સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 46: Line 46:
આવાં સીમાંકનો ઉપરાંત અધિકરણ-લેખનના તબક્કે પણ લેખક-નામની કે પુસ્તક-નામની, પુસ્તકના સ્વરૂપની, કે પ્રકાશનવર્ષની પૂરી ચોકસાઈ કેટલાક કિસ્સાઓમાં જળવાઈ નથી. સ્વરૂપનિર્દેશો તો ઘણા વધારે કિસ્સાઓમાં થયા નથી. પ્રથમ આવૃત્તિનાં વર્ષો અંગે -ક્યાંક એ મળ્યાં નહીં એથી ને ક્યાં ન મેળવવાના પ્રમાદથી પૂરી ચોકસાઈ નથી થઈ – એવે સ્થળે ક્યારેક પુનર્મુદ્રણોનાં કે બીજી આવૃત્તિનાં વર્ષો પણ પ્રવેશી ગયાં છે. થોડીક ભૂલો, અલબત્ત, મુદ્રણદોષોને લીધે પણ રહી ગઈ હશે.
આવાં સીમાંકનો ઉપરાંત અધિકરણ-લેખનના તબક્કે પણ લેખક-નામની કે પુસ્તક-નામની, પુસ્તકના સ્વરૂપની, કે પ્રકાશનવર્ષની પૂરી ચોકસાઈ કેટલાક કિસ્સાઓમાં જળવાઈ નથી. સ્વરૂપનિર્દેશો તો ઘણા વધારે કિસ્સાઓમાં થયા નથી. પ્રથમ આવૃત્તિનાં વર્ષો અંગે -ક્યાંક એ મળ્યાં નહીં એથી ને ક્યાં ન મેળવવાના પ્રમાદથી પૂરી ચોકસાઈ નથી થઈ – એવે સ્થળે ક્યારેક પુનર્મુદ્રણોનાં કે બીજી આવૃત્તિનાં વર્ષો પણ પ્રવેશી ગયાં છે. થોડીક ભૂલો, અલબત્ત, મુદ્રણદોષોને લીધે પણ રહી ગઈ હશે.
આ કોશમાં, પ્રતિ-ચકાસણી (ક્રૉસ-ચૅકિંગ) માટે એક અવરોધ આવી ગયો છે એ એની મોટી મર્યાદા છે. અગાઉ પ્રકાશિત થયેલા ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૧ મધ્યકાલીન’માં પ્રત્યેક કર્તા-અધિકરણ નીચે કર્તા-કૃતિ અંગેના સ્રોતસંદર્ભો આપેલા હતા. એ આવશ્યક બાબતનો એ જ સંસ્થાના આ અનુગામી પ્રકાશનમાં પરિહાર થયો છે. એવી સ્રોત-નિર્દેશક પદ્ધતિના અભાવે, જરૂરી વિગત-ચકાસણી માટે પણ, સુધી જવાનો સેતુ રહ્યો નથી! સમયદર્શી કોશ માટે તો એ ઘણું અવરોધક બન્યું છે.
આ કોશમાં, પ્રતિ-ચકાસણી (ક્રૉસ-ચૅકિંગ) માટે એક અવરોધ આવી ગયો છે એ એની મોટી મર્યાદા છે. અગાઉ પ્રકાશિત થયેલા ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ: ૧ મધ્યકાલીન’માં પ્રત્યેક કર્તા-અધિકરણ નીચે કર્તા-કૃતિ અંગેના સ્રોતસંદર્ભો આપેલા હતા. એ આવશ્યક બાબતનો એ જ સંસ્થાના આ અનુગામી પ્રકાશનમાં પરિહાર થયો છે. એવી સ્રોત-નિર્દેશક પદ્ધતિના અભાવે, જરૂરી વિગત-ચકાસણી માટે પણ, સુધી જવાનો સેતુ રહ્યો નથી! સમયદર્શી કોશ માટે તો એ ઘણું અવરોધક બન્યું છે.
(૨) સાહિત્યકાર પરિચયકોશ (૨૦૦૮): આ કોશે પદ્ધતિગત બે સીમાંકનો સ્વીકારેલાં છે: એક, હયાત હોય એટલા લેખકોની જ વિગતો પ્રકાશિત કરવી કારણ કે આ એક પ્રકારનો સંપર્કકોશ (ડિરેક્ટરી) છે [ખરો સંપર્કકોશ તો, આ કોશની સંક્ષિપ્ત આવૃત્તિરૂપ ‘ગુજરાતી સાહિત્યકારકોશ’ (૨૦૦૮) છે; જ્યારે આ બૃહદ ‘સાહિત્યકાર પરિચય કોશ’ – સંપર્ક કોશ અને સાહિત્યકોશની વચ્ચેનું રૂપ છે.] બીજું એ કે, આ કોશ કોઈ લેખકનાં બધાં જ નહીં પણ મહત્ત્વનાં કે પસંદગીનાં પુસ્તકોની વિગતો આપે છે. આ સીમાંકન આ કોશની એક ‘પરિચય’ કોશ તરીકેની જરૂરિયાત છે, એ યોેગ્ય પણ છે. પરંતુ એથી, આ ‘સમયદર્શી સંદર્ભકોશ’ માટે લેખકોની (ખાસ કરીને ૧૯૫૦ પછી જન્મેલા લેખકોની) પર્યાપ્ત વિગતો તેમાંથી સાંપડતી નથી.
<u>'''(૨) સાહિત્યકાર પરિચયકોશ (૨૦૦૮):'''</u> આ કોશે પદ્ધતિગત બે સીમાંકનો સ્વીકારેલાં છે: એક, હયાત હોય એટલા લેખકોની જ વિગતો પ્રકાશિત કરવી કારણ કે આ એક પ્રકારનો સંપર્કકોશ (ડિરેક્ટરી) છે [ખરો સંપર્કકોશ તો, આ કોશની સંક્ષિપ્ત આવૃત્તિરૂપ ‘ગુજરાતી સાહિત્યકારકોશ’ (૨૦૦૮) છે; જ્યારે આ બૃહદ ‘સાહિત્યકાર પરિચય કોશ’ – સંપર્ક કોશ અને સાહિત્યકોશની વચ્ચેનું રૂપ છે.] બીજું એ કે, આ કોશ કોઈ લેખકનાં બધાં જ નહીં પણ મહત્ત્વનાં કે પસંદગીનાં પુસ્તકોની વિગતો આપે છે. આ સીમાંકન આ કોશની એક ‘પરિચય’ કોશ તરીકેની જરૂરિયાત છે, એ યોેગ્ય પણ છે. પરંતુ એથી, આ ‘સમયદર્શી સંદર્ભકોશ’ માટે લેખકોની (ખાસ કરીને ૧૯૫૦ પછી જન્મેલા લેખકોની) પર્યાપ્ત વિગતો તેમાંથી સાંપડતી નથી.
