સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 142: Line 142:


[સ્વરૂપ-ક્રમ ઉપર મુજબ, પરંપરાગત રીતનો રાખ્યો છે – સ્વરૂપ નામના અકારાદિક્રમે ગોઠવણી કરી નથી. વાચક પ્રચલિત ક્રમથી જ ટેવાયેલો હોવાથી એ પદ્ધતિ જાળવી છે એ તો ખરું જ, પણ એ ઉપરાંત આ ક્રમ પાછળ એક બીજો તર્ક પણ પડ્યો છે એની વાત આગળ કરી છે.]
[સ્વરૂપ-ક્રમ ઉપર મુજબ, પરંપરાગત રીતનો રાખ્યો છે – સ્વરૂપ નામના અકારાદિક્રમે ગોઠવણી કરી નથી. વાચક પ્રચલિત ક્રમથી જ ટેવાયેલો હોવાથી એ પદ્ધતિ જાળવી છે એ તો ખરું જ, પણ એ ઉપરાંત આ ક્રમ પાછળ એક બીજો તર્ક પણ પડ્યો છે એની વાત આગળ કરી છે.]
૪.૫ વિગત ગોઠવણીની ભાત:
<u>'''૪.૫ વિગત ગોઠવણીની ભાત:'''</u>
‘કૃતિ-સંદર્ભ’માં સ્વરૂપવાર પેટાશીર્ષકો હેઠળ મૂકેલી વિગતોનો ક્રમ આ મુજબ છે –
‘કૃતિ-સંદર્ભ’માં સ્વરૂપવાર પેટાશીર્ષકો હેઠળ મૂકેલી વિગતોનો ક્રમ આ મુજબ છે –
પ્રકાશનવર્ષ, કૃતિ(ગ્રંથ)નામ – લેખકનામ (કર્તા/અનુવાદ/સંપાદક)
પ્રકાશનવર્ષ, કૃતિ(ગ્રંથ)નામ – લેખકનામ (કર્તા/અનુવાદ/સંપાદક)
Line 148: Line 148:
પ્રત્યેક સ્વરૂપ હેઠળના કૃતિસંદર્ભો (‘કર્તાસંદર્ભ’ની જેમ જ) દાયકાઓમાં વિભકત કર્યા છે. કૃતિઓની સંખ્યાબહુલતાને કારણે આવું દાયકા-વિભાજન વધુ સુવિધાજનક ને રાહતરૂપ બની શક્યું છે. વળી, કોઈ એક સ્વરૂપની કોઈ એક દાયકાની કૃતિઓના અભ્યાસ માટે આવી ભેદકતા (ડિમાર્કેશન) વિશેષ ઉપયોગી બની શકે.
પ્રત્યેક સ્વરૂપ હેઠળના કૃતિસંદર્ભો (‘કર્તાસંદર્ભ’ની જેમ જ) દાયકાઓમાં વિભકત કર્યા છે. કૃતિઓની સંખ્યાબહુલતાને કારણે આવું દાયકા-વિભાજન વધુ સુવિધાજનક ને રાહતરૂપ બની શક્યું છે. વળી, કોઈ એક સ્વરૂપની કોઈ એક દાયકાની કૃતિઓના અભ્યાસ માટે આવી ભેદકતા (ડિમાર્કેશન) વિશેષ ઉપયોગી બની શકે.
