ઈશ્વર એમનાં કાવ્યોમાં પ્રવેશીને પરસ્પર અંગત અને મર્મભેદક સંબંધ બાંધે છે. ઈશ્વરીય આનંદ નહીં પણ માણસ અને ઈશ્વર જેમાં સહભાગી હોય તેવો સનાતન આનંદ - સરકતો, નજર નાંખતો, વેધક અને પ્રક્ષુબ્ધ આનંદ - રવીન્દ્રનાથ સિવાય બીજા કોઈ પણ કવિ આપી શકે તેમ હું નથી માનતો. રવીન્દ્રનાથ જ્યારે આ સંબંધને બાહ્ય સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમાં સંપૂર્ણ સફળતા મળતી નથી   પણ અતિરેક કે આભૂષણો વિનાની, નિર્મળ, તીક્ષ્ણ અને અખંડ ગીતોની ક્ષણોમાં તે જીવંત થઈ ઊઠે છે. આને કારણે રવીન્દ્રનાથ જગત કવિઓ વચ્ચે પોતાનું સન્માનીય સ્થાન પ્રસ્થાપિત કરે છે. જ્યાં સુધી એમની ભાષા ટકશે ત્યાં સુધી તેમનાં શ્રેષ્ઠ કાવ્યોમાંનું એમનું ભાષા પરનું પ્રભુત્વ એક વિસ્મયનો વિષય બની રહેશે.
હમણાંથી રવીન્દ્રનાથની માનવતા પર ભાર મૂકાય છે અને એમના ઈશ્વર માટે થોડી શરમની લાગણી અનુભવાય છે. ‘રવીન્દ્રનાથે ઈશ્વર વિશે લખ્યું હતું એ સાચું, પણ ચાલો એમના બીજા કામોની પણ વાત કરીએ.’ આવો અભિગમ હાલમાં જોવામાં આવે છે. જે ફિલસૂફીના ધુમાડામાં તેઓ સારો એવો સમય લપેટાયેલા રહ્યા હતા તેનો આ સ્વાભાવિક પ્રત્યાઘાત હોઈ શકે. છતાં એમના ઈશ્વર વિનાની રવીન્દ્રનાથની પ્રતિભા ઘણી ઝાંખી થઈ જાય. આ વિધાનને એમની અંગત માન્યતા સાથે કોઈ જ સંબંધ નથી તેમ જ હું એમ પણ નથી માનતો કે તે એક અલૌકિક પ્રકાશ પામેલા આત્મા હતા. પાશ્ચાત્ય અર્થમાં કે ભારતીય સંદર્ભમાં જેને રહસ્યવાદી કહેવાય છે તે અર્થમાં રવીન્દ્રનાથ ધાર્મિક કવિ કહેવાય કે કેમ તે અંગે મને શંકા છે. દાંતે જેને ‘પરમ’ અથવા ‘પૂર્ણ’ કહે છે કે ઉપનિષદો જેને ‘સાર’ કહે છે (જેમાં આપણે આપણું અસ્તિત્વ કે વ્યક્તિત્વ ભેળવી દેવું જોઈએ) તે બેમાંથી એકે રવીન્દ્રનાથના ઈશ્વર સાથે સુસંગત નથી. હોલ્ડરલિન કહે છે કે જેણે ઈશ્વરને જોયા હોય તેણે મૃત્યુને ભેટવું જ રહ્યું. રવીન્દ્રનાથનું મંતવ્ય આનાથી સાવ વિરુદ્ધ કહી શકાય. ઈશ્વરને જોવા સાથે એમને કોઈ જ નિસ્બત નથી. ‘માનસી’થી ‘ગીતાંજલિ’ સુધીના સર્જનોમાં એમણે ઈશ્વરની પ્રતીક્ષાને પોતાનું કર્તવ્ય બનાવ્યું છે. ‘ડાકઘર’ના અમલની માફક એમનું કામ છે પ્રતીક્ષા કરવાનું અને ઈશ્વર સિવાય બીજા કોની પ્રતીક્ષા કરી શકાય? આ પ્રતીક્ષા પરસ્પર છે કારણ ઈશ્વર પણ નિદ્રાહીન છે, આગળ જોયેલી શરમાળ કન્યાની જેમ. તેને પણ મનુષ્યના પ્રેમની આવશ્યકતા છે અને માટે જ તે માણસને બોલાવે