આ કોશે સ્વીકારેલી એક બીજી પદ્ધતિ જરાક અટપટી છે ને એણે વિગત-તારવણી માટે ક્યારેક ગૂંચ ઊભી કરી છે. લેખકનાં પુસ્તકોની વિગતો, પહેલાં ‘એવોર્ડ’ અને ‘પારિતોષિક’ પેટા-ખંડ (હેડ) નીચે ને પછી ‘પ્રકાશનો’ એવા પેટા-ખંડ નીચે મૂકી છે. આવી વિભાજન-પદ્ધતિને લીધે ‘એવોર્ડ’ આદિમાં દર્શાવેલાં પ્રકાશનો ફરી ‘પ્રકાશન’ વિભાગમાં પુનરાવર્તિત થતાં નથી.૧ એ તો બરાબર છે પરંતુ, આ કારણે, વિગત-તારવણી કરનારની સાવચેતી (ને એથી સરતચૂકની શક્યતા) વધી જાય છે. વળી, પારિતોષિક આદિમાં નોંધેલાં પુસ્તકો સામે સામાન્ય રીતે તો પ્રકાશનવર્ષો જ દર્શાવેલાં છે પણ કેટલીક જગાએ પારિતોષિકવર્ષ અને પ્રકાશનવર્ષ વચ્ચે ગૂંચ રહી ગઈ છે.
આ કોશે સ્વીકારેલી એક બીજી પદ્ધતિ જરાક અટપટી છે ને એણે વિગત-તારવણી માટે ક્યારેક ગૂંચ ઊભી કરી છે. લેખકનાં પુસ્તકોની વિગતો, પહેલાં ‘એવોર્ડ’ અને ‘પારિતોષિક’ પેટા-ખંડ (હેડ) નીચે ને પછી ‘પ્રકાશનો’ એવા પેટા-ખંડ નીચે મૂકી છે. આવી વિભાજન-પદ્ધતિને લીધે ‘એવોર્ડ’ આદિમાં દર્શાવેલાં પ્રકાશનો ફરી ‘પ્રકાશન’ વિભાગમાં પુનરાવર્તિત થતાં નથી.૧ એ તો બરાબર છે પરંતુ, આ કારણે, વિગત-તારવણી કરનારની સાવચેતી (ને એથી સરતચૂકની શક્યતા) વધી જાય છે. વળી, પારિતોષિક આદિમાં નોંધેલાં પુસ્તકો સામે સામાન્ય રીતે તો પ્રકાશનવર્ષો જ દર્શાવેલાં છે પણ કેટલીક જગાએ પારિતોષિકવર્ષ અને પ્રકાશનવર્ષ વચ્ચે ગૂંચ રહી ગઈ છે.
આ ઉપરાંત, ‘પ્રકાશનો’ હેઠળ નોંધેલાં પુસ્તકોમાં દરેક પુસ્તક પછી પ્રકાશનવર્ષ નોંધેલું છે પણ ક્યાંક બે કે વધુ પુસ્તકો અલ્પવિરામથી દર્શાવી એ પછી પ્રકાશનવર્ષ લખવામાં આવ્યું છે. જેમકે: [‘ચૌધરી રઘુવીર’માં] ‘કંડકટર, ગોકુળ-મથુરા-દ્વારકા, ૧૯૮૬’. એથી, પ્રકાશનવર્ષ-નિર્ધારણ કરનાર માટે બે પ્રકારના વિકલ્પોની મૂંઝવણ રહે: કાં તો સંપાદકને ‘કંડકટર’ (નવલકથા)નું પ્રકાશનવર્ષ સુલભ નથી થયું; કાંતો એ, પછીની ત્રણની જેમ જ, ૧૯૮૬માં પ્રકાશિત થયેલી નવલકથા છે. [આ કિસ્સામાં, ‘કંડકટર’નું પ્રકાશનવર્ષ ૧૯૮૦ છે.] આવી અલ્પવિરામ-પ્રયુક્તિ કોશમાં ઘણી વ્યાપક છે. પણ સંપાદકે પ્રસ્તાવનામાં એની કોઈ સ્પષ્ટતા કરી નથી, એ કરેલી હોય તો પછીનું કામ કરનારને સ્પષ્ટ રસ્તો જડે.૨
આ ઉપરાંત, ‘પ્રકાશનો’ હેઠળ નોંધેલાં પુસ્તકોમાં દરેક પુસ્તક પછી પ્રકાશનવર્ષ નોંધેલું છે પણ ક્યાંક બે કે વધુ પુસ્તકો અલ્પવિરામથી દર્શાવી એ પછી પ્રકાશનવર્ષ લખવામાં આવ્યું છે. જેમકે: [‘ચૌધરી રઘુવીર’માં] ‘કંડકટર, ગોકુળ-મથુરા-દ્વારકા, ૧૯૮૬’. એથી, પ્રકાશનવર્ષ-નિર્ધારણ કરનાર માટે બે પ્રકારના વિકલ્પોની મૂંઝવણ રહે: કાં તો સંપાદકને ‘કંડકટર’ (નવલકથા)નું પ્રકાશનવર્ષ સુલભ નથી થયું; કાંતો એ, પછીની ત્રણની જેમ જ, ૧૯૮૬માં પ્રકાશિત થયેલી નવલકથા છે. [આ કિસ્સામાં, ‘કંડકટર’નું પ્રકાશનવર્ષ ૧૯૮૦ છે.] આવી અલ્પવિરામ-પ્રયુક્તિ કોશમાં ઘણી વ્યાપક છે. પણ સંપાદકે પ્રસ્તાવનામાં એની કોઈ સ્પષ્ટતા કરી નથી, એ કરેલી હોય તો પછીનું કામ કરનારને સ્પષ્ટ રસ્તો જડે.૨
આ ‘પરિચય કોશે’ પણ લેખકો પાસેથી માહિતીપત્રકોમાં વિગતો માગેલી. પરંતુ, સંપાદક લખે છે એમ, કેટલાક લેખકોએ ‘માહિતી ન મોકલી આપી હોય અથવા અપૂર્ણ માહિતી આપી હોય’ એમ બન્યું જ છે. (ને સંપાદકે એમાંથી કેટલીકના શક્ય એટલા ઉકેલ શોધેલા છે.) આ સંજોગોમાં આવી ક્ષતિઓ – પુસ્તકની કોઈ જ વિગત ન મળવી/એનું પ્રકાશનવર્ષ ન મળવું/એનું સ્વરૂપ દર્શાવેલું ન મળવું, વગેરે – રહી જાય એ સ્વાભાવિક છે. આ ‘સમયદર્શી સંદર્ભકોશ’ને એ ક્ષતિઓનો સામનો કરવાનો આવ્યો છે.