આ દાયકાકેન્દ્રી ઉપ-વિભાગોને વધુ વાચકસહાયક બનાવવા એક બીજી પ્રયુક્તિ (બલકે સુવિધા) પણ દાખલ કરી છે: કોઈ એક પુસ્તક એકથી વધારે ભાગો/ખંડોમાં, વર્ષોના લાંબા અંતરે, પ્રગટ થયેલું હોય ત્યારે એમાં પહેલા ખંડના પ્રકાશનવર્ષની સાથે જ અન્ય ખંડોનાં પ્રકાશનવર્ષ તો નોંધ્યાં જ છે પણ દાયકો બદલાય ત્યારે પણ જે-તે ખંડ (કે ખંડો)નાં પ્રકાશનવર્ષ ફરી નિર્દેશ્યાં છે. એક ‘સરસ્વતીચંદ્ર’ના ઉદાહરણથી પણ આ વાત સ્પષ્ટ થશે:  
આ દાયકાકેન્દ્રી ઉપ-વિભાગોને વધુ વાચકસહાયક બનાવવા એક બીજી પ્રયુક્તિ (બલકે સુવિધા) પણ દાખલ કરી છે: કોઈ એક પુસ્તક એકથી વધારે ભાગો/ખંડોમાં, વર્ષોના લાંબા અંતરે, પ્રગટ થયેલું હોય ત્યારે એમાં પહેલા ખંડના પ્રકાશનવર્ષની સાથે જ અન્ય ખંડોનાં પ્રકાશનવર્ષ તો નોંધ્યાં જ છે પણ દાયકો બદલાય ત્યારે પણ જે-તે ખંડ (કે ખંડો)નાં પ્રકાશનવર્ષ ફરી નિર્દેશ્યાં છે. એક ‘સરસ્વતીચંદ્ર’ના ઉદાહરણથી પણ આ વાત સ્પષ્ટ થશે:  
- ૧૮૮૧-૧૮૯૦ [ના દાયકા હેઠળ]
<u>'''- ૧૮૮૧-૧૮૯૦'''</u> [ના દાયકા હેઠળ]
૧૮૮૭, ૯૨, ૯૬, ૧૯૦૧  સરસ્વતીચંદ્ર ભાગ ૧ થી ૪ – ત્રિપાઠી ગોવર્ધનરામ
૧૮૮૭, ૯૨, ૯૬, ૧૯૦૧  સરસ્વતીચંદ્ર ભાગ ૧ થી ૪ – ત્રિપાઠી ગોવર્ધનરામ
- ૧૮૯૧-૧૯૦૦
<u>'''- ૧૮૯૧-૧૯૦૦'''</u>
૧૮૯૨, ૯૩  સરસ્વતીચંદ્ર ભાગ ૨, ૩ – ત્રિપાઠી ગોવર્ધનરામ
૧૮૯૨, ૯૩  સરસ્વતીચંદ્ર ભાગ ૨, ૩ – ત્રિપાઠી ગોવર્ધનરામ
- ૧૯૦૧-૧૯૧૦
<u>'''- ૧૯૦૧-૧૯૧૦'''</u>
૧૯૦૧  સરસ્વતીચંદ્ર ભાગ ૪ – ત્રિપાઠી ગોવર્ધનરામ
૧૯૦૧  સરસ્વતીચંદ્ર ભાગ ૪ – ત્રિપાઠી ગોવર્ધનરામ
જ્યાં પુસ્તક ઘણા વધારે ખંડોવાળું હોય ત્યાં છેલ્લા ખંડ વખતે પહેલા ખંડનું પ્રકાશનવર્ષ પણ નોંધ્યું છે. ઉ.ત ૧૯૯૭, મહાદેવભાઈની ડાયરી ભાગ: ૨૩ [મ.] – દેસાઈ મહાદેવ [ભાગ ૧: ૧૯૪૮]
જ્યાં પુસ્તક ઘણા વધારે ખંડોવાળું હોય ત્યાં છેલ્લા ખંડ વખતે પહેલા ખંડનું પ્રકાશનવર્ષ પણ નોંધ્યું છે. ઉ.ત ૧૯૯૭, મહાદેવભાઈની ડાયરી ભાગ: ૨૩ [મ.] – દેસાઈ મહાદેવ [ભાગ ૧: ૧૯૪૮]


૪.૬ અન્ય સંકેત-પ્રયુક્તિઓ: સાહિત્યકોશ કે સાહિત્યનો ઇતિહાસ કર્તાકેન્દ્રી રહેતા હોવાથી કૃતિના અને કૃતિ-આસપાસના સર્વ સંદર્ભો એમાં સુલભ રહેતા હોય છે. અહીં કૃતિ-કેન્દ્રિતતાને કારણે, સંદર્ભો વિખૂટા પડી ગયેલા હોય. એથી, કેટલાંક ચિહ્નો/સંકેતો પ્રયોજતી પ્રયુક્તિઓ દાખલ કરીને કૃતિને જરૂરી/વિશેષ સંદર્ભો – અલબત્ત, અનિવાર્ય બન્યું ત્યાં જ – આપવાનું કર્યું છે. જેમકે –
<u>'''૪.૬ અન્ય સંકેત-પ્રયુક્તિઓ:'''</u> સાહિત્યકોશ કે સાહિત્યનો ઇતિહાસ કર્તાકેન્દ્રી રહેતા હોવાથી કૃતિના અને કૃતિ-આસપાસના સર્વ સંદર્ભો એમાં સુલભ રહેતા હોય છે. અહીં કૃતિ-કેન્દ્રિતતાને કારણે, સંદર્ભો વિખૂટા પડી ગયેલા હોય. એથી, કેટલાંક ચિહ્નો/સંકેતો પ્રયોજતી પ્રયુક્તિઓ દાખલ કરીને કૃતિને જરૂરી/વિશેષ સંદર્ભો – અલબત્ત, અનિવાર્ય બન્યું ત્યાં જ – આપવાનું કર્યું છે. જેમકે –
(૧) પ્રશ્ન-ચિહ્ન: પ્રકાશનવર્ષ પછી મૂકેલું (?) એ પ્રકાશનવર્ષ અંગે સંદેહ સૂચવે છે, વૈકલ્પિક રીતે બે પ્રકાશવર્ષો ‘જેમકે ‘૧૮૬૪/૧૮૬૭?’ એ રીતે બતાવ્યાં હોય ત્યાં પાછળનું વર્ષ પ્રકાશનવર્ષ હોવાની વધારે સંભાવના છે એમ દર્શાવે છે. (સામાન્ય રીતે તો, એકાધિક વર્ષો મળ્યાં હોય ત્યાં આગલું વર્ષ સ્વીકારવાનું વલણ રાખ્યું છે.)