છે ‘રાત્રિના અંધકારમાં’ (‘ગીતાંજલિ’નાં કાવ્ય નં. ૨૭ અને ૩૨). મિલનની ઘડી વિરલ અને ક્ષણિક હોય છે. કાગળો અને સંદેશા વધુ આવે છે અને અતિથિ ઓછા. એવો પણ અણસાર મળે છે કે કાગળ અને સંદેશાનું મૂલ્ય ઓછું નથી. ભાર મૂકાયો છે કામના ને વિયોગ ઉપર, ખાતરી વિનાની આશા ઉપર અને અપૂર્ણ રહી શકે તેવા વચનો ઉપર. આ વચનો પ્રિય છે કારણ કે તે ‘સુદૂર’ના છે. માનવીય અનુભવો આ માનવ અને ઈશ્વર વચ્ચેની લીલાના પ્રતીક છે અને માટે જ જીવન અને મૃત્યુ અર્થપૂર્ણ બને છે. પોતાના ઈશ્વર પાસેથી રવીન્દ્રનાથ આપણને પાછા મોકલે છે આપણા જીવનમાં - આપણા નશ્વર જીવનના દરિદ્ર, નાજુક અને આશાવિહીન પ્રેમ પ્રતિ. આ પરિવર્તન સહેલું છે પણ તેઓ એનાથી અપણને અને આપણા પ્રેમને એકબીજા માટે વધુ લાયક બનાવે છે. એમને માટે આ જીવન એક પુસ્તક છે જેના પ્રત્યેક પાના પર ઈશ્વરના હસ્તાક્ષર છે અને આપણે તે હસ્તાક્ષરને ઓળખવાના છે અને તેને ઉકેલીને વાંચવાના છે. માણસ, જગત અને ઈશ્વર એમનાં કાવ્યોમાં પ્રવેશીને પરસ્પર અંગત અને મર્મભેદક સંબંધ બાંધે છે. ઈશ્વરીય આનંદ નહીં પણ માણસ અને ઈશ્વર જેમાં સહભાગી હોય તેવો સનાતન આનંદ - સરકતો, નજર નાંખતો, વેધક અને પ્રક્ષુબ્ધ આનંદ - રવીન્દ્રનાથ સિવાય બીજા કોઈ પણ કવિ આપી શકે તેમ હું નથી માનતો. રવીન્દ્રનાથ જ્યારે આ સંબંધને બાહ્ય સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમાં સંપૂર્ણ સફળતા મળતી નથી<ref>હું ‘ડાકઘર’ અને ‘રાજા’ જેવા નાટકોની વાત કરું છું. એક લાગણીપૂર્વક ઘેરી વળતું અને નાજુક અને બીજું વધુ સાહસિક પણ ઓછું સંતોષકારક. ‘ડાકઘર’માં એક સ્પર્શી જતું આવરણ છે પણ તે કરુણ નથી કારણ કે તે નક્કર નથી અને બાળક પાત્રો પર આધારિત છે. ‘રાજા’નો આરંભ સરસ છે પણ ગીતો, મેદનીનાં દૃશ્યો અને સર્વવ્યાપી ઠાકુરદાદા તેના અવરોધક છે. જ્યારે હેતુ સિદ્ધ કરવાનો સમય આવે છે ત્યારે જણાય છે કે જેના પર આધાર રાખ્યો છે તે યંત્ર તો તકલાદી છે અને પછીના ‘પાપ’ અને ‘પ્રાયશ્ચિત’ ગળે નથી ઉતરતા.</ref> પણ અતિરેક કે આભૂષણો વિનાની, નિર્મળ, તીક્ષ્ણ અને અખંડ ગીતોની ક્ષણોમાં તે જીવંત થઈ ઊઠે છે. આને કારણે રવીન્દ્રનાથ જગત કવિઓ વચ્ચે પોતાનું સન્માનીય સ્થાન પ્રસ્થાપિત કરે છે. જ્યાં સુધી એમની ભાષા ટકશે ત્યાં સુધી તેમનાં શ્રેષ્ઠ કાવ્યોમાંનું એમનું ભાષા પરનું પ્રભુત્વ એક વિસ્મયનો વિષય બની રહેશે.
{{Poem2Close}}
{{Poem2Close}}