સોરઠિયા દુહા/30


30

કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ કુળવંતી નાર;
સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર.

કોઈ કોઈ જાતવંત ઘોડો, કોઈ કોઈ વીર પુરુષ, ને કોઈ કુળવંતી નારી : એવાં ત્રણ રત્નો આ સંસારમાં સરજનહારે સરજ્યાં છે.