<u>'''(૧) પ્રશ્ન-ચિહ્ન:'''</u> પ્રકાશનવર્ષ પછી મૂકેલું (?) એ પ્રકાશનવર્ષ અંગે સંદેહ સૂચવે છે, વૈકલ્પિક રીતે બે પ્રકાશવર્ષો ‘જેમકે ‘૧૮૬૪/૧૮૬૭?’ એ રીતે બતાવ્યાં હોય ત્યાં પાછળનું વર્ષ પ્રકાશનવર્ષ હોવાની વધારે સંભાવના છે એમ દર્શાવે છે. (સામાન્ય રીતે તો, એકાધિક વર્ષો મળ્યાં હોય ત્યાં આગલું વર્ષ સ્વીકારવાનું વલણ રાખ્યું છે.)
(૨) ફૂદડી *: નાટ્યકૃતિઓમાં, પ્રકાશનવર્ષ પછીની ‘*’ એ ભજવણીનું વર્ષ છે કે પુસ્તકરૂપ પ્રકાશનનું – એ અંગેનો સંદેહ દર્શાવે છે; કૃતિનામ આગળ મૂકેલી ‘*’ આ કૃતિ પ્રકાશિત થઈ હોવા વિશે સંદેહ છે પણ દર્શાવેલું વર્ષ એની ભજવણીનું વર્ષ છે એમ સૂચવવા મૂકેલી છે. અન્યત્ર ફૂદડી સંદેહાસ્પદ વિગતનો નિર્દેશ કરે છે.
<u>'''(૨) ફૂદડી *:'''</u> નાટ્યકૃતિઓમાં, પ્રકાશનવર્ષ પછીની ‘*’ એ ભજવણીનું વર્ષ છે કે પુસ્તકરૂપ પ્રકાશનનું – એ અંગેનો સંદેહ દર્શાવે છે; કૃતિનામ આગળ મૂકેલી ‘*’ આ કૃતિ પ્રકાશિત થઈ હોવા વિશે સંદેહ છે પણ દર્શાવેલું વર્ષ એની ભજવણીનું વર્ષ છે એમ સૂચવવા મૂકેલી છે. અન્યત્ર ફૂદડી સંદેહાસ્પદ વિગતનો નિર્દેશ કરે છે.
(૩) પાદ-નોંધ (ફૂટનોટ): કોશ સાથે ફૂટનોટ-પ્રયુક્તિ સંકળાતી નથી હોતી પરંતુ અહીં, જ્યાં અનિવાર્ય બન્યું એવાં વિરલ સ્થાનોએ કેટલીક ફૂટનોટ મૂકી છે. ક્યાંક પૂર્તિ-નિર્દેશ-સંદર્ભો સ્પષ્ટ કરવા માટે, વિશેષ વિગત આપવા માટે, કાળક્રમ અંગેની અસ્પષ્ટતા દૂર કરવા માટે, કોઈ એક કર્તાની કૃતિઓના સમૂહની ખાસિયત નિર્દેશવા માટે, કોઈ ગૂંચ ઉકેલ સૂચવવા માટે, એમ વિવિધ પ્રયોજનોથી આ કર્યું છે. – તે ફૂટનોટ્સ જોવાથી સ્પષ્ટ થશે.  
