રવીન્દ્રપર્વ/૧૧૬. કેન ચોખેર જલે ભિજિયે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧૬. કેન ચોખેર જલે ભિજિયે

બધી સૂકી ધૂળને મેં આંખનાં આંસુથી ભીંજવી કેમ ન દીધી? વણતેડ્યો તું આવી ચઢશે તે કોણ જાણતું હતું? તું રણ પાર કરીને આવ્યો છે, ત્યાં તો છાયા આપનાર વૃક્ષ સુધ્ધાં નથી — હું એવી અભાગી કે મેં તને આવો માર્ગ કાપવાનું દુ:ખ દીધું! હું તો મારા ઘરની છાયામાં આળસમાં બેસી રહી હતી, ડગલે ડગલે તારે કેટલી વ્યથા ભોગવવી પડશે તે મેં જાણ્યું નહીં! એ વેદના મારા હૃદયમાં ગુપ્ત દુ:ખ રૂપે રણકી ઊઠી હતી — એણે મારા મર્મ ઉપર ઊંડો હૃદયનો ઘા આંકી દીધો છે. (ગીત-પંચશતી)