સિગ્નેચર પોયમ્સ/સાચા શબદ – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(No difference)

Latest revision as of 02:28, 20 April 2024

સાચા શબદ

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’


આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ.

સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ.

કોયલ ટહુકે આંબાડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમતળ ઢાળે
ખેંચ નહિ, નહિ તાણ
એ સાચા શબદનાં પરમાણ.

ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારે
શ્વાસ લિયે ને સૌરભ સારે.
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબદનાં પરમાણ.