<u>'''(૩) પાદ-નોંધ (ફૂટનોટ):'''</u> કોશ સાથે ફૂટનોટ-પ્રયુક્તિ સંકળાતી નથી હોતી પરંતુ અહીં, જ્યાં અનિવાર્ય બન્યું એવાં વિરલ સ્થાનોએ કેટલીક ફૂટનોટ મૂકી છે. ક્યાંક પૂર્તિ-નિર્દેશ-સંદર્ભો સ્પષ્ટ કરવા માટે, વિશેષ વિગત આપવા માટે, કાળક્રમ અંગેની અસ્પષ્ટતા દૂર કરવા માટે, કોઈ એક કર્તાની કૃતિઓના સમૂહની ખાસિયત નિર્દેશવા માટે, કોઈ ગૂંચ ઉકેલ સૂચવવા માટે, એમ વિવિધ પ્રયોજનોથી આ કર્યું છે. – તે ફૂટનોટ્સ જોવાથી સ્પષ્ટ થશે.  
જો કે કેટલીક વિગતો, ફૂટનોટ રૂપે જરૂરી ન લાગી હોય તે, કૃતિનામ પછી ચોરસ કૌંસ [–] વચ્ચે મૂકી છે.
જો કે કેટલીક વિગતો, ફૂટનોટ રૂપે જરૂરી ન લાગી હોય તે, કૃતિનામ પછી ચોરસ કૌંસ [–] વચ્ચે મૂકી છે.
કૃતિનામ પછી ‘[મ.]’ એવો નિર્દેશ કૃતિ મરણોત્તર પ્રકાશિત થયેલી છે એમ સૂચવે છે.
કૃતિનામ પછી ‘[મ.]’ એવો નિર્દેશ કૃતિ મરણોત્તર પ્રકાશિત થયેલી છે એમ સૂચવે છે.


૪.૭ પ્રત્યેક સ્વરૂપખંડને આરંભે ભૂમિકા (સ્વરૂપખંડ ફલક અને એક જ કૃતિ બે સ્વરૂપખંડોમાં): કેટલીક કૃતિઓ એવી હોવાની કે એમને કયા સ્વરૂપ હેઠળ સમાવવી એ ઝટે નક્કી ન થઈ શકે, એટલે આવા સ્વરૂપ-ઓળખ-નિર્દેશો માટે સ્વરૂપનું ફલક જરાક વિસ્તારી લઈને કૃતિ-સમાવેશના પ્રશ્નોને હલ કરવા પડે. આવા પ્રશ્નોના નિર્દેશો કરતી ને કેટલાંક માર્ગદર્શક સ્પષ્ટીકરણો આપતી ટૂંકી ભૂમિકાઓ દરેક સ્વરૂપખંડની શરૂઆતમાં કરી છે. તે ત્યાં જોઈ શકાશે – અહી એની વિશેષ વિગતો આપી નથી.
<u>'''૪.૭ પ્રત્યેક સ્વરૂપખંડને આરંભે ભૂમિકા (સ્વરૂપખંડ ફલક અને એક જ કૃતિ બે સ્વરૂપખંડોમાં):'''</u> કેટલીક કૃતિઓ એવી હોવાની કે એમને કયા સ્વરૂપ હેઠળ સમાવવી એ ઝટે નક્કી ન થઈ શકે, એટલે આવા સ્વરૂપ-ઓળખ-નિર્દેશો માટે સ્વરૂપનું ફલક જરાક વિસ્તારી લઈને કૃતિ-સમાવેશના પ્રશ્નોને હલ કરવા પડે. આવા પ્રશ્નોના નિર્દેશો કરતી ને કેટલાંક માર્ગદર્શક સ્પષ્ટીકરણો આપતી ટૂંકી ભૂમિકાઓ દરેક સ્વરૂપખંડની શરૂઆતમાં કરી છે. તે ત્યાં જોઈ શકાશે – અહી એની વિશેષ વિગતો આપી નથી.