આ ‘પરિચય કોશે’ પણ લેખકો પાસેથી માહિતીપત્રકોમાં વિગતો માગેલી. પરંતુ, સંપાદક લખે છે એમ, કેટલાક લેખકોએ ‘માહિતી ન મોકલી આપી હોય અથવા અપૂર્ણ માહિતી આપી હોય’ એમ બન્યું જ છે. (ને સંપાદકે એમાંથી કેટલીકના શક્ય એટલા ઉકેલ શોધેલા છે.) આ સંજોગોમાં આવી ક્ષતિઓ – પુસ્તકની કોઈ જ વિગત ન મળવી/એનું પ્રકાશનવર્ષ ન મળવું/એનું સ્વરૂપ દર્શાવેલું ન મળવું, વગેરે – રહી જાય એ સ્વાભાવિક છે. આ ‘સમયદર્શી સંદર્ભકોશ’ને એ ક્ષતિઓનો સામનો કરવાનો આવ્યો છે.


૨.૩ અવકાશ-પૂર્તિ અંગેના પ્રશ્નો
<u>'''૨.૩ અવકાશ-પૂર્તિ અંગેના પ્રશ્નો'''</u>
સમયદર્શી કોશનો આ પ્રકલ્પ શરૂ કર્યો ત્યારે એમ હતું કે આ બંને સ્રોત-કોશોમાંની સામગ્રી, સ્વીકારેલા આખા સમય-ફલકને આવરી લેતી હોવાથી માહિતી-સંપાદન (ડેટા કલેક્શન) તો પૂરેપૂરું થવાનું જ. પછીથી એ માહિતીને કર્તાઓનાં જન્મવર્ષ/તારીખના ક્રમમાં તથા કૃતિઓનાં સ્વરૂપવિભાજન અને એની અંતર્ગત સમયક્રમમાં સંકલિત કરી લેવાની રહેશે. ‘કર્તાસંદર્ભ’ કઈ કઈ વિગતોથી કેવી રીતે રજૂ કરવો અને ‘કૃતિસંદર્ભ’માં સ્વરૂપવિભાજન અને સંયોજન કેવી રીતે કરવું એનાં પદ્ધતિ અને આયોજન વિચારી લીધેલાં હતાં.
સમયદર્શી કોશનો આ પ્રકલ્પ શરૂ કર્યો ત્યારે એમ હતું કે આ બંને સ્રોત-કોશોમાંની સામગ્રી, સ્વીકારેલા આખા સમય-ફલકને આવરી લેતી હોવાથી માહિતી-સંપાદન (ડેટા કલેક્શન) તો પૂરેપૂરું થવાનું જ. પછીથી એ માહિતીને કર્તાઓનાં જન્મવર્ષ/તારીખના ક્રમમાં તથા કૃતિઓનાં સ્વરૂપવિભાજન અને એની અંતર્ગત સમયક્રમમાં સંકલિત કરી લેવાની રહેશે. ‘કર્તાસંદર્ભ’ કઈ કઈ વિગતોથી કેવી રીતે રજૂ કરવો અને ‘કૃતિસંદર્ભ’માં સ્વરૂપવિભાજન અને સંયોજન કેવી રીતે કરવું એનાં પદ્ધતિ અને આયોજન વિચારી લીધેલાં હતાં.
પરંતુ કામ કરતાં કરતાં આ પ્રાથમિક માહિતી-સંપાદન અંગે જ ઘણો ફેરવિચાર કરવાનું, ને ઘણા પ્રશ્નોનો સામનો કરવાનું આવ્યું:
પરંતુ કામ કરતાં કરતાં આ પ્રાથમિક માહિતી-સંપાદન અંગે જ ઘણો ફેરવિચાર કરવાનું, ને ઘણા પ્રશ્નોનો સામનો કરવાનું આવ્યું:
Line 66: Line 66:
‘પરિચયકોશ’માં પણ સ્વરૂપ અને પ્રકાશનવર્ષનાં ખાલી સ્થાનો (ગૅપ્સ) ઘણાં હતાં – એ શી રીતે મેળવવા?
‘પરિચયકોશ’માં પણ સ્વરૂપ અને પ્રકાશનવર્ષનાં ખાલી સ્થાનો (ગૅપ્સ) ઘણાં હતાં – એ શી રીતે મેળવવા?


૨.૪ સહાયક સ્રોત/સંદર્ભ ગ્રંથો
<u>'''૨.૪ સહાયક સ્રોત/સંદર્ભ ગ્રંથો'''</u>


આ બધા પ્રશ્નોના નિવારણ માટે, આ બે મુખ્ય સ્રોતો ઉપરાંત ક્રમેક્રમે બીજા ઘણા સ્રોતગ્રંથો અને સંદર્ભગ્રંથોમાં જવું પડ્યું. અલબત્ત, એક સીમાંકન એ કરી લીધું હતું કે આ ગ્રંથોનો સહાયક ગ્રંથો તરીકે જ ઉપયોગ કરવો – વિગતપૂર્તિ અને વિગતચકાસણીના જે પ્રશ્નો સામે આવ્યા હતા એના ઉકેલ પૂરતો જ. કેમકે, નહીં તો, એ ગ્રંથોની સર્વ સામગ્રી હાથ ધરવામાં તો વળી વિગતોનું જંગલ ઊભું થાય ને એમાંથી નીકળતાં બીજાં ઘણાં વર્ષો થઈ જાય.
આ બધા પ્રશ્નોના નિવારણ માટે, આ બે મુખ્ય સ્રોતો ઉપરાંત ક્રમેક્રમે બીજા ઘણા સ્રોતગ્રંથો અને સંદર્ભગ્રંથોમાં જવું પડ્યું. અલબત્ત, એક સીમાંકન એ કરી લીધું હતું કે આ ગ્રંથોનો સહાયક ગ્રંથો તરીકે જ ઉપયોગ કરવો – વિગતપૂર્તિ અને વિગતચકાસણીના જે પ્રશ્નો સામે આવ્યા હતા એના ઉકેલ પૂરતો જ. કેમકે, નહીં તો, એ ગ્રંથોની સર્વ સામગ્રી હાથ ધરવામાં તો વળી વિગતોનું જંગલ ઊભું થાય ને એમાંથી નીકળતાં બીજાં ઘણાં વર્ષો થઈ જાય.
Line 74: Line 74:
આ સહાયક ગ્રંથોમાંથી ભલે બધા નહીં પણ મોટાભાગના પ્રશ્નોના ઉકેલ તો થઈ શક્યા.
આ સહાયક ગ્રંથોમાંથી ભલે બધા નહીં પણ મોટાભાગના પ્રશ્નોના ઉકેલ તો થઈ શક્યા.
એ સહાયક્-સંદર્ભોની સૂચિ આ પ્રસ્તાવનાને અંતે મૂકી છે.
એ સહાયક્-સંદર્ભોની સૂચિ આ પ્રસ્તાવનાને અંતે મૂકી છે.
