સિગ્નેચર પોયમ્સ/સાચા શબદ – મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:
'''મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’'''
'''મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’'''
{{Block center|
{{Block center|
{{gap|6em}}આપ કરી લે ઓળખાણ
{{gap|4em}}આપ કરી લે ઓળખાણ
{{gap|4em}}એ સાચા શબદનાં પરમાણ.
{{gap|6em}}એ સાચા શબદનાં પરમાણ.


સાકર કહે નહિ, હું છું મીઠી,  
સાકર કહે નહિ, હું છું મીઠી,  
Line 22: Line 22:
શ્વાસ લિયે ને સૌરભ સારે.  
શ્વાસ લિયે ને સૌરભ સારે.  
અંતરથી એમ ઊઠે ત્યારે  
અંતરથી એમ ઊઠે ત્યારે  
{{gap|6em}}વહે સ્વયંભૂ વાણ
{{gap|7em}}વહે સ્વયંભૂ વાણ
{{gap|4em}}એ સાચા શબદનાં પરમાણ.
{{gap|4em}}એ સાચા શબદનાં પરમાણ.
}}
}}

Latest revision as of 02:28, 20 April 2024

સાચા શબદ

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’


આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ.

સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ.

કોયલ ટહુકે આંબાડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમતળ ઢાળે
ખેંચ નહિ, નહિ તાણ
એ સાચા શબદનાં પરમાણ.

ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારે
શ્વાસ લિયે ને સૌરભ સારે.
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબદનાં પરમાણ.