આમ છતાં, કેટલાક નિર્દેશો અહીં કોશ-આયોજનના એક ભાગરૂપે કરવા જરૂરી છે. જેમકે –  
આમ છતાં, કેટલાક નિર્દેશો અહીં કોશ-આયોજનના એક ભાગરૂપે કરવા જરૂરી છે. જેમકે –  
‘[.....]નાટકનાં ગાયનોની ચોપડી’ એવાં પુસ્તકોને ક્યાં સમાવવાં? એની સામે કર્તાનામ મળતાં હોવાથી એમને ‘કવિતા’ (= પદ્ય સ્વરૂપ ખંડ)માં સમાવ્યાં છે; કિશોરકથાઓ આદિ કિશોરભોગ્ય સાહિત્યને પણ ‘બાળસાહિત્ય’માં સમાવી છે; પાલી-પ્રાકૃત-અપભ્રંશ આદિ કૃતિઓનાં સંપાદનો (ને એ વિશેના લેખસંચયોનાં સંપાદનો) ને ‘મધ્યકાલીન સંપાદન’ હેઠળ સમાવી લીધાં છે, ‘ચરિત્ર’ હેઠળ સમાવેલાં પુસ્તકોમાં બે પ્રકારનાં લખાણો હોવાની શક્યતા હતી: કાં તો એમાં વ્યક્તિનું કેવળ જીવન-આલેખન હોય કાં તો એમાં જીવન-અને-લેખનનો પરિચય હોય. એટલે જે સ્પષ્ટપણે કર્તાના લેખન (કૃતિત્વ)ને પ્રાધાન્ય આપતાં – લઘુગ્રંથ (મોનોગ્રાફ) પ્રકારનાં પુસ્તકો હોય તેને જ ‘વિવેચન’માં મૂક્યાં છે. બાકીની સર્વ સામગ્રી ‘ચરિત્ર’ હેઠળ રાખવી જ યોગ્ય લાગી છે; અનુવાદો ઉપરાંત રૂપાંતરો, અનુસર્જનોને પણ ‘અનુવાદ સાહિત્ય’માં (વિવિધ સ્વરૂપો હેઠળ) સમાવ્યાં છે.... વગેરે, વગેરે.
‘[.....]નાટકનાં ગાયનોની ચોપડી’ એવાં પુસ્તકોને ક્યાં સમાવવાં? એની સામે કર્તાનામ મળતાં હોવાથી એમને ‘કવિતા’ (= પદ્ય સ્વરૂપ ખંડ)માં સમાવ્યાં છે; કિશોરકથાઓ આદિ કિશોરભોગ્ય સાહિત્યને પણ ‘બાળસાહિત્ય’માં સમાવી છે; પાલી-પ્રાકૃત-અપભ્રંશ આદિ કૃતિઓનાં સંપાદનો (ને એ વિશેના લેખસંચયોનાં સંપાદનો) ને ‘મધ્યકાલીન સંપાદન’ હેઠળ સમાવી લીધાં છે, ‘ચરિત્ર’ હેઠળ સમાવેલાં પુસ્તકોમાં બે પ્રકારનાં લખાણો હોવાની શક્યતા હતી: કાં તો એમાં વ્યક્તિનું કેવળ જીવન-આલેખન હોય કાં તો એમાં જીવન-અને-લેખનનો પરિચય હોય. એટલે જે સ્પષ્ટપણે કર્તાના લેખન (કૃતિત્વ)ને પ્રાધાન્ય આપતાં – લઘુગ્રંથ (મોનોગ્રાફ) પ્રકારનાં પુસ્તકો હોય તેને જ ‘વિવેચન’માં મૂક્યાં છે. બાકીની સર્વ સામગ્રી ‘ચરિત્ર’ હેઠળ રાખવી જ યોગ્ય લાગી છે; અનુવાદો ઉપરાંત રૂપાંતરો, અનુસર્જનોને પણ ‘અનુવાદ સાહિત્ય’માં (વિવિધ સ્વરૂપો હેઠળ) સમાવ્યાં છે.... વગેરે, વગેરે.
ઉપયોગકર્તા અભ્યાસીને સહાયક બનવા એક પુનરાવર્તન, કેટલીક ખ્યાત અને પરિચિત કૃતિઓ પરત્વે જ કર્યું છે. એટલે કે એક જ કૃતિને બે સ્વરૂપખંડોમાં મૂકી છે. ગુજરાતીના કેટલાક હાસ્ય-લેખ-સંગ્રહો ‘નિબંધ’ સ્વરૂપના પણ ગણાયા છે ને ‘હાસ્યસાહિત્ય’ તરીકે એનું સ્વતંત્ર પરંપરા-મૂલ્ય પણ છે. એટલે એવી કૃતિઓને એ બે પૈકી કોઈ એક જ સ્વરૂપમાં મૂકવાથી પેલા બીજા સ્વરૂપનો અભ્યાસ કરનારને એ કૃતિઓ ત્યાં જડવાની નહીં! – એવા વિચારથી એને બંને સ્વરૂપખંડોમાં મૂકી છે. [નિબંધો ઉપરાંત કેટલાંક કાવ્ય પુસ્તકો, નવલકથાઓ અને નાટકો પણ તે તે સ્વરૂપ ઉપરાંત ‘હાસ્ય સાહિત્ય’માં મુકાયાં છે. ‘હાસ્યસાહિત્ય’માં કેવળ હાસ્ય-પ્રયુક્ત હોય એવાં પુસ્તકો પણ છે જ.]