૩. આ સમયદર્શી કોશ: સીમાંકન  
<u>'''૩. આ સમયદર્શી કોશ: સીમાંકન'''</u>


૩.૧ માહિતીની પસંદગી: સ્રોત-આધારે: આ કોશનું એક સીમાંકન મુખ્ય સ્રોત-ગ્રંથો દ્વારા પણ અંકાયેલું છે. ‘–વગેરે’ પદ્ધતિને કારણે, તે તે લેખકોની કેટલીક કૃતિઓ એ સ્રોત ગ્રંથોમાં ઉલ્લેખ પામી નથી એમાંથી ઘણી આ કોશમાં પણ આવી શકી નથી. – અલબત્ત એમાંથી થોડીક સહાયક-સંદર્ભોમાંથી સુલભ બની છે.  
<u>'''૩.૧ માહિતીની પસંદગી: સ્રોત-આધારે:'''</u> આ કોશનું એક સીમાંકન મુખ્ય સ્રોત-ગ્રંથો દ્વારા પણ અંકાયેલું છે. ‘–વગેરે’ પદ્ધતિને કારણે, તે તે લેખકોની કેટલીક કૃતિઓ એ સ્રોત ગ્રંથોમાં ઉલ્લેખ પામી નથી એમાંથી ઘણી આ કોશમાં પણ આવી શકી નથી. – અલબત્ત એમાંથી થોડીક સહાયક-સંદર્ભોમાંથી સુલભ બની છે.  
વળી, ખાસ તો, જે કૃતિઓનાં સ્વરૂપના નિર્દેશો કે/અને પ્રકાશનવર્ષોના નિર્દેશોે સ્રોત-ગ્રંથોમાં થયા નથી એ કૃતિઓ પણ બહાર રાખવી પડી છે. – સિવાય કે એમાંથી થોડીકનાં સ્વરૂપો અને પ્રકાશનવર્ષો માહિતી સહાયક સંદર્ભોમાંથી મળી હોય. (પ્રકાશનવર્ષો ક્યાંયથી પણ ન મળ્યાં હોય એવી થોડીક પણ મહત્ત્વની કૃતિઓ ‘–આસપાસ’ એવા નિર્દેશવાળી પ્રયુક્તિથી સાચવી લીધી છે, એની વાત હવે પછી કરી છે.). એટલે, ગુજરાતીની (મુખ્યત્વે સાહિત્યની પણ) પ્રકાશિત થયેલી બધી જ કૃતિઓ, નિ:શેષ રીતે, આ કોશમાં – તેમ જ, અગાઉના કોઈપણ કોશમાં – ઉલ્લેખ પામી નથી. એ એક સ્વતંત્ર ચર્ચાનો મુદ્દો બને છે.
વળી, ખાસ તો, જે કૃતિઓનાં સ્વરૂપના નિર્દેશો કે/અને પ્રકાશનવર્ષોના નિર્દેશોે સ્રોત-ગ્રંથોમાં થયા નથી એ કૃતિઓ પણ બહાર રાખવી પડી છે. – સિવાય કે એમાંથી થોડીકનાં સ્વરૂપો અને પ્રકાશનવર્ષો માહિતી સહાયક સંદર્ભોમાંથી મળી હોય. (પ્રકાશનવર્ષો ક્યાંયથી પણ ન મળ્યાં હોય એવી થોડીક પણ મહત્ત્વની કૃતિઓ ‘–આસપાસ’ એવા નિર્દેશવાળી પ્રયુક્તિથી સાચવી લીધી છે, એની વાત હવે પછી કરી છે.). એટલે, ગુજરાતીની (મુખ્યત્વે સાહિત્યની પણ) પ્રકાશિત થયેલી બધી જ કૃતિઓ, નિ:શેષ રીતે, આ કોશમાં – તેમ જ, અગાઉના કોઈપણ કોશમાં – ઉલ્લેખ પામી નથી. એ એક સ્વતંત્ર ચર્ચાનો મુદ્દો બને છે.
ખરો મુદ્દો તો, અપર્યાપ્ત વિગતોવાળી ને સંદિગ્ધ માહિતીવાળી કૃતિઓને પણ, એક દસ્તાવેજ લેખે સાચવી લેવી કે કેમ – એના નિર્ણયનો હતો. કૃતિ વાર્તાસંગ્રહ છે કે નવલકથા છે, નાટક છે કે એકાંકીસંગ્રહ એની સ્પષ્ટતા ન થતી હોય – તો શું કરવું? પહેલે તબક્કે, પ્રશ્નાર્થ મૂકીને જુદી રાખેલી આવી કૃતિઓમાંથી થોડાકની સ્પષ્ટ વિગતો અન્યત્રથી મળી – પણ બાકીની પુષ્કળ કૃતિઓનું શું? એને ‘પ્રકીર્ણ’ એવા વિભાગમાં મૂકવી? એમ કરવાથી નાહક એક ઢગલો થતો હતો – જેની કોઈ જ ઉપયુક્તતા ન હતી. એ જ રીતે, પ્રકાશનવર્ષ ન મળતું હોય એવાં પુસ્તકોની સંખ્યા પણ, મૂળ સ્રોતોમાં, ઘણી હતી. એક વિલક્ષણ દૃષ્ટાંત, આ અંગે નોંધવા જેવું છે: સાહિત્યકોશ: ૨માં ‘પાઠક જગજીવન કાલિદાસ’ (પૃ. ૩૫૫) વિશે અધિકરણ છે. કર્તાનાં જન્મ-અવસાનનાં તારીખ-વર્ષ મળે છે. પરંતુ એમને નામે નોંધાયેલાં – નાટક, નવલકથા, બાળસાહિત્ય, ચરિત્ર, અનુવાદ, અન્ય - એમ વિવિધ સ્વરૂપોમાંનાં ૧૨-૧૩ પુસ્તકોમાંથી એકેયનું પ્રકાશનવર્ષ જ કોશમાં નોંધાયેલું નથી! વળી, ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (પરિષદ-પ્રકાશિત) કે ‘ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ (ધીરુભાઈ ઠાકર) – એના કોઈ પણ ગ્રંથ/ભાગમાં આ લેખકના નામનો પણ કોઈ ઉલ્લેખ નથી! આવી પ્રશ્નાર્થક માહિતી ક્યાંથી આવી એ પણ ‘સાહિત્યકોશ’નો કર્તાઅધિકરણ નીચેનાં સ્રોત-સંદર્ભને અભાવે, જાણી શકાયું નથી.૪
