સિગ્નેચર પોયમ્સ/વીજળીના ચમકારે – ગંગાસતી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
No edit summary
 
Line 6: Line 6:
મેરુ તો ડગે જેનાં મન ના ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
મેરુ તો ડગે જેનાં મન ના ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં, સોઈ હરિજનનાં પ્રમાણજી.
વિપત્તિ પડે તોય વણસે નહીં, સોઈ હરિજનનાં પ્રમાણજી.
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળ,
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળ,
{{Gap|8em}}ને કોઈની કરે નહિ આશજી;
{{Gap|8em}}ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાચી
દાન દેવે પણ રહે અજાચી
{{Gap|8em}}રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ
{{Gap|8em}}રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ
હરખ ને શોકની આવે નહિ હેડકી,
હરખ ને શોકની આવે નહિ હેડકી,
{{Gap|8em}}આઠ પહોર રહે આનંદજી,
{{Gap|8em}}આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને
નિત્ય રે નાચે સત્સંગમાં ને
{{Gap|8em}}તોડે માયા કેરા ફંદજી – મેરુ
{{Gap|8em}}તોડે માયા કેરા ફંદજી – મેરુ
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં,
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં,
{{Gap|8em}}તે નામ નિજારી નર ને નારજી,  
{{Gap|8em}}તે નામ નિજારી નર ને નારજી,  
એકાંતે બેસીને આરાધના માંડે તો,
એકાંતે બેસીને આરાધના માંડે તો,
{{Gap|8em}}અલખ પધારે એને દ્વારજી – મેરુ
{{Gap|8em}}અલખ પધારે એને દ્વારજી – મેરુ
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
{{Gap|8em}}શીશ તો કર્યાં કુરબાન રે,
{{Gap|8em}}શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલપ વિકલપ એકે નહિ ઉ૨માં,
સંકલપ વિકલપ એકે નહિ ઉ૨માં,
{{Gap|8em}}જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ
{{Gap|8em}}જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ
સંગત કરો તો તમે એવાની કરજો,
સંગત કરો તો તમે એવાની કરજો,
{{Gap|8em}}જે ભજનમાં રહે ભરપુરજી,
{{Gap|8em}}જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગાસતી એમ બોલિયાં,
ગંગાસતી એમ બોલિયાં,
{{Gap|8em}}જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ
{{Gap|8em}}જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ
ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!
ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!
{{Gap|8em}}રાખજો વચનુંમાં વિશ્વાસ રે,
{{Gap|8em}}રાખજો વચનુંમાં વિશ્વાસ રે,

Latest revision as of 16:48, 17 April 2024

વીજળીના ચમકારે

ગંગાસતી


મેરુ તો ડગે જેનાં મન ના ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં, સોઈ હરિજનનાં પ્રમાણજી.

ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળ,
ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાચી
રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ

હરખ ને શોકની આવે નહિ હેડકી,
આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી – મેરુ

તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં,
તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો,
અલખ પધારે એને દ્વારજી – મેરુ

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલપ વિકલપ એકે નહિ ઉ૨માં,
જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ

સંગત કરો તો તમે એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગાસતી એમ બોલિયાં,
જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ

ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!
રાખજો વચનુંમાં વિશ્વાસ રે,
ગંગાસતી એમ બોલિયાં
તમે થાજો સતગુરુજીના દાસ રે – મેરુ