સાહિત્યિક સંરસન — ૩/વિનોદ જોશી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big>'''૨. સાર્ત્રનો પરિચય'''</big></big></big></center> === ૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના — === <poem> વીજળિ યું વેડી લેખણ કીધી, સરસવતી માતા ! કાગળનો ખાલી ખૂણો આપજો, પાઘડિ યું પડખે મેલી...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big><big>'''૨. સાર્ત્રનો પરિચય'''</big></big></big></center>
<center><big><big><big>'''++ વિનોદ જોશી ++ '''</big></big></big></center>


=== ૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના — ===
=== ૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના — ===
Line 75: Line 75:
(તન્ત્રીનૉંધમાં મેં જે કંઈ લખ્યું છે તેને તે કૃતિના ગુણાનુવાદ ગણવા વિનન્તી છે. એ નૉંધો સમીક્ષા માટેની સામગ્રી છે એમ પણ ગણવા વિનન્તી છે.)
(તન્ત્રીનૉંધમાં મેં જે કંઈ લખ્યું છે તેને તે કૃતિના ગુણાનુવાદ ગણવા વિનન્તી છે. એ નૉંધો સમીક્ષા માટેની સામગ્રી છે એમ પણ ગણવા વિનન્તી છે.)


૧ : કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના —  
'''૧ : કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના —'''


કાવ્યકથક સરસ્વતીનો પરમ આરાધક છે. એને લેખક થવાની હૉંશ છે, અને તે માટે જરૂરી વિનય સાથે સરસ્વતીમાતાને વિનવી રહ્યો છે, પ્રાર્થી રહ્યો છે.  
કાવ્યકથક સરસ્વતીનો પરમ આરાધક છે. એને લેખક થવાની હૉંશ છે, અને તે માટે જરૂરી વિનય સાથે સરસ્વતીમાતાને વિનવી રહ્યો છે, પ્રાર્થી રહ્યો છે.  
Line 85: Line 85:
આમ હું પ્રશંસાપૂર્વક અર્થઘટનો કર્યે જઉં પણ અતિ થાય તેથી અટકું. જોકે, સરસ્વતી પાસે એણે આ ત્રણ વસ્તુ યાચી છે એ દરેક લેખકે પણ પોતાના ઇષ્ટદેવ પાસે કે કલાની દેવી પાસે, muse પાસે, યાચવી : ‘ટાંકાટેભાના અવસર ટાળજો’. ‘લેખીજોખીને વળતર વાળજો’. ‘પરવાળાં વેરી પોથી ઢાંકજો’.   
આમ હું પ્રશંસાપૂર્વક અર્થઘટનો કર્યે જઉં પણ અતિ થાય તેથી અટકું. જોકે, સરસ્વતી પાસે એણે આ ત્રણ વસ્તુ યાચી છે એ દરેક લેખકે પણ પોતાના ઇષ્ટદેવ પાસે કે કલાની દેવી પાસે, muse પાસે, યાચવી : ‘ટાંકાટેભાના અવસર ટાળજો’. ‘લેખીજોખીને વળતર વાળજો’. ‘પરવાળાં વેરી પોથી ઢાંકજો’.   


૨ : તડકો ચીરીને —
'''૨ : તડકો ચીરીને —'''
સુજ્ઞ કાવ્યસાધકોને કેટલીયે વાર ખબર નથી પડતી કે તેઓ ક્યારે કલ્પનાને ઘોડે પલાણ્યા ને રવાલ ચાલે સુખે આગળ ધપ્યા. પણ જેઓ કલ્પના અને તરંગતુક્કા વચ્ચેનો ફર્ક નથી જાણતા તેઓને પણ ખબર નથી પડતી કે પોતે ક્યાં ને કેમ ધપી રહ્યા છે. આ રચના દીપ બનીને એ ફર્ક દર્શાવે છે.  
સુજ્ઞ કાવ્યસાધકોને કેટલીયે વાર ખબર નથી પડતી કે તેઓ ક્યારે કલ્પનાને ઘોડે પલાણ્યા ને રવાલ ચાલે સુખે આગળ ધપ્યા. પણ જેઓ કલ્પના અને તરંગતુક્કા વચ્ચેનો ફર્ક નથી જાણતા તેઓને પણ ખબર નથી પડતી કે પોતે ક્યાં ને કેમ ધપી રહ્યા છે. આ રચના દીપ બનીને એ ફર્ક દર્શાવે છે.  


પહેલો અને છેલ્લો શેઅર ઉત્તમ ઉદાહરણો છે : તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો / તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં… : ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી / કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા...
પહેલો અને છેલ્લો શેઅર ઉત્તમ ઉદાહરણો છે : તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો / તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં… : ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી / કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા...