ખરો મુદ્દો તો, અપર્યાપ્ત વિગતોવાળી ને સંદિગ્ધ માહિતીવાળી કૃતિઓને પણ, એક દસ્તાવેજ લેખે સાચવી લેવી કે કેમ – એના નિર્ણયનો હતો. કૃતિ વાર્તાસંગ્રહ છે કે નવલકથા છે, નાટક છે કે એકાંકીસંગ્રહ એની સ્પષ્ટતા ન થતી હોય – તો શું કરવું? પહેલે તબક્કે, પ્રશ્નાર્થ મૂકીને જુદી રાખેલી આવી કૃતિઓમાંથી થોડાકની સ્પષ્ટ વિગતો અન્યત્રથી મળી – પણ બાકીની પુષ્કળ કૃતિઓનું શું? એને ‘પ્રકીર્ણ’ એવા વિભાગમાં મૂકવી? એમ કરવાથી નાહક એક ઢગલો થતો હતો – જેની કોઈ જ ઉપયુક્તતા ન હતી. એ જ રીતે, પ્રકાશનવર્ષ ન મળતું હોય એવાં પુસ્તકોની સંખ્યા પણ, મૂળ સ્રોતોમાં, ઘણી હતી. એક વિલક્ષણ દૃષ્ટાંત, આ અંગે નોંધવા જેવું છે: સાહિત્યકોશ: ૨માં ‘પાઠક જગજીવન કાલિદાસ’ (પૃ. ૩૫૫) વિશે અધિકરણ છે. કર્તાનાં જન્મ-અવસાનનાં તારીખ-વર્ષ મળે છે. પરંતુ એમને નામે નોંધાયેલાં – નાટક, નવલકથા, બાળસાહિત્ય, ચરિત્ર, અનુવાદ, અન્ય - એમ વિવિધ સ્વરૂપોમાંનાં ૧૨-૧૩ પુસ્તકોમાંથી એકેયનું પ્રકાશનવર્ષ જ કોશમાં નોંધાયેલું નથી! વળી, ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (પરિષદ-પ્રકાશિત) કે ‘ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ (ધીરુભાઈ ઠાકર) – એના કોઈ પણ ગ્રંથ/ભાગમાં આ લેખકના નામનો પણ કોઈ ઉલ્લેખ નથી! આવી પ્રશ્નાર્થક માહિતી ક્યાંથી આવી એ પણ ‘સાહિત્યકોશ’નો કર્તાઅધિકરણ નીચેનાં સ્રોત-સંદર્ભને અભાવે, જાણી શકાયું નથી.૪
એથી, આવી કેટલીય કૃતિઓ આ સમયદર્શી કોશમાંથી, સ્વાભાવિક જ, બહાર રહી ગઈ છે. અલબત્ત, મહત્ત્વની લાગેલી કૃતિઓ અન્ય પ્રયુક્તિથી જાળવી લીધી છે.
એથી, આવી કેટલીય કૃતિઓ આ સમયદર્શી કોશમાંથી, સ્વાભાવિક જ, બહાર રહી ગઈ છે. અલબત્ત, મહત્ત્વની લાગેલી કૃતિઓ અન્ય પ્રયુક્તિથી જાળવી લીધી છે.
૩.૨ બીજું સીમાંકન: ‘બહુ સમાવેશ’ની નીતિ:
<u>'''૩.૨ બીજું સીમાંકન: ‘બહુ સમાવેશ’ની નીતિ:'''</u>
સંદર્ભ ઉપયોગિતા અને પૂર્ણ દસ્તાવેજીકરણ – એ બેની વચ્ચે વ્યવહારુ ઉકેલો કાઢતા જઈને આ કોશ તૈયાર કર્યો છે.  
સંદર્ભ ઉપયોગિતા અને પૂર્ણ દસ્તાવેજીકરણ – એ બેની વચ્ચે વ્યવહારુ ઉકેલો કાઢતા જઈને આ કોશ તૈયાર કર્યો છે.  
કોઈપણ કોશ માટે દસ્તાવેજીકરણનું મૂલ્ય ઘણું હોય છે પરંતુ ક્યારેક અલ્પતમ (કે શૂન્ય) ઉપાદેયતાવાળી, જથ્થાના એક ભાગ તરીકે આવતી વિગતોના ખડકલાથી પણ સાચી સંદર્ભ-ઉપયોગિતા ઘટે, એક દોદળું ચિત્ર ઊભું થાય ને એ કારણે અભ્યાસીનો શોધશ્રમ એળે જાય – એ અંગેની ચિંતા-સભાનતા સતત રહ્યાં છે. એ કારણે કેટલાક હેય-ઉપાદેય-નિર્ણય લીધા છે.: ઉદા. તરીકે –  
કોઈપણ કોશ માટે દસ્તાવેજીકરણનું મૂલ્ય ઘણું હોય છે પરંતુ ક્યારેક અલ્પતમ (કે શૂન્ય) ઉપાદેયતાવાળી, જથ્થાના એક ભાગ તરીકે આવતી વિગતોના ખડકલાથી પણ સાચી સંદર્ભ-ઉપયોગિતા ઘટે, એક દોદળું ચિત્ર ઊભું થાય ને એ કારણે અભ્યાસીનો શોધશ્રમ એળે જાય – એ અંગેની ચિંતા-સભાનતા સતત રહ્યાં છે. એ કારણે કેટલાક હેય-ઉપાદેય-નિર્ણય લીધા છે.: ઉદા. તરીકે –  
Line 88: Line 88:
અલબત્ત, અહીં પસંદગી ચુસ્ત નહીં પણ, મોકળી ને ઉદાર જ રાખી છે. એટલે કે સર્વસમાવેશી ભલે નહીં, પણ બહુસમાવેશી વલણ રાખ્યું છે. આવા અ-સમાવેશ પાછળ અનુમાન અને યદૃચ્છાનુંં (ને રુચિનું) પ્રવર્તન થયું હશે પણ એને કેવળ સ્વૈર રાખ્યું નથી. – બે વાર વિચારીને નિર્ણયો લીધા છે. ક્યારેક તો, બહાર રાખેલાં પુસ્તકોમાંથી પણ કેટલાંક ફરી સમાવ્યાં છે.  
અલબત્ત, અહીં પસંદગી ચુસ્ત નહીં પણ, મોકળી ને ઉદાર જ રાખી છે. એટલે કે સર્વસમાવેશી ભલે નહીં, પણ બહુસમાવેશી વલણ રાખ્યું છે. આવા અ-સમાવેશ પાછળ અનુમાન અને યદૃચ્છાનુંં (ને રુચિનું) પ્રવર્તન થયું હશે પણ એને કેવળ સ્વૈર રાખ્યું નથી. – બે વાર વિચારીને નિર્ણયો લીધા છે. ક્યારેક તો, બહાર રાખેલાં પુસ્તકોમાંથી પણ કેટલાંક ફરી સમાવ્યાં છે.  