ઉપયોગકર્તા અભ્યાસીને સહાયક બનવા એક પુનરાવર્તન, કેટલીક ખ્યાત અને પરિચિત કૃતિઓ પરત્વે જ કર્યું છે. એટલે કે <u>'''એક જ કૃતિને'''</u> બે સ્વરૂપખંડોમાં મૂકી છે. ગુજરાતીના કેટલાક હાસ્ય-લેખ-સંગ્રહો ‘નિબંધ’ સ્વરૂપના પણ ગણાયા છે ને ‘હાસ્યસાહિત્ય’ તરીકે એનું સ્વતંત્ર પરંપરા-મૂલ્ય પણ છે. એટલે એવી કૃતિઓને એ બે પૈકી કોઈ એક જ સ્વરૂપમાં મૂકવાથી પેલા બીજા સ્વરૂપનો અભ્યાસ કરનારને એ કૃતિઓ ત્યાં જડવાની નહીં! – એવા વિચારથી એને બંને સ્વરૂપખંડોમાં મૂકી છે. [નિબંધો ઉપરાંત કેટલાંક કાવ્ય પુસ્તકો, નવલકથાઓ અને નાટકો પણ તે તે સ્વરૂપ ઉપરાંત ‘હાસ્ય સાહિત્ય’માં મુકાયાં છે. ‘હાસ્યસાહિત્ય’માં કેવળ હાસ્ય-પ્રયુક્ત હોય એવાં પુસ્તકો પણ છે જ.]
એ જ રીતે કેટલીક કૃતિઓ અનુવાદ પણ હોય ને એ સાથે સંપાદન પણ હોય (જેમકે ‘જાતકકથા’) તો એ પણ બંને સ્વરૂપોમાં મૂકી છે: કેટલીક કૃતિઓ ‘સંદર્ભ’માં અને ‘વિવેચન’માં, કેટલીક ‘ભાષાવિજ્ઞાન’માં અને ‘લોકસાહિત્ય(વિવેચન)’માં – એમ બંને જગાએ જડશે. આવી કૃતિઓનું પ્રમાણ બહુ જ ઓછું રહ્યું છે, પણ સહજ રીતે બે સ્વરૂપવિભાગોમાં જતી જ હોય એવી કૃતિઓને એવા વિભાગોમાં મૂકી છે. (છતાં એમ લાગે છે કે હજુ કેટલીક કૃતિઓને આ ‘લાભ’ કદાચ નહીં પણ મળ્યો હોય!)
એ જ રીતે કેટલીક કૃતિઓ અનુવાદ પણ હોય ને એ સાથે સંપાદન પણ હોય (જેમકે ‘જાતકકથા’) તો એ પણ બંને સ્વરૂપોમાં મૂકી છે: કેટલીક કૃતિઓ ‘સંદર્ભ’માં અને ‘વિવેચન’માં, કેટલીક ‘ભાષાવિજ્ઞાન’માં અને ‘લોકસાહિત્ય(વિવેચન)’માં – એમ બંને જગાએ જડશે. આવી કૃતિઓનું પ્રમાણ બહુ જ ઓછું રહ્યું છે, પણ સહજ રીતે બે સ્વરૂપવિભાગોમાં જતી જ હોય એવી કૃતિઓને એવા વિભાગોમાં મૂકી છે. (છતાં એમ લાગે છે કે હજુ કેટલીક કૃતિઓને આ ‘લાભ’ કદાચ નહીં પણ મળ્યો હોય!)


૪.૮ સૂચિ: ‘કૃતિ-સંદર્ભ’ને અંતે અકારાદિક્રમે કૃતિ-સૂચિ તેમજ કર્તા-સૂચિ એમ બે સૂચિઓ મૂકી છે. આટલી મોટી સામગ્રીને અકારાદિક્રમમાં ઢાળવા માટે એક તાલીમી જૂથ (ટીમ)ની મદદ લેવાની થઈ છે. એમનોે આભારી છું.