૩ : તે દિવસની વાત છે —  
'''૩ : તે દિવસની વાત છે —'''
રચના એક અનોખું ઉદાહરણ છે, એ વાતનું કે વિરહ કે વિદાયના દર્દને કાવ્યમાં કેવી કેવી પૅરે ગાઈ શકાય છે. એ અનોખાપણું આ પંક્તિઓમાં ચકાસીને સવિશેષે માણી શકાશે : રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં -શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ -સાવ ઉજ્જડ ટેરવાંને ધાર કાઢી દૂઝતા ઘાવો ખણ્યા’તા.  
રચના એક અનોખું ઉદાહરણ છે, એ વાતનું કે વિરહ કે વિદાયના દર્દને કાવ્યમાં કેવી કેવી પૅરે ગાઈ શકાય છે. એ અનોખાપણું આ પંક્તિઓમાં ચકાસીને સવિશેષે માણી શકાશે : રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં -શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ -સાવ ઉજ્જડ ટેરવાંને ધાર કાઢી દૂઝતા ઘાવો ખણ્યા’તા.  


આ તે એક દિવસની વાત હોય કે તેવા જ કે વિભિન્ન અનેક દિવસોની, કહેવું મુશ્કેલ છે. દર્દને દિવસોમાં ક્યાં માપી શકાય છે !  
આ તે એક દિવસની વાત હોય કે તેવા જ કે વિભિન્ન અનેક દિવસોની, કહેવું મુશ્કેલ છે. દર્દને દિવસોમાં ક્યાં માપી શકાય છે !  
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 19:15, 4 October 2023


++ વિનોદ જોશી ++

૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના —

વીજળિ યું વેડી લેખણ કીધી, સરસવતી માતા !
                                 કાગળનો ખાલી ખૂણો આપજો,
પાઘડિ યું પડખે મેલી દીધી, સરસવતી માતા !
                              વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;

કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા !
                               અટકળ ઓળંગી ઓરાં આવજો,
અરથું નરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા !
                               અખશરનાં અજવાળાં ઉપડાવજો;

પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા !
                                 ટાંકાટેભાના અવસર ટાળજો,
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા !
                                  લેખીજોખીને વળતર વાળજો;

એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા !
                            પરવાળાં વેરી પોથી ઢાંકજો,
ઝળઝળિ યાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા !
                                     પીળી પાંદડિયે અભરક ટાંકજો;

પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા !
                                અમરતમાં બોળી અંજળ ચાખજો,
પડતર ઑછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા !
                                 પરથમ પૂજ્યાની લાજું રાખજો.

૨ : તડકો ચીરીને —

તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો
તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં...

કાચાં પરોઢિ યાંને કાંટો વાગે ને પછી
ટશિયો ફૂટે ને એમ ફૂટતો,
ઊગમણાં પડખામાં પાટું મારીને રોજ
બાંધેલો સૂરજ વછૂટતો;

શરમાતી લ્હેરખીને હોડમાં મૂકીને
બધાં ઝાડવાંઓ ચીપે ગંજીપા...

ઊડતાં પંખીનો જોઈ પડછાયો
પાંદડાંઓ વીંઝે પોતાની પાંખ વામણી,
કલરવની પાલખીમાં હેમખેમ નીકળવા
સાંજ લગી બેસે લજામણી;

ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી
કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા...

૩ : તે દિવસની વાત છે —

જે દિવસથી રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં, તે દિવસની વાત છે.
ગોખલામાં ટૂંટિ યું વાળી પડ્યા અજવાસ છેલ્લું હણહણ્યા’તા, તે દિવસની વાત છે.

શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ, એ અફવા ગળે ઊતરી હવે,
પંડમાં છુટ્ટા પડી ફરતા અજાણી હૂંફના પારા ગણ્યા’તા, તે દિવસની વાત છે;

ખાનગીમાં યુદ્ધ જે ખૂંખાર ખેલાયું હતું બંને તરફ ચુપચાપ એ વેઠ્યા કર્યું,
સાવ ઉજ્જડ ટેરવાંને ધાર કાઢી દૂઝતા ઘાવો ખણ્યા’તા, તે દિવસની વાત છે;

આમ તો બારાખડી સિવ્યા કરી જોયા વગર જાણ્યા વગર ટાંકો ન તૂટે એ રીતે,
છેવટે બુઠ્ઠી કલમમાં જાણભેદુ અર્થ ધીમું ગણગણ્યા’તા, તે દિવસની વાત છે;

તીર માફક સોંસરું વીંધી ગયું જે એ હતું શું તે નહીં જાણી શકાયું એટલે,
બે અભણ પંખી પછી તમસાતીરે જઇ શોકના શ્લોકો ભણ્યાં’તાં, તે દિવસની વાત છે.

તન્ત્રીનૉંધ :

(તન્ત્રીનૉંધમાં મેં જે કંઈ લખ્યું છે તેને તે કૃતિના ગુણાનુવાદ ગણવા વિનન્તી છે. એ નૉંધો સમીક્ષા માટેની સામગ્રી છે એમ પણ ગણવા વિનન્તી છે.)