૩.૩ વિગત-સાચવણીનો અગ્રતાક્રમ:
<u>'''૩.૩ વિગત-સાચવણીનો અગ્રતાક્રમ:'''</u>
સ્રી-લેખકોની કૃતિઓ [સ્વરૂપનિર્દેશ કે પ્રકાશનવર્ષ ન મળ્યાં હોય કે એનો છેવટે પણ ઉકેલ ન મળ્યો હોય એ સિવાયની] બધી જ સાચવવાનું વલણ રાખ્યું છે. સ્ત્રી લેખકોની સંખ્યા પ્રમાણમાં – અને અર્વાચીન યુગનાં પ્રારંભિક ૫૦-૭૫ વર્ષોમાં તો ખાસ – ઓછી છે એથી આવો નિર્ણય લીધો છે. એ જ રીતે, ૧૯મી સદીનાં એકદમ પ્રારંભિક વર્ષોનાં પ્રકાશનોને પણ, સ્વરૂપ-વર્ષની વિગતો મળી છે ત્યાં, પૂરેપૂરાં જાળવ્યાં છે.  
સ્રી-લેખકોની કૃતિઓ [સ્વરૂપનિર્દેશ કે પ્રકાશનવર્ષ ન મળ્યાં હોય કે એનો છેવટે પણ ઉકેલ ન મળ્યો હોય એ સિવાયની] બધી જ સાચવવાનું વલણ રાખ્યું છે. સ્ત્રી લેખકોની સંખ્યા પ્રમાણમાં – અને અર્વાચીન યુગનાં પ્રારંભિક ૫૦-૭૫ વર્ષોમાં તો ખાસ – ઓછી છે એથી આવો નિર્ણય લીધો છે. એ જ રીતે, ૧૯મી સદીનાં એકદમ પ્રારંભિક વર્ષોનાં પ્રકાશનોને પણ, સ્વરૂપ-વર્ષની વિગતો મળી છે ત્યાં, પૂરેપૂરાં જાળવ્યાં છે.  
૩.૪ પહેલી આવૃત્તિ અંગેનો કોયડો:
<u>'''૩.૪ પહેલી આવૃત્તિ અંગેનો કોયડો:'''</u>
આ સંદર્ભકોશમાં કૃતિનામો અને (પહેલી આવૃત્તિમાં) પ્રકાશનવર્ષો સ્વીકૃત સ્રોતોમાંથી લીધાં છે – એટલે કે, દ્વૈતીયીક સામગ્રીમાંથી લીધાં છે, પુસ્તકોની સીધી ચકાસણી કરીને લીધાં નથી. (એ શક્ય જ ન હતું.) એ કારણે, જ્યાં સંદેહ થયો કે કોઈ કોયડો સામે આવ્યો ત્યાં, તે સર્વ પુસ્તકોની પહેલી આવૃત્તિનું વર્ષ મેળવવાની જહેમત કરી છે તેમ છતાં, કેટલાક કિસ્સાઓમાં પ્રકાશનવર્ષ અહીં નોંધ્યા કરતાં જુદું મળવાની સંભાવના રહેલી છે. અહીં સ્વીકૃત સ્રોતોએ જેટલે અંશે મૂળમાં જઈને પ્રકાશનવર્ષો મેળવ્યાં હશે એટલે અંશે અધિકૃત માહિતી અહીં ઊતરી હશે – એટલે જુદું પ્રકાશનવર્ષ મળવાના કિસ્સા હશે, પણ તે વિરલ હોવાના.
આ સંદર્ભકોશમાં કૃતિનામો અને (પહેલી આવૃત્તિમાં) પ્રકાશનવર્ષો સ્વીકૃત સ્રોતોમાંથી લીધાં છે – એટલે કે, દ્વૈતીયીક સામગ્રીમાંથી લીધાં છે, પુસ્તકોની સીધી ચકાસણી કરીને લીધાં નથી. (એ શક્ય જ ન હતું.) એ કારણે, જ્યાં સંદેહ થયો કે કોઈ કોયડો સામે આવ્યો ત્યાં, તે સર્વ પુસ્તકોની પહેલી આવૃત્તિનું વર્ષ મેળવવાની જહેમત કરી છે તેમ છતાં, કેટલાક કિસ્સાઓમાં પ્રકાશનવર્ષ અહીં નોંધ્યા કરતાં જુદું મળવાની સંભાવના રહેલી છે. અહીં સ્વીકૃત સ્રોતોએ જેટલે અંશે મૂળમાં જઈને પ્રકાશનવર્ષો મેળવ્યાં હશે એટલે અંશે અધિકૃત માહિતી અહીં ઊતરી હશે – એટલે જુદું પ્રકાશનવર્ષ મળવાના કિસ્સા હશે, પણ તે વિરલ હોવાના.
પરંતુ પુસ્તકોની પહેલી આવૃત્તિ અંગે કેટલાક પ્રશ્નો, બહુ પ્રયત્નેય, રહી જવાના. કેટલીકવાર પહેલી આવૃત્તિવાળો ગ્રંથ પુસ્તકાલયમાં પણ મળતો ન હોય એવું બનતું હોય છે! – બહુ જૂનાં પુસ્તકો અંગે આ સંભાવના વધારે હોઈ શકે, પણ પ્રમાણમાં નજીકના સમયનાં (કહો કે આજથી ૭૦-૮૦ વર્ષો પૂર્વેનાં) પુસ્તકો અંગે પણ આવું બનવાનું. આ કારણે, કૃતિઓનાં પ્રકાશનવર્ષ (પહેલી આવૃત્તિનાં) ક્યારેક જુદા જુદા સંદર્ભોમાં જુદાં જુદાં મળ્યાં હોવાના કોયડા પણ સામે આવ્યા છે! મુનશીની એક નવલકથા ‘રાજાધિરાજ’નાં તો, ચાર સંદર્ભોમાં ચાર જુદાં પ્રકાશનવર્ષો મળ્યાં – જેમાંનાં બે સંદર્ભોમાં તો અધિકરણલેખક એક જ હતા! છેવટે, પુસ્તક સીધું પુસ્તકાલયમાં જોઈને નક્કી કરવું પડ્યું. અલબત્ત, આવા કિસ્સા વિરલ ને અપવાદરૂપ જ રહેવાના. પરંતુ તકલીફ તો એ વાતની કે, કોઈ ખાસ કારણસર સંદેહ ન થયો હોય ત્યાં સુધી પ્રતિચકાસણી (ક્રોસ-ચેકિંગ)માં જવાયું ન હોય, ને ત્યારે સ્વીકૃત સ્રોતની સામગ્રી જ ઊતરી હોય. સદ્ભાગ્યે, સાહિત્યકોશનો મને અનુભવ હતો. ત્યાં બધા જ સંદર્ભોની માહિતી કાર્ડ પર નોંધાતી હતી ને એથી અધિકરણલેખકને આપોઆપ જ પ્રતિચકાસણીનો લાભ મળી જતો હતો. એટલે, એના કેટલાક પ્રશ્નો હોવા છતાં, સાહિત્યકોશ ઘણે અંશે શ્રદ્ધેય સ્રોત ગણાય. પરિચયકોશે તો, મોટેભાગે, સીધી લેખકો પાસેથી જ માહિતી મંગાવેલી એટલે, એમાંય પ્રશ્નો દાખલ થઈ ગયા હોવા છતાં, એનો ભરોસો રાખવામાં મોટી આપત્તિ ન હતી.
