સોરઠિયા દુહા/23

From Ekatra Wiki
Revision as of 05:35, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


23


મનવેધુ કોઈ મળ્યા નહિ, મળ્યા એટલા ગરજી;
દિલની ભીતર જામા ફાટ્યા, કેમ સીવે દરજી!

મારા હૈયામાં ઊંડે ઊંડે સંઘરેલી વાતોનો મરમ પારખનાર કોઈ મળ્યું નહિ. જેટલા મળ્યા એટલા બધી પોતપોતાના સ્વાર્થ પતાવીને જતા રહ્યા. આ કલેજારૂપી જામા ફાટી ગયા છે, પણ તે સામાન્ય દરજી જેવા માણસો કેમ કરીને સીવી શકે? એને માટે તો મનવેધુ જ જોઈએ.