રવીન્દ્રપર્વ/૧૧૭. કેન નયન આપનિ ભેસે

૧૧૭. કેન નયન આપનિ ભેસે

કેમ આંખો આપમેળે જળમાં વહી જાય છે? કેમ મન કેમ આમ કરે છે? જાણે એકાએક કશુંક યાદ આવે છે — યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે. ચારે બાજુ બધું મધુર નીરવ છે, કેમ મારા જ પ્રાણ રડી રડીને મરે છે? કેમ મન કેમ આમ કરે છે? જાણે કોઈકના શબ્દોએ વેદના આપી છે, જાણે કોઈ અનાદર થવાથી પાછું વળી ગયું છે — એના પ્રત્યેની અવહેલના પ્રાણને પીડા દઈ રહી છે. જાણે એકાએક કશુંક યાદ આવે છે — યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે. (ગીત-પંચશતી)