પરંતુ પુસ્તકોની પહેલી આવૃત્તિ અંગે કેટલાક પ્રશ્નો, બહુ પ્રયત્નેય, રહી જવાના. કેટલીકવાર પહેલી આવૃત્તિવાળો ગ્રંથ પુસ્તકાલયમાં પણ મળતો ન હોય એવું બનતું હોય છે! – બહુ જૂનાં પુસ્તકો અંગે આ સંભાવના વધારે હોઈ શકે, પણ પ્રમાણમાં નજીકના સમયનાં (કહો કે આજથી ૭૦-૮૦ વર્ષો પૂર્વેનાં) પુસ્તકો અંગે પણ આવું બનવાનું. આ કારણે, કૃતિઓનાં પ્રકાશનવર્ષ (પહેલી આવૃત્તિનાં) ક્યારેક જુદા જુદા સંદર્ભોમાં જુદાં જુદાં મળ્યાં હોવાના કોયડા પણ સામે આવ્યા છે! મુનશીની એક નવલકથા ‘રાજાધિરાજ’નાં તો, ચાર સંદર્ભોમાં ચાર જુદાં પ્રકાશનવર્ષો મળ્યાં – જેમાંનાં બે સંદર્ભોમાં તો અધિકરણલેખક એક જ હતા! છેવટે, પુસ્તક સીધું પુસ્તકાલયમાં જોઈને નક્કી કરવું પડ્યું. અલબત્ત, આવા કિસ્સા વિરલ ને અપવાદરૂપ જ રહેવાના. પરંતુ તકલીફ તો એ વાતની કે, કોઈ ખાસ કારણસર સંદેહ ન થયો હોય ત્યાં સુધી પ્રતિચકાસણી (ક્રોસ-ચેકિંગ)માં જવાયું ન હોય, ને ત્યારે સ્વીકૃત સ્રોતની સામગ્રી જ ઊતરી હોય. સદ્ભાગ્યે, સાહિત્યકોશનો મને અનુભવ હતો. ત્યાં બધા જ સંદર્ભોની માહિતી કાર્ડ પર નોંધાતી હતી ને એથી અધિકરણલેખકને આપોઆપ જ પ્રતિચકાસણીનો લાભ મળી જતો હતો. એટલે, એના કેટલાક પ્રશ્નો હોવા છતાં, સાહિત્યકોશ ઘણે અંશે શ્રદ્ધેય સ્રોત ગણાય. પરિચયકોશે તો, મોટેભાગે, સીધી લેખકો પાસેથી જ માહિતી મંગાવેલી એટલે, એમાંય પ્રશ્નો દાખલ થઈ ગયા હોવા છતાં, એનો ભરોસો રાખવામાં મોટી આપત્તિ ન હતી.
Line 98: Line 98:
પરંતુ આવી શોધખોળમાં ઝાઝું જવાયું નથી. એવી બધી જ શોધખોળ તો ઘણાં વર્ષો લે. જે થોડાક કોયડા સામે આવ્યા એને ઉકેલવામાં પણ દિવસોના દિવસો ગયા છે ને કોશ નિર્ધારિત સમય કરતાં મોડો પડ્યો છે.  
પરંતુ આવી શોધખોળમાં ઝાઝું જવાયું નથી. એવી બધી જ શોધખોળ તો ઘણાં વર્ષો લે. જે થોડાક કોયડા સામે આવ્યા એને ઉકેલવામાં પણ દિવસોના દિવસો ગયા છે ને કોશ નિર્ધારિત સમય કરતાં મોડો પડ્યો છે.  
નોંધ: નાટકો અંગે સમયનિર્દેશના એક વિલક્ષણ કોયડાનો સામનો કરવાનો આવ્યો છે. મૂળ સ્રોતમાં કેટલાંક નાટકોની સામે દર્શાવેલું વર્ષ મંચનનું વર્ષ છે કે પ્રકાશનનું – એ સ્પષ્ટ ન થયું હોય; કેટલાંક નાટકોનું માત્ર મંચન થયું હોય (થોડાંકનું તો વર્ષો સુધી થયું હોય) પણ એનું પ્રકાશન ન થયું તો સમયનિર્દેશ કેવી રીતે આપવો? આ ગૂંચને કારણે, કેટલાંક લેખકોના નાટકોની એવી યાદીઓ સ્રોત ગ્રંથોમાં સામે આવી જેમાં કોઈ વર્ષ નિર્દેશ ન થયો હોય. આ બધામાંથી શક્ય બન્યા એટલા કોયડા ઉકેલ્યા છે. (ક્યાંક ‘મંચનવર્ષ’ એવા નિર્દેશો પણ કર્યા છે).એવા થોડાક સંદર્ભો જોવા મળ્યા, પણ ઘણા વધારે સંદર્ભો તપાસવામાં હું જઈ શક્યો નથી; એના જાણકારોને પૂછેલું, પણ એનો સ્પષ્ટ ને સંતોષજનક ઉત્તર આપવાની સ્થિતિમાં તે ન હતા. કદાચ, નાટકો અંગે બધી જ માહિતી આપણાથી, થોડાક મહત્ત્વાકાંક્ષી પ્રયત્નો થયા હોવા છતાંય, સ્પષ્ટ રીતે સચવાઈ નથી.
નોંધ: નાટકો અંગે સમયનિર્દેશના એક વિલક્ષણ કોયડાનો સામનો કરવાનો આવ્યો છે. મૂળ સ્રોતમાં કેટલાંક નાટકોની સામે દર્શાવેલું વર્ષ મંચનનું વર્ષ છે કે પ્રકાશનનું – એ સ્પષ્ટ ન થયું હોય; કેટલાંક નાટકોનું માત્ર મંચન થયું હોય (થોડાંકનું તો વર્ષો સુધી થયું હોય) પણ એનું પ્રકાશન ન થયું તો સમયનિર્દેશ કેવી રીતે આપવો? આ ગૂંચને કારણે, કેટલાંક લેખકોના નાટકોની એવી યાદીઓ સ્રોત ગ્રંથોમાં સામે આવી જેમાં કોઈ વર્ષ નિર્દેશ ન થયો હોય. આ બધામાંથી શક્ય બન્યા એટલા કોયડા ઉકેલ્યા છે. (ક્યાંક ‘મંચનવર્ષ’ એવા નિર્દેશો પણ કર્યા છે).એવા થોડાક સંદર્ભો જોવા મળ્યા, પણ ઘણા વધારે સંદર્ભો તપાસવામાં હું જઈ શક્યો નથી; એના જાણકારોને પૂછેલું, પણ એનો સ્પષ્ટ ને સંતોષજનક ઉત્તર આપવાની સ્થિતિમાં તે ન હતા. કદાચ, નાટકો અંગે બધી જ માહિતી આપણાથી, થોડાક મહત્ત્વાકાંક્ષી પ્રયત્નો થયા હોવા છતાંય, સ્પષ્ટ રીતે સચવાઈ નથી.