<u>'''૪.૮ સૂચિ:'''</u> ‘કૃતિ-સંદર્ભ’ને અંતે અકારાદિક્રમે કૃતિ-સૂચિ તેમજ કર્તા-સૂચિ એમ બે સૂચિઓ મૂકી છે. આટલી મોટી સામગ્રીને અકારાદિક્રમમાં ઢાળવા માટે એક તાલીમી જૂથ (ટીમ)ની મદદ લેવાની થઈ છે. એમનોે આભારી છું.
 
આ કોશ-રચનામાં, વિવિધ ઘટકો અંગે અને જુદેજુદે મોરચે બની એટલી કાળજી ને ચોકસાઈ સેવ્યાં હોવા છતાં આ કોશ સંપૂર્ણપણે ક્ષતિરહિત હોવાનો તો કોઈ જ દાવો થઈ શકે એમ નથી. આટલી મોટી સામગ્રી સાથે બાથ ભીડવાની આવી હોવાથી ક્યાંક ક્યાંક સરતચૂકથી, કે કોઈપણ કારણે, વિગતો છૂટી જવાની, વિગતદોષો દાખલ થઈ ગયાની, ક્યાંક કોઈ ખોટી વિગત ધ્યાનબહાર પ્રવેશી ગયાની શક્યતા રહે જ છે. એ અંગે મારું ધ્યાન કોઈ દોરશે તો આભારી થઈશ.
આ કોશ-રચનામાં, વિવિધ ઘટકો અંગે અને જુદેજુદે મોરચે બની એટલી કાળજી ને ચોકસાઈ સેવ્યાં હોવા છતાં આ કોશ સંપૂર્ણપણે ક્ષતિરહિત હોવાનો તો કોઈ જ દાવો થઈ શકે એમ નથી. આટલી મોટી સામગ્રી સાથે બાથ ભીડવાની આવી હોવાથી ક્યાંક ક્યાંક સરતચૂકથી, કે કોઈપણ કારણે, વિગતો છૂટી જવાની, વિગતદોષો દાખલ થઈ ગયાની, ક્યાંક કોઈ ખોટી વિગત ધ્યાનબહાર પ્રવેશી ગયાની શક્યતા રહે જ છે. એ અંગે મારું ધ્યાન કોઈ દોરશે તો આભારી થઈશ.


ઋણસ્વીકાર: આ કામમાં ઘણાની મદદ મળી છે. જરૂરી વિગતો ને પુસ્તકો મેળવી આપવામાં જયંત મેઘાણી; રેણુકા સોની, ઈશ્વર પરમાર અને રસીલા કડિયાએ ઉમળકાપૂર્વક મદદ કરી છે. કેટલાક સ્વરૂપ વિભાગોની સામગ્રીના, અંતિમ રૂપ આપ્યા પૂર્વેના મુસદ્દા મેં એના અભ્યાસી મિત્રોને જોવા મોકલ્યા હતા: એ મારી વિનંતીથી રાજેશ પંડ્યા (‘કવિતા’), રતિલાલ બોરીસાગર (‘સંપાદન:મધ્યકાલીન’), હસુ યાજ્ઞિક (‘લોકસાહિત્ય’ સંપાદન, વિવેચન), જયંત મેઘાણી (‘કોશ’ અને ‘સૂચિ’) તથા દીપક મહેતા (૧૯મી સદીની બધાં સ્વરૂપોની કૃતિસામગ્રી) – એ સૌ મિત્રોએ ઘણો સમય આપી સૂઝપૂર્વક એમાં જરૂરી સંમાર્જન-સંર્વધન કરી આપ્યાં હતાં. હસુભાઈએ તો સળંગ ૮ કલાક બેસીને, સામગ્રી ખંતપૂર્વક ઝીણવટથી તપાસીને મદદ કરી હતી. અને દીપકભાઈએ, આ ઉપરાંત, ફોન અને ઈ-મેલ દ્વારા પણ મારા ઘણા ચકાસણી-પ્રશ્નોના ઉકેલ આપ્યા છે. (અરુણાબહેન જાડેજાએ ૨૦૦૧-૨૦૧૦ના દાયકાના અનુવાદગ્રંથોની દીર્ઘ યાદી મોકલી છે એ મને હવે પછીના ‘કૃતિસંદર્ભ કોશ’માં ઉપયોગી થવાની છે.) મને થતું હતું જાણે મારા વતી આ સૌ મિત્રો આ કોશકાર્યના, થોડેવત્તે અંશે સહધર્મી બની રહ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના કલાસ્વાધ્યાયમંદિરનાં પારુલ દેસાઈ, ઈતુભાઈ કુરકુટિયા તેમજ ત્યાંના ગ્રંથાલયનાં મિત્રોએ પણ જ્યારે જરૂર પડી ત્યારે પુસ્તકો ને વિગતો સુલભ કરી આપ્યાં છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાના ગ્રંથાલયની પણ, ૧૯મી સદીનાં પુસ્તકો અંગે, ઠીકઠીક મદદ રહી છે. ભાઈ મહેશ ચાવડા જેવા ચોકસાઈવાળા સંદર્ભ સહાયકને કારણે મારો સંકલન-ભાર હળવો થયો છે.
