26,604
edits
(Created page with "<poem> પ્રમાદીપામતામૃત્યુ, ઉદ્યમીનિત્યઅમૃત; અપ્રમાદીમરેના, ના; એદીજી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
પ્રમાદી પામતા મૃત્યુ, ઉદ્યમી નિત્ય અમૃત; | |||
અપ્રમાદી મરે ના, ના; એદી જીવે મર્યા સમા. | |||
<center>*</center> | |||
ના વાયુ સામે ફૂલગંધ જાતી, | |||
ના મલ્લિકા, તગર, ચંદન, કસ્તૂરીની; | |||
સામે સમીરે જતી ગંધ સંતની, | |||
દશે દિશા ફોરતી સંતફોરમે. | |||
<center>*</center> | |||
અજંપે રાત લાંબી, ને કોશ લાંબો શ્રમિતને; | |||
જન્મની શૃંખલા લાંબી, જેણે જાણ્યો ન ધર્મને. | |||
<center>*</center> | |||
યાત્રામાં શ્રેષ્ઠ ના લાધે, કે ના સાથી સમાન વા, | |||
એકલા ખેડવો પંથ; હીણો સેવ્યે ય લાભ શો? | |||
<center>*</center> | |||
પાણેતી પાણીને વાળે, પધોરે તીર બાણવી, | |||
કંડારે શિલ્પીઓ કાષ્ઠ, ઘડે સંત નિજાત્મને. | |||
<center>*</center> | |||
હજારો શૂરને જીતે યોદ્ધો જે રણ આંગણે, | |||
શ્રેષ્ઠ તો વીર એથી યે જે જીતે નિજ આત્મને. | |||
<center>*</center> | |||
ન ભસ્મ ચોળ્યે, ન જટા-અવસ્ત્રે, | |||
ન લાંઘણે કે ધરણી સૂવાથી, | |||
વેરાગીનાં વસનથી, નહિ પંક લીપ્યે | |||
શુદ્ધિ લાધે, હૃદયમનના સંશયો જો ટળ્યા ના. | |||
<center>*</center> | |||
પરાયો ઊજળો લાગ્યે છોડવો ના સ્વધર્મને, | |||
પારખી નિજનો ધર્મ રહેવું એમાં પરાયણ. | |||
<center>*</center> | |||
મૂગાને નિંદતા લોકો, નિંદે વાચાળને વળી, | |||
નિંદાતો મિતભાષી યે, અનિંદ્યો કોઈ ના અહીં. | |||
<center>*</center> | |||
અગ્નિ ના રાગના જેવો, પાશ ના દ્વેશના સમો, | |||
મોહ શી જાળ બીજી ના, તૃષ્ણા શી સરિતા નહીં. | |||
</poem> | </poem> |
edits