૪. આ કોશનું માળખું
<u>'''૪. આ કોશનું માળખું'''</u>
૪.૧ મુખ્ય વિભાજન: આ ‘સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ’ને બે મુખ્ય વિભાગોમાં રજૂ કર્યો છે: [૧] લેખકોનો સમયક્રમ નિર્દેશતો ‘કર્તાસંદર્ભ’ ખંડ અને [૨] પ્રકાશિત ગ્રંથોનો સમયક્રમ નિર્દેશતો ‘કૃતિસંદર્ભ’ ખંડ. સાહિત્યકોશો અને લેખકપરિચયકોશો લેખક=કર્તાને મુખ્ય અધિકરણ-સ્થાને રાખીને એની અંતર્ગત જીવન-સંદર્ભને તથા (એમણે લખેલાં પુસ્તકોના) કૃતિ-સંદર્ભને સમાવે છે. સ્વતંત્ર કૃતિપરિચયકોશો બહુ વિરલ છે (જેમકે ‘ગુજરાતી ટૂંકીવાર્તા કોશ’, સંપા. ચંદ્રકાન્ત ટોપીવાળા, રમેશ દવે). ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૨’ કેટલીક મહત્ત્વની લાગેલી, પસંદગીની કૃતિઓના પરિચયને વિશેષ વિગત પરિચયરૂપે સામેલ કરે છે પણ પ્રધાનપણે એ કર્તા-કેન્દ્રી કોશ છે.
<u>'''૪.૧ મુખ્ય વિભાજન:'''</u> આ ‘સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ’ને બે મુખ્ય વિભાગોમાં રજૂ કર્યો છે: [૧] લેખકોનો સમયક્રમ નિર્દેશતો ‘કર્તાસંદર્ભ’ ખંડ અને [૨] પ્રકાશિત ગ્રંથોનો સમયક્રમ નિર્દેશતો ‘કૃતિસંદર્ભ’ ખંડ. સાહિત્યકોશો અને લેખકપરિચયકોશો લેખક=કર્તાને મુખ્ય અધિકરણ-સ્થાને રાખીને એની અંતર્ગત જીવન-સંદર્ભને તથા (એમણે લખેલાં પુસ્તકોના) કૃતિ-સંદર્ભને સમાવે છે. સ્વતંત્ર કૃતિપરિચયકોશો બહુ વિરલ છે (જેમકે ‘ગુજરાતી ટૂંકીવાર્તા કોશ’, સંપા. ચંદ્રકાન્ત ટોપીવાળા, રમેશ દવે). ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૨’ કેટલીક મહત્ત્વની લાગેલી, પસંદગીની કૃતિઓના પરિચયને વિશેષ વિગત પરિચયરૂપે સામેલ કરે છે પણ પ્રધાનપણે એ કર્તા-કેન્દ્રી કોશ છે.
આ સમયદર્શી સંદર્ભોનો કોશ હોવાથી એમાં લેખકોનો સમયસંદર્ભ એટલે કે એમનાં જન્મ/અવસાનના કાળાનુક્રમી નિર્દેશો તેમજ, સ્વતંત્રપણે, અર્વાચીન ગુજરાતી સાહિત્યની કૃતિઓનાં પ્રકાશનવર્ષોના કાળાનુક્રમી નિર્દેશો આપવાના હોય એથી, આવા બે વિભાગો આવશ્યક જ નહીં, અનિવાર્ય બન્યા છે.
આ સમયદર્શી સંદર્ભોનો કોશ હોવાથી એમાં લેખકોનો સમયસંદર્ભ એટલે કે એમનાં જન્મ/અવસાનના કાળાનુક્રમી નિર્દેશો તેમજ, સ્વતંત્રપણે, અર્વાચીન ગુજરાતી સાહિત્યની કૃતિઓનાં પ્રકાશનવર્ષોના કાળાનુક્રમી નિર્દેશો આપવાના હોય એથી, આવા બે વિભાગો આવશ્યક જ નહીં, અનિવાર્ય બન્યા છે.


૪.૨ કર્તાસંદર્ભ: આયોજન અને પ્રયોજન: અર્વાચીન ગુજરાતી સાહિત્યના કુલ લગભગ ૩૦૦૦ લેખકો જન્મવર્ષ/તારીખના ક્રમે અહીં સ્થાન પામ્યા છે. (ગુજરાતીના સૌથી જૂના/પહેલા લેખક મુનશી ડોસાભાઈ સોરાબજીનું જન્મવર્ષ ૧૭૮૪ છે અને, જેમનું ઓછામાં ઓછું એક પુસ્તક પ્રકાશિત થયેલું હોય એવા (અહીં નોંધાયેલા) સૌથી છેલ્લા નવોદિત લેખક ઠાકોર ભરત એસ.ની જન્મતારીખ ૨-૬-૧૯૮૩ છે.)
<u>'''૪.૨ કર્તાસંદર્ભ: આયોજન અને પ્રયોજન:'''</u> અર્વાચીન ગુજરાતી સાહિત્યના કુલ લગભગ ૩૦૦૦ લેખકો જન્મવર્ષ/તારીખના ક્રમે અહીં સ્થાન પામ્યા છે. (ગુજરાતીના સૌથી જૂના/પહેલા લેખક મુનશી ડોસાભાઈ સોરાબજીનું જન્મવર્ષ ૧૭૮૪ છે અને, જેમનું ઓછામાં ઓછું એક પુસ્તક પ્રકાશિત થયેલું હોય એવા (અહીં નોંધાયેલા) સૌથી છેલ્લા નવોદિત લેખક ઠાકોર ભરત એસ.ની જન્મતારીખ ૨-૬-૧૯૮૩ છે.)
જન્મક્રમ-અનુસારી આ કર્તાઅધિકરણોનો વિગતક્રમ આ મુજબ રાખ્યો છે:
જન્મક્રમ-અનુસારી આ કર્તાઅધિકરણોનો વિગતક્રમ આ મુજબ રાખ્યો છે:
અટકથી આરંભાતું પૂરું લેખકનામ, જન્મવર્ષ/તારીખ, –/અવસાનવર્ષ/તારીખ....
અટકથી આરંભાતું પૂરું લેખકનામ, જન્મવર્ષ/તારીખ, –/અવસાનવર્ષ/તારીખ....
18,450

edits