સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૩: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 49: Line 49:
માનચતુરે હરભમજી સાથે મસલત કરી ને બહારવટિયાઓને સામનો કરવા કેટલી ટુકડીઓ કયાં રાખવી, કુમુદનું રક્ષણ શી રીતે કરવું તે બધું નક્કી કર્યું. કુમુદને આવવાની જગ્યાએ પરતાપ નક્કી ફર્યા કરવાનો. એકલો અબ્દુલ્લો એને ન પહોંચે એટલે એની સાથે કોઈ વધારે હુશિયાર માણસની જરૂર જણાઈ. ડોસો બોલ્યો : ‘હું જઈશની અબ્દુલ્લાની જોડે જે?’ ગુણસુંદરીએ વડીલને આવા જોખમમાં ન પડવા ઘણું કહ્યું, પણ ડોસો એકનો બે ન થયો. પાયજામા, તરવાર ને બંદૂક કઢાવી ડોસો તૈયાર થવા લાગ્યો. ચંદ્રકાંત શસ્ત્ર વાપરી જાણતો નહોતો. વળી ઘેર એક પુરુષની જરૂર પણ હતી. તેથી ઘરની જવાબદારી એને સોંપાઈ. નાનાસાહેબના બંડ પછી દેશ અશસ્ત્ર થયો છતાં સશસ્ત્ર અવસ્થાનું શૂરાતન, બળ અને આવડ માનચતુરમાંથી અદૃશ્ય થયાં ન હતાં. પ્રસંગ આવ્યે સૂતેલો સિંહ જાગ્યા પછી પણ સિંહ જ હોય છે, તેમ માનચતુર આજ શૂરજનની ઉશ્કેરાયલી અવસ્થા અનુભવવા લાગ્યો. જતાં જતાં, ‘ચંદ્રકાંત, તમે તો ઘેર જ રહેજો – બધી સ્ત્રીઓનું રક્ષણ થશે તે ભેગું તમારું પણ થશે. ખમા અંગ્રેજ બહાદુરને કે હથિયાર લઈ લીધાં અને સ્ત્રીઓની તેમ જ તમારા જેવા પુરુષોની ચિંતા ઉપાડી લીધી.’ એમ માનચતુર કહેવા લાગ્યો. ચંદ્રકાંત આભો બની સરકાર ઉપર મનમાં ખિજવાતો હતો. ત્યાં માનચતુર બોલ્યો – ‘મૂંઝાશો નહિ. આ ઉતાવળનો પ્રસંગ વાદવિવાદ કરવાનો નથી. હું તમને બંદૂક આપું, પણ દારૂગોળાને ઠેકાણે કાંઈ તેમાં ચોપડીઓ ભરાય એવું નથી. મને વાત કરવા વખત નથી. હું હથિયાર બાંધી જાઉં છું. પાછો આવું એટલામાં આ વાત ઉપર એક નિબંધ લખી કાઢજો.’
માનચતુરે હરભમજી સાથે મસલત કરી ને બહારવટિયાઓને સામનો કરવા કેટલી ટુકડીઓ કયાં રાખવી, કુમુદનું રક્ષણ શી રીતે કરવું તે બધું નક્કી કર્યું. કુમુદને આવવાની જગ્યાએ પરતાપ નક્કી ફર્યા કરવાનો. એકલો અબ્દુલ્લો એને ન પહોંચે એટલે એની સાથે કોઈ વધારે હુશિયાર માણસની જરૂર જણાઈ. ડોસો બોલ્યો : ‘હું જઈશની અબ્દુલ્લાની જોડે જે?’ ગુણસુંદરીએ વડીલને આવા જોખમમાં ન પડવા ઘણું કહ્યું, પણ ડોસો એકનો બે ન થયો. પાયજામા, તરવાર ને બંદૂક કઢાવી ડોસો તૈયાર થવા લાગ્યો. ચંદ્રકાંત શસ્ત્ર વાપરી જાણતો નહોતો. વળી ઘેર એક પુરુષની જરૂર પણ હતી. તેથી ઘરની જવાબદારી એને સોંપાઈ. નાનાસાહેબના બંડ પછી દેશ અશસ્ત્ર થયો છતાં સશસ્ત્ર અવસ્થાનું શૂરાતન, બળ અને આવડ માનચતુરમાંથી અદૃશ્ય થયાં ન હતાં. પ્રસંગ આવ્યે સૂતેલો સિંહ જાગ્યા પછી પણ સિંહ જ હોય છે, તેમ માનચતુર આજ શૂરજનની ઉશ્કેરાયલી અવસ્થા અનુભવવા લાગ્યો. જતાં જતાં, ‘ચંદ્રકાંત, તમે તો ઘેર જ રહેજો – બધી સ્ત્રીઓનું રક્ષણ થશે તે ભેગું તમારું પણ થશે. ખમા અંગ્રેજ બહાદુરને કે હથિયાર લઈ લીધાં અને સ્ત્રીઓની તેમ જ તમારા જેવા પુરુષોની ચિંતા ઉપાડી લીધી.’ એમ માનચતુર કહેવા લાગ્યો. ચંદ્રકાંત આભો બની સરકાર ઉપર મનમાં ખિજવાતો હતો. ત્યાં માનચતુર બોલ્યો – ‘મૂંઝાશો નહિ. આ ઉતાવળનો પ્રસંગ વાદવિવાદ કરવાનો નથી. હું તમને બંદૂક આપું, પણ દારૂગોળાને ઠેકાણે કાંઈ તેમાં ચોપડીઓ ભરાય એવું નથી. મને વાત કરવા વખત નથી. હું હથિયાર બાંધી જાઉં છું. પાછો આવું એટલામાં આ વાત ઉપર એક નિબંધ લખી કાઢજો.’
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૨
|next = ૧૪
}}