<u>'''ઋણસ્વીકાર:'''</u> આ કામમાં ઘણાની મદદ મળી છે. જરૂરી વિગતો ને પુસ્તકો મેળવી આપવામાં જયંત મેઘાણી; રેણુકા સોની, ઈશ્વર પરમાર અને રસીલા કડિયાએ ઉમળકાપૂર્વક મદદ કરી છે. કેટલાક સ્વરૂપ વિભાગોની સામગ્રીના, અંતિમ રૂપ આપ્યા પૂર્વેના મુસદ્દા મેં એના અભ્યાસી મિત્રોને જોવા મોકલ્યા હતા: એ મારી વિનંતીથી રાજેશ પંડ્યા (‘કવિતા’), રતિલાલ બોરીસાગર (‘સંપાદન:મધ્યકાલીન’), હસુ યાજ્ઞિક (‘લોકસાહિત્ય’ સંપાદન, વિવેચન), જયંત મેઘાણી (‘કોશ’ અને ‘સૂચિ’) તથા દીપક મહેતા (૧૯મી સદીની બધાં સ્વરૂપોની કૃતિસામગ્રી) – એ સૌ મિત્રોએ ઘણો સમય આપી સૂઝપૂર્વક એમાં જરૂરી સંમાર્જન-સંર્વધન કરી આપ્યાં હતાં. હસુભાઈએ તો સળંગ ૮ કલાક બેસીને, સામગ્રી ખંતપૂર્વક ઝીણવટથી તપાસીને મદદ કરી હતી. અને દીપકભાઈએ, આ ઉપરાંત, ફોન અને ઈ-મેલ દ્વારા પણ મારા ઘણા ચકાસણી-પ્રશ્નોના ઉકેલ આપ્યા છે. (અરુણાબહેન જાડેજાએ ૨૦૦૧-૨૦૧૦ના દાયકાના અનુવાદગ્રંથોની દીર્ઘ યાદી મોકલી છે એ મને હવે પછીના ‘કૃતિસંદર્ભ કોશ’માં ઉપયોગી થવાની છે.) મને થતું હતું જાણે મારા વતી આ સૌ મિત્રો આ કોશકાર્યના, થોડેવત્તે અંશે સહધર્મી બની રહ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના કલાસ્વાધ્યાયમંદિરનાં પારુલ દેસાઈ, ઈતુભાઈ કુરકુટિયા તેમજ ત્યાંના ગ્રંથાલયનાં મિત્રોએ પણ જ્યારે જરૂર પડી ત્યારે પુસ્તકો ને વિગતો સુલભ કરી આપ્યાં છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાના ગ્રંથાલયની પણ, ૧૯મી સદીનાં પુસ્તકો અંગે, ઠીકઠીક મદદ રહી છે. ભાઈ મહેશ ચાવડા જેવા ચોકસાઈવાળા સંદર્ભ સહાયકને કારણે મારો સંકલન-ભાર હળવો થયો છે.
લગભગ બે વર્ષ આ કામમાં હું સતત દટાયેલો રહ્યો એ દરમ્યાન ઘરની ઘણી અગવડો વેઠીને શારદાએ ખરો સહ-યોગ કર્યો છે.
લગભગ બે વર્ષ આ કામમાં હું સતત દટાયેલો રહ્યો એ દરમ્યાન ઘરની ઘણી અગવડો વેઠીને શારદાએ ખરો સહ-યોગ કર્યો છે.
આ સૌનું ઋણ એ સ્નેહઋણ છે એટલે એનો ભાર નહીં, એ સ્નેહ જ અનુભવું છું.
આ સૌનું ઋણ એ સ્નેહઋણ છે એટલે એનો ભાર નહીં, એ સ્નેહ જ અનુભવું છું.
18,450

edits