સરોવરના સગડ/રમણલાલ જોશી : એક પગથિયાનું છેટું…: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 73: Line 73:
ભણાવતી વખતે, જોશીસાહેબ ક્યારેક અંગત વાતો પણ કરતા. પોતે કેવી ગરીબી અને અગવડો વેઠીને ભણ્યા એની વાત કરતી વખતે આર્દ્ર બનતા. સરસ્વતીચન્દ્ર અને કુમુદસુંદરીના અપરિમેય-પવિત્રપ્રેમની વાત કરતી વખતે ભાવાર્દ્ર થઈ જતા. એમને મન આ બે નવલકથાનાં પાત્રો નહીં, પણ પ્રેમનો એક જીવંત આદર્શ હતાં. ગોવિંદ સરૈયાની ફિલ્મ એમને ગમી નહોતી. કુમુદ તરીકે, અભિનેત્રી નૂતનને એ કોઈ રીતે સ્વીકારી શકતા નહોતા. કેમકે કોઈ એક કુમુદનું સુરેખચિત્ર એમના મનમાં અભ્યાસકાળથી જ છપાયેલું હતું! ‘કુમુદસુંદરી તો કેવી નાજુક હોય!’ એમ કહીને ક્યાંય સુધી આંખો મીંચી રાખતા. પછી હળવે હળવે બોલતા:
ભણાવતી વખતે, જોશીસાહેબ ક્યારેક અંગત વાતો પણ કરતા. પોતે કેવી ગરીબી અને અગવડો વેઠીને ભણ્યા એની વાત કરતી વખતે આર્દ્ર બનતા. સરસ્વતીચન્દ્ર અને કુમુદસુંદરીના અપરિમેય-પવિત્રપ્રેમની વાત કરતી વખતે ભાવાર્દ્ર થઈ જતા. એમને મન આ બે નવલકથાનાં પાત્રો નહીં, પણ પ્રેમનો એક જીવંત આદર્શ હતાં. ગોવિંદ સરૈયાની ફિલ્મ એમને ગમી નહોતી. કુમુદ તરીકે, અભિનેત્રી નૂતનને એ કોઈ રીતે સ્વીકારી શકતા નહોતા. કેમકે કોઈ એક કુમુદનું સુરેખચિત્ર એમના મનમાં અભ્યાસકાળથી જ છપાયેલું હતું! ‘કુમુદસુંદરી તો કેવી નાજુક હોય!’ એમ કહીને ક્યાંય સુધી આંખો મીંચી રાખતા. પછી હળવે હળવે બોલતા:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘સુખી હું તેથી કોને શું? દુ:ખી હું તેથી કોને શું?  
{{Block center|'''<poem>‘સુખી હું તેથી કોને શું? દુ:ખી હું તેથી કોને શું?  
જગતમાં કંઈ પડ્યા જીવ, દુઃખી કંઈ, ને સુખી કંઈક!'</poem>}}
જગતમાં કંઈ પડ્યા જીવ, દુઃખી કંઈ, ને સુખી કંઈક!'</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાત સાહિત્ય અકાદમીમાં પણ એમને એક પગથિયાનું છેટું રહ્યું. એ ક્યારેય પૂરા કદના અધ્યક્ષ બની ન શક્યા. ઉપાધ્યક્ષ હતા ત્યારે, કોઈ મિટિંગ હોય તો ડ્રાયવર રમણસિંહ એમને લેવાને જાય. ઘરના દરવાજે ગાડી ઊભી રાખવાની એમની સૂચના. પોતે તૈયાર થઈ જાય પછી, નાનું એવું દફતર લેવા બૂમ પાડે. દફતર અંદર પહોંચી જાય પછી ગાડીના બારણા પાસે ઊભા રહે, પણ હાથ ન અડાડે! ડ્રાયવર દ્વારા બારણું ખૂલે પછી જ તેઓ વિજયપ્રવેશ કરે! જોશીસાહેબને આઈસ્ક્રીમ અત્યંત પ્રિય. એક સાથે ચારપાંચ કટોરા ખાઈ શકે. એમના ઘેરથી નીકળેલી મોટર સ્ટેડિયમ સામે, પટેલ આઈસ્ક્રીમ પાસે ઊભી રહે. રમણલાલ મોટરમાં બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાય, થોડોક ઝભ્ભાને અને ગાડીની સીટને અચૂક ખવરાવે. ડ્રાયવરને ખવરાવે એ તો વધારામાં! પછી બિલ ચૂકવવા નીચે ઊતરે. કાઉન્ટર ઉપર બેઠેલા ભાઈને ગાડી ઉપર લખેલું ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત' બતાવે! પછી કહે કે - 'હું ત્યાં ઉપાધ્યક્ષ છું. અધ્યક્ષ હાજર ન હોય ત્યારે એ કામગીરી પણ મારે બજાવવી પડે!’
ગુજરાત સાહિત્ય અકાદમીમાં પણ એમને એક પગથિયાનું છેટું રહ્યું. એ ક્યારેય પૂરા કદના અધ્યક્ષ બની ન શક્યા. ઉપાધ્યક્ષ હતા ત્યારે, કોઈ મિટિંગ હોય તો ડ્રાયવર રમણસિંહ એમને લેવાને જાય. ઘરના દરવાજે ગાડી ઊભી રાખવાની એમની સૂચના. પોતે તૈયાર થઈ જાય પછી, નાનું એવું દફતર લેવા બૂમ પાડે. દફતર અંદર પહોંચી જાય પછી ગાડીના બારણા પાસે ઊભા રહે, પણ હાથ ન અડાડે! ડ્રાયવર દ્વારા બારણું ખૂલે પછી જ તેઓ વિજયપ્રવેશ કરે! જોશીસાહેબને આઈસ્ક્રીમ અત્યંત પ્રિય. એક સાથે ચારપાંચ કટોરા ખાઈ શકે. એમના ઘેરથી નીકળેલી મોટર સ્ટેડિયમ સામે, પટેલ આઈસ્ક્રીમ પાસે ઊભી રહે. રમણલાલ મોટરમાં બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાય, થોડોક ઝભ્ભાને અને ગાડીની સીટને અચૂક ખવરાવે. ડ્રાયવરને ખવરાવે એ તો વધારામાં! પછી બિલ ચૂકવવા નીચે ઊતરે. કાઉન્ટર ઉપર બેઠેલા ભાઈને ગાડી ઉપર લખેલું ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત' બતાવે! પછી કહે કે - 'હું ત્યાં ઉપાધ્યક્ષ છું. અધ્યક્ષ હાજર ન હોય ત્યારે એ કામગીરી પણ મારે બજાવવી પડે!’