૧ : કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના —

કાવ્યકથક સરસ્વતીનો પરમ આરાધક છે. એને લેખક થવાની હૉંશ છે, અને તે માટે જરૂરી વિનય સાથે સરસ્વતીમાતાને વિનવી રહ્યો છે, પ્રાર્થી રહ્યો છે.

એની વાણીમાં બે ધ્રુવોનું સાયુજ્ય છે -આર્દ્રતા અને તેજસ્વીતા -સરસ્વતી પ્રત્યેનો ભક્તિભાવ અને આત્મશક્તિ વિશેનો અહંભાવ.

આમ તો, આ રચના પ્રાર્થનારૂપે અપ્રતિમ છે એટલી જ સુગમ છે. છતાં, કેટલાંક અર્થઘટનો રજૂ કરું : ‘કાગળનો ખાલી ખૂણો’ માગીને સૂચવ્યું છે કે સાંકડો અવકાશ પણ બસ થશે, પોતાને ઝાઝા અવકાશની જરૂર નથી. એની લેખણ શક્તિમાન છે, એટલા માટે કે ‘વીજળિ યું વેડીને’ સાધી છે. ‘પાઘડિ યું પડખે મેલી છે’ એટલે પાણ્ડિત્યને બાજુમાં રાખ્યું છે પણ સાથોસાથ, કહેવાતી પણ્ડિતાઈને ગૌણ પણ ગણી છે. વાણીના ‘વૈખરી’ રૂપનું અને તેને લાગેલા લૂણાનું એને જ્ઞાનભાન છે. એ જ્ઞાનભાન એને પોતાના દેશકાળમાં પ્રવર્તતા ભાષિક વ્યવહારોના અનુભવથી લાધ્યું હોય. એની પોતાની વાણી પણ એને એમ ભાસી હોય અને બને કે પોતાનાં લેખનથી તેને ઉચ્ચ કોટિએ સિદ્ધ કરવાના એને અભિલાષ હોય. લેખનની વસ્તુસામગ્રી સ્વાનુભવ ગણાય છે પણ એને તો ‘કળતર’-નો, જીવનનાં દુ:ખદર્દનો, અનુભવ છે; જોકે કળતરને એણે ‘કાંત્યું’ છે, એના ‘વીંટા’ વાળ્યા છે, એટલે કે, વસ્તુસામગ્રી પર કામ કર્યું છે. ‘પરપોટા ચીરીને દરિયા બોટવામાં’ એનું લેખનસાહસ જોઈ શકાય. ભાષા સાધન છે પણ એમાં તો ‘અર્થ અને અનર્થ’ બન્ને સંભવે છે. એણે અર્થ અને નર્થને બરાબર ઓળખ્યા છે કેમકે ‘ચાળ્યા’ છે.

આમ હું પ્રશંસાપૂર્વક અર્થઘટનો કર્યે જઉં પણ અતિ થાય તેથી અટકું. જોકે, સરસ્વતી પાસે એણે આ ત્રણ વસ્તુ યાચી છે એ દરેક લેખકે પણ પોતાના ઇષ્ટદેવ પાસે કે કલાની દેવી પાસે, muse પાસે, યાચવી : ‘ટાંકાટેભાના અવસર ટાળજો’. ‘લેખીજોખીને વળતર વાળજો’. ‘પરવાળાં વેરી પોથી ઢાંકજો’.

૨ : તડકો ચીરીને — સુજ્ઞ કાવ્યસાધકોને કેટલીયે વાર ખબર નથી પડતી કે તેઓ ક્યારે કલ્પનાને ઘોડે પલાણ્યા ને રવાલ ચાલે સુખે આગળ ધપ્યા. પણ જેઓ કલ્પના અને તરંગતુક્કા વચ્ચેનો ફર્ક નથી જાણતા તેઓને પણ ખબર નથી પડતી કે પોતે ક્યાં ને કેમ ધપી રહ્યા છે. આ રચના દીપ બનીને એ ફર્ક દર્શાવે છે.

પહેલો અને છેલ્લો શેઅર ઉત્તમ ઉદાહરણો છે : તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો / તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં… : ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી / કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા...

૩ : તે દિવસની વાત છે — રચના એક અનોખું ઉદાહરણ છે, એ વાતનું કે વિરહ કે વિદાયના દર્દને કાવ્યમાં કેવી કેવી પૅરે ગાઈ શકાય છે. એ અનોખાપણું આ પંક્તિઓમાં ચકાસીને સવિશેષે માણી શકાશે : રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં -શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ -સાવ ઉજ્જડ ટેરવાંને ધાર કાઢી દૂઝતા ઘાવો ખણ્યા’તા.

આ તે એક દિવસની વાત હોય કે તેવા જ કે વિભિન્ન અનેક દિવસોની, કહેવું મુશ્કેલ છે. દર્દને દિવસોમાં ક્યાં માપી શકાય છે !