સોરઠિયા દુહા/24

From Ekatra Wiki
Jump to navigation Jump to search


24

દુહો દસમો વેદ, સમજે તેને સાલે;
વિયાતલની વેણ્ય, વાંઝણી શું જાણે!

દુહા પણ પુરાણા વેદના જેટલા જ જ્ઞાન–ડહાપણથી ભરેલા હોય છે. અને માણસ સમજે તો એમાંથી ઘણું મેળવે છે. બાકી જે નથી સમજતા તેમને મન જ એની કાંઈ કિંમત નથી હોતી. બાળકને જન્મ દેનારી સ્ત્રીને કેટલી વેદના ભોગવવી પડે છે તે વાંઝણી શું જાણે?